સમગ્ર ગુજરાતમાં GTPL ચેનલ નં. 273 ઉપર 24x7 પ્રસારણ.....
Email :- jaymalsinhjadeja@gmail.com
Whatsapp :- 9725206123/24/25/26
CUG Number:- - 97252 06123 to 37 (15 CUG Number)
Landline No.:- 02832- 226131/32
અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ,
હા અમે કરોડો ગુજરાતીઓનો અવાજ.
ખંત, ખમીર
સાહસ અને સંવાદ
એટલે
માઁ આશાપુરા ન્યુઝ
Maa News Live
23 hours ago | [YT] | 15
View 0 replies
Maa News Live
જાડેજા રાજવંશ માટે ભીંયા કકકલનું બલિદાન
પ્રસ્તાવના
આપણે કચ્છની કાળા ડુંગરની હારમાળા અને તેની પ્રાકૃતિક સુંદરતા જોઈ છે. ભાદરવા અને શ્રાવણ મહિનામાં જ્યારે ધોધમાર વરસાદ વરસે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય, ત્યારે લાયના ઘાસનાં મેદાનો એક અદભૂત દ્રશ્ય સર્જે છે. કચ્છની આ ભૂમિ માત્ર કુદરતી સૌંદર્યથી જ નહીં, પરંતુ તેના શૌર્ય અને બલિદાનના ઇતિહાસથી પણ ભરેલી છે. આ ધરતીમાં એવી કેટલીય ગાથાઓ ધરબાયેલી પડી છે જે હજુ સુધી ઈતિહાસના પાનાઓ પર પૂરી રીતે વંચાઈ નથી.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
કચ્છના જાડેજા વંશનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. તેઓ સિંધ પ્રદેશથી કચ્છમાં સ્થળાંતરિત થઈને સત્તા સ્થાપનાર રાજપૂતો છે. જાડેજા વંશ એ ચંદ્રવંશી રાજપૂતોની એક શાખા છે, જે પોતાને ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સામબના વંશજ માને છે. તેથી તેમને યદુવંશી ક્ષત્રિય પણ કહેવામાં આવે છે. સિંધમાં શાસન કરતા આ રાજપૂતોના રાજા જામ જાડાજી પરથી આ વંશ 'જાડેજા' તરીકે ઓળખાયો.
ઐતિહાસિક સ્ત્રોતો મુજબ, જામ જાડાના વંશજ લાખાજી જાડેજા અને તેમના ભાઈ લાખિયારજી સિંધમાંથી સ્થળાંતર કરી કચ્છ આવ્યા અને ત્યાં ચાવડાઓની સત્તા ખતમ કરી પોતાનું શાસન સ્થાપ્યું. કચ્છ પર જાડેજા વંશે ૧૧૪૦ થી ૧૯૪૮ (ભારતની આઝાદી સુધી) શાસન કર્યું. રાવ ખેંગારજી પ્રથમ આ રજવાડાના સ્થાપક હતા, જેમણે ભુજ શહેર વસાવ્યું હતું.
ભીંયા કકકલનું મહાબલિદાન
કચ્છના ઈતિહાસમાં એક એવું પાત્ર છે જે હંમેશા ઉપેક્ષિત રહ્યું છે, પણ તેમનું બલિદાન સંસારના ઇતિહાસમાં અજોડ છે. આ વાત છે ભીંયા કકકલની. જ્યારે રાવ ખેંગારજી પ્રથમના પિતા જામ હમીરજીની હત્યા વિશ્વાસઘાતથી કરવામાં આવી, ત્યારે તેમના બંને પુત્રો સાહેબજી અને ખેંગારજીના જીવ પર પણ જોખમ હતું. રાવળ જામનું સૈન્ય આ બંને રાજકુમારોને શોધતું હતું જેથી જાડેજા વંશનો અંત લાવી શકાય.
તે સમયે ભીંયા કકકલ નામના વીર પુરુષે રાજવંશને બચાવવા માટે અત્યંત કઠોર નિર્ણય લીધો. રાવળ જામના સૈન્યને ભ્રમિત કરવા માટે તેમણે પોતાના છ-છ દીકરાઓના બલિદાન આપ્યા. રાવળ જામ એક પછી એક છોકરાનું ગળું કાપતો ગયો અને પૂછતો રહ્યો, "ખેંગારજી અને સાહેબજી ક્યાં છે?" ભીંયા કકકલે પોતાના સંતાનોને પોતાની નજર સામે મરતા જોયા પણ રાજધર્મ ન ચૂક્યા.
જ્યારે છેલ્લો દીકરો બાકી હતો, ત્યારે ભીંયા કકકલની આંખમાં ચમક હતી કે હવે મારો વંશ ભલે જતો રહે પણ કચ્છનો રાજવંશ સુરક્ષિત રહેશે. તેમની પત્નીએ પણ આ બલિદાનમાં સાથ આપ્યો અને ઈશારો કર્યો કે હજુ એક બાળક પેટમાં છે (વંશ વેલો ચાલુ રહેશે), તમે ચિંતા ન કરો અને રાજવંશને બચાવો.
ઉપસંહાર અને યાદગીરી
ભીંયા કકકલની આ વફાદારી અને દેશભક્તિના કારણે જ આજે કચ્છમાં જાડેજા વંશ ટકી રહ્યો. રાવ ખેંગારજીએ પાછળથી પોતાની ગાદી પરત મેળવી અને ભુજને રાજધાની બનાવી. આજે પણ રાપર પાસેના રેલડી ગામમાં ભીંયા કકકલ અને તેમના દીકરાઓની સમાધિ તથા પાળિયા આવેલા છે. ત્યાંના લોકો આજે પણ ગર્વથી કહે છે:
"જામ વંશને બચાવવા સોંપ્યા પુત્ર સાત,
ભીંયા તે ભારે કરી, જગમાં નોખી ભાત.
વફાદારી ને દેશભક્તિમાં ભીંયા સમો નહીં કોઈ,
હમીર વંશને બચાવવા તેં તારો વંશ ખોયો."
ભીંયા કકકલ જેવા 'કિંગ મેકર' ના કારણે જ કચ્છની ધરતી આજે પણ ગૌરવથી ટકી રહી છે. તેમનું બલિદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.
।। જય કચ્છ ।। ।। જય ભીંયા કકકલ ।।
....... ...... ....... ...... ....... ....... ......
કચ્છડો ખેલે ખલકમેં:
મણકો - 3,
20, માર્ચ - 2026
માઁ આશાપુરા ન્યુઝ (Maa News Live)
નાં 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ અનુલક્ષીને,
આયોજીત
નિબંધ સ્પર્ધામાં 700 જેટલી એન્ટ્રી આવી !
જેમાં આવેલ એક નિબંધ અત્રે પ્રસ્તૂત છે ,
...... ....... ........ ........ ....... .......
આભાર મિત્રો,
અમારો આ પ્રયાસ કેવો લાગ્યો ?
પ્રતિભાવ જરૂરથી આપશો.
આપનો,
જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
97 252 06 123 / 124 / 131 / 132
1 day ago | [YT] | 30
View 0 replies
Maa News Live
ESSAY COMPETITION
Information :-
• Organized by : MAA News
• Occasion : Completion of 19 years and entry into 20th year.
• Topic : Humanity in the Digital / mobile Era.
• Category : Division 1
• Student Name : Himanshu Sharma.
• Class & Section : 9th A.
• School Name : Doon Public School, Bhuj.
ESSAY
Humanity in the Digital / Mobile Era.
“Technology is a useful servant but a dangerous master” — Christian Lous.
In today’s time, mobile phones and digital technology have become a very important part of our life. Almost everyone has a smartphone in their hand. From morning alarm to night time, we use mobile phones for many things like calling, chatting, watching videos, studying and playing games. Technology has made our life easy and fast. But at the same time, it has also created many problems. So the big questions is, are we really using techonolgy properly or not?
Technology has helped humanity in many good ways. Because of mobile phones, people can talk easily to their family and friends even if they are far away. Earlier, people had to wait for letters, but now messages reach in seconds. Students can study online and learn many new things from internet. During covid time, online classes helped students continue their studies. Doctors also use technology to help patients through online checkups. In emergency situations, mobile phone saves life.
But nowadays, misuse of mobile phones is increasing very fast. many fast peoples are addicted to their phones. They keep scrolling social media for hours without any work. Even small childrens are using phones too much. Because of this, people are not spending time with their family members. In many houses, everyone sits together but no one talks, everyone is busy in their own mobile. This shows that technology is slowly reducing human connections.
Social media has also affected humanity a lot. Apps like instagram, facebook and others make people compare their life with others. People post only happy moments, so others feel sad and think their life is boring. This causes stress, sadness and low confidence, specially in teenagers. Cyber bullying also the big problem. People say bad things online which they will never say face to face. This hurts feelings and humanity.
Another problem is mobile addiction. Many students use mobile phones late at night, watching reels or playing games. Because of this, they don't sleep properly and feel teri tired in schools. Their concentration becomes low and marks also decrease. Eye pain, headache and stree are common problems now. Instead of playing outside and talking with friends, childrens prefers mobile games. This is not good for physical and mental heath health.
Technology also has also affected our manners and behaviour. Earlier, people respected elders and talked politely. Now many people around him. Humanity means caring, sharing and helping others, but mobile phones sometimes make people selfish and careless.
In conclusion, techonology has both good and bad sides. It has made life easy but also created distance between people. Humanity is slowly losing it’s value because of overuse of mobit mobile phones. If we wants to save humanity, we must use technology in a balanced way. Techonology should be in our hands, not in our mind. If we use mobile phones wisely, humanity and techonology can grow together.
....... ...... ....... ...... ....... ....... ......
કચ્છડો ખેલે ખલકમેં:
મણકો - 3,
20, માર્ચ - 2026
માઁ આશાપુરા ન્યુઝ (Maa News Live)
નાં 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ અનુલક્ષીને,
આયોજીત
નિબંધ સ્પર્ધામાં 700 જેટલી એન્ટ્રી આવી !
જેમાં આવેલ એક નિબંધ અત્રે પ્રસ્તૂત છે ,
...... ....... ........ ........ ....... .......
આભાર મિત્રો,
અમારો આ પ્રયાસ કેવો લાગ્યો ?
પ્રતિભાવ જરૂરથી આપશો.
આપનો,
જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
97 252 06 123 / 124 / 131 / 132
6 days ago | [YT] | 8
View 0 replies
Maa News Live
(Page : 1)
(Page: 2)
નામ :રાજગોર જાનુ અતુલભાઇ
વિભાગ : 3
કોલેજ : એમ.ડી. કોલેજ ઓફ એજ્યુકેશન, હરીપર- ભુજ , બી.એડ કોલેજ
વિષય: ભૂકંપથી પુન:ઉત્થાન સુધી: કચ્છની મક્કમ મનોબળ ગાથા
"જ્યાં આફત બીજા માટે અંત બની જાય, ત્યાં કચ્છીઓ માટે એ જ નવી શરૂઆત બની જાય છે."
પ્રસ્તાવના: કચ્છ માત્ર ભૂગોળનો વિસ્તાર નથી, પરંતુ સંઘર્ષમાંથી શક્તિ જન્મે એવી માનસિકતા છે. રણની કઠોરતા, કુદરતી આપત્તિઓ અને સીમિત સંસાધનો વચ્ચે જીવતો 'કચ્છી માનવી', હંમેશા પડકારને અવરોધ તરીકે નહીં, પરંતુ અવસર તરીકે સ્વીકારતો આવ્યો છે. વર્ષ 2001નો વિનાશક ભૂકંપ કચ્છના ઇતિહાસમાં એક એવી ઘટના હતી, જેણે ધરતીને તો હચમચાવી દીધી, પરંતુ કચ્છીઓના મનોબળને તોડી
(Page: 3)
શકી નહીં. આ ભૂકંપે હજારો જીવનને અસર કરી,
ગામો ઉજાડી નાખ્યા અને આશાના આધારને ખંડિત કર્યા; છતાં પણ કચ્છીઓએ હાર માનવાની બદલે સંકલ્પ કર્યો - ફરી ઊભા થવાનો.
ભૂકંપ પછી કચ્છે જે માર્ગ અપનાવ્યો, તે માત્ર પુન:નિર્માણનો નહીં, પરંતુ પુન:ઉત્થાનનો માર્ગ હતો. ખંડેરમાંથી વિકાસ, દુઃખમાંથી દ્રઢતા અને નિરાશામાંથી આત્મવિશ્વાસ જન્મ્યો. મુસીબતને અવસરમાં બદલવાની આ અદ્ભુત તાકાત કચ્છીઓની સાચી ઓળખ બની. આ નિબંધ કચ્છની એક મક્કમ મનોબળની ગાથા રજૂ કરે છે - જ્યાં વિનાશ અંત નથી, પરંતુ નવી શરૂઆત છે, અને જ્યાં માનવીની હિંમત પ્રકૃતિની આફત કરતાં મોટી સાબિત થાય છે.
કચ્છ માત્ર ગુજરાતનો એક જિલ્લો નથી, પરંતુ સંઘર્ષમાંથી શક્તિ જન્મે એવી જીવંત માનસિકતા છે. રણની કઠોરતા, ઓછો વરસાદ, પ્રાકૃતિક આપત્તિઓ અને વિકાસની મર્યાદાઓ વચ્ચે ઉછરેલો કચ્છી માનવી હંમેશા પડકારને અવરોધ તરીકે નહીં, પરંતુ અવસર તરીકે સ્વીકારતો આવ્યો છે. કચ્છનો
(Page: 4)
ઇતિહાસ એ સાબિત કરે છે કે અહીં દુઃખ કોઈ અંત નથી, પરંતુ નવી દિશાની શરૂઆત છે. વર્ષ 2001નો વિનાશક ભૂકંપ કચ્છ માટે એવી જ એક કઠિન પરીક્ષા હતી - પરીક્ષા જેમાં કચ્છીઓએ પોતાના મક્કમ મનોબળથી ઇતિહાસ રચ્યો.
26 જાન્યુઆરી, 2001નો દિવસ ભારતના એક દુઃખદ યાદ તરીકે નોંધાયો છે. જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે કચ્છની ધરતી ભયાનક ધ્રુજારીથી કંપી ઉઠી. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાવાળા ભૂકંપે ભુજ, અંજાર, ભચાઉ સહિતના વિસ્તારોને ખંડેરમાં ફેરવી દીધા. હજારો લોકોના જીવન ખંખેરાઈ ગયા, અસંખ્ય પરિવારો બેઘર બન્યા અને આખો વિસ્તાર શોકમાં ડૂબી ગયો. આ ભૂકંપ માત્ર ઇમારતોનો વિનાશ નહોતો; તે માનવીના મન પર પડેલો ગહન આઘાત હતો. પરંતુ કચ્છીઓની ખાસિયત એ છે કે તેઓ દુઃખ સામે ઝૂકતા નથી. સ્વપ્ન ગુમાવ્યા હોવા છતાં, ઘર તૂટી પડ્યા હોવા છતાં, કચ્છીઓએ હિંમત હારી નહીં. ખંડેર વચ્ચે ઊભા રહીને તેમણે સંકલ્પ કર્યો - ફરી
(Page: 5)
ઊભા થવાનો.
અહીંથી જ કચ્છની સાચી ગાથા શરૂ થાય છે. જ્યાં ઘણા લોકો માટે આફત અંત બની જાય, ત્યાં કચ્છીઓ માટે એક નવી શરૂઆત બની.
ભૂકંપ પછી તરત જ સમગ્ર દેશ અને વિશ્વમાંથી સહાય કચ્છ તરફ આવી. કેન્દ્ર અને રાજ્ય સરકાર, સૈન્ય, સ્વયંસેવક સંસ્થાઓ, ડોક્ટરો, ઈજનેરો અને સામાન્ય નાગરિકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રાહત કેમ્પો ઊભા થયા, ઘાયલોને સારવાર મળી અને બેઘર લોકોને આશ્રય મળ્યો. પરંતુ કચ્છીઓ જાણતા હતા કે સાચો પડકાર રાહતનો નહીં, પરંતુ પુન:નિર્માણનો છે.
પુન:ઉત્થાનના તબક્કામાં કચ્છે માત્ર તૂટેલી ઇમારતો ઊભી કરી નહીં, પરંતુ એક નવી વિચારધારા ઊભી કરી. ભૂકંપ પ્રતિરોધક મકાનો, સુવ્યવસ્થિત નગરયોજનાઓ, મજબૂત માર્ગો અને આધુનિક માળખા ઊભા થયા. ભુજ શહેર આજે આ પુન:નિર્માણનું જીવંત ઉદાહરણ છે. અહીં વિકાસ માત્ર સિમેન્ટ અને લોખંડનો નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને
(Page: 6)
ખુમારીનો પણ થયો.
કચ્છીઓની સાચી તાકાત તેમના મનોબળમાં વસે છે. તેમણે ભૂકંપને પોતાના ભાગ્ય પર લખાયેલું શાપ માન્યો નહીં, પરંતુ પરિવર્તનની તક તરીકે સ્વીકાર્યો.
વેપાર ફરી શરૂ થયો, રોજગારીની નવી તકો ઊભી થઈ અને લોકો સ્વાવલંબન તરફ આગળ વધ્યા. કચ્છની પરંપરાગત હસ્તકલા - કચ્છી કઢાઈ, બંધણી અને શિલ્પકલા ફરી જીવંત બની. દુઃખમાંથી અવસર ઊભું કરવાની આ ક્ષમતા કચ્છીઓની ઓળખ છે.
"કચ્છમાં આફત આવે ત્યારે લોકો તૂટતા નથી, તેઓ વધુ મજબૂત બનીને ઘડાતા જાય છે."
ભૂકંપ પછી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો. નવી શાળાઓ, કોલેજો અને હોસ્પિટલ્સ ઊભી થઈ. લોકોમાં સમજ વિકસી કે વિકાસ માત્ર ઇમારતોમાં નહીં, પરંતુ માનવીના સર્વાંગી વિકાસમાં હોવો જોઈએ. બાળકોના શિક્ષણ, યુવાનોના કૌશલ્ય વિકાસ અને સમાજની એકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પુન:ઉત્થાન માત્ર ભૌતિક નહીં, પરંતુ માનસિક અને સામાજિક
(Page: 7)
પણ હતું.
કચ્છીઓની મક્કમતા તેમની લોકસંસ્કૃતિમાં પણ સ્પષ્ટ દેખાય છે. દુઃખ વચ્ચે પણ તેઓ તહેવારો ઉજવે છે, સંગીત થાય છે અને સામૂહિક જીવનને મજબૂત રાખે છે. આ દર્શાવે છે કે કચ્છીઓ માટે હિંમત માત્ર સહન કરવાની પ્રક્રિયા નથી, પરંતુ આનંદ સાથે આગળ વધવાની શક્તિ છે. તેઓ દુઃખ સાથે લડીને નહીં, પરંતુ તેને સ્વીકારી અને બદલાવીને જીતે છે.
આજે કચ્છને જોતા એવું લાગે છે કે ભૂકંપ એ વિકાસની શરૂઆત બની. ઉદ્યોગો, પર્યટન, આધુનિક માળખા અને સાંસ્કૃતિક વૈભવ સાથે કચ્છ ભારતના વિકાસ નકશામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જે ધરતી એક સમયે વિનાશનું પ્રતીક હતી, તે આજે સંભાવનાઓ અને પ્રેરણાઓનું કેન્દ્ર બની છે. ભૂકંપે કચ્છને ધ્રુજાવ્યો હતો, પરંતુ કચ્છીઓને તોડી શક્યો નહીં.
"રણ જેવી ધરતી પર ઉગેલી કચ્છની હિંમત, ભૂકંપ જેવી આફત સામે પણ કદી ઝૂકી નથી."
ઉપસંહાર: કચ્છની ગાથા આપણને એક અમૂલ્ય પાઠ
(Page: 8)
શીખવે છે - કે મુસીબત જીવનનો અંત નથી, પરંતુ નવી દિશાની શરૂઆત છે. ભૂકંપે કચ્છની ધરતીને હચમચાવી દીધી, પરંતુ કચ્છીઓના મનોબળને હચમચાવી શક્યા નહીં. તેમણે પોતાની હિંમત, એકતા અને પરિશ્રમથી ફરી ઊભા રહીને સાબિત કરી દીધું કે સાચી શક્તિ માનવીના મનમાં વસે છે.
અંતે કહી શકાય કે કચ્છ માત્ર પુન:ઉત્થાનની કહાની નથી, પરંતુ મુસીબતને અવસરમાં બદલવાની માનવીય તાકાતનું જીવંત પ્રતીક છે.
કચ્છીઓની મક્કમતા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે - કે જો મનોબળ અડગ હોય, તો રણમાંથી પણ સમૃદ્ધિ અને આશા ઉગી શકે.
"ભૂકંપ ધરતીને હચમચાવી શકે, પરંતુ કચ્છી મનોબળ હોય તો ભવિષ્યને હચમચાવી શકાય."
કચ્છીની અડગ હિંમતને નમન
(Page : 9)
....... ...... ....... ...... ....... ....... ......
કચ્છડો ખેલે ખલકમેં:
મણકો - 3,
22, માર્ચ - 2026
માઁ આશાપુરા ન્યુઝ (Maa News Live)
નાં 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ અનુલક્ષીને,
આયોજીત
નિબંધ સ્પર્ધામાં 700 જેટલી એન્ટ્રી આવી !
જેમાં આવેલ એક નિબંધ અત્રે પ્રસ્તૂત છે ,
...... ....... ........ ........ ....... .......
આભાર મિત્રો,
અમારો આ પ્રયાસ કેવો લાગ્યો ?
પ્રતિભાવ જરૂરથી આપશો.
આપનો,
જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
97 252 06 123 / 124 / 131 / 132
1 week ago | [YT] | 23
View 0 replies
Maa News Live
કચ્છનો ઔદ્યોગિક વિકાસ: રોજગારી અને પર્યાવરણનું સંતુલન.
[વિદ્યાર્થીની વિગત]
• નામ: રાઠવા સરસ્વતી ફુરકાનભાઈ
• વિભાગ: ૨ (કોલેજ) (S.Y. B.COM)
• કોલેજનું નામ: જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ (ભુજ)
•
[પેજ - ૧]
"ખમીરવંતી આ ધરા, ને અનોખું એનું તેજ,
ભૂકંપ પછી બેઠું થયું, લઈ વિકાસનું હેજ;
રણમાં ખીલ્યાં ઉદ્યોગો ને રોજગારીની હારમાળા
પર્યાવરણ સંગાથે રચ્યા પ્રગતિના નવા પથારા."
'કચ્છડો બારે માસ' ની કહેવતને સાર્થક કરતો ગુજરાતનો આ સૌથી મોટો જિલ્લો આજે માત્ર પ્રવાસન નહીં, પણ ભારતના 'ઔદ્યોગિક પ્રવેશદ્વાર' તરીકે ઓળખાય છે. ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ પછી કચ્છે રાખમાંથી બેઠા થઈને જે વિકાસની ગાથા લખી છે, તે અદભૂત છે. કચ્છનો ઔદ્યોગિક વિકાસ એ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ રણપ્રદેશમાં રોજગારીની તકોનું સર્જન અને આધુનિક ટેકનોલોજીનો વિજય છે. આજે જ્યારે મુંદ્રા અને કંડલા જેવા બંદરો ધબકી રહ્યા છે, ત્યારે તેની સાથે 'પર્યાવરણનું સંતુલન' જાળવવું એ સૌથી મોટો પડકાર અને પ્રાથમિકતા બની છે. ઉદ્યોગોના ધમધમાટ વચ્ચે કચ્છની કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને શુદ્ધ હવા સચવાયેલી રહે તે જ સાચા અર્થમાં ટકાઉ વિકાસ છે.
"રણની વિશાળ ધરતીમાંથી ઊભા થતા ઉદ્યોગોએ
કચ્છને નવી ઓળખ આપી છે, જ્યાં
વિકાસની સાથે પર્યાવરણની જાળવણી
અને રોજગારીની સર્જન પણ સમાન
મહત્વ ધરાવે છે."
[પેજ - ૨]
કચ્છ આજે ગુજરાતના વિકાસનું 'એન્જિન' બની ગયું છે. ૨૦૦૧ ના ભૂકંપ પછી જ્યાં લોકો કામની શોધમાં કચ્છ છોડીને બહાર જતા હતા, આજે ત્યાં ભારતભરમાંથી લોકો રોજગારી માટે આવી રહ્યા છે.
"ગઈકાલે જે રણ વેરાન હતું, આજે ત્યાં હજારો
પરિવારોના ચૂલા ઉદ્યોગોને પ્રતાપે સળગે છે.
કચ્છનો વિકાસ એ માત્ર મૂડીનું રોકાણ નથી,
પણ લાખો યુવાનોના સપનાઓનું સિંચન છે."
આજે મુંદ્રા, અંજાર, ભચાઉ અને ગાંધીધામ જેવાં વિસ્તારોમાં સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ અને ટેક્સટાઇલ ઉદ્યોગો સ્થાપિત થતા લાખો યુવાનોને પોતાના વતનમાં જ સન્માનજનક રોજગારી મળી રહી છે. માત્ર મોટા કારખાનાઓ જ નહીં, પણ તેની આસપાસ વિકસેલા ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને સર્વિસ સેક્ટરે હજારો નાના વેપારીઓ અને શ્રમિકોને આજીવિકા પૂરી પાડી છે. કંડલા અને મુંદ્રા બંદરોએ કચ્છને વૈશ્વિક વ્યાપારનું પ્રવેશદ્વાર બનાવી દીધું છે, જેના કારણે શિપિંગ અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે રોજગારનો મહાસાગર ખૂલ્યો છે. વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક (ખાવડા) માં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (સૂર્ય અને પવન) એનર્જી પાર્ક બની રહ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા ૨,૦૦,૦૦૦ (બે લાખ) થી વધુ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. તેમાં એન્જિનિયરોથી લઈને મિકેનિક્સ અને લોકલ લેબર સુધીના તમામ સ્તરે કામની તકો ઉપલબ્ધ છે.
[પેજ - ૩]
ભુજમાં અત્યારે પરંપરાગત ઉદ્યોગોની સાથે આધુનિક ક્ષેત્રોમાં રોજગારીની મોટી તકો ઊભી થઈ રહી છે.
પ્રવાસન અને રણોત્સવ :- ભુજ હવે 'ગેટવે ટુ રણ' તરીકે ઓળખાય છે. તાજેતરમાં 'ધોરડો' ને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે માન્યતા મળી છે, જેની સીધી અસર ભુજ પર પડી છે. ભુજમાં નવી હોટલો, રિસોર્ટસ અને હોમ-સ્ટેના કારણે હજારો યુવાનોને હોસ્પિટાલિટી ક્ષેત્રે કામ મળ્યું છે.
સ્મૃતિવન અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર :- ભુજિયા ડુંગર પર બનેલું 'સ્મૃતિવન મેમોરિયલ' અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પ્રોજેક્ટ્સને કારણે મેઈન્ટેનન્સ, સિક્યુરિટી, ટિકિટિંગ અને ગાર્ડનિંગ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક લોકોને કાયમી રોજગાર મળ્યો છે.
હસ્તકલા અને કુટીર ઉદ્યોગ :- ભુજની આસપાસના ગામો (ભુજોડી, અજરખપુર) ની હસ્તકલા હવે વૈશ્વિક બ્રાન્ડ બની છે. 'હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક' અને અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા હજારો મહિલા કારીગરોને ઘરે બેઠા રોજગારી મળી રહી છે. સરકારના 'એક જિલ્લો એક ઉત્પાદન' (ODOP) કાર્યક્રમ હેઠળ ભરતકામ અને બાંધણીને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર :- ભુજમાં નવી મેડિકલ કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓ આવવાથી શિક્ષણ અને શૈક્ષણિક સેવાઓમાં પણ રોજગારી વધતી છે.
"ભુજ આજે માત્ર ભૂકંપના ઈતિહાસનું સાક્ષી
નથી, પણ સ્મૃતિવનની હરિયાળી અને
રણોત્સવની વચ્ચે ખીલી રહેલા નવા
રોજગારના અવસરોનું પ્રતીક છે."
[પેજ - ૪]
"કચ્છના રણની રેતીમાં આજે સૂરજની કિરણો માત્ર
ગરમી નથી લાવતી, પણ સ્વચ્છ વીજળી અને પર્યાવરણ
સુરક્ષાની નવી આશા જગાવે છે."
કચ્છનો વિકાસ માત્ર સિમેન્ટ કે સ્ટીલ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આજે કચ્છ વિશ્વમાં 'ક્લીન એનર્જી' (સ્વચ્છ ઊર્જા) ના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. પર્યાવરણના જતન સાથે વિકાસ કેવી રીતે કરી શકાય, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કચ્છના રણમાં જોવા મળે છે. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક કચ્છના ખાવડામાં અત્યારે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. આ પાર્ક ૩૦ GW (ગીગાવૉટ) વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં પવન ઊર્જા અને સૌર ઊર્જા બંનેનો સમન્વય છે. આ પ્રોજેક્ટ દ્વારા વાર્ષિક કરોડો ટન કાર્બન ઉત્સર્જન ઘટશે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થશે.
પવનચક્કીઓનું સામ્રાજ્ય :- કચ્છનો દરિયાકિનારો અને માંડવી-અબડાસા પટ્ટી પવનચક્કીઓથી લહેરાય છે. એશિયાના સૌથી મોટા વિન્ડ ફાર્મ્સમાં કચ્છની ગણના થાય છે. આ પવનચક્કીઓ જમીનનો લઘુતમ ઉપયોગ કરીને શૂન્ય પ્રદૂષણ સાથે વીજળી પેદા કરે છે.
ગ્રીન હાઇડ્રોજન - ભવિષ્યનું ઈંધણ :- તાજેતરના જાન્યુઆરી ૨૦૨૬ ના અહેવાલો મુજબ, કચ્છ હવે 'ગ્રીન હાઇડ્રોજન' ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. મુંદ્રા અને કંડલા પોર્ટની નજીક ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ્સ સ્થાપવામાં આવી રહ્યા છે. આનાથી ડીઝલ અને પેટ્રોલ પરની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણ શુદ્ધ રહેશે.
[પેજ - ૫]
કચ્છના ઔદ્યોગિક વિકાસમાં બંદરો એ પાયાની ઈંટ છે. કચ્છ પાસે ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો છે, જેનો ઉપયોગ કરીને તે આજે વિશ્વનું 'ટ્રેડ ગેટવે' (વ્યાપારનું પ્રવેશદ્વાર) બની ગયું છે. કચ્છની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે ખાડી દેશો, યુરોપ અને આફ્રિકા સાથે દરિયાઈ માર્ગે સીધું જોડાયેલું છે. આ દરિયાકિનારાએ જ કચ્છને ઔદ્યોગિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે.
દીનદયાલ પોર્ટ (કંડલા) :- ભારતનું ગૌરવ કંડલા પોર્ટ એ ભારતનું સૌથી મોટું સરકારી બંદર છે. ૨૦૨૫-૨૬ ના તાજેતરના આહેવાલો મુજબ, કંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. અહીં ખાસ કરીને તેલ, રસાયણો અને અનાજની નિકાસ મોટા પાયે થાય છે. બંદરના આધુનિકીકરણ માટે 'સાગરમાલા પ્રોજેક્ટ' હેઠળ નવા બર્થ બનાવવામાં આવ્યા છે, જેથી મોટા જહાજો પણ સરળતાથી આવી શકે.
મુંદ્રા પોર્ટ :- વિશ્વ કક્ષાની સુવિધા, અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટ આજે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે.
સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) :- મુંદ્રા પોર્ટની આસપાસ જે SEZ વિકસ્યો છે, તેના કારણે વિદેશી કંપનીઓ પણ કચ્છમાં પોતાના પ્લાન્ટ નાખી રહી છે.
"કચ્છનો દરિયો આજે માત્ર ખારા પાણીનો ભંડાર નથી,
પણ તે ભારતની આર્થિક પ્રગતિની જીવાદોરી છે,
જે વિશ્વના વ્યાપારને કચ્છની ધરા સાથે જોડે છે."
[પેજ - ૬]
કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે. એક તરફ વિશાળ સમુદ્ર કિનારો છે, તો બીજી તરફ સફેદ રણ અને ઘાસના મેદાનો (બન્ની) છે. ઉદ્યોગોના વિકાસની સાથે આ કુદરતી વારસાને બચાવવો અનિવાર્ય છે.
ગ્રીન બેલ્ટનું નિર્માણ :- કચ્છમાં કાર્યરત મોટા ઉદ્યોગો (જેમ કે અદાણી, ટાટા, વેલ્સપન વગેરે) એ પોતાના પ્લાન્ટની આસપાસ લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરીને 'ગ્રીન બેલ્ટ' તૈયાર કરવો જોઈએ. રણની રેતીને આગળ વધતી અટકાવવા માટે 'ગાંડા બાવળ' ના સ્થાને સ્થાનિક વૃક્ષો જેવા કે લીમડો, પીપળો અને પીપળનું વાવેતર કરવું જરૂરી છે.
મેન્ગ્રુવ્સ (ચેરના જંગલો) નું રક્ષણ :- કચ્છનો દરિયા કિનારો 'ચેર' ના જંગલોથી સમૃદ્ધ છે. આ જંગલો દરિયાઈ જીવસૃષ્ટિ માટે નર્સરી સમાન છે અને સુનામી કે વાવાઝોડા સામે રક્ષણ આપે છે. બંદરો અને ઉદ્યોગોના વિકાસ દરમિયાન આ ચેરના જંગલોને નુકસાન ન થાય તે જોવાની જવાબદારી ઉદ્યોગ જગતની છે.
રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) પર ભાર :- પ્રકૃતિને બચાવવા માટે કોલસા કે તેલ પર આધારિત ઊર્જાના બદલે સૌર ઊર્જા અને પવન ઊર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. કચ્છમાં બની રહેલો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક આ દિશામાં પર્યાવરણને બચાવવાનું મોટું કદમ છે.
વન્યજીવોનું સંરક્ષણ :- કચ્છમાં ઘોરાડ જેવા દુર્લભ પક્ષીઓ અને ઘુડખર જેવા પ્રાણીઓ વસે છે. ઉદ્યોગોની સ્થાપના કે ઈલેક્ટ્રિક લાઈનો નાખતી વખતે આ મૂંગા જીવોના રહેઠાણને ખલેલ ન પહોંચે તે માટે ખાસ ટેકનોલોજી અને સાવચેતી રાખવી જોઈએ.
[પેજ - ૭]
"કચ્છના ઉદ્યોગો ત્યારે જ ખરા અર્થમાં સફળ
ગણાશે જ્યારે તેની આર્થિક સમૃદ્ધિની
સુવાસ સાથે કચ્છના શુદ્ધ પવન અને પવિત્ર
રણની ગરિમા પણ જળવાઈ રહેશે."
જળ વ્યવસ્થાપન અને પ્રદૂષણ નિયંત્રણ :- ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું ગંદુ પાણી દરિયાઈ કે જમીનમાં સીધું ન છોડતા તેને ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP/ETP) દ્વારા શુદ્ધ કરીને ફરી વપરાશમાં લેવું જોઈએ. આનાથી કચ્છના મર્યાદિત મીઠા પાણીના સ્ત્રોત બચી શકશે.
લોકભાગીદારી અને જાગૃતિ :- પ્રકૃતિની જાળવણી માત્ર કાયદાથી નહીં પણ સંસ્કારથી થાય છે. કચ્છના સ્થાનિક લોકો (જેમ કે માલધારીઓ) વર્ષોથી પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવે છે. ઉદ્યોગોએ આ સ્થાનિક જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. CSR પ્રવૃત્તિઓ દ્વારા શાળાઓમાં પર્યાવરણ જાગૃતિ અને ગામડાઓમાં જળ સંચયના કામો કરવા જોઈએ જેથી ઔદ્યોગિક પ્રગતિની સાથે કચ્છની હરિયાળી પણ વધે.
"જો આપણે પ્રકૃતિને બચાવીશું, તો જ
પ્રકૃતિ આપણા વિકાસને ટકાવી રાખશે."
ગ્રીન એનર્જી અને કાર્બન ફૂટપ્રિન્ટ :- કચ્છ હવે 'ગ્રીન હાઇડ્રોજન' અને 'સૌર ઊર્જા' નું કેન્દ્ર બની રહ્યું છે. પ્રકૃતિની જાળવણીનો સૌથી મોટો રસ્તો એ છે કે આપણે પરંપરાગત કોલસા આધારિત ઊર્જા છોડીને કુદરતી સ્ત્રોતો તરફ વળીએ. ખાવડા પાસે બની રહેલો રિન્યુએબલ એનર્જી પાર્ક ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં કચ્છનું સૌથી મોટું પ્રદાન છે.
[પેજ - ૮]
ઔદ્યોગિકીકરણ એ કોઈપણ પ્રદેશની પ્રગતિ માટે અનિવાર્ય છે, પરંતુ જો તે પ્રકૃતિના ભોગે હોય તો તે લાંબાગાળે વિનાશક સાબિત થાય છે. કચ્છ જેવા વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં આ સંતુલન જાળવવું એ એક કળા અને જવાબદારી બંને છે. આધુનિક ઉદ્યોગોએ એવી ટેકનોલોજી અપનાવવી જોઈએ જે પ્રદૂષણ ન્યૂનતમ કરે. દાખલા તરીકે જો કોઈ સિમેન્ટ ફેક્ટરી હોય, તો તેણે હવામાં ઉડતી રજકણો રોકવા માટે અત્યાધુનિક ફિલ્ટર્સ લગાવવા જોઈએ. વિકાસનો અર્થ ઉત્પાદન વધારવું એવો થાય, પણ સંતુલનનો અર્થ એ ઉત્પાદન દરમિયાન કુદરતી સંસાધનોનો બગાડ અટકાવવો એવો થાય છે.
કચ્છમાં કંડલા અને મુંદ્રા જેવા મોટા બંદરો છે. અહીં જહાજોની અવરજવરથી દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન થાય તે જોવું એ સંતુલનનો ભાગ છે. દરિયાના પાણીમાં ઓઈલ કે કેમિકલ ન ભળે તેની કાળજી રાખવી અને સાથે જ બંદરોનો વિકાસ કરવો એ આર્થિક અને પર્યાવરણીય સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સંતુલનનો બીજો અર્થ એ છે કે ઉદ્યોગો માત્ર યંત્રો ન બની રહે પણ તે સ્થાનિક સંસ્કૃતિને પણ સાથે ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ મળે અને આસપાસના ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી અને હરિયાળી જળવાઈ રહે ત્યારે જ ખરા અર્થમાં વિકાસ અને જીવનધોરણ વચ્ચે સંતુલન સ્થાપાયું કહેવાય. સંતુલન એટલે એવી વ્યવસ્થા જ્યાં આર્થિક સમૃદ્ધિનો આલેખ ઊંચો પણ હોય,
Continue. ....
સંપૂર્ણ નિબંધ;
Facebook: Jadeja Jaymalsinh Jaam
ઉપર વાંચી શકાશે
..... .......... ........ ......... ....... ......... ........
આભાર મિત્રો,
કચ્છડો ખેલે ખલકમેં:
મણકો - 3,
22, માર્ચ - 2026
માઁ આશાપુરા ન્યુઝ (Maa News Live)
નાં 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ અનુલક્ષીને,
આયોજીત
નિબંધ સ્પર્ધામાં 700 જેટલી એન્ટ્રી આવી !
જેમાં આવેલ એક નિબંધ અત્રે પ્રસ્તૂત છે ,
....... ....... ....... ....... ....... ....... .......
અમારો આ પ્રયાસ કેવો લાગ્યો ?
પ્રતિભાવ જરૂરથી આપશો.
આપનો,
જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
97 252 06 123 / 124 / 131 / 132
1 week ago | [YT] | 12
View 0 replies
Maa News Live
Osho On Mahavir
1 week ago | [YT] | 25
View 0 replies
Maa News Live
કચ્છડો ખેલે ખલકમેં:
મણકો - 3,
22, માર્ચ - 2026
માઁ આશાપુરા ન્યુઝ (Maa News Live)
નાં 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ અનુલક્ષીને,
આયોજીત
નિબંધ સ્પર્ધામાં 700 જેટલી એન્ટ્રી આવી !
જેમાં આવેલ એક નિબંધ અત્રે પ્રસ્તૂત છે ,
....... ........ ........ ......... ....... ....... .....
નામ :પરમાર અર્જુન નરેશભાઈ
ધોરણ : ૯
શાળા :; શેઠ શ્રી વી.ડી. હાઇસ્કુલ - ભુજ.
વિષય:મારું વ્હાલું કચ્છ.
ગુજરાત રાજ્યનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે. આભીર કે આહીરોના વસવાટને કારણે તેને આભીરિયા કે આઝીરિયા નામ પણ મળેલું છે. આ બંને નામો ત્રીજી-ચોથી સદી સુધી પ્રચલિત હતાં.
પ્રાચીન કાળથી અને અખંડ રહેલા કચ્છનો સ્કંદ પુરાણમાં ‘કચ્છ મંડલ’, વાયુ પુરાણમાં ‘કુચ્છિપ’ અને પાણિનિમાં ‘કચ્છક’ તરીકે ઉલ્લેખ છે. આ પ્રદેશ ‘આભીર’ નામે પણ ઓળખાયો છે. ‘કચ્છ મંડલ’માં 1,422 ગામ હોવાનું સ્કંદ પુરાણમાં કહેવાયું છે.
‘કચ્છ’ સંજ્ઞાનું મૂળ કારણ તો એ જલમય પ્રદેશ હોવાનું છે. અમર કોશમાં ‘કચ્છ’ અને ‘અનૂપ’ને પર્યાય માન્યા છે. આ શબ્દ ‘કક્ષ’ – ‘મર્યાદા’ અર્થના શબ્દનો પ્રાકૃત વિકાસ હોઈ શકે જે સંસ્કૃત તરીકે પ્રચારમાં આવ્યો હોય.
આ જિલ્લો 22° 44' ઉ.અ. થી 24° 41' ઉ.અ. અને 68° 09' પૂ.રે. થી 71° 54' પૂ.રે. વચ્ચે આવેલી છે. તેની સરહદે સીરક્રીક, સિંધ (પાકિસ્તાન) અને રાજસ્થાન રાજ્યો અને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા, કચ્છનો અખાત અને અરબી સમુદ્ર આવેલાં છે. તેનું ક્ષેત્રફળ 45,652 ચો.કિમી. છે. તેની લંબાઈ 256 કિમી. અને પહોળાઈ 24 થી 72 કિમી. છે. તેના ભુજ, માંડવી, મુંદ્રા, અંજાર, ભચાઉ, રાપર, નખત્રાણા, અબડાસા અને લખપત એમ નવ તાલુકા છે. ભચાઉ અને રાપર તાલુકા વાગડ તરીકે અને દક્ષિણ કિનારાનું મેદાન કાંઠી તરીકે ઓળખાય છે.
કચ્છના મધ્ય ભાગમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ધાર તરીકે ઓળખાતી ડુંગરમાળા છે. તેની ચારે બાજુની અને ખીણની પ્રદેશ સપાટ છે. કચ્છના રણમાં આવેલ પચ્છમના કાળો ડુંગર 458 મી. અને મધ્ય ભાગમાં આવેલ ધીણોધર 387 મી. ઊંચો છે. વાગડમાં કંથકોટનો ડુંગર છે. આ ડુંગરો પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છે. કચ્છના રણને મળતી ઉત્તર તરફ વહેતી નદીઓ તથા દક્ષિણે કચ્છના અખાત અને અરબી સમુદ્રને મળતી ત્રેસેક નદીઓ 20 કિ.મી. થી 55 કિ.મી. જેટલી લાંબી અને સૂકી છે. કચ્છમાં એકંદરે 97 નદીઓ આવેલી છે. મોટાભાગની નદીઓ હંગામી છે. એમાંની નદીઓ ઉપર 27 બંધ બાંધવામાં આવ્યા છે. કચ્છની ઉત્તર અને પશ્ચિમ ભાગ વેરાન અને સૂકી છે. વાગડ અને દક્ષિણ કિનારાનો પ્રદેશ ફળદ્રુપતા, વધુ વરસાદ અને સમુદ્ર બાબતમાં બીજા ભાગો કરતાં અલગ પડી જાય છે. નૈઋત્યના મોસમી પવનના માર્ગથી કચ્છ દૂર હોઈ સરેરાશ 322 મિમી. વરસાદ પડે છે. માંડવીમાં સૌથી વધુ 407 મિમી. અને લખપતમાં સૌથી ઓછી 249 મિમી. વરસાદ પડે છે. પાંચ વર્ષમાં એકાદ વર્ષ સારું હોય છે. ભુજનું તાપમાન 32.8° સે. રહે છે. શિયાળામાં આ તાપમાન 7° સે. થી 15° સે. રહે છે. કચ્છની શિયાળો આકરી હોય છે. નલિયાનું તાપમાન 0.5° સે. થઈ જાય છે. સતત વાતા પવનો અને દરિયાનું સામીપ્ય ઉનાળામાં મોટા ભાગે હવામાનને સમઘાત રાખે છે છતાં ક્યારેક ઉનાળામાં તાપમાન 44° સે. થાય છે. માંડવીમાં પવનચક્કી દ્વારા વીજળી મેળવાય છે. ખેતી તથા ઘરવપરાશ માટે વીજળી મળે છે.
કુલ જમીનના 4% વિસ્તારમાં જંગલો છે. બાવળ, ખેર, બોરડી, ખીજડો, ગોરડ અને ગૂગળનાં છૂટાંછવાયાં વૃક્ષો ઘાસમાં ‘રાખાલ’ તરીકે ઓળખાતાં મેદાનોમાં જોવા મળે છે. આ જંગલોમાંથી ઘાસ ઉપરાંત ગુંદર, મધ, ગૂગળ વગેરે મળે છે. દરિયાકાંઠે ઉગતી ચેર કે તમ્મર ઉંટનો ચારો અને બળતણ તરીકે તેમજ જમીનનું ધોવાણ અટકાવવા ઉપયોગી છે. કચ્છમાં દીપડા, વરુ, નીલગાય, શિયાળ, હરણ, જંગલી ગધેડાં (ઘુડખર) વગેરે જંગલવાસી પ્રાણીઓ અને ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડી, ઊંટ વગેરે ઉપયોગી પ્રાણીઓ છે. કચ્છની ઘોડા સારી ઓલાદના હોય છે. બન્ની અને કચ્છની સમગ્ર પ્રદેશ ઘેટાં, બકરાં અને ગાયના ઉછેર માટે અનુકૂળ છે. થરી ઓલાદની ગાય વધુ દૂધ આપે છે. અહીં ઘુડખર અભયારણ્ય, ઘોરાડ પક્ષી અભયારણ્ય અને જલપ્લાવિત વિસ્તાર આવેલા છે.
કચ્છમાં બોક્સાઈટ, બેન્ટોનાઈટ, લિગ્નાઈટ, કાચ માટેની રેતી, ફટકડીની માટી, ચૂનાના પથ્થરો, બાંધકામ માટેના પથ્થરો, ચિરોડી, રંગીન માટી વગેરે ખનીજો નીકળે છે. દરિયાકાંઠે અને રણ વિસ્તારમાં એમ બધું મળીને 60 લાખ ટન જેટલું મીઠું થાય છે. કંડલા, મુંદ્રા અને ભચાઉમાં તેનાં કારખાનાં છે અને આ બંદરોથી તેની નિકાસ થાય છે. કચ્છના રણ અને અખાતના વિસ્તારમાંથી તેલ અને ગેસ મળવાની સંભવ છે. લિગ્નાઈટનું ઉત્પાદન હાલ પાંચ લાખ ટન છે. ભૂતકાળમાં અહીં જંગલો હશે ટર્શિયરી યુગની લિગ્નાઈટ કોલસો અહીં મળે છે.
2011 ની વસ્તીગણતરી પ્રમાણે કચ્છની કુલ વસ્તી 20,90,313 છે તે પૈકી 25% લોકો શહેરવાસી અને 75% લોકો ગામવાસી છે. કુલ વસ્તીના 26.08 ટકા શહેરોમાં રહે છે. કચ્છમાં રહેતા કચ્છી લોકો કરતાં અનેક ગણા વધુ લોકો મુંબઈ શહેર, ભારતના અન્ય રાજ્યો તથા પરદેશોમાં વસે છે. સ્ત્રી-પુરુષોનું સંખ્યા-પ્રમાણ સરખું છે. કિમી દીઠ વસ્તીની ગીચતા 25 છે. સાક્ષરતાનું કુલ પ્રમાણ 40% છે. તે પૈકી પુરુષોમાં 44.14% અને સ્ત્રીઓમાં 26.68% છે. અહીંના લોકો ગુજરાતી બોલે છે. સ્થાનિક ગામવાસીઓ કચ્છી ભાષા બોલે છે. કચ્છી સિંધી ભાષાની ઉપભાષા છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ગૃહ ઉદ્યોગો સહિત બધા પ્રકારના ઉદ્યોગોમાં અને પરિવહન, વ્યાપાર અને અન્ય સેવાઓમાં લોકો રોકાયેલા છે. વરસાદ અનુકૂળ હોય તો 6 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. બાજરી, કપાસ, કઠોળ, ઘઉં, મગફળી, એરંડા મુખ્ય પાક છે. કચ્છ જિલ્લામાં હવે કેસર કેરી અને ખારેકની ખેતી પણ કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં 400 વર્ષથી ખારેકના માલીકો દ્વારા મુંદ્રા વિસ્તારમાં ખારેકની ઉત્તમ જાતિ વિકસાવાઈ હતી. પરિણામે આજે કચ્છમાં બે કરોડ જેટલાં ખારેકનાં વૃક્ષો જોવા મળે છે. જેમાંથી 17 લાખ જેટલાં દેશી ખારેકનાં વૃક્ષો છે. જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ (GI) ટેગ આ ખારેકને મળી છે. જે કચ્છના ખેડૂતોની એક વિશિષ્ટ વૈશ્વિક ઉપલબ્ધિ છે. આ ખારેકમાં સ્વાદથી લઈને રંગની વિવિધતા જોવા મળે છે. આ એક માત્ર એવો પ્રદેશ છે જ્યાં દેશની 85% ખારેકનું ઉત્પાદન થાય છે. સિંચાઈ પૈકી 82% સિંચાઈ કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે. સિત્તેર જેટલાં તળાવો દ્વારા અને નદીથી પણ સિંચાઈ થાય છે. સૌથી મોટા રુદ્રમાતા બંધની સિંચાઈ ક્ષમતા 2,307 હેક્ટર છે. અહીંના ઉદ્યોગોમાં મીઠાનાં કારખાનાં, જિન પ્રેસ, તેલની મિલો અને એક કાપડની મિલ છે. હાથશાળ અને યંત્રશાળ દ્વારા પણ કાપડ તૈયાર થાય છે. ભરતકામ, ચાંદીનું નકશી કામ, કાપડનું છાપકામ અને તેનું રંગાટીકામ, ઉપરાંત સૂડી અને ચપ્પુ બનાવવાનો ગૃહઉદ્યોગ વિકસ્યા છે. કેટલાક લોકો લિગ્નાઈટ, બેન્ટોનાઈટ, બોક્સાઈટ, ચૂનાના પથ્થરો, ચિરોડી વગેરેના ખોદકામ સાથે સંકળાયેલા છે.
1965 થી મુક્ત વ્યાપાર ક્ષેત્ર કંડલાના 265 હેક્ટર વિસ્તારમાં સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો, સાબુ, રસાયણો, દવાઓ, તૈયાર કાપડું, રબરની વસ્તુઓ અને વીજળીનાં સાધનો બનાવવાનાં કારખાનાં સ્થપાયાં છે. કચ્છના અખાતમાં તથા માંડવી અને જખૌ નજીક મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો છે. કચ્છી ‘કોટિયું’ (જહાજ) તેની મજબૂત બાંધણી સારુ જાણીતું છે. કચ્છી નાવિકો વહાણવટાની જાણકારી અને દરિયાઈ ખંત માટે જાણીતા છે. વાસ્કો દ ગામાને ભારતનો દરિયાઈ માર્ગ થઈને ઈંગ્લેન્ડ પહોંચાડનાર કાનજી માલમ કચ્છી હતો. માંડવીથી કેપ ઓફ ગુડ હોપ આ કચ્છી કોટિયું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સી-પ્લેનને લક્ષદ્વીપની સાંકડી નાળમાંથી બહાર કાઢનાર માંડવીના નાવિકો હતા. આ જિલ્લાનું મુખ્ય શહેર ભુજ છે. માધાપર, મુંદ્રા, માંડવી, નલિયા, રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને કંડલા અન્ય શહેરો છે. નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનો મઢ, ભદ્રેશ્વર, ધીણોધર, હાજીપીર વગેરે અહીંનાં જાણીતાં યાત્રાધામો છે. કંડલા ભારતમાં મુખ્ય અગિયાર બંદરો પૈકીનું એક છે. બિનલોહ ધાતુઓ, ખાતર, ગંધક, સુપર ફોસ્ફેટ, પેટ્રોલિયમ, અનાજ, રસાયણો, યંત્રો, ખજૂર વગેરેની આયાત થાય છે; જ્યારે રૂ, તેલીબિયાં, મીઠું, બેન્ટોનાઈટ, બોક્સાઈટ, ચોખા, ચા, ચિરોડી, લોખંડનો ભંગાર વગેરેની નિકાસ થાય છે. પાકા રસ્તા અને બ્રોડગેજ રેલ્વે દ્વારા આ વિસ્તારને સાંકળવામાં આવ્યો છે. કરાંચી બંદર પાકિસ્તાનમાં જતાં કંડલાને મહાબંદર તરીકે વિકસાવાયું છે. આ સિવાય જખૌ, મુંદ્રા, માંડવી મધ્યમ કક્ષાના બંદરો છે. કચ્છના વિકાસને લક્ષમાં રાખીને કચ્છમાં ખાવડા ખાતે એક મોટો સોલાર પ્લાન્ટની પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે. જેથી 600 મેગાવોટ વીજ ઉત્પન્ન થઈ શકશે.
1998 માં આવેલા ભયંકર વાવાઝોડાથી કચ્છનું કંડલા બંદર તારાજ થયેલું. 2001 ના જાન્યુઆરીની 26મીએ સવારે થયેલા ભૂકંપ (રિક્ટર માપ 7.9) ને કારણે કચ્છના ભુજ, રાપર, ભચાઉ તેમજ અન્ય ગામોને પારાવાર નુકસાન થયેલું અને જાનમાલની ખુવારી મોટા પાયા પર થયેલી. અહીં અવારનવાર ભૂકંપ અનુભવાય છે.
થોડાં વર્ષો પહેલાં ધોળાવીરામાંથી જણાય છે કે મોહેં-જો-દડો અને હડપ્પાની જેમ ધોળાવીરા પણ આ સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર હતું જ્યારે રોડિઓ, કોટારા, લૂણા વગેરે અનુહડપ્પાકાલીન છે. આ સમય ઈ.પૂ. 2000 થી 1600 આસપાસનો ગણાય છે. પાણિનિની અષ્ટાધ્યાયી, મહાભારત, વાયુપુરાણ અને જૈન સાહિત્યમાં અને ટોલેમી અને ‘પેરીપ્લસ ઓફ્ થી એરીથ્રિયન સી’ના લેખકોનાં વર્ણનોમાં કચ્છનો ઉલ્લેખ મળે છે. કચ્છની ખરી ઈતિહાસ અંજારના પાંચ પાળિયા ઉપરના લેખોથી આલેખાય છે. અગ્નિપદનું શાસન ઈ.સ. 76 થી 400 સુધી હતું. ત્યારબાદ મૈત્રકોનું 400 થી 788 સુધી હતું. કચ્છમાં પ્રચલિત થર, મેતર, અંધાર શબ્દો મૈત્રકકાલીન ધ્રુવ, મહત્તર અને અક્ષપટલનું રૂપાંતર જણાય છે. હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર હ્યુ-એન-સંગે કોટેશ્વર અને તેની નજીકનાં બૌદ્ધ વિહાર અને મઠોની સાતમી સદીમાં મુલાકાત લીધી હતી. જૂનૈદ આક્રમણ કરિતા દેશોની યાદીમાં કચ્છનો ઉલ્લેખ છે. આઠમી સદી દરમિયાન ચારણો, કાઠી અને સમા જાતિના રાજપૂતોનું પહેલું જૂથ આવ્યું હતું. દસમી સદીથી અરબો કચ્છના દક્ષિણ કિનારે વેપાર અર્થે વસ્યા હતા. ભદ્રેશ્વરની સોલી મસ્જિદ આ હકીકતની સૂચક છે. ઈ.સ. 1147 અને 1320 માં સમા રાજપૂતોનાં બે જૂથો આવ્યા હતાં. ભડાના પુત્ર ઉપરથી જાડેજા અટક પ્રચલિત બની છે. ઈ.સ. 942 થી 1304 સુધી સોલંકીઓનું શાસન હતું, એ હકીકત ભદ્રેશ્વર, કંથકોટ, અંજાર, કેરાય વગેરે મંદિરોનાં સ્થાપત્ય પરથી સ્પષ્ટ થાય છે. ભીમદેવ, સિદ્ધરાજ, અર્જુનદેવ અને સારંગદેવનાં કુલ છ તામ્રપત્રો કચ્છમાંથી મળ્યાં છે.
રાવ ગોડજી બીજાના સમયમાં (1762-1778) આપના ભડેલ રામજી માલમે તૈયાર કરાવી હતી. આ વખતે માંડવીમાં 400 વહાણોની બેડી અને જહાજવાડો હતો. 1780 પછી કચ્છી વેપારીઓ મસ્કતથી ઝાંઝીબાર ગયા હતા. ક્રમશઃ સમગ્ર પૂર્વ આફ્રિકામાં તેમણે તેમનું વ્યાપારી સામ્રાજ્ય જમાવ્યું હતું. અને 1870 સુધી ઝાંઝીબારના સુલતાનોના સલાહકાર રહ્યા હતા. રાવના સમયમાં સિંધની સુલતાન કપાઈ ગયા અને જારાના યુદ્ધમાં ઘણા કચ્છીઓની હાર થઈ. કચ્છી રાજકન્યા પરણવાની તેની મુરાદ બર ન આવતાં તેણે સિંધુની શાખાનું પાણી બંધ બાંધી કચ્છમાં આવતું અટકાવ્યું હતું અને લખપત આસપાસની પ્રદેશ વેરાન બની ગયો હતો. રાવ રાયધણજી બીજાના સમયમાં (1778-1815) તેના કુશાસનને કારણે કચ્છનું મહાજન, ભાયાતો તથા લશ્કરના જમાદારોએ બળવો પોકાર્યો હતો અને તેમની ‘બારભાયાની’ કારભાર ચાલી હતી. આ દરમિયાન તેણે બધી સત્તા હાથમાં લઈ ફતેહમહમદ જમાદારનો ઉદય થયો હતો. અને લખપત બંદરો વિકસાવ્યા. આ સમયે સ્વામી સહજાનંદનું આગમન થયું. ભારમલજી બીજાના (1815-1819) સમયમાં અંગ્રેજોએ પગપેસારો કર્યો.
(1819-1860) સમયમાં સામાજિક દૂષણો જેવા કે ગુલામોનો વેપાર, સતી, સમાધિ, ત્રાગાં અને કન્યાને દૂધપીતી કરવાના રિવાજો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ ઉપરાંત બંધારણીય વહીવટનો પ્રારંભ થયો. રાવ પ્રાગમલજી બીજાના સમયમાં (1860-1875) નવા યુગની સ્થાપના થઈ.
સંપૂર્ણ લેખ :
Facebook: Jadeja Jaymalsinh Jaam
ઉપર વાંચી શકાશે.
..... ........ ......... ........ .......
જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
97 252 06 123 / 124 / 131 / 132
1 week ago | [YT] | 8
View 0 replies
Maa News Live
આ બાઈને ઈતિહાસ વિશે ખબર નથી લાગતી,
એમને આ msg પહોંચાડશો કોઈક ,
પણ,
આવા મહાનુભાવોને જોઈને અંદરથી શબ્દો નીકળે:
સબકો સન્મતિ દે ભગવાન !
મુખ્ય ગુજરાતી લડવૈયાઓ
ગુજરાતે દેશને આઝાદીના બે સૌથી મોટા સ્તંભ આપ્યા: મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.
• પુરુષ લડવૈયાઓ:
• શ્યામજી કૃષ્ણ વર્મા: વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રણેતા.
• સરદાર વલ્લભભાઈ પટેલ: લોખંડી પુરુષ, જેમણે ખેડૂતોને સંગઠિત કર્યા.
• રવિશંકર મહારાજ: 'મુઠ્ઠી ઊંચેરો માનવી' જેમણે લોકોમાં જાગૃતિ ફેલાવી.
• ઝવેરચંદ મેઘાણી: જેમણે પોતાની કવિતાઓથી ક્રાંતિની જ્વાળા પ્રગટાવી.
• મોહનલાલ પંડ્યા: 'ડુંગળી ચોર' તરીકે જાણીતા ક્રાંતિકારી.
• વિઠ્ઠલભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ અને નરહરી પરીખ.
• સ્ત્રી લડવૈયાઓ: સ્ત્રીઓએ પણ ખભેખભા મિલાવીને અંગ્રેજોનો સામનો કર્યો હતો:
• મેડમ ભીખાઈજી કામા: જેમણે વિદેશમાં ભારતનો પ્રથમ તિરંગો ફરકાવ્યો હતો.
• મણીબેન પટેલ: સરદાર પટેલના પુત્રી, જે જેલવાસ પણ ભોગવી ચૂક્યા હતા.
• કસ્તુરબા ગાંધી: ગાંધીજીની દરેક લડતમાં સાથે રહી જેલ ગયા હતા.
• પુષ્પાબેન મહેતા અને મૃદુલા સારાભાઈ: સામાજિક જાગૃતિ અને આઝાદીની ચળવળમાં સક્રિય.
• બાળકોનું યોગદાન (વાનર સેના): આઝાદીની લડતમાં બાળકો પણ પાછળ નહોતા. 'વાનર સેના' અને 'મંજરી સેના' દ્વારા બાળકો સંદેશા પહોંચાડવાનું, પત્રિકાઓ વહેંચવાનું અને પ્રભાત ફેરીઓ કાઢવાનું કામ કરતા.
• વીર વિનોદ કિનારીવાલા: અમદાવાદની ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવતા માત્ર 18 વર્ષની વયે શહીદ થયા હતા.
આંકડાકીય વિગતો
ચોક્કસ સંખ્યા આપવી અશક્ય છે, પરંતુ ઇતિહાસકારોના મતે:
• દાંડી કૂચ (1930): ગાંધીજી સાથેના 78 સત્યાગ્રહીઓમાં મોટાભાગના ગુજરાતીઓ હતા.
• હિંદ છોડો આંદોલન (1942): આ લડતમાં ગુજરાતમાંથી હજારો પુરુષો અને સ્ત્રીઓની ધરપકડ થઈ હતી.
• સશસ્ત્ર ક્રાંતિ: હજારો યુવાનોએ ગુપ્ત રીતે હથિયારો સાથે અંગ્રેજોનો સામનો કર્યો હતો.
નોંધ: આઝાદીની લડત એ કોઈ આંકડાની રમત નહોતી, પણ એક લોકજુવાળ હતો જેમાં ગુજરાતના ગામેગામથી લોકો જોડાયા હતા.
"કચ્છડો બારે માસ "
કચ્છ પણ આઝાદીની લડાઈ માંથી બાકાત નહોતું થયું,
કચ્છી માડુ પણ યા હોમ કરીને ઝંપલાવ્યું હતું :
મુખ્ય ક્રાંતિકારી અને લડવૈયાઓ
• શ્યામજી કૃષ્ણ વર્મા (માંડવી): કચ્છનું સૌથી મોટું નામ. તેમણે લંડનમાં **'ઈન્ડિયા હાઉસ'**ની સ્થાપના કરી અને વિદેશમાં રહીને ભારતીય ક્રાંતિકારીઓને તૈયાર કર્યા. તેઓ સાચા અર્થમાં ક્રાંતિકારીઓના પ્રણેતા હતા.
• યુસુફ મહેરઅલી (ભદ્રેસર): તમને જાણીને ગર્વ થશે કે 'Go Back Simon' (સાયમન ગો બેક) અને 'Quit India' (હિંદ છોડો) જેવા જગવિખ્યાત સૂત્રો આપનાર યુસુફ મહેરઅલી મૂળે કચ્છના ભદ્રેસરના હતા.
• ગુલબદનબહેન અને જમનાદાસ મહેતા: આઝાદીની લડતમાં સક્રિય રહેલા દંપતી, જેમણે ગાંધીજીના આહવાન પર અનેક ચળવળોમાં ભાગ લીધો હતો.
• પૃથ્વીરાજસિંહજી (નખત્રાણા/કચ્છ): તેમણે પણ સ્થાનિક સ્તરે લોકોને જાગૃત કરવામાં મોટો ફાળો આપ્યો હતો.
અન્ય નોંધપાત્ર નામો અને યોગદાન
કચ્છના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ અનેક લોકો જેલ ગયા હતા, જેમના નામ સ્થાનિક ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાયેલા છે:
• ખીમજીભાઈ તેજશીભાઈ: જેઓ લાંબા સમય સુધી આઝાદીની ચળવળમાં સક્રિય રહ્યા.
• હિંમતલાલ અંજારીયા: જેમણે સાહિત્ય અને પત્રકારત્વ દ્વારા રાષ્ટ્રભક્તિ જગાડી.
• માધવજીભાઈ ઠક્કર: કચ્છમાં સત્યાગ્રહની પ્રવૃત્તિઓને વેગ આપનાર મુખ્ય વ્યક્તિ.
બાળકો અને મહિલાઓનું યોગદાન
કચ્છમાં આઝાદીનો પ્રચાર કરવા માટે 'વાનર સેના' (બાળકોની ટુકડી) ખૂબ જ સક્રિય હતી. ભુજ, માંડવી અને અંજારમાં નાના બાળકો પત્રિકાઓ વહેંચવાનું અને ગુપ્ત રીતે સંદેશા પહોંચાડવાનું કામ કરતા હતા.
મહિલાઓમાં પણ વિદેશી કાપડનો બહિષ્કાર અને દારૂબંધીના પીકેટીંગમાં કચ્છની બહેનોએ નોંધપાત્ર હિંમત બતાવી હતી. ખાસ કરીને માંડવી અને ભુજની મહિલાઓ ગાંધીજીના રચનાત્મક કાર્યોમાં જોડાઈ હતી.
કચ્છનું ગૌરવ: કચ્છ એ એવું ક્ષેત્ર હતું જ્યાંથી રાજાશાહી હોવા છતાં લોકોએ બ્રિટિશ હકુમત સામે અવાજ ઉઠાવ્યો હતો. આજે માંડવીમાં આવેલું 'ક્રાંતિતીર્થ' (શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ) આ વિરોની યાદ અપાવે છે.
....... ....... ......... ......... . ......
આભાર,
મિત્રો , આ લેખ આપને કેવો લાગ્યો?
પ્રતિભાવમાં જરૂર જણાવશો.
આપનો,
જામ જયમલસિંહ એ.બી. જાડેજા
B.A. , M.A. , LL.B. , LL.M. (cont.),
B.J.M.C.
Maa News Live
માઁ આશાપુરા ન્યુઝ
97 252 06 123
1 week ago | [YT] | 17
View 1 reply
Maa News Live
કચ્છડો ખેલે ખલકમેં:
મણકો - 3,
22, માર્ચ - 2026
નિબંધ સ્પર્ધામાં 700 જેટલી એન્ટ્રી આવી !
એમાંથી વિભાગ 3 માં આવેલ એક નિબંધ અત્રે પ્રસ્તૂત છે ,
"ભૂકંપથી પુન:ઉત્થાન સુધી: કચ્છની મક્કમ મનોબળની ગાથા "
(મુસીબતોને અવસરમાં બદલવાની કચ્છીઓની તાકાત)
નિબંધ લખનાર: શ્રીમતિ નાઝિયા ખાલીદ સૈયદ
શાળાનાં ડાયરેક્ટર : વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ, ઓધવવંદના સોસાયટીની બાજુમાં, એરપોર્ટ રોડ, ભુજ.
નિબંધ - લેખન
"ભૂકંપથી પુન:ઉત્થાન સુધી: કચ્છની મક્કમ મનોબળની ગાથા"
(મુસીબતોને અવસરમાં બદલવાની કચ્છીઓની તાકાત)
* પ્રસ્તાવના:-
જીવનમાં મુસીબતો તો આવે જ છે, પરંતુ તેને અવસરમાં બદલીને આગળ વધવું એ જ માનવીની સાચી તાકાત છે. જેમ કે કહેવત છે, "જ્યાં ઈચ્છા ત્યાં માર્ગ" - આ વાક્ય કચ્છના લોકોના જીવનમાં સાક્ષાત્ સાકાર થયું છે. ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ આવેલો વિનાશકારી ભૂકંપ એક એવી આફત હતી જેણે આખા વિસ્તારને ધરમૂળથી હચમચાવી નાખ્યો. આ ભૂકંપ, જેને ભુજ ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ૭.૭ ની તીવ્રતા ધરાવતો હતો. તેનું કેન્દ્ર ભુજ નજીક હતું અને કચ્છના વિશાળ પ્રદેશને તારાજ કરી નાખ્યો. આ ઘટનાએ હજારો લોકોના જીવ લીધા, હજારો ઘાયલ થયા અને લાખો બેઘર બનાવ્યા.
પરંતુ જેમ કે કહેવાય છે "રાખ માંથી ફિનીક્સ પક્ષીની જેમ ઉભરવું" — કચ્છીઓએ આ વિનાશને પુન:ઉત્થાનના અવસરમાં બદલી નાખ્યો. તેમની મક્કમ મનોબળ અને સક્ષમ સરકારી નેતૃત્વની કાર્યક્ષમતાના કારણે આજે કચ્છ એક વિકસિત અને સ્થિર વિસ્તાર તરીકે ચમકી રહ્યું છે. આ નિબંધમાં આપણે જોઈશું કે કેવી રીતે કચ્છીઓએ "અગ્નિપરીક્ષા" પાસ કરીને પોતાનું ભાગ્ય ઘડ્યું અને મુસીબતને મોતીમાં પરિવર્તિત કરી.
* ભૂકંપના તાત્કાલિક પરિણામો:-
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧, શુક્રવારની સવારે ૮:૪૬ વાગ્યે, જ્યારે આખો દેશ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મશગૂલ હતો, ત્યારે કચ્છમાં અચાનક જમીન હલચલ કરવા લાગી. ભુજ, અંજાર, ભચાઉ અને રાપર જેવા શહેરો અને ગામડાઓમાં મકાનો ધરાશાયી થઈ ગયા, જાણે કે "આકાશ તૂટી પડ્યું હોય".
આશરે ૬,૨૦,૦૦૦ થી વધુ ઘરોને નુકશાન પહોંચ્યું, જેમાંથી મોટા ભાગના પૂર્ણપણે નાશ પામ્યા. કચ્છના ૬૦૦ જેટલા ગામડાઓ માંથી મોટા ભાગના ગામડાઓને અસર થઈ હતી. વીજળીના થાંભલા નમી ગયા, પાણીની પાઇપલાઇન તૂટી પડી અને રસ્તાઓમાં તિરાડો પડી ગઈ. આર્થિક રીતે પછાત અને રણપ્રદેશમાં વસેલા કચ્છમાં આ ભૂકંપે લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું. મૃત્યુઆંક ૧૩,૮૦૫ થી વધુ હતો અને લગભગ ૧,૬૭,૦૦૦ લોકો ઘાયલ થયા. આ વિનાશની તસવીર વિશ્વભરમાં ફેલાઈ અને તેને 'ભારતની સૌથી મોટી કુદરતી આફતો માંથી એક' તરીકે ઓળખવામાં આવી.
આ મુસીબતમાં તાત્કાલિક રાહત કાર્યોમાં ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાની મદદ લેવામાં આવી. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તાત્કાલિક રાહત માટે રૂ. ૫૦૦ કરોડની જાહેરાત કરી. આંતરરાષ્ટ્રીય સ્તરે યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓએ મદદ કરી. એનજીઓ જેવી કે રેડ ક્રોસ અને ઓક્સફામે તંબુઓ, ખોરાક અને દવાઓ પહોંચાડી. પરંતુ આ તમામમાં કચ્છીઓની આત્મનિર્ભરતા અને મનોબળની વાત અલગ છે. તેઓએ પોતાના હાથે મૃતદેહો બહાર કાઢ્યા, ઘાયલોને મદદ કરી અને એકબીજાને સહારો આપ્યો. એક પ્રસંગ યાદ આવે છે: ભુજમાં એક વૃદ્ધ મહિલાએ તેના ઘરના ખંડેરો માંથી પોતાના પરિવારને બચાવીને કહ્યું, "જીવન તો રણ જેવું છે, તરસ્યા થયા વિના પાણીની કિંમત નથી સમજાતી." આ મુસીબતે તેમની હિંમત મજબૂત કરી અને "સંઘે શક્તિ કલૌ" ના વેદવાક્યને જીવંત કરી.
* પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસો:-
ભૂકંપ પછીના દિવસોમાં ગુજરાત સરકારે ઝડપી કાર્યવાહી કરી, જાણે કે "સમય જ તો સર્વોપરી છે" ને અનુસરીને. તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને પછીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી' (GSDMA) ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાએ પુનર્વસનનું કાર્ય હાથ ધર્યું. વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે સંયુક્ત અહેવાલમાં કચ્છના ચાર મુખ્ય શહેરો - અંજાર, ભચાઉ, ભુજ અને રાપર - માટે વિગતવાર યોજના તૈયાર કરી. સરકારે ૧૦,૦૦૦ કરોડથી વધુનું બજેટ ફાળવ્યું.
પુનઃનિર્માણમાં 'ઓનર-ડ્રીવન રિકન્સ્ટ્રક્શન' નો અભિગમ અપનાવવામાં આવ્યો, જેમાં લોકોને પોતાના ઘરો બાંધવા માટે આર્થિક મદદ આપવામાં આવી. આનાથી લોકોની સ્વાયત્તતા જળવાઈ રહી અને તેઓએ પોતાની જરૂરિયાતો અનુસાર ઘરો બનાવ્યા. ભૂકંપ-પ્રતિરોધક બાંધકામો માટે નવા કોડ અમલમાં આવ્યા. ઉદાહરણ તરીકે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલને 'બેઝ આઈસોલેશન ટેકનિક' વડે પુનઃનિર્માણ કરવામાં આવી, જે તેને ભૂકંપ-પ્રતિરોધી બનાવે છે. ગામડાઓને જોખમી વિસ્તારમાંથી ખસેડીને સુરક્ષિત જગ્યાએ વસાવવામાં આવ્યા. પુરાણું તો ગયું, પણ નવું તે સોનું છે એવી ભાવનાથી દરેક સ્થિતિનો સ્વીકાર કર્યો.
આ પુનર્વસનમાં NGO ની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. તેઓએ શિક્ષણ, આરોગ્ય અને આજીવિકાના ક્ષેત્રમાં કામ કર્યું. દા.ત. ભુજનું ડેરી પ્લાન્ટ ધરાશાયી થયા પછી પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને તે કચ્છના ડેરી ઉદ્યોગને વેગ આપશે. આ તમામ પ્રયાસોથી માત્ર બે વર્ષમાં મોટા ભાગના ગામડાઓ પુનઃસ્થાપિત થયા અને કચ્છને 'મધ્યયુગ માંથી આધુનિક યુગમાં લઈ જવામાં આવ્યું'. આથી કહેવાય છે કે "મુસીબતો તો આવતી જતી રહેશે, પરંતુ તેને હરાવવા માટે મનોબળ જરૂરી છે." સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે "ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો".
* મુસીબતોને અવસરમાં બદલવાની તાકાત:-
કચ્છીઓની સાચી તાકાત તો ત્યારે દેખાઈ જ્યારે તેઓએ આ ભૂકંપને વિકાસનાં અવસરમાં બદલી નાખ્યો. પહેલા કચ્છ એક પછાત અને અલ્પવિકસિત વિસ્તાર હતો. પરંતુ ભૂકંપ પછીના પુનઃનિર્માણે તેને આર્થિક હબમાં પરિવર્તિત કરી દીધું. કચ્છે 'બિલ્ડ બેક બેટર' ના સિદ્ધાંતને અપનાવીને આધુનિક માળખાગત સુવિધાઓ વિકસાવી. વ્યાપક રસ્તાઓ અને મજબૂત ઈમારતો બનાવવામાં આવી જાણે કે "ચાંદીના વાદળમાં સોનેરી કિનારી" હોય.
આર્થિક વિકાસમાં મોટી ફાળો ઔદ્યોગિક વિસ્તરણનો છે. કચ્છમાં મુંદ્રા પોર્ટનું વિસ્તરણ થયું, જે આજે ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ છે. આનાથી રોજગારી વધી અને વેપાર વધ્યો. ડેરી ઉદ્યોગના વિસ્તારથી ખેડૂતોને લાભ થયો. પર્યટનમાં પણ વધારો થયો. કચ્છનું મહાન રણ, જે સમગ્ર દુનિયાના પર્યટકોને આકર્ષે છે. 'રણ ઉત્સવ' જેવા કાર્યક્રમોથી કચ્છનું આકર્ષણ લોકોમાં વધ્યું અને સ્થાનિકોની કલા-કારીગરીને પ્રોત્સાહન મળ્યું. કચ્છી હસ્તકલા જેવી કે એમ્બ્રોઈડરી, બાંધણી, અજરખ, રોગાન, મડવર્ક તથા બ્લોક પ્રિન્ટિંગને વૈશ્વિક બજાર મળ્યું. ભૂકંપ જેવી આપદાએ કચ્છની કલાને એક મોટું આયામ પૂરું પાડ્યું જેમ કે 'અંધારા પછી પ્રકાશ'.
આ તમામમાં કચ્છીઓની મનોબળની વાત અનન્ય છે. કચ્છીઓમાં એક ગુણ છે તે ક્યારે હતાશ થતા નથી. અનેક વખત કચ્છીઓએ કુદરતની માર સહન કરી છે અને ત્યારબાદ વધુ મજબૂત થઈ ઉભા રહ્યા છે. આજે આટલી બધી વિપદા સહન કર્યા બાદ કચ્છમાં વેપાર ધંધા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સ્તર વધ્યું છે. કચ્છના લોકો ભાઈચારા, બંધુતા અને શાંતિથી હળીમળી રહ્યા છે. કચ્છ એક એવો પ્રદેશ છે કે જ્યાં જમીન ખારી છે પરંતુ કચ્છીઓના હૃદય એટલા જ પ્રેમાળ અને નિડર છે. બહારથી આવતા લોકો આજીવન કચ્છી બની અહીં સ્થાયી થઈ જાય છે અને જે પરત જાય છે તે કચ્છની મધુર યાદો પોતાની સાથે લઈ જાય છે.
* ઉપસંહાર:-
કચ્છની આ ગાથા એ સાબિત કરે છે કે મુસીબતોને અવસરમાં બદલવું શક્ય છે જો મનોબળ મક્કમ હોય. ૨૦૦૧ના ભૂકંપથી શરૂ થયેલી આ યાત્રાએ આજે કચ્છને વિકસિત અને સ્થિર બનાવ્યું છે. આજે ૨૫ વર્ષ પછી પણ, કચ્છીઓની આ સફર વિશ્વને પ્રેરણા આપે છે. તેમની એકતા, સરકારની કાર્યક્ષમતા અને આંતરરાષ્ટ્રીય મદદથી આ વિનાશને પુનઃઉત્થાનમાં બદલી દેવામાં આવ્યો. જીવનમાં કોઈપણ આફતને હાર માન્યા વિના આગળ વધી શકાય છે. જીવનની લડાઈ લડી શકાય છે. જીવનમાં પડવું સ્વાભાવિક છે, પણ તેનાથી હારી ન જવું અને ફરી પુનઃઉત્થાન કરવું એ જ મુખ્ય છે. આ કચ્છીઓએ સાબિત કરી દેખાડ્યું. કચ્છીઓની આ મક્કમ મનોબળની ગાથા ભારતના ઇતિહાસમાં અમર રહેશે.
...... ........ ....... ........ .........
આભાર મિત્રો,
Maa News Live (માઁ આશાપુરા ન્યુઝ),
નો આ પ્રયાસ કેવો લાગ્યો ?
પ્રતિભાવ જરૂરથી આપશો.
આપનો,
જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
97 252 06 123 / 124 / 131 / 132
2 weeks ago | [YT] | 23
View 0 replies
Maa News Live
ટૂંકી વાર્તા : ચાંદીનો ગ્લાસ !
2 weeks ago | [YT] | 22
View 0 replies
Load more