The Jamaat-e-Islami Hind (JIH) regards Islam as the authentic way of life revealed by the Creator of the universe; for all human beings. Accordingly the JIH invites all people towards submission to God (which is the literal meaning of Islam).
ઈદના પ્રસંગે જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેર દ્વારા શહેરના ધાર્મિક સામાજીક રાજકીય આગેવાનોનો માટે ઈદ મિલન સમૂહભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો મોટી સંખ્યામાં મહાનુભાવોએ પધારીને કાર્યક્રમને અભૂતપૂર્વ સફળ બનાવ્યો હતો. કુલ ૬૦ દરેક સમાજના મહાનુભાવો અને ૧૫ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. પ્રસંગ અને દેશની વર્તમાન પરિસ્થિતિ ઉપર પ્રાસંગિક ચર્ચાઓ થઈ હતી. જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેરના પ્રમુખ ઇકબાલ મીરઝા એ પ્રારંભીક પ્રવચન અને ગુજરાતના પ્રમુખ ડો. સલીમ પટીવાલા સાહેબે અધ્યક્ષીય પ્રવચન કર્યું હતું. ગુજરાતના મુસલમાનો ની પરંપરા મુજબ એક થાળમાં ૩ દેશબાંધવ અને ૧ મુસ્લિમ બેસીને સમૂહભોજનનો સ્વાદ માણ્યો હતો.
વિજાપુર મુકામે ઈદુલ અઝહાના પ્રસંગે એક સમૂહ ભોજનનો કાર્યક્રમ દેશ બાંધવો સાથે તારીખ 30 મે 2026 શનિવારની સાંજે ગોઠવેલ જેમાં મોટી સંખ્યામાં દલિત ભાઈઓએ અને વાલ્મિકી ભાઈઓએ ભાગ લીધો હતો. તેમની સમક્ષ ઇસ્લામની સમાનતા તથા બંધુતા ની વાત અને તોહીદની વાત મૂકવામાં આવી. સાથે આપણા બંધારણના આમુખમાં જે સમાનતા બંધુતા અને ભાઈચારાની વાત છે તેને પણ વિસ્તારથી સમજાવવામાં આવી. લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને કાર્યક્રમ બાબતે ખૂબ જ ઉત્સાહ અને સંતોષ વ્યક્ત કર્યો. આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ તેવી લાગણી પણ ઘણા મિત્રોએ દર્શાવી. મોહમ્મદ ઉમર વહોરા અમીરે મુકામી વિજાપુર
જનાબ વાસિફ હુસૈન, જનરલ સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ (JIH) ગુજરાત અને SIO ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જનાબ મુનવ્વર હુસૈનએ ઇમામ સૈયદ અલી ખામેનીના શહાદત પ્રસંગે આયોજિત શોક સભામાં હાજરી આપી.
તેઓએ ત્યાં પ્રોફેસર ડૉ. હકીમ ઇલાહી સાહેબ સાથે મુલાકાત કરી, જે મહામહિમ સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનીના પ્રતિનિધિ તરીકે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના દૂતાવાસમાંથી મુલાકાતે આવ્યા હતા.
આ અવસરે તેમણે શોક સંદેશ પાઠવીને શોકગ્રસ્ત પરિવારો તથા આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના અને એકતા વ્યક્ત કરી.
યુનિફોર્મ સિવિલ કોડનો વિવાદિત અધિનિયમ ગઈકાલે વિધાનસભામાં મંજૂર થયો, જે ગુજરાતના બંધારણીય ઇતિહાસમાં એક કલંકિત ઘટના છે; કારણ કે આ નિયમ ગેરબંધારણીય તો છે જ, સાથે સાથે 21મા લો કમિશનના સ્પષ્ટ સૂચનોનું ઉલ્લંઘન પણ છે. આ નાગરિકોના મૂળભૂત બંધારણીય હક્કો પર તરાપ છે.
દેશમાં અને રાજ્યમાં સામાન્ય જનતાને પજવતી વિવિધ સમસ્યાઓ તરફ આંખમીંચામણાં કરી અને વિકાસના બીજા કાર્યક્રમોની અવગણના કરી આવો અધિનિયમ લાવવાની ઉતાવળ દર્શાવે છે કે, આનો હેતુ રાજ્યનો વિકાસ નહીં પણ એક ચોક્કસ કોમને નિશાન બનાવી પોતાનો રાજકીય ઉદ્દેશ્ય પૂરો કરવાનો છે.
મુસ્લિમ પર્સનલ લો કોઈ રૂઢિગત રિવાજ નહીં પણ ઇસ્લામી શરીયત પર આધારિત 'શરીયત એપ્લિકેશન એક્ટ' દ્વારા સ્વીકૃત ઇસ્લામિક કાયદો છે, અને આ મુસ્લિમોના જીવનનું એક અભિન્ન અંગ છે. મુસ્લિમો ક્યારેય આ ઇસ્લામી શરીયતને છોડી બીજો કોઈ કાયદો સ્વીકારી શકતા નથી. જમાઅતે ઇસ્લામી હિન્દ, ગુજરાત આ કાયદાનો સખત વિરોધ કરે છે અને માંગણી કરે છે કે સમાજ વિરોધી અને બંધારણ વિરોધી આ કાયદાને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પણ બીજા કેટલાય દેશપ્રેમી સંગઠનો અને સમાજો પણ આના વિરોધમાં છે.
સમસ્ત મુસ્લિમ સમુદાય આ કાયદા વિરુદ્ધ દરેક રીતે પોતાનો વિરોધ દર્શાવે છે. અમે ગાંધી ચીંધ્યા માર્ગે આના વિરુદ્ધ દરેક જાતના સંઘર્ષ માટે તૈયાર છીએ અને આ ગેરબંધારણીય કાયદાને કાયદાકીય રીતે પડકારવામાં પણ આવશે.
સાચો મુસ્લિમ માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે પણ જવાબદાર હોય છે. જો કુરઆનની શિક્ષાઓને સાચી રીતે જીવનમાં ઉતારવામાં આવે, તો સમાજની ઘણી સમસ્યાઓનું સમાધાન શક્ય બને છે.
નમાઝ, રોજા અને ઇમાન જેટલું જ મહત્વ સમાજમાં ન્યાય અને સંતુલિત સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો પણ છે. ઇસ્લામ માત્ર વ્યક્તિગત ઇબાદત સુધી સીમિત નથી, પરંતુ એક એવી વ્યવસ્થા તરફ દોરે છે જે સમગ્ર સમાજમાં ન્યાય અને ભલાઈ સ્થાપિત કરે.
સદકા (ઝકાત) માત્ર દાન નથી, પરંતુ જરૂરિયાતમંદનો હક છે. તમારા માલમાં ગરીબ, મુસાફિર અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોનો પણ હિસ્સો છે. આવો, ઝકાત અદા કરીને સમાજમાં રહેમત અને સહકારનો સંદેશ ફેલાવીએ.
જમાઅતે ઈસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મહિલાઓના ગૌરવ, સુરક્ષા અને આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે પગલાં ભરવાની માંગ કરી. પશ્ચિમ એશિયામાં વધતા લશ્કરી સંઘર્ષ સામે સાવધ કર્યા.
નવી દિલ્હી: જમાઅતે ઈસ્લામી હિંદના મુખ્યાલય ખાતે આયોજિત માસિક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, જમાતના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ દેશમાં મહિલાઓના સન્માન અને ગૌરવ સામેના જોખમો, વધતી આર્થિક મુશ્કેલીઓ અને પશ્ચિમ એશિયામાં વકરતા લશ્કરી સંઘર્ષ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
આગામી 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ના સંદર્ભમાં વાત કરતા સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું હતું કે, જોકે આ દિવસ મહિલાઓની સિદ્ધિઓની સ્વીકૃતિ અને અધિકારો માટે ઉજવવામાં આવે છે, પરંતુ મહિલાઓ વિરુદ્ધ વધતા જતા ગુનાઓ સૂચવે છે કે તેમની સુરક્ષા, ગૌરવ અને સમાન તકો માટેના સંઘર્ષની સફર હજુ બાકી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) મુજબ, માત્ર વર્ષ 2022માં ભારતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના 4.45 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં બળાત્કાર, જાતીય હુમલો, ઘરેલું હિંસા, પજવણી, માનવ તસ્કરી અને સંબંધીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર જેવી ઘટનાઓ સામેલ છે. તે જ વર્ષે 31 હજારથી વધુ બળાત્કારના કેસ નોંધાયા હતા, એટલે કે સરેરાશ દરરોજ લગભગ 85 બળાત્કારની ઘટનાઓ રિપોર્ટ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ઘરેલું હિંસાના કિસ્સાઓ ત્રીજા ભાગથી વધુ છે, જે દર્શાવે છે કે હિંસા ઘણીવાર ઘરો અને પરિવારોની અંદર જ થાય છે. તેમણે ગુમ થયેલી મહિલાઓના મુદ્દાને પણ અત્યંત ચિંતાજનક ગણાવ્યો હતો. NCRBના ડેટા મુજબ, ભારતમાં દર વર્ષે લાખો મહિલાઓ અને કન્યાઓ ગુમ થયાની ફરિયાદ નોંધાય છે, જેમાંથી મોટી સંખ્યામાં પતો લાગતો નથી. ખાસ કરીને મહિલાઓ અને કિશોરીઓ માનવ તસ્કરી, બળજબરીથી મજૂરી, શોષણ અને જાતીય હિંસાનો વધુ શિકાર બને છે. તેમણે કહ્યું કે જાતીય શોષણનો મુદ્દો વાસ્તવમાં સમાજમાં પ્રવર્તતી નૈતિક કટોકટીનું પ્રતિબિંબ છે. 'એપસ્ટીન સ્મગલિંગ નેટવર્ક' જેવા સંગઠિત શોષણે વિશ્વના અંતરાત્માને હચમચાવી દીધો છે. જમાઅતે ઈસ્લામી હિંદનું માનવું છે કે મહિલાઓના ગૌરવના રક્ષણ માટે માત્ર કડક કાયદા અને તાત્કાલિક ન્યાય પૂરતો નથી, પરંતુ સન્માન અને જવાબદારી પર આધારિત નૈતિક અને સામાજિક વ્યવસ્થાની પણ જરૂર છે.
આર્થિક પ્રશ્નો પર વાત કરતા સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2026–27 પછીની સ્થિતિએ વધતી આર્થિક મુશ્કેલીઓની આશંકાઓને વધુ ગંભીર બનાવી દીધી છે. બજેટમાં મોટાભાગનું ધ્યાન 'સપ્લાય સાઈડ'ના પ્રોત્સાહનો પર કેન્દ્રિત રહ્યું હતું, જ્યારે આવકની ન્યાયી વહેંચણી, રોજગારીની જોગવાઈ અને સામાજિક સુરક્ષા જેવા મહત્વના પાસાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. વૈશ્વિક અનિશ્ચિતતા અને આંતરિક આર્થિક દબાણ વચ્ચે વિકાસના લાભો સમાન રીતે વહેંચાતા નથી, જ્યારે સામાન્ય પરિવારો ઓછી આવક, વધતી મોંઘવારી અને અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ પહેલેથી જ ભારતની આર્થિક નબળાઈઓને ઉજાગર કરી રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઝડપી વધારો અને રૂપિયા પર વધતું દબાણ ભારતના આયાત ખર્ચ અને મોંઘવારીના જોખમોને વધારી શકે છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલની આયાત દ્વારા મેળવતું હોવાથી, આવા ભૌગોલિક-રાજકીય આંચકા સીધા બળતણના ભાવ, પરિવહન ખર્ચ અને નાણાકીય દબાણમાં વધારો કરે છે. તેની અસર ઘરગથ્થુ બજેટ અને નાના ઉદ્યોગો પર પડવી અનિવાર્ય છે. તેમણે એમ પણ કહ્યું કે લેબર માર્કેટની સ્થિતિ પણ ચિંતાજનક છે. ભારતની મોટી વસ્તી અનૌપચારિક અને અસુરક્ષિત નોકરીઓમાં ફસાયેલી છે. 'ગિગ ઈકોનોમી' (Gig Economy) ના ઝડપી ફેલાવાએ આ વલણને વધુ વધાર્યું છે, જ્યાં લાખો યુવાનો અસ્થાયી નોકરીઓ કરવા મજબૂર છે, પરંતુ તેમને નોકરીની ગેરંટી, યોગ્ય વેતન કે સામાજિક સુરક્ષા પ્રાપ્ત નથી.
પશ્ચિમ એશિયાના યુદ્ધ પર વાત કરતા સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ચાલી રહેલી સંયુક્ત સૈન્ય કાર્યવાહી પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ હુમલાઓ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન છે. તેમણે દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં 'શજરા તૈયબા ગર્લ્સ સ્કૂલ' પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત નિંદા કરી હતી, જેમાં આશરે 160 થી 170 વિદ્યાર્થિનીઓ મૃત્યુ પામી છે. તેમણે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર વિશ્વના અંતરાત્માને હચમચાવી દીધો છે અને લશ્કરી હુમલાઓએ નાગરિકોની સુરક્ષાને ગંભીર જોખમમાં મૂકી દીધી છે.
તેમણે સાવધ કર્યા હતા કે વર્તમાન તણાવને કોઈપણ સંજોગોમાં વ્યાપક પ્રાદેશિક યુદ્ધમાં ફેરવવા દેવો જોઈએ નહીં. ઈરાનને તેની સાર્વભૌમત્વના બચાવનો અધિકાર છે, પરંતુ સ્થિતિ એવી હદે ન પહોંચવી જોઈએ કે પાડોશી દેશો સીધા સંઘર્ષમાં ખેંચાઈ જાય અને મુસ્લિમ જગતમાં વધુ વિભાજન થાય. તેમણે કહ્યું કે આ પ્રદેશને લાંબા અને વિનાશક યુદ્ધથી બચાવવા માટે શાણપણ, સાવધાની અને અસરકારક રાજદ્વારી પ્રયાસોની તાત્કાલિક જરૂર છે. તેમણે અંતમાં જણાવ્યું કે ટકાઉ શાંતિ અને સ્થિરતા માત્ર વાતચીત, સાર્વભૌમત્વ અને ન્યાય તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન દ્વારા જ શક્ય છે.
દ્વારા જારી કરાયેલ: સલમાન અહેમદ રાષ્ટ્રીય સચિવ, મીડિયા વિભાગ કેન્દ્ર, જમાઅતે ઈસ્લામી હિંદ D-321, અબુલ ફઝલ એન્ક્લેવ, જામિયા નગર, ઓખલા નવી દિલ્હી – 110025 મોબાઈલ: 7290010191
Jamaat-e-Islami Hind Gujarat
ઈદના પ્રસંગે જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેર દ્વારા શહેરના ધાર્મિક સામાજીક રાજકીય આગેવાનોનો માટે ઈદ મિલન સમૂહભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો મોટી સંખ્યામાં મહાનુભાવોએ પધારીને કાર્યક્રમને અભૂતપૂર્વ સફળ બનાવ્યો હતો. કુલ ૬૦ દરેક સમાજના મહાનુભાવો અને ૧૫ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. પ્રસંગ અને દેશની વર્તમાન પરિસ્થિતિ ઉપર પ્રાસંગિક ચર્ચાઓ થઈ હતી. જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેરના પ્રમુખ ઇકબાલ મીરઝા એ પ્રારંભીક પ્રવચન અને ગુજરાતના પ્રમુખ ડો. સલીમ પટીવાલા સાહેબે અધ્યક્ષીય પ્રવચન કર્યું હતું. ગુજરાતના મુસલમાનો ની પરંપરા મુજબ એક થાળમાં ૩ દેશબાંધવ અને ૧ મુસ્લિમ બેસીને સમૂહભોજનનો સ્વાદ માણ્યો હતો.
#JamaatEIslamiHind #EidUlAzha #Unity #Harmony #CommunityFeast #Gujarat #Brotherhood
2 months ago | [YT] | 35
View 0 replies
Jamaat-e-Islami Hind Gujarat
વિજાપુર મુકામે ઈદુલ અઝહાના પ્રસંગે એક સમૂહ ભોજનનો કાર્યક્રમ દેશ બાંધવો સાથે તારીખ 30 મે 2026 શનિવારની સાંજે ગોઠવેલ જેમાં મોટી સંખ્યામાં દલિત ભાઈઓએ અને વાલ્મિકી ભાઈઓએ ભાગ લીધો હતો. તેમની સમક્ષ ઇસ્લામની સમાનતા તથા બંધુતા ની વાત અને તોહીદની વાત મૂકવામાં આવી. સાથે આપણા બંધારણના આમુખમાં જે સમાનતા બંધુતા અને ભાઈચારાની વાત છે તેને પણ વિસ્તારથી સમજાવવામાં આવી. લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને કાર્યક્રમ બાબતે ખૂબ જ ઉત્સાહ અને સંતોષ વ્યક્ત કર્યો. આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ તેવી લાગણી પણ ઘણા મિત્રોએ દર્શાવી.
મોહમ્મદ ઉમર વહોરા
અમીરે મુકામી
વિજાપુર
2 months ago | [YT] | 31
View 3 replies
Jamaat-e-Islami Hind Gujarat
જનાબ વાસિફ હુસૈન, જનરલ સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ (JIH) ગુજરાત અને SIO ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જનાબ મુનવ્વર હુસૈનએ ઇમામ સૈયદ અલી ખામેનીના શહાદત પ્રસંગે આયોજિત શોક સભામાં હાજરી આપી.
તેઓએ ત્યાં પ્રોફેસર ડૉ. હકીમ ઇલાહી સાહેબ સાથે મુલાકાત કરી, જે મહામહિમ સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનીના પ્રતિનિધિ તરીકે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના દૂતાવાસમાંથી મુલાકાતે આવ્યા હતા.
આ અવસરે તેમણે શોક સંદેશ પાઠવીને શોકગ્રસ્ત પરિવારો તથા આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના અને એકતા વ્યક્ત કરી.
4 months ago | [YT] | 24
View 0 replies
Jamaat-e-Islami Hind Gujarat
યુનિફોર્મ સિવિલ કોડનો વિવાદિત અધિનિયમ ગઈકાલે વિધાનસભામાં મંજૂર થયો, જે ગુજરાતના બંધારણીય ઇતિહાસમાં એક કલંકિત ઘટના છે; કારણ કે આ નિયમ ગેરબંધારણીય તો છે જ, સાથે સાથે 21મા લો કમિશનના સ્પષ્ટ સૂચનોનું ઉલ્લંઘન પણ છે. આ નાગરિકોના મૂળભૂત બંધારણીય હક્કો પર તરાપ છે.
દેશમાં અને રાજ્યમાં સામાન્ય જનતાને પજવતી વિવિધ સમસ્યાઓ તરફ આંખમીંચામણાં કરી અને વિકાસના બીજા કાર્યક્રમોની અવગણના કરી આવો અધિનિયમ લાવવાની ઉતાવળ દર્શાવે છે કે, આનો હેતુ રાજ્યનો વિકાસ નહીં પણ એક ચોક્કસ કોમને નિશાન બનાવી પોતાનો રાજકીય ઉદ્દેશ્ય પૂરો કરવાનો છે.
મુસ્લિમ પર્સનલ લો કોઈ રૂઢિગત રિવાજ નહીં પણ ઇસ્લામી શરીયત પર આધારિત 'શરીયત એપ્લિકેશન એક્ટ' દ્વારા સ્વીકૃત ઇસ્લામિક કાયદો છે, અને આ મુસ્લિમોના જીવનનું એક અભિન્ન અંગ છે. મુસ્લિમો ક્યારેય આ ઇસ્લામી શરીયતને છોડી બીજો કોઈ કાયદો સ્વીકારી શકતા નથી. જમાઅતે ઇસ્લામી હિન્દ, ગુજરાત આ કાયદાનો સખત વિરોધ કરે છે અને માંગણી કરે છે કે સમાજ વિરોધી અને બંધારણ વિરોધી આ કાયદાને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પણ બીજા કેટલાય દેશપ્રેમી સંગઠનો અને સમાજો પણ આના વિરોધમાં છે.
સમસ્ત મુસ્લિમ સમુદાય આ કાયદા વિરુદ્ધ દરેક રીતે પોતાનો વિરોધ દર્શાવે છે. અમે ગાંધી ચીંધ્યા માર્ગે આના વિરુદ્ધ દરેક જાતના સંઘર્ષ માટે તૈયાર છીએ અને આ ગેરબંધારણીય કાયદાને કાયદાકીય રીતે પડકારવામાં પણ આવશે.
4 months ago | [YT] | 32
View 3 replies
Jamaat-e-Islami Hind Gujarat
ईद सिर्फ एक त्योहार नहीं, बल्कि दिलों को जोड़ने का पैग़ाम है 🤍
मोहब्बत, भाईचारा और इंसानियत को ज़िंदा रखने का दिन है।
आइए, इस ईद हम अपने रिश्तों को और मज़बूत करें,
नफ़रत को मिटाकर प्यार फैलाएँ।
आप सभी को दिल से ईद मुबारक!
4 months ago | [YT] | 14
View 3 replies
Jamaat-e-Islami Hind Gujarat
સાચો મુસ્લિમ માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે પણ જવાબદાર હોય છે.
જો કુરઆનની શિક્ષાઓને સાચી રીતે જીવનમાં ઉતારવામાં આવે, તો સમાજની ઘણી સમસ્યાઓનું સમાધાન શક્ય બને છે.
#Quran #IslamicMessage #JamaateIslami #Guidance
5 months ago | [YT] | 16
View 0 replies
Jamaat-e-Islami Hind Gujarat
નમાઝ, રોજા અને ઇમાન જેટલું જ મહત્વ સમાજમાં ન્યાય અને સંતુલિત સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો પણ છે.
ઇસ્લામ માત્ર વ્યક્તિગત ઇબાદત સુધી સીમિત નથી, પરંતુ એક એવી વ્યવસ્થા તરફ દોરે છે જે સમગ્ર સમાજમાં ન્યાય અને ભલાઈ સ્થાપિત કરે.
#IslamicThought #JIH #SocialJustice #IslamicGuidance
5 months ago | [YT] | 8
View 1 reply
Jamaat-e-Islami Hind Gujarat
જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેરના ઉપક્રમે નાબીના મદરસા જુહાપુરામાં બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે ઇફ્તારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આપણે આપણી પસંદગી મુજબ વિવિધ વાનગીઓ થી ઈફ્તાર કરી શકીએ છીએ તેઓ હાથ ફેરવે છે જે હાથમાં આવે તે ખાઈ લે છે અને અલ્લાહનો શુક્ર અદા કરે છે.
તેમને રમઝાનની દુઆઓ માં ખાસ યાદ રાખીએ અને આર્થિક મદદ પણ કરીએ.
5 months ago | [YT] | 20
View 0 replies
Jamaat-e-Islami Hind Gujarat
સદકા (ઝકાત) માત્ર દાન નથી, પરંતુ જરૂરિયાતમંદનો હક છે.
તમારા માલમાં ગરીબ, મુસાફિર અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોનો પણ હિસ્સો છે.
આવો, ઝકાત અદા કરીને સમાજમાં રહેમત અને સહકારનો સંદેશ ફેલાવીએ.
તમારી ઝકાત કોઈની જિંદગીમાં આશા બની શકે છે.
5 months ago | [YT] | 3
View 0 replies
Jamaat-e-Islami Hind Gujarat
07 માર્ચ 2026
પ્રેસ રિલીઝ
જમાઅતે ઈસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મહિલાઓના ગૌરવ, સુરક્ષા અને આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે પગલાં ભરવાની માંગ કરી.
પશ્ચિમ એશિયામાં વધતા લશ્કરી સંઘર્ષ સામે સાવધ કર્યા.
નવી દિલ્હી: જમાઅતે ઈસ્લામી હિંદના મુખ્યાલય ખાતે આયોજિત માસિક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, જમાતના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ દેશમાં મહિલાઓના સન્માન અને ગૌરવ સામેના જોખમો, વધતી આર્થિક મુશ્કેલીઓ અને પશ્ચિમ એશિયામાં વકરતા લશ્કરી સંઘર્ષ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
આગામી 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ના સંદર્ભમાં વાત કરતા સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું હતું કે, જોકે આ દિવસ મહિલાઓની સિદ્ધિઓની સ્વીકૃતિ અને અધિકારો માટે ઉજવવામાં આવે છે, પરંતુ મહિલાઓ વિરુદ્ધ વધતા જતા ગુનાઓ સૂચવે છે કે તેમની સુરક્ષા, ગૌરવ અને સમાન તકો માટેના સંઘર્ષની સફર હજુ બાકી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) મુજબ, માત્ર વર્ષ 2022માં ભારતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના 4.45 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં બળાત્કાર, જાતીય હુમલો, ઘરેલું હિંસા, પજવણી, માનવ તસ્કરી અને સંબંધીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર જેવી ઘટનાઓ સામેલ છે. તે જ વર્ષે 31 હજારથી વધુ બળાત્કારના કેસ નોંધાયા હતા, એટલે કે સરેરાશ દરરોજ લગભગ 85 બળાત્કારની ઘટનાઓ રિપોર્ટ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ઘરેલું હિંસાના કિસ્સાઓ ત્રીજા ભાગથી વધુ છે, જે દર્શાવે છે કે હિંસા ઘણીવાર ઘરો અને પરિવારોની અંદર જ થાય છે. તેમણે ગુમ થયેલી મહિલાઓના મુદ્દાને પણ અત્યંત ચિંતાજનક ગણાવ્યો હતો. NCRBના ડેટા મુજબ, ભારતમાં દર વર્ષે લાખો મહિલાઓ અને કન્યાઓ ગુમ થયાની ફરિયાદ નોંધાય છે, જેમાંથી મોટી સંખ્યામાં પતો લાગતો નથી. ખાસ કરીને મહિલાઓ અને કિશોરીઓ માનવ તસ્કરી, બળજબરીથી મજૂરી, શોષણ અને જાતીય હિંસાનો વધુ શિકાર બને છે. તેમણે કહ્યું કે જાતીય શોષણનો મુદ્દો વાસ્તવમાં સમાજમાં પ્રવર્તતી નૈતિક કટોકટીનું પ્રતિબિંબ છે. 'એપસ્ટીન સ્મગલિંગ નેટવર્ક' જેવા સંગઠિત શોષણે વિશ્વના અંતરાત્માને હચમચાવી દીધો છે. જમાઅતે ઈસ્લામી હિંદનું માનવું છે કે મહિલાઓના ગૌરવના રક્ષણ માટે માત્ર કડક કાયદા અને તાત્કાલિક ન્યાય પૂરતો નથી, પરંતુ સન્માન અને જવાબદારી પર આધારિત નૈતિક અને સામાજિક વ્યવસ્થાની પણ જરૂર છે.
આર્થિક પ્રશ્નો પર વાત કરતા સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2026–27 પછીની સ્થિતિએ વધતી આર્થિક મુશ્કેલીઓની આશંકાઓને વધુ ગંભીર બનાવી દીધી છે. બજેટમાં મોટાભાગનું ધ્યાન 'સપ્લાય સાઈડ'ના પ્રોત્સાહનો પર કેન્દ્રિત રહ્યું હતું, જ્યારે આવકની ન્યાયી વહેંચણી, રોજગારીની જોગવાઈ અને સામાજિક સુરક્ષા જેવા મહત્વના પાસાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. વૈશ્વિક અનિશ્ચિતતા અને આંતરિક આર્થિક દબાણ વચ્ચે વિકાસના લાભો સમાન રીતે વહેંચાતા નથી, જ્યારે સામાન્ય પરિવારો ઓછી આવક, વધતી મોંઘવારી અને અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ પહેલેથી જ ભારતની આર્થિક નબળાઈઓને ઉજાગર કરી રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઝડપી વધારો અને રૂપિયા પર વધતું દબાણ ભારતના આયાત ખર્ચ અને મોંઘવારીના જોખમોને વધારી શકે છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલની આયાત દ્વારા મેળવતું હોવાથી, આવા ભૌગોલિક-રાજકીય આંચકા સીધા બળતણના ભાવ, પરિવહન ખર્ચ અને નાણાકીય દબાણમાં વધારો કરે છે. તેની અસર ઘરગથ્થુ બજેટ અને નાના ઉદ્યોગો પર પડવી અનિવાર્ય છે. તેમણે એમ પણ કહ્યું કે લેબર માર્કેટની સ્થિતિ પણ ચિંતાજનક છે. ભારતની મોટી વસ્તી અનૌપચારિક અને અસુરક્ષિત નોકરીઓમાં ફસાયેલી છે. 'ગિગ ઈકોનોમી' (Gig Economy) ના ઝડપી ફેલાવાએ આ વલણને વધુ વધાર્યું છે, જ્યાં લાખો યુવાનો અસ્થાયી નોકરીઓ કરવા મજબૂર છે, પરંતુ તેમને નોકરીની ગેરંટી, યોગ્ય વેતન કે સામાજિક સુરક્ષા પ્રાપ્ત નથી.
પશ્ચિમ એશિયાના યુદ્ધ પર વાત કરતા સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ચાલી રહેલી સંયુક્ત સૈન્ય કાર્યવાહી પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ હુમલાઓ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન છે. તેમણે દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં 'શજરા તૈયબા ગર્લ્સ સ્કૂલ' પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત નિંદા કરી હતી, જેમાં આશરે 160 થી 170 વિદ્યાર્થિનીઓ મૃત્યુ પામી છે. તેમણે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર વિશ્વના અંતરાત્માને હચમચાવી દીધો છે અને લશ્કરી હુમલાઓએ નાગરિકોની સુરક્ષાને ગંભીર જોખમમાં મૂકી દીધી છે.
તેમણે સાવધ કર્યા હતા કે વર્તમાન તણાવને કોઈપણ સંજોગોમાં વ્યાપક પ્રાદેશિક યુદ્ધમાં ફેરવવા દેવો જોઈએ નહીં. ઈરાનને તેની સાર્વભૌમત્વના બચાવનો અધિકાર છે, પરંતુ સ્થિતિ એવી હદે ન પહોંચવી જોઈએ કે પાડોશી દેશો સીધા સંઘર્ષમાં ખેંચાઈ જાય અને મુસ્લિમ જગતમાં વધુ વિભાજન થાય. તેમણે કહ્યું કે આ પ્રદેશને લાંબા અને વિનાશક યુદ્ધથી બચાવવા માટે શાણપણ, સાવધાની અને અસરકારક રાજદ્વારી પ્રયાસોની તાત્કાલિક જરૂર છે. તેમણે અંતમાં જણાવ્યું કે ટકાઉ શાંતિ અને સ્થિરતા માત્ર વાતચીત, સાર્વભૌમત્વ અને ન્યાય તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન દ્વારા જ શક્ય છે.
દ્વારા જારી કરાયેલ:
સલમાન અહેમદ
રાષ્ટ્રીય સચિવ, મીડિયા વિભાગ
કેન્દ્ર, જમાઅતે ઈસ્લામી હિંદ
D-321, અબુલ ફઝલ એન્ક્લેવ, જામિયા નગર, ઓખલા
નવી દિલ્હી – 110025
મોબાઈલ: 7290010191
5 months ago | [YT] | 3
View 0 replies
Load more