શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહિમા
જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધાં પાતક બાલી દેશે છે નામ મારા શ્રુતિમા અનેક, સર્વોપરી આજ ગણાય એક જો સ્વામિનારાયણ એક વાર રટે બીજાં નામ રટયાં હજાર જપ્યા થકી જે ફળ થાય તેનુ, કરી શકે વરણન કોણ એનુ ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે,અંતે વળી અક્ષરધામ આપે ગાયત્રીથી લક્ષ ગણો વિશષ, જાણે જ જેનો મહિમા મહેશ; જયાં જયાં મહા મુકતજનો વસાય, આ કાળમાં તો જપ એજ થાય જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય,તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્બિ જાગે તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાસીજાય; શ્રીસ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુકિત લેશે શડક્ષરો છે ષડ શાસ્ત્રસાર, તે તો ઉતારે ભવસિંધુ પાર; છયે ઋતુમાં દિવસે નિશાય,સર્વે ક્રિયામાં સમરો સદાય પવિત્ર દેહે અપવિત્ર દેહે,તે નામ નિત્ય્ સ્મરવુ સનેહ; જળે કરીને તનમેલ જાય, આ નામથી અંતર શુદ્બ થાય જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડયા બ્રહ્રમણ ધેનુ સંત તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં શ્રી સ્વામિનારાયણ નામ સાર, બળ્યા વિના કેમ રહે જતેનુ
જય શ્રી સ્વામિનારાયણ🙏
Shared 3 years ago
1.1K views