SHREENATHJI YAMUNAJI

इस चैनल पर यमुनाष्टक, भगवद गीता, अर्जुन गीता, हिंदू पौराणिक कथाओं से संबंधित वीडियो प्रकाशित होते रहते हैं।

#yamunaji #shrinathji #girirajji #jatipura #yamunashtak #krishna

राधे-राधे

Facebook:- www.facebook.com/ashish.tanna.52643/

Twitter:- twitter.com/AshishTanna9

Instagram:- www.instagram.com/ashuassociates/

Disclaimer:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
If any content owner has some issues with our videos, please direct mail us on our email with your proper details. So that we can further discuss it. But I request you not to give a claim or strike directly on our videos.

My Email id:- ashish.tanna99@gmail.com


SHREENATHJI YAMUNAJI

એકવાર શ્રીગુસાંઈજી બહારગામ પધાર્યા. શ્રીગિરિધરજીને ભાવના જાગી કે અમારા સતધરામાં શ્રીજીબાવાને પધરાવીએ. સતધરા એટલે સાત બાળકોનાં ઘર.
શ્રીગોવર્ધનનાથ યે ગિરિધરકો મન પાય ।
હોરી ખેલન મધુપુરી ચલન કહ્યો મુસકાય ।।
શ્રીગોવર્ધનકી શિખરતેં ગિરિધરલાલ સુજાન ।
પધરાયે ગિરિધરનકો નિજ ઈચ્છા પહિચાન ।।
સોહલસોં તેઈસકે કૃષ્ણપુરી મધુ આપ ।
ફાગુન વદ સાતમ સુભગ કર્યો મનોરથ હર્ષાય ।।
વિક્રમ સં. ૧૬૨૩ મહા વદ સાતમના દિવસે આ મનોરથ થયો. શ્રીનાથજીબાવાને વિનંતી કરી. શ્રીનાથજીબાવા હલકા ફૂલ થઈ ગયા. શ્રીગિરિધરજીએ ગોવર્ધન શિખર ઉપરથી પ્રભુને નીચે પધરાવી, મથુરા પધરાવ્યા. મહા વદ સાતમથી લઈ ઠેઠ નૃસિંહ ચૌદશ સુધી ત્યાં બિરાજ્યા. જ્યારે ખબર પડી કે શ્રીગુસાંઈજી હવે ગુજરાતથી પાછા પધારવાના છે. એમને ખબર પડશે તો તેઓ લડશે કારણ આજ્ઞા વગર પ્રભુને પધરાવ્યા છે. એટલે સવારે પ્રભુને પાછા જતિપુરા પધરાવવાનો ઉપક્રમ કર્યો અને સાંજ પહેલા પાછા જતિપુરા પધરાવ્યા. એટલે નૃસિંહ ચૌદશના દિવસે રાજભોગ અને શયનભોગ શ્રીજીબાવાને ભેગા આવ્યા. આજે પણ ભેગા આવે છે.
હોળીદાંડાના દિવસથી બધા રાગ ગવાય છે. એ દિવસોમાં શ્રીગોવર્ધનધરણનો એક પ્રસંગ છે. એકવાર શ્રીગુસાંઈજી શયનના દર્શનમાં શયનભોગ સરાવીને બીડી આરોગાવી રહ્યા હતા અને ગોવિંદસ્વામી બહાર મણિકોઠામાં ઊભા ઊભા કીર્તન કરતા હતા. ત્યાં ઊભા ઊભા ગોવિંદસ્વામીએ એક સુંદર લીલાનાં દર્શન કર્યાં.
ગોવિંદસ્વામીને લાગે છે આજે શ્રીગોવર્ધનધરણન
ાં નેત્રો ચંચળ બની ગયા છે. એટલા બધાં રસીલાં બની ગયાં છે કે ભક્તોના રસમાં મસ્ત થવાની ભાવના રાખે છે.
શ્રી ગોવર્ધનરાય લાલા તિહારે ચંચલ નયન વિશાલા
હે ગોવર્ધનનાથ, આજે તારા નેત્રો ચંચળ બન્યા છે. ગોવિંદસ્વામીને તો સખા ભાવ છે ને! કહે છેઃ એ નેત્રો કોઈની સાથે રસમસ્તી કરવાની ઝંખના કરે છે.
તિહારે ઉર સોહે વનમાલા આપે વનમાલા ધારણ કરી છે.
આ વનમાલા પણ ભક્તોનું સ્વરૂપ છે. તેમાં દોરી છે એ પ્રેમનું સ્વરૂપ છે. અનેક ભક્તોના મન આપે હૃદય ઉપર ધારણ કર્યા છે. એ જોઈને ‘મોહી રહી સકલ વ્રજબાલા’.
આપના મનોરથો આ વ્રજભક્તો જાણી ગયા છે.
અત્યાર સુધી આપ ભક્તોના મનોરથ પૂર્ણ કરતા હતા. હવે ભક્તોએ ઈચ્છા કરી કે અમે શ્રીગોવર્ધનધરણના મનોરથ પૂર્ણ કરીએ. છે ને પરસ્પર પ્રીતિ!
યાતેં મોહી રહી સકલ વ્રજબાલા.
મુગ્ધભાવે આપના સુંદર વિશાલ નેત્રો અને હૃદય ઉપર શોભતી વનમાલાનાં દર્શન કરી રહ્યાં છે. નેત્રોમાં પ્રીતિરસ છે. એ પ્રીતિ રસ હૃદયમાં રહેલો છે એટલે નેત્ર અને હૃદય બંનેનું દર્શન કરી રહ્યાં છે. શ્રીજીબાવાનાં સુંદર વક્ષઃસ્થલને જોઈ જેમ વનમાલા આલિંગન આપી રહી છે તેમ વ્રજબાલાને પણ થઈ રહ્યું છે કે અમે પણ વનમાલાની માફક શ્રીજીબાવાના ગળામાં ઝૂલીએ. હવે ઠાકોરજી તો ભક્ત મનોરથપૂરક છે.
ખેલત ખેલત તહાં ગયે જહાં પનિહારીનકી વાટ
જેમ સવારે જળ ભરે એમ ગોપીજનો સાંજે પણ જળ ભરતાં હશે. અને વળી તેઓ બહાનું જ શોધતાં હોય કે ઘરમાંથી ક્યારે નીકળીએ અને ગોવિંદ અમને ક્યારે મળે! તો પનિહારીના રૂપમાં એ જળ તો ભરી રહી છે પણ ગાગરો ખાલી થાય છે અને ભરાય છે. ભરાય છે અને ખાલી થાય છે. ખાલી કરે છે ને પાછી ડૂબાડે છે. વળી વળીને જુએ છે કે શ્યામજી ક્યારે પધારે, ક્યારે પધારે! અને ત્યાં તો શ્રીજીબાવા પાછળથી પધાર્યા.
ગાગર ઢોરી સીસતેં બધાં ગોપીજનોની ગાગરો ઢોળી નાખી. કોઈ ભરન ન પાવે ઘાટ કોઈ ગાગર ભરી શકતી નથી. અમારો સાંવરો યહી કહે હૈ ઔર રસકો ક્યોં ભરોં સખી, મૈં તુમ્હારે સામને હૂં અપની ગાગર ભર લો મોંસો! તમારી આંખ ભરો, તમારા કાન ભરો, તમારા હૃદય ભરો. આખો રસિકેન્દ્ર શેખર તમારી સામે ઊભો છે!
નંદરાયકે લાડિલે બલિ ઐસો ખેલ નિવાર ।
અરે નંદરાયજીના લાડિલા, આ શું કરો છો? અમારી ગાગરો ઢોળો છો. કૃપા કરીને હવે આ ખેલ બંધ કરો. મનમેં આનંદ ભર રાો મુખ જોવત સકલ વ્રજનાર મનમાં તો આનંદ છે કે હજુ ગાગરો ઢોળે, હજુ ગાગરો ઢોળે, આનંદ આનંદ વ્રજભક્તોના હૃદયમાં વ્યાપી ગયો છે. ઠાકોરજીના મનમાં પણ અત્યારે મનોરથો થઈ રાા છે કે મારી જેમ આ ગોપીઓ પણ મને છેડે. ક્યા મઝા આગર વો મુઝે ન છેડે? છેડછાડ ન થાય તો પ્રેમમાં આનંદ શું આવે? પ્રેમમાં તો થોડી નટખટતા હોય, થોડાં રિસામણાં મનામણાં હોય, થોડી છેડછાડ હોય તો એમાં આનંદ આવે.
શ્રીસ્વામિનીજી રંગ લઈને ક્યારના પધાર્યા છે. લાગ મળે તો આજે તો કૃષ્ણકનૈયાને રંગી નાખું.
અરગજા કુમકુમ ઘોરીકે પ્યારી કર લીનો લપટાય.
અરગજા અને કંકુ સફેદ અને લાલ રંગ બંને ભેગા કર્યાં છે. અરગજા એટલે સુગંધી અબીલ. તેમાં કંકુ ભેળવીને જળની અંદર ઘોળી લીધા છે અને તેનાથી બંને હાથ ભરી લીધા છે. પછી પાછળ હાથ રાખી ધીરે ધીરે અચકા અચકા આઈકે શ્રીઠાકોરજી હજી તો જોઈ રહ્યા છે. એવામાં ધીરેથી આવીને, ચોર પગલે આવીને, શ્યામસુંદરને ખબર ન પડે એ રીતે પાછળથી આવીને, શ્રીઠાકોરજીના બંને ગાલ રંગી દીધા.
ગિરિધર ગાલ લગાય. પછી શ્રી રાધાજી ક્યાં ભાગી ગયા તે ખબર ન પડી અને ગોવિંદસ્વામી કીર્તન કરતાં અટકી ગયા. આરતી કરી ગુસાંઈજી પધાર્યા. ગોવિંદસ્વામીને કહે છેઃ ‘તમારી ધમાર તો અધૂરી રહી.’
‘કહા કહૂં મહારાજ, વો ધમાર તો ભાજ ગઈ! જે ધમાલ કરનાર હતી તે તો ભાગી ગઈ. હવે આગળ હું કીર્તન કરું કેવી રીતે? ધમારમાં બે પંક્તિઓ શ્રીગુસાંઈજીએ ઉમેરી છે.
યહ વિધિ હોરી ખેલહી વ્રજવાસીન સંગ લાઈ
શ્રીગોવર્ધનધર રૂપ પર જન ગોવિંદ બલ બલ જાઈ
આ રીતે શ્રીઠાકોરજી વ્રજવાસીઓ સાથે હોરી ખેલી રહ્યા છે.
શ્રીનાથજીનો પાટોત્સવ લગભગ બધા જ ઘરોમાં મનાવાય છે. શ્રીનાથજીની ભાવનાનું સ્વરૂપ પધારે છે. અને જે ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હોય તેમની સાથે એમને ખેલ થાય છે.
આ દિવસોની અંદર શયનના સમયે રાળ પણ ઊડે છે. આમ તમને લાગે કે રાળ દ્વારા અગ્નિની ઝાળ ઊડી રહી છે. એ અગ્નિ શા માટે પ્રગટાવાતો હશે? શા માટે રાળ ઊડતી હશે? અગ્નિ શા માટે પ્રગટાવાતો હશે? આ તો હૃદયનો વિરહાનલ છે. જેમ જેમ ભૂખ ઉઘડતી જાય તેમ તેમ રસની માગ વધતી જાય. હજુ વધારે, હજુ વધારે, વધારે ને વધારે જોઈએ. આ સંયોગરસ એવો છે કે એ હજુ વધારે રસ મળે એવા અગ્નિને પ્રકટ કરે છે. વિપ્રયોગની અંદર જો સંયોગરસ છે તો સંયોગમાં વિપ્રયોગ રસ છે. ઔર મિલે, ઔર મિલે એવી જ હૃદયની લગની છે, એ જ આ અગ્નિ સ્વરૂપે પ્રભુ પાસે પ્રગટ થાય છે. એની ઝાળ જાણે ચારે બાજુથી પ્રદીપ્ત બની જાય છે. અત્યારે આપણે જે ક્રમ જોઈ રહ્યાં છીએ એ ક્રમમાં ઠેઠ વંસતપંચમીથી લઈ દોલોત્સવ સુધી પહોંચવાનું છે. આ દિવસોમાં ઘણા બધા સુંદર કીર્તનો મહાનુભાવોએ ગાયાં છે પણ આપણે એ બધાં સુધી પહોંચી શકીએ તેમ નથી. મહા સુદ દસમથી ફાગણ સુદ પાંચમ સુધી હોરીખેલનો ત્રીજો તબક્કો શરૂ થાય છે.

21 hours ago | [YT] | 20

SHREENATHJI YAMUNAJI

🌷🌱🌷🌱🌷🌱🌷
कल पाटोत्सव है । कितना सुंदर क्रम ...... कितनी कृपा ......... कितना तत्सुख का ख्याल .................
👇👇👇👇👇👇
👉कल वागा- वस्त्र केसरी , साज केसरी , कुलहे जोड़ , भारी श्रृंगार , कल वस्त्र किनारी वाले आवे ( रुपेरी या सोनेरी ) , कुंडल धरे , अभ्यंग होवे ,
👉सामग्री मे उत्सव की सखडी , खीर-खरमंडा...............
सही में उत्सव का उत्साह ही अलग होता है । श्री ठाकुरजी स्वयं लीला करेके आनंद करवायें वो दिन की बात कुछ ओर है ।
कल का पाटोत्सव कोई एक स्वरुप को ध्यान में रखके नहीं है । हरेक बालको के घर में , हरेक मंदिरों में , हरेक वैष्णव वो के वहां पाटोत्सव मनाया जाता है । क्योंकि हरेक स्वरुप में साक्षात श्रीनाथजी ही बिराजमान है ।
सही कल के पाटोत्सव की बात ही अलग है । छुपके से श्रीनाथजी पधारे ओर श्री वल्लभ परिवार के साथ होरी खेल का आनंद लिया । कल के क्रम में वल्लभ कुल के घरों में मंदिरों में श्रीनाथजी के भावना जी पधारेंगे । राजभोग आरती का क्रम भीतर होगा । राजभोग आरती में धंटानाद नहीं होगें । खेल भी भितर होगा .............कितना आनंद ...........
बस यही दिन , यहीं क्रम को याद करना जरुरी हैं । आप लोग भी वो दिन को याद करके श्री सेव्यस्वरुप को लाडलडावो । खीर ओर खरमंडा की सामग्री धरो । कल की सामग्री खीर का स्वाद ही कुछ ओर आता है ।
कल पाटोत्सव के दिन हम सबको वो दिन याद करना है की जिस दिन श्रीनाथजी स्वयं कृपा करके सामने से होरी खेलने पधारे ऐसे ही हमारा श्री सेव्यस्वरुप हमारे साथ होरी खेले यही भावना रखे शायद किसी पे कृपा हो जाये .................. हैना
🌷अ.सौ रुपा बहुजी 🌷

1 day ago | [YT] | 35

SHREENATHJI YAMUNAJI

🌞 *આજની શુભ સવારનો શુભ વિચાર*🌞

*મારાં અને શ્રી ઠાકોરજીની વચ્ચે આવી ને કોઈ બેસી જાય એટલું મહત્વનું આ સંસાર માં કોઈ નથી એમ સંસારને તુચ્છ માની ભગવદ્ સેવા માં પ્રવેશ કરવો કે અત્યારે શ્રીજી પ્રભુ કરતાં મારા માટે કોઈ વિશેષ નથી,*



🙏 *આજનો સત્સંગ*🙏


આપણા *શાસ્ત્રો* અનુસાર આપણે *પ્રભુ સ્મરણ* અર્થે જે *માળા* નો ઉપયોગ કરીએ તેના *મણકા ની સંખ્યા ૧૦૮* છે,જેના *ઉપર ના ભાગે સમરુ હોય* છે,જે *માળા નો અંત અને શરુઆત બંને સ્વરુપે કાર્ય કરે* છે,તેને *સમરુ* ઉપરાંત *બિંદુ, સ્તૂપ કે ગુરુ મણકો* પણ કહે છે, *માળા ની શરુઆત આ સમેરુ થી* થાય,*માળા કરતાં કરતાં આ સમેરુ આવે ત્યારે જે તે વખતે ચાલતી માળા નો અંતનો નિર્દેશ કરે* છે,*જપમાળા તુલસી,રુદ્રાક્ષ,ચંદન ની બનાવવામા આવે* છે,*શાસ્ત્રો માં ભગવદ્ પ્રાપ્તી માટે યુગ પ્રમાણે અલગ અલગ ઉપાય* છે,*સત્યયુગ માં ધ્યાન,ત્રેતાયુગ માં યજ્ઞ,દ્વાપરયુગ માં ભગવાન ના અર્ચ વિગ્રહ ની સેવા,કળિયુગ માં જપ*,*જપમાળા માં રહેલા ૧૦૮ મણકા નક્ષત્ર વિજ્ઞાન આધારિત હોય* છે,*પ્રકૃતિ-વિજ્ઞાન ની દૃષ્ટિ એ બ્રહ્માંડ માં ૨૭ નક્ષત્રો ને માન્યતા આપવામાં આવેલ* છે,*જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક નક્ષત્ર ના ચાર (૪) ચરણ હોય* છે,*આ નક્ષત્ર ની સંખ્યા ને ચરણ ની સંખ્યા વડે ગુણવાથી ૧૦૮ સંખ્યા પ્રાપ્ત થાય* છે,આમ *૧૦૮ સંખ્યા સમગ્ર જગત નું પ્રતિનિધિત્વ કરે છે*, એવી *માન્યતા ને આધારે માળામાં ૧૦૮ મણકા હોય* છે,*બ્રહ્માંડ માં સુમેરુ નું સ્થાન સર્વોપરી ગણાતું હોય,માળા માં પણ સુમેરુ નું સ્થાન સર્વોપરી રાખવામાં આવે છે*,તેમ જ તેનું *ઉલ્લંઘન કરવામાં આવતું નથી*,*પ્રભુ ના અંગ બાર અલૌકિક સૂર્ય ના બીંબ બાર,આપણું શરીર પાંચ તત્વ નું બનેલું છે,પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ* તથા *શરીર માં અંતઃકરણ છે તે ચાર તત્વો મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર આમ કુલ નવ તત્વો* થયા *નવ તત્વ થી પ્રભુ ના દ્વાદશ અંગ નું,દશ શક્તિઓ નું ધ્યાન કરવાનું* છે,તેથી *નવ ને બારે ગુણતા ૧૦૮ આવે છે,માટે આપણી જપમાલા ૧૦૮ છે*,બીજુ કે *બારનો અંક ભગવદ્ સ્વરૂપ વાચક છે અને નવ નો આંક પૂર્ણતા વાચક છે તેથી ૧૦૮ મણકા ના જપ થી પૂર્ણ પુરુષોત્તમ નું હ્રુદય માં ધ્યાન થાય છે*.
*🙏 જય શ્રી કૃષ્ણ*🙏

4 days ago | [YT] | 53

SHREENATHJI YAMUNAJI

*🌑 હોળીના દિવસોમાં રાળ ઉડાડે છે તેનો શું ભાવ છે ? અને તે કેટલા દિવસ ઉડાવાય છે ? 🌑*

*હોળીના દિવસોમાં રાળ એ વિપ્રયોગનું સ્વરૂપ છે. રાળ શ્રીઠાકોરજીની સન્મુખ શયનમાં એકાદશીથી પૂનમ સુધી ઉડાડવામાં આવેછે.*

*રાળ ઉત્સવ કે જેમાં અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે આ માત્ર આગ નથી. આ તો છે રાળ. આ તો છે ગોપીઓના હૃદયમાં ઉઠતી રાળ ! ગોપીઓને સતાવતી વિરહની રાળ!*

*ભગવાન શ્રીકૃષ્ણને જ સર્વસ્વ માનનારા પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીકૃષ્ણ સંબંધી અનેક મનોરથોનું આયોજન થતું હોય છે. ત્યારે દર વર્ષે ફાગણ માસમાં... ‘રંગોત્સવ’ પણ યોજાતો હોય છે. પણ, આ ‘રંગોત્સવ’ પૂર્વે.. હવેલીઓમાં ઉજવાય છે રાળ ઉત્સવ. એ ઉત્સવ... કે જેમાં અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે આ માત્ર ‘આગ’ નથી. આ તો છે ‘રાળ’ આ તો છે ગોપીઓના હૃદયમાં ઉઠતી ‘રાળ’ ! ગોપીઓને સતાવતી ‘વિરહ’ની રાળ !*

*હવેલીમાં હોળી ખેલમાં ભક્તોના વિરહના ભાવથી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે જ્યાં વલ્લભકુલના બાલકો દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળના દર્શન કરાવવામાં આવે છે. જેના દર્શન મોટી સંખ્યામાં વ્રજ ભક્તો એ કરતા હોય છે.*

*પુષ્ટિ હવેલીઓમાં ભગવાનને ૪૦ દિવસ સુધી રંગબેરંગી ગુલાલથી હોળી ખેલાવવામાં આવે છે સાથે વલ્લભકુળ દ્વારા ભક્તોને પણ શ્રી કૃષ્ણના પ્રેમ રૂપી ગુલાલ ઉડાડીને હોળીનો ઉત્સવ ઉજવાય છે ભક્તો પણ ભગવાન સાથે હોળી રમ્યાના ભાવથી આનંદની લાગણીનો અનુભવ કરે છે.*
*હવેલીઓમાં હોળી ખેલમાં ભક્તોના વિરહના ભાવથી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે. જ્યાં ગોસ્વામી બાલકો દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળના દર્શન કરાવવામાં આવે છે. જેના દર્શન મોટી સંખ્યામાં વ્રજ ભક્તો કરતા હોય છે. કહેવાય છે કે તામસ વ્રજ ભક્તોના દેવતા ભગવાનના અગ્નિમાં પ્રજ્વલિત થયા છે જેમ જેમ રાળની જ્યોત વધે છે તેમ તેમ પ્રભુમાં મોહ પણ વધે છે જે લોકો આ રાળને જોવે છે તે અત્યંત ભાગ્યશાળી ગણાય છે.*


*શ્રી વલ્લભાધીશકી જય, શ્રી ગુસાઈજી પરમદયાલકી જય.*

4 days ago | [YT] | 39

SHREENATHJI YAMUNAJI

🌷ફાગ શું છે?🌷
જે ભક્તો ઠાકોરજી સાથે ફાગ ખેલે છે તેઓના ધુંધટ પટ ખૂલી જાય છે. તત પુરતી લાજ પણ શરમની મારી શરમાઇ જાય. ભકતો ચૌવા, ચંદન, અરગજા અને કેસરની ગાગરો ભરી પીચકારી ચલાવે છે.
ઠાકોરજીના રૂપની અનુપમ માધુરી પીતાં ભક્તોના હૃદય, ચંદ્રને જોઇને કુમુદ ફૂલે, તેમ ફૂલી રહ્યા છે. ઠાકોરજી પણ પોતાના વિશાળ નેત્રોથી દરેકના ચિત્ત હરી રહ્યા છે. સુંદરીઓ ચારે બાજુ બેસીને મધુર રાગે ગાય છે, વાજા વગાડે છે, નૃત્ય કરે છે અને અબીલ ગુલાલ ઉડાડે છે. ગુલાબના ગુલચા ફેંકે છે અને રંગરોલ કરે છે.
અપાર આનંદની આ લીલા પરમ રસથી ભરેલી છે. ભકતોના ભાવના રંગબેરંગી છાંટણા પડે તે માટે વસંતના રંગનો શ્વેત વાગો ઠાકોરજી ધારણ કરે છે. રંગ ભાવનું સ્વરૂપ છે, ગુલાબ આનંદ નું સ્વરૂપ છે, રસ સ્નેહનું સ્વરૂપ છે. ફાગ પ્રણયનું સ્વરૂપ છે. ફાગ આત્માનું પરમાત્મા સાથેનું અમર્યાદિત અભિશરણ છે. ફાગમાં રંગાવું કોને ન ગમે? જે જીવ રંગાય છે તે દૈવી છે અને જે નથી રંગાતો તે આસુરી છે.

5 days ago | [YT] | 60

SHREENATHJI YAMUNAJI

‪@श्रीनाथजीयमुनाजी‬
🌞 *આજની શુભ સવારનો શુભ વિચાર*🌞


*જ્યારે આપણે સેવામાં જઈએ ત્યારે એવું નક્કી કરીને જવાનું કે આ સમય હું કેવલ ને કેવલ શ્રી ઠાકોરજીનો છું.*


🙏 *આજનો સત્સંગ*🙏


*પુષ્ટિ જીવો ના તાપાનુભાવ નું પ્રતીક દીનતા*

*પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકુરજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ રૂપે બિરાજી રહેલા છે. પ.પૂ ૧૦૮ ગો. શ્રી મથુરેશ્વર* *મહારાજશ્રી કહે છે કે હે પુષ્ટિ પુરુષોત્તમ, હે શ્રી વલ્લભ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, હે નિકુંજ નાયક દેવદમન* *શ્રીનાથજીબાવા આપની અમૃતમયી, આનંદમયી કૃપાથી આપથી આ છૂટો પડી ગયેલો જીવ આપને શરણે પાછો આવ્યો છે. હે પ્રભુ જે જીવનો કોઈ ધર્મ નથી, જે જીવે કોઈ સારા કર્મો કર્યા નથી, જે જીવ અનેક પાપો અને દોષોથી ભરેલો છે, જે જીવ કામ, ક્રોધ જેવા દૂષણોથી ભરેલો છે તેવા જીવ પર કરૂણામય પ્રભુએ આટલી કૃપા કરી કે તેણે મને શરણે લીધો.*

*શ્રી ભાગવતજીમાં કહેલું છે કે જ્યારે જ્યારે જીવોમાં દીનતા પ્રગટે છે ત્યારે ત્યારે જીવને શ્રી હરિ પધારીને તેને સહાય કરે છે. ગાનેન્દ્ર (ગજેન્દ્ર) મોક્ષ, રાસપંચાધ્યાયીમાં વ્રજભકતોની દીનતા, મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતની દીનતા…..આમ અનેકાનેક ઉદાહરણો આપણાં ધર્મગ્રંથોમાં બતાવ્યાં છે.*

*શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે જીવોની દીનતાથી, અહંકાર જીવોથી દૂર રહે છે, આજ દીનતાથી પ્રભુ જીવોના હૃદયમાં પ્રગટ થઈ પોતાની કૃપાનો સાનંદાનુભવ કરાવે છે. વળી દીનતા એ જીવોના તાપાનુભાવનું પણ પ્રતિક છે, જે પુષ્ટિ જીવોને વિપ્રયોગનું દાન કરે છે.શ્રી વલ્લભ કુલ આચાર્ય બાલકો કહે છે કે જ્યારે જ્યારે જીવોને વિપ્રયોગાત્મક તાપાત્મક ભાવ થાય ત્યારે તેમણે શ્રી સ્વામીનિજી, શ્રી ઠાકુરજી, વ્રજભકતો, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભનાં ચરણારવિંદનો આશ્રય લેવો.*

*પુષ્ટિ માર્ગનાં આ પાંચ તત્વોનો આશ્રય લેતી વખતે તેમનાંમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા સદૈવ રહે તે હેતુથી વૈષ્ણવોએ પુષ્ટિ ભગવદીય અને વૈષ્ણવોનાં સત્સંગ દ્વારા* *પુષ્ટિગ્રંથોનું સતત અવલોકન, સ્મરણ, શ્રવણ, ચિંતન, મનન, પાદસેવન અને સેવાનો આધાર લેવો. કારણ કે આજ તત્વો છે જેનાં દ્વારા પુષ્ટિ જીવોને પ્રભુ કૃપા રૂપી અમૃત મળે છે, અને જો જીવોથી આમાનું કશું જ ન બને તો તેમણે અષ્ટાક્ષર મંત્રનો સદાયે જાપ કરતાં રહેવુકારણ કે આ અષ્ટાક્ષર મંત્રથી જીવના સર્વે કાર્યો સિધ્ધ થાય છે.*

*પુષ્ટિમાર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આર્તિ હોય તેટલું કાર્ય વધુ ઝડપથી સિધ્ધ થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે લૌકિક હોય કે અલૌકિક, કોઈપણ સંજોગોમાં પુષ્ટિજીવે શ્રી વલ્લભનાં ચરણારવિંદનું સ્મરણ કરતાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. કારણ કે અષ્ટાક્ષર મંત્ર એ* *જીવોના સંસાર સાગરની એ નાવ છે અને શ્રી વલ્લભનાં ચરણારવિંદ એ આ સંસાર સાગરનાં ખેવૈયા છે જેઓ જીવને આ સંસાર સાગર પાર કરાવે છે*પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકુરજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ રૂપે બિરાજી રહેલા છે. પ.પૂ ૧૦૮ ગો. શ્રી મથુરેશ્વર* *મહારાજશ્રી કહે છે કે હે પુષ્ટિ પુરુષોત્તમ, હે શ્રી વલ્લભ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, હે નિકુંજ નાયક દેવદમન* *શ્રીનાથજીબાવા આપની અમૃતમયી, આનંદમયી કૃપાથી આપથી આ છૂટો પડી ગયેલો જીવ આપને શરણે પાછો આવ્યો છે. હે પ્રભુ જે જીવનો કોઈ ધર્મ નથી, જે જીવે કોઈ સારા કર્મો કર્યા નથી, જે જીવ અનેક પાપો અને દોષોથી ભરેલો છે, જે જીવ કામ, ક્રોધ જેવા દૂષણોથી ભરેલો છે તેવા જીવ પર કરૂણામય પ્રભુએ આટલી કૃપા કરી કે તેણે મને શરણે લીધો.*

*શ્રી ભાગવતજીમાં કહેલું છે કે જ્યારે જ્યારે જીવોમાં દીનતા પ્રગટે છે ત્યારે ત્યારે જીવને શ્રી હરિ પધારીને તેને સહાય કરે છે. ગાનેન્દ્ર (ગજેન્દ્ર) મોક્ષ, રાસપંચાધ્યાયીમાં વ્રજભકતોની દીનતા, મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતની દીનતા…..આમ અનેકાનેક ઉદાહરણો આપણાં ધર્મગ્રંથોમાં બતાવ્યાં છે.*

*શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે જીવોની દીનતાથી, અહંકાર જીવોથી દૂર રહે છે, આજ દીનતાથી પ્રભુ જીવોના હૃદયમાં પ્રગટ થઈ પોતાની કૃપાનો સાનંદાનુભવ કરાવે છે. વળી દીનતા એ જીવોના તાપાનુભાવનું પણ પ્રતિક છે, જે પુષ્ટિ જીવોને વિપ્રયોગનું દાન કરે છે.શ્રી વલ્લભ કુલ આચાર્ય બાલકો કહે છે કે જ્યારે જ્યારે જીવોને વિપ્રયોગાત્મક તાપાત્મક ભાવ થાય ત્યારે તેમણે શ્રી સ્વામીનિજી, શ્રી ઠાકુરજી, વ્રજભકતો, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભનાં ચરણારવિંદનો આશ્રય લેવો.*

*પુષ્ટિ માર્ગનાં આ પાંચ તત્વોનો આશ્રય લેતી વખતે તેમનાંમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા સદૈવ રહે તે હેતુથી વૈષ્ણવોએ પુષ્ટિ ભગવદીય અને વૈષ્ણવોનાં સત્સંગ દ્વારા* *પુષ્ટિગ્રંથોનું સતત અવલોકન, સ્મરણ, શ્રવણ, ચિંતન, મનન, પાદસેવન અને સેવાનો આધાર લેવો. કારણ કે આજ તત્વો છે જેનાં દ્વારા પુષ્ટિ જીવોને પ્રભુ કૃપા રૂપી અમૃત મળે છે, અને જો જીવોથી આમાનું કશું જ ન બને તો તેમણે અષ્ટાક્ષર મંત્રનો સદાયે જાપ કરતાં રહેવુકારણ કે આ અષ્ટાક્ષર મંત્રથી જીવના સર્વે કાર્યો સિધ્ધ થાય છે.*

*પુષ્ટિમાર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આર્તિ હોય તેટલું કાર્ય વધુ ઝડપથી સિધ્ધ થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે લૌકિક હોય કે અલૌકિક, કોઈપણ સંજોગોમાં પુષ્ટિજીવે શ્રી વલ્લભનાં ચરણારવિંદનું સ્મરણ કરતાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. કારણ કે અષ્ટાક્ષર મંત્ર એ* *જીવોના સંસાર સાગરની એ નાવ છે અને શ્રી વલ્લભનાં ચરણારવિંદ એ આ સંસાર સાગરનાં ખેવૈયા છે જેઓ જીવને આ સંસાર સાગર પાર કરાવે છે.*

6 days ago | [YT] | 49