SHREENATHJI YAMUNAJI

इस चैनल पर यमुनाष्टक, भगवद गीता, अर्जुन गीता, हिंदू पौराणिक कथाओं से संबंधित वीडियो प्रकाशित होते रहते हैं।

#yamunaji #shrinathji #girirajji #jatipura #yamunashtak #krishna

राधे-राधे

Facebook:- www.facebook.com/ashish.tanna.52643/

Twitter:- twitter.com/AshishTanna9

Instagram:- www.instagram.com/ashuassociates/

Disclaimer:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
If any content owner has some issues with our videos, please direct mail us on our email with your proper details. So that we can further discuss it. But I request you not to give a claim or strike directly on our videos.

My Email id:- ashish.tanna99@gmail.com


SHREENATHJI YAMUNAJI

*🌞આજની શુભ સવારનો શુભ વિચાર🌞*

*પુષ્ટિમાર્ગની તો આજ વિશેષતા છેકે જીવ બ્રહ્મસંબંધ લઈ પ્રભુને ભુલી જાય છે, પણ બ્રહ્મસંબંધ આપનારો ક્યારેય ભૂલતો નથી.શ્રીવલ્લભ જીવનો હાથ ક્યારેય છોડતા નથી.અંતરાય થાય પણ સ્વીકાર જરૂર છે, કદાચ દેરી છે પણ દુરી નથી.*

. 🙏આજનો સત્સંગ🙏

કૃષ્ણસેવા સદા કરવી જરૂરી છે. સેવાની પ્રક્રિયા જે પ્રસિદ્ધ છે, તે તો પ્રતિદિન, આજીવન કરવાની છે જ; પરંતુ તે પ્રક્રિયા તો સીમિત સમય માટે હોય છે, માટે સેવાના પછી પણ, "મારા પ્રિય પ્રભુ પ્રસન્ન હો" - આ જ ધ્યેયથી દરેક ક્રિયા આપણા જીવન- વ્યવહારમાં પણ કરતા રહીશું તો નિશ્ચય જીવનની-દૈનંદિન વ્યવહારની- દેહિકાદિ - બધી ક્રિયાઓ પણ સેવા જ થઈ જશે! બંને પ્રક્રિયાઓ સદા ચાલતી જ રહેશે, તેથી કૃષ્ણસેવા સદા ચાલતી જ રહેશે! માનસી - સેવા ફલરૂપા - ઉત્તમ - પારા - મની છે. ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણમાં ઝૂકતું રહે, બહેતું રહે, નિમગ્ન રહે - આ સેવા છે. તેની સિદ્ધિ માટે થાય છે, - તનુવિત્તજા - સેવા! "ભક્તિવર્ધિની" - ગ્રંથમાં, - "ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ." - ભક્તિ વધારવાના ઉપાયોમાં કહ્યું છે - સેવાનુકૂલ ઘરમાં રહીને, વર્ણાશ્રમ ધર્મ- પૂર્વક ભગવાનની સેવા કરો. બંને ગ્રંથના સંયોગથી નિષ્પન્ન થાય છે કે, - પોતાના સેવાનુકૂલ ઘરમાં રહીને, વર્ણાશ્રમધર્મપૂર્વક, પોતાના જ તન- ધનથી, મન લગાવીને, સપરિવાર, પોતાના પ્રિય સ્વામી કૃષ્ણસુખનો સ્નેહથી સંપાદન કરવું! - આ થાય છે - કૃષ્ણસેવા! સેવામાં તન- ધન પોતાના જ લાગવા જોઈએ. "અસમર્પિતવસ્તૂનાં તસ્માદ્વર્જનમાચરેત્।" "સિદ્ધાંત રહસ્ય". તદનુસાર પૂરું જીવનનિર્વાહ પ્રભુની પ્રસાદી વસ્તુથી હોવું જરૂરી છે. અસમર્પિત છોડી દેવું જરૂરી છે કોઈની સાથે ધન આપીને સેવા કરાવવી, કોઈનું ધન લઈને સેવા કરવી બંને નિષિદ્ધ છે. તેથી તો રાજસ - અહંકાર - વધે છે; ફળ નથી થતું!

4 days ago | [YT] | 186

SHREENATHJI YAMUNAJI

*🌞 આજની શુભ સવારનો શુભ વિચાર🌞*

*ભક્તના જીવનમાં બે જ શબ્દ છે - હરિ કૃપા અને હરિ ઇછા. ભક્તનો સારું જીવન આ બે શબ્દોના વચ્ચમાં વિતાવવાનો છે. શ્રી વલ્લભજી પર ભરોસો કરવો જોઈએ.*


🙏આજનો સત્સંગ 🙏

*શું આપણે આપણી જાત ને જાણી એ છીએ ?*
*હું કોણ છું ? મારો ધર્મ શું છે ? મારું લક્ષ શું છે ? આ ત્રણ પ્રશ્ર્નો ના જવાબ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ-પ્રવાહ મર્યાદા અને ચતુઃશ્ર્લોકી આપે છે....*
*સગડીમાંથી અગ્નિની ચિનગારીઓ વછુટે તેમ અસંખ્ય તણખા જેવા આત્માઓ પરમાત્મામાંથી છૂટા પડ્યા છે. આપણો આત્મ ધર્મ ભગવદ્ સેવા છે અને શ્રીજી પ્રભુની રસાત્મક અને આનંદપૂર્ણ લીલાઓની અનુભૂતિએ આપણું લક્ષ છે, આપણા સ્વપરિચય વિના દેહ ને આપણે આત્મા માની સંસારિક વિષયો માં રચ્યા પચ્યા રહીએ છીએ….…*
*શ્રી મહા પ્રભુજી સમજાવે છે કે પરમાત્મા અંશી છે અને આપણે અંશ છીએ, આત્માના ભેદના કારણો જન્મ, દેહ અને કર્મ છે… આત્માના ત્રણ પ્રકાર છે. પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગીય જીવ બીજા માર્ગો ના જીવથી જુદા છે, ભગવદ્ સેવા, સત્સંગ અને સ્મરણમાં તેમની રુચિ હોય છે.*
*ભગવાન સચ્ચિદાનંદ*
*(સત+ચિત્ત+આનંદ) છે,* *જીવોમાં અવિદ્યાને કારણે "આનંદ તિરોધાન થયેલો" છે, શ્રી મહા પ્રભુજી આ આનંદ પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવે છે.*

5 days ago | [YT] | 219