Jamaat-e-Islami Hind Gujarat

The Jamaat-e-Islami Hind (JIH) regards Islam as the authentic way of life revealed by the Creator of the universe; for all human beings. Accordingly the JIH invites all people towards submission to God (which is the literal meaning of Islam).



Jamaat-e-Islami Hind Gujarat

Glimpse of Gujarat Visit | Jamaat-e-Islami Hind


Jamaat-e-Islami Hind Vice President Dr. Salim Engineer and Central Secretary Muhammad Shafi Madani visited Gujarat and attended the Brahma Kumaris Gujarat Diamond Jubilee celebration as special guests. The programme was attended by around 60,000 people, and a video message from the JIH leadership was screened on the occasion.
During the visit, they interacted with Muslim leaders, met Mr. Prakash Shah, a supporter of Gandhian values and secular democracy, visited the Scholar Hope Corp Education Centre, and engaged with students. They also met Mr. Nisar Ansari of Jamiat Ulema-e-Hind, journalist Ajay Umat, and former minister Dr. Dinesh Parmar to discuss the country’s socio-political and economic challenges.

1 week ago | [YT] | 54

Jamaat-e-Islami Hind Gujarat

આઈ. કરીમુલ્લાહ (નેશનલ સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ) અને લઈક અહેમદ ખાન (આસિસ્ટન્ટ સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ) ગુજરાતની મુલાકાતે:વિવિધ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અગ્રણીઓ સાથે મુલાકાત અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ”

1 month ago | [YT] | 30

Jamaat-e-Islami Hind Gujarat

એ ઈમાનવાળો નથી હોઈ શકતો
અલ્લાહના રસૂલ ﷺ એ ફરમાવ્યું:
"ખુદાની કસમ એ ઈમાનવાળો નથી..ખુદાની કસમ એ ઈમાનવાળો નથી..ખુદાની કસમ એ ઈમાનવાળો નથી..
પૂછવામાં આવ્યું: કોણ હે અલ્લાહના રસૂલ? ફરમાવ્યું : "એ જેની સતામણીથી એનો પાડોસી સુરક્ષિત નથી."( સહી બુખારી-6061)
પાડોશી અધિકાર અભિયાન
આદર્શ પાડોશી આદર્શ સમાજ
21 થી 30 નવેમ્બર 2025

1 month ago | [YT] | 18

Jamaat-e-Islami Hind Gujarat

પાડોસી હોવાનો તકાદો
નબીએ કરીમ ﷺ એ ફરમાવ્યું :
"જે વ્યક્તિ અલ્લાહ અને આખિરત પર ઈમાન ધરાવતો હોય એ પોતાના પાડોસીને તકલીફ ન પહોંચાડે ( બુખારી 5185)

પાડોશી અધિકાર અભિયાન
આદર્શ પાડોશી – આદર્શ સમાજ
21 થી 30 નવેમ્બર 2025

1 month ago | [YT] | 19

Jamaat-e-Islami Hind Gujarat

નબીએઅકરમ સલ્લ.એ ફરમાવ્યું :
"એ જાતની કસમ જેના હાથમાં મારી જાન છે! તમે ભલાઈઓનો હૂકમ આપો અને બુરાઈથી રોકો..નહીંતર સમીપ છે કે અલ્લાહતઆલા તમારા પર પોતાનો અઝાબ મોકલી દે..પછી તમે અલ્લાહથી દુઆ કરો અને તમારી દુઆ કબુલ કરવામાં ન આવે."
(હદીસ સંગ્રહ તિરમીજી-૨૧૬૯

1 month ago | [YT] | 17

Jamaat-e-Islami Hind Gujarat

યોગ્ય નીયત સાથે કરેલો દરેક ખર્ચ ઈબાદત બની જાય છે.
#Islam #JIHGujarat #સદકાઅનેખર્ચ #IslamicWisdom

1 month ago | [YT] | 12

Jamaat-e-Islami Hind Gujarat

*જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત દ્વારા 'વકફ જાગૃતિ અને ડોક્યુમેન્ટેશન' વિષયક વિશેષ તાલીમ શિબિરનું આયોજન*

12 ઓક્ટોબર 2025, રવિવારના રોજ સવારે 10:30 વાગ્યે સુફ્ફાહ હોલ, કરીશ્મા કોમ્પલેક્ષ, સારાણી સોસાયટી, જુહાપુરા ખાતે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત દ્વારા "વકફ જાગૃતિ અને ડોક્યુમેન્ટેશન" વિષયક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વકફ સંસ્થાઓના મુતવલ્લી, ટ્રસ્ટી તથા નાગરિક સહાય કેન્દ્રોના પ્રતિનિધિઓને કાયદાકીય અને પ્રાયોગિક માર્ગદર્શન આપવાનો હતો. સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી સંબંધિત સંસ્થાઓના પ્રતિનિધિઓ અને જવાબદાર વ્યક્તિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન “વકફ એક્ટ – 2025” હેઠળના નવીન નિયમો, 'UMEED' પોર્ટલ પર વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ દ્વારા વકફ સંપત્તિઓના હક અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ, તેમજ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા મળતી માર્ગદર્શિકા જેવી વિવિધ બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, વકફ સંસ્થાઓને કાયદાકીય સહાય અને જરૂરી ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા કેવી રીતે સરળ બનાવી શકાય તેના વિષય પર પણ સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમને ડો. મુહમ્મદ સલીમ પટીવાલા (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત), માનનીય જનાબ મોહમ્મદ શફી મદની (રાષ્ટ્રીય સચિવ, જમાઅતે ઇસ્લામી હિંદ અને સભ્ય, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ), જનાબ પ્રોફેસર અકિલ અલી સૈયદ (ફાઉન્ડીંગ વીસી, જીએમ વસ્તાનવી યુનિવર્સીટી, અક્કલકુવા) અને જનાબ ઇનામુર્રહમાન ખાન (એસિસ્ટન્ટ સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ)એ સંબોધ્યા હતા. વક્તાઓએ વકફ સંપત્તિઓના સંરક્ષણ અને તેની યોગ્ય ઉપયોગિતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું.
જનાબ વાસિફ હુસેન, જનરલ સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરસ રીતે કર્યું હતું. તેમણે આહવાન કર્યું કે વકફ સંબંધિત કાર્ય સરળતાપૂર્વક પાર પાડી શકાય તે માટે ગુજરાતના વિવિધ શહેરોમાં હાજર સૌના સહયોગથી અલગ-અલગ વિસ્તારોમાં લીગલ સેલ સ્થાપિત કરવા જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત ઇચ્છે છે.
કાર્યક્રમના અંતે ઓપન સેશનમાં હાજર પ્રતિનિધિઓ અને શ્રોતાઓએ પોતાના પ્રાયોગિક પ્રશ્નો રજૂ કર્યા હતા. વકફ સંપત્તિના વ્યવહાર, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને કાનૂની મુશ્કેલીઓ અંગેના અનેક પ્રશ્નોના સંતોષકારક ઉત્તર વક્તાઓએ આપ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને મસ્જિદ એસોસિએશન ગુજરાતના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. વકફ સંબંધિત જાગૃતિ અને કાયદાકીય સમજ વધારવા માટે આ કાર્યક્રમ અત્યંત લાભદાયી અને માર્ગદર્શક સાબિત થયો.

2 months ago | [YT] | 29

Jamaat-e-Islami Hind Gujarat

રાજ્ય અને રાષ્ટ્ર માં પ્રવર્તી રહેલ સાંપ્રત સ્થિતિ અંગે તા.૬/૧૦/૨૦૨૫ના ગાંધીનગર ખાતે ચર્ચા ગોષ્ઠી યોજાઈ. *ટીમ મેવા* ના સાથીઓ સાથે જમાતે ઇસ્લામી હિન્દ, નવી દિલ્હીથી પધારેલ જ. મુહમ્મદશફી મદની સાહેબ અને ઈકબાલ એહમદ મિરઝા જમાઅતે ઇસ્લામી હિન્દ, અહમદાબાદ ઉપસ્થિત રહ્યા. મુસ્લિમ સમુદાયમાં સમાજના પ્રબુદ્ધ નાગરિકોનો સમાવેશ કરી એક સિવિલ સોસાયટીના નિર્માણ અંગે નિર્ણય લેવામાં આવ્યો.

2 months ago (edited) | [YT] | 23

Jamaat-e-Islami Hind Gujarat

“Love for Prophet Muhammad ﷺ is our faith, not a crime.
Silencing ‘I ❤️ Mohammad’ is unconstitutional, politically driven, and an insult to India’s pluralism.” ✊🇮🇳

#ILoveMohammad #FreedomOfExpression #PluralIndia #JIH

3 months ago | [YT] | 22

Jamaat-e-Islami Hind Gujarat

હઝરત મુહમ્મદ ﷺ પવિત્ર પરિવર્તનના પથદર્શક અભિયાનનો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો

ડો. સલીમ પટીવાલા (અમીર , JIH ગુજરાત) એ જણાવ્યું હતું કે જીવનના દરેક ક્ષેત્રમાં દુનિયામાં એક જ સફળ વ્યક્તિત્વ છે, જેના અનુકરણમાં જ સફળતા રહેલી છે. ભીખાભાઈ અમીન સાહેબ (બૌદ્ધ પ્રતિનિધિ) એ સંવિધાનિક મૂલ્યો પર ભાર મૂકતાં સામાજિક સોહાર્દની વાત કરી હતી. શાઝિયા શેખ (સેક્રેટરી, મહિલા વિભાગ JIH ગુજરાત)એ પોતાની સુંદર શૈલીમાં ઇસ્લામમાં ન્યાય, સમાનતા અને મહિલા અધિકારોની વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. હોઝે ઇલમિયાના મૌલાના અખ્તર રિઝવી સાહેબે તેમની પ્રભાવકારી શૈલીમાં  હઝરત મુહમ્મદ ﷺ ની પ્રાસંગિકતા રજૂ કરી હતી. ત્યારબાદ માનનીય અર્વદ ખુશરૂ ઘડિયાલી સાહેબ (પારસી પ્રિસ્ટ)એ પ્રસંગને અનુરૂપ તેમનું વક્તવ્ય રજૂ કર્યું હતું.  અભિયાન દરમિયાન યોજવામાં આવેલી ક્વિઝ સ્પર્ધામાં
• પ્રથમ ઇનામ અમદાવાદની આફિયા શાહિદ મલિક
• બીજું ઇનામ પ્રાંતીજની ફરઝીનબેગમ દલાલ
• ત્રીજું ઇનામ પોશીનાની આયેશા મહબૂબભાઈ મેમણને મળ્યું હતું.
અંતમાં જનાબ વાજિદ કાદરી સાહેબે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. આપે વિવિધ દાખલાઓ ટાંકતાં જણાવ્યું કે હઝરત મુહમ્મદ ﷺ એ માત્ર સિદ્ધાંતો જ આપ્યા નહિ, પરંતુ વ્યવહારમાં લાવીને બતાવ્યા.

3 months ago | [YT] | 41