આ ચેનલ માત્ર સમાચાર અને મનોરંજન પૂરું પાડવા નો હેતુ છે કોઈની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવાનો કોઈ હેતુ નથી. આપને અમારા કોઈ વિડિઓ થીં કે સમાચાર થીં કોઈ તકલીફ હોય તો આપ અમને જણાવી શકો છો.
NEXUS News may use AI tools for voice-over narration, subtitle generation, video editing assistance, graphics enhancement, and content structuring support. AI tools are used strictly for production efficiency and presentation purposes. All news content is reviewed and verified by the NEXUS News editorial team.
YOUTUBE ::: nexusnews
Facebook ::: nexusnews
Instagram ::: nexus_news_india
Tweeter :::: @nexusnewsindia
Mail id ::: nexusnews81@gmail.com
Nexus news
Ahmedabad
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ૭૦ એએમએઝિંગ વર્ષોની ઉજવણીના ભાગરૂપે એએમએ કેમ્પસ ખાતે "હેપી હોમ-કમીંગ ફોર રીટર્નિંગ એનઆરઆઈઝ: પ્રેક્ટીકલ ટિપ્સ ઓન ટેક્સ, ઇન્વેસ્ટમેન્ટસ એન્ડ લીગલ કોમ્પ્લાયન્સીસ" વિષય જાણીતા આંતરરાષ્ટ્રીય ટેક્સ એટર્ની અને અમદાવાદ મિરરના સાપ્તાહિક કોલમનિસ્ટ જીગર એમ. પટેલ દ્રારા સંબોધિત એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં ભારત પરત ફરવાનું આયોજન કરી રહેલા અથવા પરત ફરી રહેલા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈઝ) માટે કર જવાબદારીઓ, રોકાણના વિકલ્પો અને નિયમનકારી પાલન (લીગલ કોમ્પ્લાયન્સીસ) અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
KAMAL SONI AHMEDABAD
2 hours ago | [YT] | 0
View 0 replies
Nexus news
AHMEDABAD
ખાડિયા વિસ્તારમાં હેરિટેજ હોમ ઓનર્સ અને સ્ટેકહોલ્ડર્સ માટે કમ્યુનિટી કન્સલ્ટેશન મિટીંગ યોજાઈ
KAMAL SONI AHMEDABAD
11 hours ago | [YT] | 1
View 0 replies
Nexus news
AHMEDABAD
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગતરોજ અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે સંકટમોચક ભારતની થીમ પર આયોજિત વિનાયક વંદના 2026 ગણેશ મહોત્સવની ભવ્ય ભજન સંધ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસરે વિશ્વકર્માએ વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની આરાધના કરી સર્વેના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઇ શાહ, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ સહિત ભાજપા આગેવાનો અને મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
KAMAL SONI AHMEDABAD
13 hours ago | [YT] | 2
View 0 replies
Nexus news
AHMEDABAD
📍વાવડી
તાઃ જોડીયા
જીઃ જામનગર
આજે જોડીયા તાલુકાના વાવડી ગામે “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ” સભાનું આયોજન કરવામાં આવ્યું. સરકાર દ્વારા બળજબરી પૂર્વક, વળતર વગર ખેડુતોના ખેતરોમાં નાંખવામાં આવતા વિજળીના થાંભલા સામે સંગઠિત થઇને સફળ આંદોલન કરનાર વાવડી ગામના ખેડુતોએ દુષ્કાળ જાહેર કરવાની માંગ માટેની અરજીઓ તૈયાર કરી.
આ વિસ્તારના ખેડુતોને સહાય મળે તે માટે આમ આદમી પાર્ટી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી રહી છે.
KAMAL SONI AHMEDABAD
13 hours ago | [YT] | 1
View 0 replies
Nexus news
Ahmedabad
જામનગરમાં વરણા અને વાવડી ગામે AAP નેતા મનોજ સોરઠીયાની ખેડૂતો સાથે મુલાકાત, સુકાતા પાકની સ્થિતિનો તાગ મેળવ્યો
“ખેડૂતોનું આ વર્ષ નિષ્ફળ ગયું”, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે AAPનું સહી અભિયાન
જામનગર જિલ્લામાં ખેડૂતોની વેદના સાંભળવા AAP મેદાનમાં, મુખ્યમંત્રીને અરજીઓ સુપરત કરાશે
દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે વરણા અને વાવડી ગામે સભાઓ, ખેડૂતો પાસેથી અરજીઓ અને સહીઓ એકત્ર કરાઇ
KAMAL SONI AHMEDABAD
13 hours ago | [YT] | 1
View 0 replies
Nexus news
AHMEDABAD
📍પિપર,
તાઃ કાલાવાડ, જીઃ જામનગર
આજે દુષ્કાળને લિધી દુખી ખેડુતોના અધિકાર માટે જામનગર જિલ્લાના પિપર ગામે “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ સભા” નું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ખેડુતો પાસે દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથેની અરજીઓ તૈયાર કરવામાં આવી.
KAMAL SONI AHMEDABAD
1 day ago | [YT] | 2
View 0 replies
Nexus news
AHMEDABAD
📍બાદનપર
તાઃ જોડીયા, જીઃ જામનગર
આજે જોડીયા તાલુકાના બાદનપર ગામે ખેડુતોના સુકાતા પાકની મુલાકાત લઈને ખેડુતોની વેદનાઓ સાંભળી. સમજાતુ નથી કે સરકાર કેમ રાહ જોઈ રહી છે? ખેડુતોનું આ વર્ષ નિષ્ફળ ગયુ છે. આમ આદમી પાર્ટી ગામે ગામ જઈને ખેડુતો પાસે દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથેની અરજીઓ તૈયાર કરાવી રહી છે.
KAMAL SONI AHMEDABAD
1 day ago | [YT] | 1
View 0 replies
Nexus news
AHMEDABAD
મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે જસ્ટિસ માનસ રંજન પાઠકને શપથ લેવડાવ્યા
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠકે શપથગ્રહણ કર્યા
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ
KAMAL SONI AHMEDABAD
1 day ago | [YT] | 2
View 0 replies
Nexus news
AHMEDABAD
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ૭૦ એએમએઝિંગ વર્ષોની ઉજવણીના ભાગરૂપે શ્રી શાસ્ત્રી રામચંદ્રન (લેખક, સ્વતંત્ર પત્રકાર અને સંપાદકીય સલાહકાર) દ્રારા લિખિત પુસ્તક "ચીન્ડિયા: જર્ની ટુ એન એશિયન સેન્ચ્યુરી" પર એક વિચારપ્રેરક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રી રામચંદ્રને ભારત અને ચીનને આકાર આપતી જટિલ વ્યૂહાત્મક, આર્થિક અને રાજદ્વારી ગતિશીલતા પર સહભાગીઓ સાથે ચર્ચા કરી હતી. પત્રકાર અને અનુભવી ચીન નિરીક્ષક તરીકેના પોતાના બહોળા અનુભવને આધારે, શાસ્ત્રી રામચંદ્રને તેમના પુસ્તકના મુખ્ય દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા, જે ૨૦૦૮થી ૨૦૨૫ સુધીના ભારત-ચીન સંબંધોની માહિતી આપે છે. આ વાર્તાલાપમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે સરહદી તણાવ અને વ્યૂહાત્મક સ્પર્ધા ચાલુ હોવા છતાં, એશિયાના બે સૌથી મોટા રાષ્ટ્રો વચ્ચે આર્થિક સહયોગ અને વ્યાવહારિક મુત્સદ્દીગીરી એશિયન સદીના સ્વપ્નને સાકાર કરવા માટે મૂળભૂત છે.
આ સત્રનું સંચાલન ડૉ. સુનિલ પારેખ (એએમએ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય; સીઇઆરસીના ચેરમેન; સિનિયર કોર્પોરેટ એડવાઇઝર) દ્રારા કરવામાં આવ્યું હતું. ડૉ. પારેખે દ્રિપક્ષીય વેપાર, વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિવર્તનો અને બે એશિયન શક્તિઓના વિકાસના તફાવતો સહિતના મુખ્ય વિષયો પર વાર્તાલાપનું નેતૃત્વ કર્યું હતું.
KAMAL SONI AHMEDABAD
3 days ago | [YT] | 2
View 0 replies
Nexus news
AHMEDABAD
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ૭૦ એએમએઝિંગ વર્ષોની ઉજવણીના ભાગરૂપે ‘કર્મયોગ’ વિષય પર પ્રખ્યાત કેળવણીકાર અને આધ્યાત્મિક ગુરુ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્રારા સંબોધિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતના પ્રારંભિક વક્તવ્યથી થઈ હતી. એએમએના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આધારિત ‘કર્મયોગ’ પરના સિધ્ધાંતોમાંથી પ્રેરણા આપતા, ભાઈશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાચી પૂજા નિઃસ્વાર્થ કર્મ (કર્મ હી પૂજા)માં રહેલી છે. ભાઈશ્રીએ જણાવ્યું હતું કે કર્મ એ જીવનનો એક અનિવાર્ય નિયમ છે, પરંતુ પરિણામની આસક્તિ વગર પોતાની ફરજો બજાવવાથી સામાન્ય કાર્ય પણ આધ્યાત્મિક સમર્પણમાં પરિણમે છે. દૈનિક જવાબદારીઓને ધર્મ, હેતુની પવિત્રતા અને માનવસેવા સાથે જોડીને વ્યક્તિ માનસિક તણાવ અને અહંકારથી મુક્ત થઈ શકે છે. ભાઈશ્રીએ ઉપસ્થિત લોકોને કાર્યને બોજ તરીકે નહીં, પરંતુ આંતરિક શાંતિ, ચરિત્ર નિર્માણ અને મુક્તિના માર્ગ તરીકે જોવાનું માર્ગદર્શન આપ્યું હતું. મેઘમણી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા અમદાવાદ સ્થિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ નટુભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.
KAMAL SONI AHMEDABAD
4 days ago | [YT] | 3
View 0 replies
Load more