મધ્ય ગુજરાત નો અવાજ એક સ્વતંત્ર ડિજિટલ ગુજરાતી સમાચાર પ્લેટફોર્મ છે. અહીં પ્રકાશિત સમાચાર ઉપલબ્ધ સત્તાવાર માહિતી, જાહેર સ્ત્રોતો, દસ્તાવેજો તથા સંબંધિત પક્ષોના નિવેદનોના આધારે રજૂ કરવામાં આવે છે.
કોઈ વ્યક્તિ અથવા સંસ્થા અંગેના આરોપ/ફરિયાદને અંતિમ સત્ય કે દોષિત ઠરાવવાનો નિર્ણય માનવો નહીં. અંતિમ નિર્ણય સક્ષમ કોર્ટ અથવા કાયદેસર સત્તાધિકારીનો રહેશે.
સમાચારનો હેતુ માત્ર માહિતી, જનજાગૃતિ અને જાહેર હિત છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા સમુદાયની બદનામી કરવાનો હેતુ નથી. ભૂલ જણાય તો યોગ્ય પુરાવા સાથે અમારો સંપર્ક કરી શકાય છે.
© મધ્ય ગુજરાત નો અવાજ | Independent Gujarati Digital News Platform
📢 તમારા વિસ્તારના સમાચાર, કાર્યક્રમો, પ્રેસ નોટ, જાહેરાત અથવા લાઈવ કવરેજ માટે સંપર્ક કરો
📱✍️એડિટર હસમુખ વરીઆ
મો: 9974334850 👉9879453669
"સત્ય સાથે... જનતાનો અવાજ..."
We are proudly registered under the Ministry of Micro, Small & Medium Enterprises, Government of India
UDHAM-GJ-28-0003805
📧 Email:hasmukhvaria1410@gmail.com
madhyagujratnoawazhasmukh@gmàil.com
“સાચી ખબર, સચોટ અવાજ”
Madhya Gujarat No Awaz
2 weeks ago | [YT] | 6
View 0 replies
Madhya Gujarat No Awaz
લોકપ્રશ્નોના સુચારુ નિકાલ માટે કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો
------
અરજદારોના પ્રશ્નોનું ઝડપી અને પારદર્શક નિવારણ એ જ વહીવટીતંત્રની પ્રાથમિકતા
------
પ્રજાકીય અને સાર્વજનિક હિત ધરાવતી ૪૪ અરજીઓ અરજદારોએ જિલ્લા સ્વાગતમાં રજૂ કરી
------
છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક, સુચારુ અને સમયબદ્ધ નિવારણ લાવવાના મક્કમ નિર્ધાર સાથે જિલ્લા સેવા સદનના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત તેમજ જાહેર સુવિધાને સ્પર્શતા કુલ ૪૪ જેટલા સંવેદનશીલ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધ પેન્શન સહાય, આંગણવાડી સમારકામ રૂમની માંગણી તથા અન્ય સુવિધા, મંજૂર થયેલી અરજીની સહાય રકમ જમા કરવા, બચત ખાતામાં જમા રકમ અપાવવા, મફત તબીબી સહાય યોજના અંતર્ગત લાભ ન મળવા બાબત, અનાથ વારસદારને પીએમજેજેબીવાય (PMJJBY) વીમા ક્લેમની રકમ ન મળવા બાબત, તથા સુખી જળાશયમાં ડુબાણમાં જતા ઘરનું વળતર ચૂકવવા જેવા પ્રશ્નો.
સંખેડા તાલુકામાં ઉચ્છ નદી ઉપર નાળુ મંજૂર કરી બાંધકામ કરવા, રોમડીયા ગામે દૂધવાલ કોતર પર સ્લેબડ્રેન બનાવવા, અગાઉ ચાલતો રસ્તો પુનઃ ખુલ્લો કરવા, ખેતરમાં અવરજવરનો રસ્તો બંધ કરવા બાબત, ખેતી કામ માટે અવર-જવર માટેના વર્ષો જૂના રસ્તા પર કરેલ દબાણ ખુલ્લો કરવા, નવી બસ શરૂ કરવા તથા નવી બસો ફાળવવા.ગેરકાયદેસર માટી ખનન, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા, વીજ મીટર કાઢી લઈ ગયા હોય તે અંગે કાર્યવાહી, લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા, રહેણાંક વિસ્તારમાં વાણીજ્ય હેતુથી બાંધવામાં આવેલ દુકાન દૂર કરવા, છોટાઉદેપુર હાઇવે રોડ પર વગર પરવાનગી ચાલુ કરેલ બાંધકામ અટકાવવા, અને ગામતળ ગોચર જમીનમાં દબાણ અંગેના કિસ્સાઓ, ગ્રામ પંચાયત દ્વારા અયોગ્ય ઠરાવ કરી વડીલો પાર્જીત મકાનોના હક છીનવી બીજા વ્યક્તિના નામે કરવા બાબત, જાહેર રસ્તાનું સમારકામ અને તૂટેલી ગટર લાઈનનું કામ કરવા બાબત, ફરિયાદ નોંધાવા બાબત, હેડ પંપ બોર મોટરની મંજૂરી બાબત, તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક તથા ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવા જેવા વિવિધ જનહિતના પ્રશ્નો અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને તમામ અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક રૂબરૂ સાંભળી હતી. તેમણે ઉપસ્થિત વિભાગીય અધિકારીઓ પાસેથી પ્રશ્નોની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી તમામ પ્રશ્નોનો સકારાત્મક અને ઝડપી ઉકેલ લાવવા માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીશ્રી ભૂમિકા રાઓલ સહિત તમામ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CMO GujaratGujarat InformationCollector ChhotaudepurSdm ChhotaudepurDrda Chhotaudepur
3 weeks ago | [YT] | 0
View 0 replies
Madhya Gujarat No Awaz
છોટાઉદેપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની દુકાનોમાં સઘન ચેકિંગ
-----------
ચેકિંગ દરમિયાન વાસી ખોરાક અને કેમિકલ યુક્ત કલરનો નાશ કરાયો
------------
નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના માર્ગ દર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-છોટાઉદેપુરના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી પી.એમ.શાહની ઉપસ્થિતીમાં છોટાઉદેપુરમાં આવેલી ખાણી-પીણીની હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં "ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ"ની જોગવાઈઓ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઝુંબેશ દરમિયાન ટીમ દ્વારા આધુનિક "ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ" (FSW) ટેસ્ટિંગ વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તંત્રની ટીમ દ્વારા જિલ્લા સેવા સદન રોડ તેમજ તેની આસપાસના વિસ્તારો જેવા કે શાક માર્કેટ અને મુખ્ય બજારમાં સઘન ચેકિંગ કરીને કુલ ૨૦ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને સ્થળ પર જ કુલ ૩૫ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ તપાસ દરમિયાન અંદાજીત ૧૦ કિલોગ્રામ જેટલો વાસી તેમજ બિનઆરોગ્યપ્રદ (અનહાઇજેનિક) સ્થિતિમાં સંગ્રહ કરી રાખેલો ખાદ્ય પદાર્થ અને ૨ કિલોગ્રામ જેટલો હાનિકારક ફૂડ કલર મળી આવતા તંત્ર દ્વારા આ આખા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
CMO GujaratGujarat InformationCollector ChhotaudepurSDM ChhotaudepurDrda Chhotaudepur
1 month ago | [YT] | 9
View 0 replies
Madhya Gujarat No Awaz
॥ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ॥
છોટાઉદેપુરના લોકલાડીલા દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા પંચમહાભૂતમાં વિલીન
હજારો લોકોની ભીની આંખો વચ્ચે અંતિમ વિદાય, એક જનયુગનો થયો અંત
છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં પાંચ દાયકાથી વધુ સમય સુધી અદ્વિતીય પ્રભાવ ધરાવનાર, પૂર્વ વનમંત્રી, પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ છોટુભાઈ રાઠવા આજે પંચમહાભૂતમાં વિલીન થયા. તેમના નિધનથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લો, આદિવાસી સમાજ તેમજ ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જનસેવાને જીવનધર્મ બનાવનાર આ લોકપ્રિય નેતાને હજારો લોકોએ આંસુભીની આંખો સાથે અંતિમ વિદાય આપી હતી.
અંતિમ યાત્રામાં ઉમટ્યો જનસાગર
આજે સાંજે અંદાજે 4:50 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. ગામડાઓથી લઈને શહેર સુધીના હજારો લોકો પોતાના પ્રિય નેતાના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સમગ્ર માર્ગ પર લોકો ફૂલો અર્પણ કરી, હાથ જોડીને અને "અમર રહો"ના નાદ સાથે પોતાના લોકપ્રિય નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો હતો.
પક્ષભેદ ભૂલી સૌએ આપી શ્રદ્ધાંજલિ
મોહનસિંહ રાઠવાના અંતિમ દર્શન માટે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સરકારી અધિકારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કાર્યકરો અને જિલ્લાના હજારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય મતભેદોને બાજુએ રાખીને તમામ પક્ષોએ એકસ્વરે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પાંચ દાયકાથી વધુ જનસેવાનું અવિસ્મરણીય યોગદાન
મોહનસિંહ રાઠવાએ પોતાના સમગ્ર જાહેર જીવનમાં લોકોની સેવા અને વિકાસને પ્રથમ સ્થાન આપ્યું હતું. પૂર્વ વનમંત્રી તરીકે તેમણે વનવિસ્તારોના સંરક્ષણ સાથે વનવાસી સમાજના હિતમાં અનેક નિર્ણયો લીધા હતા. ધારાસભ્ય તરીકે તેમણે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે સતત પ્રયાસો કર્યા હતા.
શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, માર્ગ-મકાન, સિંચાઈ, આદિવાસી વિસ્તારોના વિકાસ અને ગરીબ લોકોના કલ્યાણ માટે તેમણે અવિરત કામગીરી કરી હતી. સામાન્ય માણસ માટે તેમના ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા હતા. લોકો તેમને માત્ર નેતા નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન માનતા હતા.
સાદગી, પ્રામાણિકતા અને જનસેવાનું જીવંત પ્રતીક
મોહનસિંહ રાઠવાની ઓળખ સત્તા કરતાં સેવા માટે હતી. તેઓ ગરીબો, ખેડૂતો, મજૂરો અને આદિવાસી સમાજના પ્રશ્નોને પ્રાથમિકતા આપતા હતા. પોતાની સરળ જીવનશૈલી, નિષ્ઠા અને નિષ્કલંક જાહેર જીવનના કારણે તેમણે લોકોના દિલમાં અવિનાશી સ્થાન મેળવ્યું હતું. તેમના વ્યક્તિત્વે હજારો યુવાનોને જાહેર જીવનમાં સેવા માટે પ્રેરિત કર્યા છે.
શોકમાં ડૂબ્યો સમગ્ર જિલ્લો
તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અનેક ગામો અને શહેરોમાં શોકસભાઓ યોજાઈ હતી. વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને વિવિધ સંગઠનોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયામાં પણ હજારો લોકોએ તેમની યાદમાં સંવેદનાઓ વ્યક્ત કરી હતી.
અંતિમ સંસ્કાર સમયે ભાવુક બન્યું વાતાવરણ
ધાર્મિક વિધિઓ વચ્ચે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનો, સ્વજનો અને હજારો ઉપસ્થિત લોકોએ આંસુભીની આંખે પોતાના પ્રિય નેતાને અંતિમ પ્રણામ કર્યા હતા. અંતિમ અગ્નિ આપતી વેળાએ સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું અને ઉપસ્થિત લોકોએ બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અપૂરણીય ક્ષતિ
મોહનસિંહ રાઠવાનું નિધન માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર છોટાઉદેપુર જિલ્લા, આદિવાસી સમાજ અને ગુજરાતના રાજકીય જીવન માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેમની લોકસેવા, સાદગી, પ્રામાણિકતા અને જનકલ્યાણ માટેનું સમર્પિત જીવન હંમેશા યાદ રહેશે. તેઓ ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો અને કાર્ય લોકોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
🙏 ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 💐
પરમાત્મા તેમના દિવંગત પુણ્ય આત્માને શાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
📰 સમાચાર અને પ્રેસ નોટ આપવા માટે સંપર્ક કરો:
🎥 મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલ (ગુજરાતી)
👤 હસમુખ વરીઆ
📞 મોબાઇલ: 9974334850
1 month ago | [YT] | 10
View 0 replies
Madhya Gujarat No Awaz
30/06/2026 નું ન્યૂઝ પેપર આમોદ તુફાન ન્યૂઝ પાક્ષિક
1 month ago | [YT] | 20
View 0 replies
Madhya Gujarat No Awaz
1 month ago | [YT] | 13
View 0 replies
Madhya Gujarat No Awaz
2 months ago | [YT] | 3
View 0 replies
Madhya Gujarat No Awaz
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન, સરેરાશ 69.58% મતદાન નોંધાયું
છોટાઉદેપુર, તા. 26 એપ્રિલ:
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આજે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન યોજાયું હતું. જિલ્લામાં મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં થયેલ મતદાન મુજબ કુલ સરેરાશ 69.58% મતદાન નોંધાયું છે. જેમાં તાલુકાવાર મતદાન ટકાવારી નીચે મુજબ રહી:
છોટાઉદેપુર તાલુકો – 68.97%
જેતપુરપાવી તાલુકો – 63.10%
કદવાલ તાલુકો – 71.65%
કવાંટ તાલુકો – 70.21%
બોડેલી તાલુકો – 67.18%
સંખેડા તાલુકો – 71.94%
નસવાડી તાલુકો – 75.30%
જિલ્લા પંચાયત બેઠકો માટે પણ મતદારો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત, બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટે પણ મતદાન યોજાયું હતું, જેમાં આશરે 72.04% મતદાન નોંધાયું છે.
જિલ્લામાં કુલ 7,54,577 મતદારોમાંથી 5,25,035 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં પુરૂષ અને સ્ત્રી બંને મતદારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સચોટ આયોજન અને કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવતા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
3 months ago | [YT] | 7
View 0 replies
Madhya Gujarat No Awaz
તુફાન એક્સપ્રેસ 15/3/2026 નું અખબાર
5 months ago | [YT] | 4
View 0 replies
Madhya Gujarat No Awaz
5 months ago | [YT] | 2
View 0 replies
Load more