સાવ સરળ ભાષા માં કહીએ તો વિલ-વસિયતનામું એટલે કે પોતાનાં મરણોત્તર પોતાની સમ્પત્તિના વિતરણ માટે કરેલી વ્યવસ્થા માટેનું લખાણ.
બીજી વાત, વિલ શું કામ કરવું જોઈએ?
(૧) આપણા સમાજમાં એવી એક સામાન્ય માન્યતા છે કે વિલ બનાવવું એ ફક્ત અમીર લોકો માટે જ છે. સાધરણ માણસોને વિલ બનાવવાની ની કોઇ જરૂર ના હોય. પરંતુ આજના વખતમાં આવી વિચારધારા હવે યોગ્ય રહી નથી. આગળ જતા આ વાત વધુ સમજાશે.
(૨) જો તમારી પાસે કોઈ પણ સંપત્તિ હોય અને તમે એવું ઈચ્છતા હો કે તમારા મરણોત્તર એ સંપત્તિનું વિતરણ તમારી ઈચ્છા પ્રમાણે થાય કે તમારે જેને આપવી હોય એને જ મળે તો વિલ કરવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને અત્યારના સમયમાં કે જયારે કાયદાઓ ઘણા બધા બદલાઈ રહ્યા છે અને જુના કાયદાઓના નવાં નવાં અર્થઘટનો થઇ રહયા છે. અને જુના અર્થઘટનો ઉપર ફેરબદલ વાળા નવા નવા અદાલતી નિર્ણયો આવી રહ્યા છે. આપણે બધાં સામાન્ય રીતે એમ સમજીએ છીએ કે આપણી દરેક સંપત્તિમાં, જેવી કે બેંક ખાતાઓ, ફિકસડ ડીપોઝીટો, શેરના ડી'મેટ ખાતાઓમાં કે બીજા કોઈ રોકાણોમાં કે સ્થાવર મિલકતો જેવી કે મકાન, ફ્લેટ, પ્લોટ, જમીન વિ. માટે આપણે જેનાં નામનું "નોમીનેશન” કર્યું હશે કે જેની સાથે સંયુક્ત-જોઈન્ટ નામે રાખ્યું હશે એને એ સંપત્તિ આપણા મરણોત્તર થોડી ઘણી વિધિ કે અરજીઓ કરવાથી મળી જશે એટલે વાત પતી ગઈ. આપણી બધી સંપત્તિનું આપણી ઈચ્છાઓ મુજબ નું વિતરણ થઇ ગયુ. અને પછી એ વ્યક્તિ એ સંપત્તિનો એ જેમ એ ઈચ્છે તેમ ઉપયોગ કરી શકશે. જરૂર પડ્યે વેચી શકે. વિ.વિ. પરંતુ હકીકતમાં હવે આવું રહ્યું નથી. આ "નોમીનેશન” અને સંયુક્ત માલિકી -joint ownership ની બાબતમાં કાયદાઓમાં અને અર્થ ઘટનમાં ઘણાં બધાં બદલાવ આવી ગયા છે, અને હજુ પણ સતત બદલાવ આવી રહ્યા છે. અલગ અલગ કોર્ટનાં અલગ અલગ અર્થઘટનવાળા અને ગુંચવણ ભર્યાં નીવેડાઓ પણ આવ્યા છે અને આવ્યા કરે છે.. સ્થાવર મિલકત માટે, સ્થાવર મિલકત જે જગ્યાએ હોય એ જગ્યાનાં કાયદાઓ લાગું પડે છે. એટલે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી સ્થાવર મિલકત જેવી કે ઘર, મકાન, જમીન, ફ્લેટ, વિ.વિ. માટે મહારાષ્ટ્ર રાજ્યના કાયદાઓ લાગુ પડે. હમણાં હમણાં મહારાષ્ટ્ર રાજ્યમાં, કો-ઓપરેટીવ સોસાયટીનાં કાયદામાં નોમીનેશન વિષેની બાબતોમાં ધરખમ ફેરફારો આવ્યા છે. હવે અત્યારની પરિસ્થિતિ મુજબ કોઈ સંપત્તિ માટે કોઈ વ્યક્તિના નામનું નોમીનેશન કર્યું હોય અને તમારા મરણોત્તર એ સંપત્તિ નોમીનીનાં નામે થઇ પણ જાય તોય એ નોમિની એ સંપત્તિનો પુરેપુરો માલિક થઇ જતો નથી. નોમીની તો એ સંપત્તિનો ફક્ત એક ટ્રસ્ટી જ ગણાય અને એ સંપત્તિનાં માલિકી હક્ક તો એના કાયદેસરનાં માલિકનાં જ રહે. એટલે એ સંપત્તિનું આવા નોમીની પૂરેપુરા માલિક તરીકે એને ગમે તેમ વહેવાર ના કરી શકે. વેચી ના શકે, વાપરી ના શકે કે બીજી કોઈ રીતે એનો વહેવાર ના કરી શકે. એવી જ રીતે જો કોઈ સંપત્તિ સયુંક્ત નામે હોય તો એ બે માંથી એક સંયુક્ત વ્યક્તિનાં મરણોત્તર એ સંપત્તિનાં પુરેપુરા માલિકી હક્ક બીજી સંયુક્ત નામ વાળી વ્યક્તિને મળી જતાં નથી. એ મૃત વ્યક્તિનો જે હક્ક કે હિસ્સો હોય એ એના વારસોને મળે છે.
(૩) આ વાત આપણે જરા વિસ્તારથી જોઈએ. માનો કે એક ભાઈ, રોનકભાઈને એક પત્ની અને ત્રણ સંતાનો છે. બે દીકરા અને એક દિકરી, દિકરી એના લગ્ન પછી એના સાસરે રહે છે. આ રોનકભાઈ પાસે બે ફ્લેટ છે. એક ફ્લેટ મોટો છે અને બીજો ફ્લેટ નાનો છે. એની પાસે પોતાની જીવન વીમાની પોલીસી પણ છે.
(૪) હવે આ રોનકભાઈએ એમ વિચાર્યું કે દિકરી તો સાસરે ચાલી ગઈ છે અને મારે દિકરીને મારી સંપત્તિમાંથી જે કંઇ આપવું હતું એ મેં એના લગ્ન વખતે કરિયાવર તરીકે કે બીજી રીતે આપી દીધું છે. એટલે એને હવે એ પરણેલી દિકરીને કાઈ પણ આપવાની ઇચ્છા નહોતી. એટલે એણે એમ વિચાર્યું કે મારો મોટો ફ્લેટ મારા મોટા દીકરાને આપું અને નાનો ફ્લેટ અને જીવનવીમાની રકમ મારા નાના દીકરાને આપું એટલે બંનેને સરખે ભાગે સમ્પત્તિમાં ભાગ મળી જાય. એટલે એમણે મોટા ફ્લેટ માટે મોટા દીકરાના નામનું નોમીનેશન કર્યું અને નાના ફ્લેટ માટે અને જીવનવીમા પોલીસી માટે નાના દીકરાના નામનું નોમિનેશન કર્યું. અને એમ સમજી લીધું કે એની સંપત્તિનું વિતરણ એમની ઈચ્છા મુજબ થઇ ગયું. એટલે પછી રોનકભાઈએ વિલ કરવાનો વિચાર સુધ્ધાં ના કર્યો.
(૫) હવે હકીકતમાં કાયદાકીય રીતે શું થયું એ આપણે જાઈએ. હકીકતમાં કાયદાકીય રીતે રોનકભાઈનાં મૃત્યુ પછી ભલે એ મોટો ફ્લેટ એના મોટા દીકરાનાં નામે અને નાનો ફ્લેટ એના નાના દીકરાનાં નામે સોસાયટીમાં થઇ જાય, નાના દીકરાને જીવનવીમાની રકમ પણ મળી જાય તે છતાં, રોનકભાઈએ જો વિલ નાં કર્યું હોય તો એ બંને દીકરાઓ પોત પોતાના નામે થયેલાફ્લેટના અને જીવનવીમામાંથી મળેલી રકમના પૂરે પુરા માલિક બની જતાં નથી, રોનકભાઈના જે કોઈ વારસ હોય એના ફક્ત ટ્રસ્ટી જ રહે છે. જો રોનકભાઈ એ વિલ કર્યું હોય તો એ વિલમાં જણાવ્યા મુજબના વ્યક્તિના, અને જો વિલ નાં કર્યું હોય તો આ ત્રણેય મિલકત એમની પત્ની, પરણેલી દિકરી અને બંને દીકરા એમ કરીને ચાર જણાની સંયુક્ત માલિકીની ગણાય. એટલે જો એમની પત્ની કે પરણેલી દિકરી એ બધી સંપત્તિ ઉપર પોત પોતાનો દાવો રજુ કરે તો એમને બધી સંપતીમાં સરખે ભાગે હક્ક મળે અને બંને દીકરાઓએ એ હક્ક આપવો પણ પડે. પરંતુ જો એ રોનકભાઈ નોમીનેશનની સાથે સાથે વિલ પણ કરે અને વિલમાં મોટો ફ્લેટ મોટા દીકરાને આપે અને નાનો ફ્લેટ અને જીવનવીમાની રકમ નાના દીકરાને આપે તો પછી એની પત્ની કે પરણેલી દિકરીનો કોઈ હક્ક ના રહે.
(૬) એવીજ રીતે જો સંપત્તી સંયુક્તનામે -joint holding- હોય અને પહેલાં નામવાળી વ્યકિતનું જો મરણ થાય તો એનું નામ કાઢી નાખીને બીજી વ્યક્તિ એનો પુરેપુરો માલિક થઇ જતો નથી. પહેલા નામ વાળી વ્યક્તિનાં જે કોઈ વરસદાર હોય એને એનાં માલિકી હક્કો મળે છે.
(૭) આ વાત આપણે એક ઉદાહરણ સાથે સમજીએ તો સ્પષ્ટ સમજાશે. માનો કે શાંતાબેન એક ઉંમર લાયક બેન છે. એમને બે પરણેલી દિકરીઓ છે. એ બન્ને દિકરીઓને એમનાં પોત પોતાનાં કુટુંબ એટલે કે પતિ, સંતાન વિ. છે. હવે શાંતાબેનને પોતાની વધતી જતી ઉમરને લીધે પોતાનો ફ્લેટ એમની બંન્ને દિકરીના સંયુક્ત-જોઈન્ટ નામે ભેટ કરીને કરી નાખ્યો. શાંતાબેને એમ વિચાર્યું કે જયારે બેમાંથી એક દિકરી નહિ રહે ત્યારે એ મૃત દિકરીનું નામ એ ફ્લેટમાંથી નીકળી જશે અને એ ફ્લેટ જે દિકરી જીવંત હશે એના નામે થઈ જશે. અને પછી એ જીવંત દિકરી એમનાં એ ફ્લેટ ની પૂરેપૂરી માલિક થઇ જશે. પરંતુ કાયદો કઇક અલગ જ કહે છે. કાયદાકિય રીતે જે દિકરીનું મૃત્યુ થાય એનો જે હિસ્સો હોય (અહિયાં એ ફ્લેટ માં અડધો હિસ્સો હતો) એ અડધો હિસ્સો મૃત દિકરીનાં વારસો એટલે કે એમના પતિ, સંતાનો વિ. ને મળે અને નહિ કે બીજી જીવંત રહેલી બેનને, જો આ પરિસ્થિતિમાંથી બચવું હોય તો બંને દિકરીઓએ પોત પોતાનાં વિલ બનાવી એમાં સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે એ ફ્લેટમાનો એમનો અડધો હિસ્સો એમનાં કુટુંબીજનોને નહિ પણ એમની બહેનને મળે. જો આવું વિલ નહી હોય તો એ મૃત બેનની બીજી બધી સંપત્તિની સાથે સાથે આ બાએ આપેલ ફ્લેટ ઉપર પણ આ બેનનાં પતિ, સંતાનો કે બીજા વારસોનો નો હક્ક થાય અને જો માંગે તો આપવો પણ પડે.
*૧.૩. સંપત્તિ નો ખરો માલિક કોણ?*
તો હવે આપણે એ જાણવું જરૂરી થાય છે કે સંપત્તિનો કાયદેસર માલિક કોણ ગણાય?
(૧) જો તમે વિલ ના કર્યું હોય તો કાયદા પ્રમાણે સંપત્તિના માલિકી હક્કો તમારા મરણોત્તર તમોને જે કાયદો લાગુ પડતો હોય એ કાયદા મુજબ નક્કી થાય છે. જેવા કે: (৭) Indian Succession Act; (2) Hindu Succesion Act; (3) Muslim Law,
અને જો વિલ કર્યું હોય તો વિલ મારફત જે વ્યક્તિ / વ્યક્તિઓ ને તમારી સંપત્તિ આપી હોય એ એના ખરા માલિક ગણાય.
(૨) આપણે વિષયાંતર કરીને એ બાબતની ચર્ચા તરફ ન જતા એક વાત બહુ જ સ્પષ્ટ રીતે સમજીએ કે વિલ કર્યા વગર સંપત્તિ માટે ફક્ત નોમીનેશન કરવાથી અથવા સંપત્તિ સર્યુકત નામે કરવાથી તમારા મરણોત્તર એ નોમીની કે સયુંકતનામ વાળી વ્યક્તિના નામે ભલે એ સંપત્તિ થઇ જાય પણ એ વ્યક્તિ એ સંપત્તિનો સંપૂર્ણ માલિક થઇ જતો નથી. જો વિલ નહિ કર્યું હોય તો તમારી સંપત્તિના માલિકી હક્કો તો તમોને જે કાયદો લાગુ પડતો હશે એ કાયદા પ્રમાણે નક્કી થશે.
(૩) એટલે જો તમે એવું ઇચ્છતાં હો કે તમારા મરણ પછી તમારી સંપત્તિ તમારી ઈચ્છા મુજબની જ વ્યક્તિને સમ્પૂર્ણ માલિકી હક્કો સાથે મળે અને બીજા કોઈ કુટુંબીજનોની કે વારસોની એમાં કોઈ દખલ ન રહે તો વિલ-વસિયતનામું કરવું અત્યંત જરૂરી બને છે.
(૪) કોઈ પણ કારણોસર વિલ નહિ કરો તો તમારા ગયા પછી તમારા બીજા બધા વારસો કે કુટુંબીજનો તમારી સંપત્તિમાં પોત પોતાનો હક્ક-દાવો કાયદાની રૂએ રજુ કરી શકે છે. અને પછી એ બધાને હક્ક-હિસ્સો આપવો પણ પડે. અને જો વાત વણસી જાય તો કોર્ટ, કચેરી અને વકીલનાં ધક્કા પણ ચાલું થઇ જાય. અને સમય અને પૈસાનો લખલૂટ ખર્ચ થવાની શક્યતાઓ વધી જાય.
(૫) તો હવે સમજાણું હશે કે આજના સંજોગોમાં તમારી સંપત્તિનું ફક્ત નોમીનેશન કરવાથી કે સંપત્તિ સયુંકત નામે રાખવાથી કામ પતી જતું નથી. વિલ તો કરવું પડશે.
સુપ્રીમ કોર્ટે ફાંસી દ્વારા મૌતની સજા આપવાની કાયદાકીય પદ્ધતિ (CrPC ની કલમ ૩૫૪(૫)) ને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત (Reserve) રાખ્યો છે. સિનિયર એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ દલીલ કરી હતી કે ફાંસી આપવાથી અસહ્ય પીડા થાય છે અને તેના બદલે ઝેરી ઈંજેક્શન, ગોળી મારવી, ઈલેક્ટ્રોક્યુશન કે ગેસ જેવા માનવીય વિકલ્પો અપનાવવા જોઈએ. જસ્ટિસ વિક્રમ નાથની બેંચે કેદીઓની ગરિમા અને પીડા મુક્ત મૃત્યુના પાસાઓ પર સુનાવણી પૂર્ણ કરી નિર્ણય અનામત રાખ્યો છે.
૨. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર આરોપીઓના ફોટા મૂકવા સામે સુનાવણી:
આરોપીઓને હથકડી લગાવી, દોરડાથી બાંધી કે પરેડ કરાવીને સોશિયલ મીડિયા પર તેમના ફોટા શેર કરતી પોલીસ સામેની અરજી સુપ્રીમ કોર્ટે સાંભળી હતી. ચીફ જસ્ટિસ અને બેંચે અવલોકન કર્યું કે આનાથી આરોપીઓની ગરિમા હણાય છે અને મીડિયા ટ્રાયલનો પ્રશ્ન ઊભો થાય છે. કોર્ટે અગાઉ PUCL કેસમાં મીડિયા બ્રીફિંગ માટે આપેલા નિર્દેશો હેઠળ વ્યાપક અરજી કરવાની છૂટ સાથે અરજદાર વકીલ ગોપાલ શંકરનારાયણને અરજી પરત ખેંચવા સૂચન કર્યું હતું.
૩. વિદ્યાર્થી આંદોલનના કેસો અને FIR રદ કરવાનો પ્રશ્ન:
ગયા મહિને થયેલા વિદ્યાર્થી આંદોલનના કેસો અંગે સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ અને ગંભીર ગુનાના આરોપીઓ વચ્ચે સ્પષ્ટ તફાવત દર્શાવ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ૨,૮૭૩ ગંભીર આરોપીઓ સિવાયના નિર્દોષ વિદ્યાર્થીઓ સામેની FIR રદ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કોઈ પણ ગુનાહિત ઈતિહાસ ન ધરાવતા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ન લેવા અને સગીરોને બોન્ડ પર છોડવાનો આદેશ આપ્યો છે.
૪. ઓમાન પાસે હુમલા બાદ ગુમ થયેલા કેપ્ટન આશિષ કુમારનો મામલો:
૧ માર્ચે ઓમાન નજીક 'એમટી સ્કાયલાઇટ' જહાજ પર હુમલા બાદ મૃત ઘોષિત કરાયેલા કેપ્ટન આશિષ કુમારના અવશેષોનો ડીએનએ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે કે તેઓ જીવિત છે અને વિદેશી દળોના કબ્જામાં છે. ખંડણીના ફોન અને મોબાઈલના ઉપયોગની વાતોને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આ મામલે કેન્દ્ર સરકાર પાસે સ્થિતિ રિપોર્ટ મંગાવવા આદેશ આપ્યો છે.
૫. પશ્ચિમ બંગાળમાં જાતિ પ્રમાણપત્રોની રી-વેરિફિકેશન પ્રક્રિયા:
કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારના ૨૦૧૧ પછીના વોટર આઈડીના આધારે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવાના આદેશ પર સુનાવણી હાથ ધરી છે. સીપીઆઈ(એમ) દ્વારા દાખલ અરજી પર રાજ્યના એડવોકેટ જનરલે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીમાંથી નામ હટવાથી સીધું પ્રમાણપત્ર રદ નહીં થાય, પરંતુ ચકાસણી બાદ કાયદા મુજબ જ પ્રક્રિયા કરાશે.
બોમ્બે હાઈકોર્ટે ૨૦૧૩ના રેશનલિસ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં દોષિત સચિન અંદુરેની આજીવન કેદની સજા મોકૂફ રાખી તેને જામીન આપ્યા છે. કસ્ટડીની લાંબી મુદ્દત અને આઈડેન્ટિફિકેશન પરેડ ન યોજવા જેવા પુરાવાઓના મુદ્દા ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ આદેશ કર્યો છે.
૭. JNU માં 'ડેપ્રિવેશન પોઈન્ટ્સ' આધારિત એડમિશન પર દિલ્હી હાઈકોર્ટનો સ્ટે:
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ની પીજી પ્રવેશ પ્રક્રિયામાં ૧૨ પોઈન્ટ સુધીના 'ડેપ્રિવેશન પોઈન્ટ્સ' આપવાની નીતિ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટે એડમિશન પ્રક્રિયા પર રોક લગાવી છે. આ નીતિથી CUET સ્કોરના મૂળ હેતુ પર અસર પડતી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
શિવસેના વિભાજન અને સ્પીકરના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ રહી હતી. સિનિયર એડવોકેટ કપિલ સિબલે દલીલ કરી કે ૧૦મી અનુસૂચિ હેઠળ વિધાનમંડળ પક્ષમાં વિભાજનને બચાવ તરીકે માન્યતા આપી શકાય નહીં અને અધિકૃત વ્હિપ ઉદ્ધવ જૂથ પાસે જ હતો.
૯. ઓડિશા હાઈકોર્ટમાં જજોની અછત અંગે બાર એસોસિએશનની ચિંતા:
ઓડિશા હાઈકોર્ટ બાર એસોસિએશને જજોની ઘટતી સંખ્યા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. ૩૩ ની મંજૂર શક્તિ સામે હાલ માત્ર ૧૭ જજો જ કાર્યરત છે, જે આગામી સમયમાં ઘટીને ૧૩ થઈ શકે છે. ૧.૭૨ લાખથી વધુ પેન્ડિંગ કેસોને ધ્યાને રાખીને કોલેજિયમને તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરવા વિનંતી કરવામાં આવી છે.
⭐ Ronak LLB તરફથી તમામ AIBE 20 પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના ⭐
પ્રિય ભાઈઓ અને બહેનો, એક મહત્વપૂર્ણ વાત જણાવવી રહી ગઈ હતી, કૃપા કરીને ધ્યાનમાં રાખજો.
AIBE 20ની પરીક્ષા દરમિયાન સામાન્ય રીતે ઉમેદવારને 3 કલાક સુધી બહાર જવાની પરવાનગી મળતી નથી. એટલે કે, વોશરૂમ માટે પણ બહાર જવા દેતા નથી, સિવાય ખાસ પરિસ્થિતિમાં.
ગયા પ્રયાસ દરમિયાન અમારા 3–4 મિત્રો સાથે એવું બન્યું હતું કે તેમને વોશરૂમની તાત્કાલિક જરૂર પડી, પરંતુ સુપરવાઈઝરોએ પરવાનગી આપી નહોતી, જેના કારણે તેઓને ભારે તકલીફ પડી.
એટલા માટે વિનંતી છે:
✔ જો કોઈને વોશરૂમ સંબંધિત કોઈ હેલ્થ ઈશ્યુ હોય, ✔ જો વારંવાર વોશરૂમની જરૂર પડતી હોય, ✔ અથવા કોઈ પણ પ્રકારનો મેડિકલ પ્રોબ્લેમ હોય,
તો પરીક્ષા પહેલાથી જ ડૉક્ટરનું સર્ટિફિકેટ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે.
આ નાની લાગતી પરંતુ ખૂબ અગત્યની બાબત, તમારી 3 કલાકની પરીક્ષા દરમિયાન મોટા ફાયદાની સાબિત થઈ શકે છે.
તમે મહેનતથી તૈયારીઓ કરી છે,એટલે આપને કોઈ નાની બાબત પણ પરેશાન ન કરે.
તમારી પરીક્ષા શાંતિથી, આરામથી અને સફળતાપૂર્વક પૂરી થાય એવી — Ronak LLB તરફથી દિલથી શુભકામનાઓ.😊😊🙏🙏
Ronak LLB
whatsapp.com/channel/0029VbDZbkGH5JLtF1bWEb2H
1 week ago | [YT] | 3
View 0 replies
Ronak LLB
whatsapp.com/channel/0029VbDZbkGH5JLtF1bWEb2H
1 week ago | [YT] | 2
View 0 replies
Ronak LLB
વિલ - વસિયત નામુ એટલે શું?
સાવ સરળ ભાષા માં કહીએ તો વિલ-વસિયતનામું એટલે કે પોતાનાં મરણોત્તર પોતાની સમ્પત્તિના વિતરણ માટે કરેલી વ્યવસ્થા માટેનું લખાણ.
બીજી વાત, વિલ શું કામ કરવું જોઈએ?
(૧) આપણા સમાજમાં એવી એક સામાન્ય માન્યતા છે કે વિલ બનાવવું એ ફક્ત અમીર લોકો માટે જ છે. સાધરણ માણસોને વિલ બનાવવાની ની કોઇ જરૂર ના હોય. પરંતુ આજના વખતમાં આવી વિચારધારા હવે યોગ્ય રહી નથી. આગળ જતા આ વાત વધુ સમજાશે.
(૨) જો તમારી પાસે કોઈ પણ સંપત્તિ હોય અને તમે એવું ઈચ્છતા હો કે તમારા મરણોત્તર એ સંપત્તિનું વિતરણ તમારી ઈચ્છા પ્રમાણે થાય કે તમારે જેને આપવી હોય એને જ મળે તો વિલ કરવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને અત્યારના સમયમાં કે જયારે કાયદાઓ ઘણા બધા બદલાઈ રહ્યા છે અને જુના કાયદાઓના નવાં નવાં અર્થઘટનો થઇ રહયા છે. અને જુના અર્થઘટનો ઉપર ફેરબદલ વાળા નવા નવા અદાલતી નિર્ણયો આવી રહ્યા છે. આપણે બધાં સામાન્ય રીતે એમ સમજીએ છીએ કે આપણી દરેક સંપત્તિમાં, જેવી કે બેંક ખાતાઓ, ફિકસડ ડીપોઝીટો, શેરના ડી'મેટ ખાતાઓમાં કે બીજા કોઈ રોકાણોમાં કે સ્થાવર મિલકતો જેવી કે મકાન, ફ્લેટ, પ્લોટ, જમીન વિ. માટે આપણે જેનાં નામનું "નોમીનેશન” કર્યું હશે કે જેની સાથે સંયુક્ત-જોઈન્ટ નામે રાખ્યું હશે એને એ સંપત્તિ આપણા મરણોત્તર થોડી ઘણી વિધિ કે અરજીઓ કરવાથી મળી જશે એટલે વાત પતી ગઈ. આપણી બધી સંપત્તિનું આપણી ઈચ્છાઓ મુજબ નું વિતરણ થઇ ગયુ. અને પછી એ વ્યક્તિ એ સંપત્તિનો એ જેમ એ ઈચ્છે તેમ ઉપયોગ કરી શકશે. જરૂર પડ્યે વેચી શકે. વિ.વિ. પરંતુ હકીકતમાં હવે આવું રહ્યું નથી. આ "નોમીનેશન” અને સંયુક્ત માલિકી -joint ownership ની બાબતમાં કાયદાઓમાં અને અર્થ ઘટનમાં ઘણાં બધાં બદલાવ આવી ગયા છે, અને હજુ પણ સતત બદલાવ આવી રહ્યા છે. અલગ અલગ કોર્ટનાં અલગ અલગ અર્થઘટનવાળા અને ગુંચવણ ભર્યાં નીવેડાઓ પણ આવ્યા છે અને આવ્યા કરે છે.. સ્થાવર મિલકત માટે, સ્થાવર મિલકત જે જગ્યાએ હોય એ જગ્યાનાં કાયદાઓ લાગું પડે છે. એટલે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી સ્થાવર મિલકત જેવી કે ઘર, મકાન, જમીન, ફ્લેટ, વિ.વિ. માટે મહારાષ્ટ્ર રાજ્યના કાયદાઓ લાગુ પડે. હમણાં હમણાં મહારાષ્ટ્ર રાજ્યમાં, કો-ઓપરેટીવ સોસાયટીનાં કાયદામાં નોમીનેશન વિષેની બાબતોમાં ધરખમ ફેરફારો આવ્યા છે. હવે અત્યારની પરિસ્થિતિ મુજબ કોઈ સંપત્તિ માટે કોઈ વ્યક્તિના નામનું નોમીનેશન કર્યું હોય અને તમારા મરણોત્તર એ સંપત્તિ નોમીનીનાં નામે થઇ પણ જાય તોય એ નોમિની એ સંપત્તિનો પુરેપુરો માલિક થઇ જતો નથી. નોમીની તો એ સંપત્તિનો ફક્ત એક ટ્રસ્ટી જ ગણાય અને એ સંપત્તિનાં માલિકી હક્ક તો એના કાયદેસરનાં માલિકનાં જ રહે. એટલે એ સંપત્તિનું આવા નોમીની પૂરેપુરા માલિક તરીકે એને ગમે તેમ વહેવાર ના કરી શકે. વેચી ના શકે, વાપરી ના શકે કે બીજી કોઈ રીતે એનો વહેવાર ના કરી શકે. એવી જ રીતે જો કોઈ સંપત્તિ સયુંક્ત નામે હોય તો એ બે માંથી એક સંયુક્ત વ્યક્તિનાં મરણોત્તર એ સંપત્તિનાં પુરેપુરા માલિકી હક્ક બીજી સંયુક્ત નામ વાળી વ્યક્તિને મળી જતાં નથી. એ મૃત વ્યક્તિનો જે હક્ક કે હિસ્સો હોય એ એના વારસોને મળે છે.
(૩) આ વાત આપણે જરા વિસ્તારથી જોઈએ. માનો કે એક ભાઈ, રોનકભાઈને એક પત્ની અને ત્રણ સંતાનો છે. બે દીકરા અને એક દિકરી, દિકરી એના લગ્ન પછી એના સાસરે રહે છે. આ રોનકભાઈ પાસે બે ફ્લેટ છે. એક ફ્લેટ મોટો છે અને બીજો ફ્લેટ નાનો છે. એની પાસે પોતાની જીવન વીમાની પોલીસી પણ છે.
(૪) હવે આ રોનકભાઈએ એમ વિચાર્યું કે દિકરી તો સાસરે ચાલી ગઈ છે અને મારે દિકરીને મારી સંપત્તિમાંથી જે કંઇ આપવું હતું એ મેં એના લગ્ન વખતે કરિયાવર તરીકે કે બીજી રીતે આપી દીધું છે. એટલે એને હવે એ પરણેલી દિકરીને કાઈ પણ આપવાની ઇચ્છા નહોતી. એટલે એણે એમ વિચાર્યું કે મારો મોટો ફ્લેટ મારા મોટા દીકરાને આપું અને નાનો ફ્લેટ અને જીવનવીમાની રકમ મારા નાના દીકરાને આપું એટલે બંનેને સરખે ભાગે સમ્પત્તિમાં ભાગ મળી જાય. એટલે એમણે મોટા ફ્લેટ માટે મોટા દીકરાના નામનું નોમીનેશન કર્યું અને નાના ફ્લેટ માટે અને જીવનવીમા પોલીસી માટે નાના દીકરાના નામનું નોમિનેશન કર્યું. અને એમ સમજી લીધું કે એની સંપત્તિનું વિતરણ એમની ઈચ્છા મુજબ થઇ ગયું. એટલે પછી રોનકભાઈએ વિલ કરવાનો વિચાર સુધ્ધાં ના કર્યો.
(૫) હવે હકીકતમાં કાયદાકીય રીતે શું થયું એ આપણે જાઈએ. હકીકતમાં કાયદાકીય રીતે રોનકભાઈનાં મૃત્યુ પછી ભલે એ મોટો ફ્લેટ એના મોટા દીકરાનાં નામે અને નાનો ફ્લેટ એના નાના દીકરાનાં નામે સોસાયટીમાં થઇ જાય, નાના દીકરાને જીવનવીમાની રકમ પણ મળી જાય તે છતાં, રોનકભાઈએ જો વિલ નાં કર્યું હોય તો એ બંને દીકરાઓ પોત પોતાના નામે થયેલાફ્લેટના અને જીવનવીમામાંથી મળેલી રકમના પૂરે પુરા માલિક બની જતાં નથી, રોનકભાઈના જે કોઈ વારસ હોય એના ફક્ત ટ્રસ્ટી જ રહે છે. જો રોનકભાઈ એ વિલ કર્યું હોય તો એ વિલમાં જણાવ્યા મુજબના વ્યક્તિના, અને જો વિલ નાં કર્યું હોય તો આ ત્રણેય મિલકત એમની પત્ની, પરણેલી દિકરી અને બંને દીકરા એમ કરીને ચાર જણાની સંયુક્ત માલિકીની ગણાય. એટલે જો એમની પત્ની કે પરણેલી દિકરી એ બધી સંપત્તિ ઉપર પોત પોતાનો દાવો રજુ કરે તો એમને બધી સંપતીમાં સરખે ભાગે હક્ક મળે અને બંને દીકરાઓએ એ હક્ક આપવો પણ પડે. પરંતુ જો એ રોનકભાઈ નોમીનેશનની સાથે સાથે વિલ પણ કરે અને વિલમાં મોટો ફ્લેટ મોટા દીકરાને આપે અને નાનો ફ્લેટ અને જીવનવીમાની રકમ નાના દીકરાને આપે તો પછી એની પત્ની કે પરણેલી દિકરીનો કોઈ હક્ક ના રહે.
(૬) એવીજ રીતે જો સંપત્તી સંયુક્તનામે -joint holding- હોય અને પહેલાં નામવાળી વ્યકિતનું જો મરણ થાય તો એનું નામ કાઢી નાખીને બીજી વ્યક્તિ એનો પુરેપુરો માલિક થઇ જતો નથી. પહેલા નામ વાળી વ્યક્તિનાં જે કોઈ વરસદાર હોય એને એનાં માલિકી હક્કો મળે છે.
(૭) આ વાત આપણે એક ઉદાહરણ સાથે સમજીએ તો સ્પષ્ટ સમજાશે. માનો કે શાંતાબેન એક ઉંમર લાયક બેન છે. એમને બે પરણેલી દિકરીઓ છે. એ બન્ને દિકરીઓને એમનાં પોત પોતાનાં કુટુંબ એટલે કે પતિ, સંતાન વિ. છે. હવે શાંતાબેનને પોતાની વધતી જતી ઉમરને લીધે પોતાનો ફ્લેટ એમની બંન્ને દિકરીના સંયુક્ત-જોઈન્ટ નામે ભેટ કરીને કરી નાખ્યો. શાંતાબેને એમ વિચાર્યું કે જયારે બેમાંથી એક દિકરી નહિ રહે ત્યારે એ મૃત દિકરીનું નામ એ ફ્લેટમાંથી નીકળી જશે અને એ ફ્લેટ જે દિકરી જીવંત હશે એના નામે થઈ જશે. અને પછી એ જીવંત દિકરી એમનાં એ ફ્લેટ ની પૂરેપૂરી માલિક થઇ જશે. પરંતુ કાયદો કઇક અલગ જ કહે છે. કાયદાકિય રીતે જે દિકરીનું મૃત્યુ થાય એનો જે હિસ્સો હોય (અહિયાં એ ફ્લેટ માં અડધો હિસ્સો હતો) એ અડધો હિસ્સો મૃત દિકરીનાં વારસો એટલે કે એમના પતિ, સંતાનો વિ. ને મળે અને નહિ કે બીજી જીવંત રહેલી બેનને, જો આ પરિસ્થિતિમાંથી બચવું હોય તો બંને દિકરીઓએ પોત પોતાનાં વિલ બનાવી એમાં સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે એ ફ્લેટમાનો એમનો અડધો હિસ્સો એમનાં કુટુંબીજનોને નહિ પણ એમની બહેનને મળે. જો આવું વિલ નહી હોય તો એ મૃત બેનની બીજી બધી સંપત્તિની સાથે સાથે આ બાએ આપેલ ફ્લેટ ઉપર પણ આ બેનનાં પતિ, સંતાનો કે બીજા વારસોનો નો હક્ક થાય અને જો માંગે તો આપવો પણ પડે.
*૧.૩. સંપત્તિ નો ખરો માલિક કોણ?*
તો હવે આપણે એ જાણવું જરૂરી થાય છે કે સંપત્તિનો કાયદેસર માલિક કોણ ગણાય?
(૧) જો તમે વિલ ના કર્યું હોય તો કાયદા પ્રમાણે સંપત્તિના માલિકી હક્કો તમારા મરણોત્તર તમોને જે કાયદો લાગુ પડતો હોય એ કાયદા મુજબ નક્કી થાય છે. જેવા કે:
(৭) Indian Succession Act;
(2) Hindu Succesion Act;
(3) Muslim Law,
અને જો વિલ કર્યું હોય તો વિલ મારફત જે વ્યક્તિ / વ્યક્તિઓ ને તમારી સંપત્તિ આપી હોય એ એના ખરા માલિક ગણાય.
(૨) આપણે વિષયાંતર કરીને એ બાબતની ચર્ચા તરફ ન જતા એક વાત બહુ જ સ્પષ્ટ રીતે સમજીએ કે વિલ કર્યા વગર સંપત્તિ માટે ફક્ત નોમીનેશન કરવાથી અથવા સંપત્તિ સર્યુકત નામે કરવાથી તમારા મરણોત્તર એ નોમીની કે સયુંકતનામ વાળી વ્યક્તિના નામે ભલે એ સંપત્તિ થઇ જાય પણ એ વ્યક્તિ એ સંપત્તિનો સંપૂર્ણ માલિક થઇ જતો નથી. જો વિલ નહિ કર્યું હોય તો તમારી સંપત્તિના માલિકી હક્કો તો તમોને જે કાયદો લાગુ પડતો હશે એ કાયદા પ્રમાણે નક્કી થશે.
(૩) એટલે જો તમે એવું ઇચ્છતાં હો કે તમારા મરણ પછી તમારી સંપત્તિ તમારી ઈચ્છા મુજબની જ વ્યક્તિને સમ્પૂર્ણ માલિકી હક્કો સાથે મળે અને બીજા કોઈ કુટુંબીજનોની કે વારસોની એમાં કોઈ દખલ ન રહે તો વિલ-વસિયતનામું કરવું અત્યંત જરૂરી બને છે.
(૪) કોઈ પણ કારણોસર વિલ નહિ કરો તો તમારા ગયા પછી તમારા બીજા બધા વારસો કે કુટુંબીજનો તમારી સંપત્તિમાં પોત પોતાનો હક્ક-દાવો કાયદાની રૂએ રજુ કરી શકે છે. અને પછી એ બધાને હક્ક-હિસ્સો આપવો પણ પડે. અને જો વાત વણસી જાય તો કોર્ટ, કચેરી અને વકીલનાં ધક્કા પણ ચાલું થઇ જાય. અને સમય અને પૈસાનો લખલૂટ ખર્ચ થવાની શક્યતાઓ વધી જાય.
(૫) તો હવે સમજાણું હશે કે આજના સંજોગોમાં તમારી સંપત્તિનું ફક્ત નોમીનેશન કરવાથી કે સંપત્તિ સયુંકત નામે રાખવાથી કામ પતી જતું નથી. વિલ તો કરવું પડશે.
2 weeks ago | [YT] | 2
View 0 replies
Ronak LLB
૧. ફાંસીની સજા આપવાની પદ્ધતિ સામે સુપ્રીમ કોર્ટ:
સુપ્રીમ કોર્ટે ફાંસી દ્વારા મૌતની સજા આપવાની કાયદાકીય પદ્ધતિ (CrPC ની કલમ ૩૫૪(૫)) ને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત (Reserve) રાખ્યો છે. સિનિયર એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ દલીલ કરી હતી કે ફાંસી આપવાથી અસહ્ય પીડા થાય છે અને તેના બદલે ઝેરી ઈંજેક્શન, ગોળી મારવી, ઈલેક્ટ્રોક્યુશન કે ગેસ જેવા માનવીય વિકલ્પો અપનાવવા જોઈએ. જસ્ટિસ વિક્રમ નાથની બેંચે કેદીઓની ગરિમા અને પીડા મુક્ત મૃત્યુના પાસાઓ પર સુનાવણી પૂર્ણ કરી નિર્ણય અનામત રાખ્યો છે.
૨. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર આરોપીઓના ફોટા મૂકવા સામે સુનાવણી:
આરોપીઓને હથકડી લગાવી, દોરડાથી બાંધી કે પરેડ કરાવીને સોશિયલ મીડિયા પર તેમના ફોટા શેર કરતી પોલીસ સામેની અરજી સુપ્રીમ કોર્ટે સાંભળી હતી. ચીફ જસ્ટિસ અને બેંચે અવલોકન કર્યું કે આનાથી આરોપીઓની ગરિમા હણાય છે અને મીડિયા ટ્રાયલનો પ્રશ્ન ઊભો થાય છે. કોર્ટે અગાઉ PUCL કેસમાં મીડિયા બ્રીફિંગ માટે આપેલા નિર્દેશો હેઠળ વ્યાપક અરજી કરવાની છૂટ સાથે અરજદાર વકીલ ગોપાલ શંકરનારાયણને અરજી પરત ખેંચવા સૂચન કર્યું હતું.
૩. વિદ્યાર્થી આંદોલનના કેસો અને FIR રદ કરવાનો પ્રશ્ન:
ગયા મહિને થયેલા વિદ્યાર્થી આંદોલનના કેસો અંગે સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ અને ગંભીર ગુનાના આરોપીઓ વચ્ચે સ્પષ્ટ તફાવત દર્શાવ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ૨,૮૭૩ ગંભીર આરોપીઓ સિવાયના નિર્દોષ વિદ્યાર્થીઓ સામેની FIR રદ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કોઈ પણ ગુનાહિત ઈતિહાસ ન ધરાવતા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ન લેવા અને સગીરોને બોન્ડ પર છોડવાનો આદેશ આપ્યો છે.
૪. ઓમાન પાસે હુમલા બાદ ગુમ થયેલા કેપ્ટન આશિષ કુમારનો મામલો:
૧ માર્ચે ઓમાન નજીક 'એમટી સ્કાયલાઇટ' જહાજ પર હુમલા બાદ મૃત ઘોષિત કરાયેલા કેપ્ટન આશિષ કુમારના અવશેષોનો ડીએનએ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે કે તેઓ જીવિત છે અને વિદેશી દળોના કબ્જામાં છે. ખંડણીના ફોન અને મોબાઈલના ઉપયોગની વાતોને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આ મામલે કેન્દ્ર સરકાર પાસે સ્થિતિ રિપોર્ટ મંગાવવા આદેશ આપ્યો છે.
૫. પશ્ચિમ બંગાળમાં જાતિ પ્રમાણપત્રોની રી-વેરિફિકેશન પ્રક્રિયા:
કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારના ૨૦૧૧ પછીના વોટર આઈડીના આધારે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવાના આદેશ પર સુનાવણી હાથ ધરી છે. સીપીઆઈ(એમ) દ્વારા દાખલ અરજી પર રાજ્યના એડવોકેટ જનરલે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીમાંથી નામ હટવાથી સીધું પ્રમાણપત્ર રદ નહીં થાય, પરંતુ ચકાસણી બાદ કાયદા મુજબ જ પ્રક્રિયા કરાશે.
૬. દાભોલકર હત્યા કેસમાં સચિન અંદુરેને બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન:
બોમ્બે હાઈકોર્ટે ૨૦૧૩ના રેશનલિસ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં દોષિત સચિન અંદુરેની આજીવન કેદની સજા મોકૂફ રાખી તેને જામીન આપ્યા છે. કસ્ટડીની લાંબી મુદ્દત અને આઈડેન્ટિફિકેશન પરેડ ન યોજવા જેવા પુરાવાઓના મુદ્દા ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ આદેશ કર્યો છે.
૭. JNU માં 'ડેપ્રિવેશન પોઈન્ટ્સ' આધારિત એડમિશન પર દિલ્હી હાઈકોર્ટનો સ્ટે:
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ની પીજી પ્રવેશ પ્રક્રિયામાં ૧૨ પોઈન્ટ સુધીના 'ડેપ્રિવેશન પોઈન્ટ્સ' આપવાની નીતિ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટે એડમિશન પ્રક્રિયા પર રોક લગાવી છે. આ નીતિથી CUET સ્કોરના મૂળ હેતુ પર અસર પડતી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
૮. શિવસેના વિભાજન કેસમાં સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબલની દલીલો:
શિવસેના વિભાજન અને સ્પીકરના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ રહી હતી. સિનિયર એડવોકેટ કપિલ સિબલે દલીલ કરી કે ૧૦મી અનુસૂચિ હેઠળ વિધાનમંડળ પક્ષમાં વિભાજનને બચાવ તરીકે માન્યતા આપી શકાય નહીં અને અધિકૃત વ્હિપ ઉદ્ધવ જૂથ પાસે જ હતો.
૯. ઓડિશા હાઈકોર્ટમાં જજોની અછત અંગે બાર એસોસિએશનની ચિંતા:
ઓડિશા હાઈકોર્ટ બાર એસોસિએશને જજોની ઘટતી સંખ્યા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. ૩૩ ની મંજૂર શક્તિ સામે હાલ માત્ર ૧૭ જજો જ કાર્યરત છે, જે આગામી સમયમાં ઘટીને ૧૩ થઈ શકે છે. ૧.૭૨ લાખથી વધુ પેન્ડિંગ કેસોને ધ્યાને રાખીને કોલેજિયમને તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરવા વિનંતી કરવામાં આવી છે.
2 weeks ago | [YT] | 2
View 0 replies
Ronak LLB
AIBE 20 પેપર કેવું હતું..??
9 months ago | [YT] | 17
View 2 replies
Ronak LLB
⭐ Ronak LLB તરફથી તમામ AIBE 20 પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના ⭐
પ્રિય ભાઈઓ અને બહેનો,
એક મહત્વપૂર્ણ વાત જણાવવી રહી ગઈ હતી, કૃપા કરીને ધ્યાનમાં રાખજો.
AIBE 20ની પરીક્ષા દરમિયાન સામાન્ય રીતે ઉમેદવારને 3 કલાક સુધી બહાર જવાની પરવાનગી મળતી નથી.
એટલે કે, વોશરૂમ માટે પણ બહાર જવા દેતા નથી, સિવાય ખાસ પરિસ્થિતિમાં.
ગયા પ્રયાસ દરમિયાન અમારા 3–4 મિત્રો સાથે એવું બન્યું હતું કે તેમને વોશરૂમની તાત્કાલિક જરૂર પડી, પરંતુ સુપરવાઈઝરોએ પરવાનગી આપી નહોતી, જેના કારણે તેઓને ભારે તકલીફ પડી.
એટલા માટે વિનંતી છે:
✔ જો કોઈને વોશરૂમ સંબંધિત કોઈ હેલ્થ ઈશ્યુ હોય,
✔ જો વારંવાર વોશરૂમની જરૂર પડતી હોય,
✔ અથવા કોઈ પણ પ્રકારનો મેડિકલ પ્રોબ્લેમ હોય,
તો પરીક્ષા પહેલાથી જ ડૉક્ટરનું સર્ટિફિકેટ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે.
આ નાની લાગતી પરંતુ ખૂબ અગત્યની બાબત,
તમારી 3 કલાકની પરીક્ષા દરમિયાન મોટા ફાયદાની સાબિત થઈ શકે છે.
તમે મહેનતથી તૈયારીઓ કરી છે,એટલે આપને કોઈ નાની બાબત પણ પરેશાન ન કરે.
તમારી પરીક્ષા શાંતિથી, આરામથી અને સફળતાપૂર્વક પૂરી થાય એવી — Ronak LLB તરફથી દિલથી શુભકામનાઓ.😊😊🙏🙏
9 months ago | [YT] | 21
View 4 replies
Ronak LLB
https://youtu.be/jVNHWLYg6R8
1 year ago | [YT] | 6
View 0 replies
Ronak LLB
AIBE ની ઑફિશિયલ આન્સર કી આવી ગઈ છે તમને ખબર છે?
https://youtu.be/vct9SoLsBpM
1 year ago | [YT] | 6
View 1 reply
Ronak LLB
શું તમને ખબર છે? તમે પોતાનો કે કોઈ પણ વ્યકિતનો દસ્તાવેજ તમારા ફોનમાં જોઈ શકો છો??
https://youtu.be/KZvhyohkQGg
1 year ago | [YT] | 7
View 0 replies
Ronak LLB
https://youtu.be/KZvhyohkQGg
1 year ago | [YT] | 14
View 0 replies
Load more