Member of Development and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Communities of Govt. of India
Mittal Patel, founder of Vicharta Samuday Samarthan Manch (VSSM)
Public Speaker, Columnist, Social Blogger, Traveller
Mittal Patel works for the nomadic and de-notified tribes of Gujarat. VSSM, a non--profit organization founded in 2006 is now spread across 90 Blocks and 20 districts of Gujarat, Smt. Mittal Patel along with her team is doing tremendous work in the field of education, health care, disaster relief, rehabilitation, environment and many more. The organisation is also working on government policies so that this extremely marginalized section of the society get their rights and benefits of the policies. These tribes were hardly seen as they were suffering problems related to identity and dignity in the society. VSSM was thus started with the vision of giving these tribes their identity and solve the challenges faced by them in day to day life.
Mittal Patel
કાચી વયે સંતાનોની નનામીને કાંધ આપવી એ કોઈપણ મા-બાપ માટે આભ ફાટવા જેવું. રેસુમાએ તો બે-બે જુવાનજોધ દીકરાઓની નનામી બાંધી. આ દીકરાઓ પાછળ એમની જુવાન વહુઓ ને નિર્દોષ પૌત્ર-પૌત્રીઓને સાચવવાનું પાછલી અવસ્થાએ રેસુમાના ભાગે આવ્યું.
દીકરાઓ ગયા ત્યારે તો ભગવાને મને મોત કેમ ન આપ્યું એવું આક્રંદ રેસુમાએ કરેલું. પણ મોત ઉંમર જોઈને થોડી આવે. દુઃખના પહાડો નીચે દટાઈ જવાશે એવું એ વખતે એમને લાગેલું પણ ત્યાં નજર સામે વહુઓના નિસ્તેજ ચહેરા ને રડતા છોકરાઓ આવ્યા. ત્યારથી રેસુ માએ પોતાની પીડાને હૈયાના ખૂણે દાટી ને આ બધા માટે જીવવા જાણે કમર કસી.
ઘરમાં ખાવા ધાન નહીં ને માથે પાકું છાપરું નહીં. ગાંધીધામમાં લોકોના ઘરના કચરા-પોતા કરીને રેસુમા ને વહુ કાંતાબહેને પરિવારનું ગાડું ખેંચવાનું શરૂ કર્યું. પાટણના રાધનપુરનું કુંતાસરી ગામ એમનું વતન.
સાથે સાથે પોતરા પોતરીને ભણાવવાનો એમનો નિર્ધાર મક્કમ. એટલે રેસુમાએ બનાસકાંઠાના કાકરમાં આવેલી અમારી હોસ્ટેલમાં બાળકોને ભણવા માટે મુક્યા. એમની કોઈ દિવસ બાળકોના ભણતરને લઈને કોઈ ફરિયાદો નહીં. મહિનામાં એક વખત બાળકોને મળવા આવે ત્યારે પણ બાળકોને એ હંમેશા શીખામણ આપે, “બેટા, ભણતર વગર કશું નથી, બહુ ભણજો.”
મને રેસુ માને જોઈને હંમેશા થાય આવી દાદી દરેક વંચિ્તોના ઘરમાં હોય તો આ દેશનું એક પણ બાળક ભણતર વગર ન રહે.
રેસુમા કહે, “લોકોના ઘરના વાસણ ઘસીને ક્યારેય પાકું ઘર ન બનાવી શકાય. પણ મારી આંતરડી ઘર માટે કકડતી હતી, ભગવાનને નીત પ્રાર્થના કરતી હતી એટલે જુઓ મારુ ઘર થયું.”
અમારા વહાલા અને આદરણીય કિશોર અંકલે પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં રેસુમા અને તેમની એક વહુ કાંતાબેન માટે બે ‘કુશહોમ’ બાંધી આપ્યા.
જે દીકરાઓ ન કરી શક્યા, એ કામ કુશલભાઈની સ્મૃતિમાં થયું. ૨૫૦થી વધુ ઘરો બાંધીને હજારો આંસુ લૂછનાર કિશોર અંકલના અમે આભારી છીએ. એમના ભરોષા માટે ને અમને નિમિત્ત બનાવવા માટે બસ કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરુ છું.
રેસુમાનુ ને કાંતાબેનનું ઘર તૈયાર થયું. “આ ઘરમાં માટલી તમારી હાજરમાં મુકવી છે તમે ક્યારે આવશો?” એવું રેસુ મા વારંવાર ફોન કરીને કહે. એક વખત તો મે કહ્યું, “તમે જતા રહો રહેવા હું એ બાજુ નીકળીશ ત્યારે ઘર જોવા આવીશ” પણ રેસુ મા માને નહીં.”તમે આવો” એવી અમની હઠ. એટલે ખાસ ગયા.
મે કહ્યું રેસુમા ગામના શું કહે છે? તો કહે, “અલી ડોસી તારે વળી આવું ઘર ક્યાંથી? વટ પડી જાય એવું બાંધ્યું છે.” એવું કહીને એ બોખલા મોંઢે હસ્યા.
રેસુમાના મોંઢા પર પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં અમે સ્મિત લાવી શક્યા એનો પણ હરખ.
2 days ago | [YT] | 318
View 7 replies
Mittal Patel
“બચાવવું છે” એવો અવાજ આવ્યો ને અમે જોયું કે... ગામનું પાદર વર્ષોથી ગામની રાહ જોતું હતું! 💧🌳
ચગવાડા ગામની પાદરે આવેલું વર્ષો જૂનું ‘જલમંદિર’ (તળાવ). એક સમયે ગામની જીવાદોરી હતું. પણ સમય જતાં આપણે એની કિંમત ભૂલ્યા. આમ પણ આપણે ત્યાં કહેવત છે. ગરજ સરી એટલે વૈદ વેરી. બસ તળાવનું પણ એવું જ થયું.
બોરવેલ થકી આપણે પાતાળને ચીરવા માંડ્યા. ધીમે ધીમે આપણે આકાશના અમૃતને ઝીલનારા તળાવ સામે લમણો વાળવાનું છોડ્યું.
પણ પાતાળના તળિયાની પણ મર્યાદા.વાવ થરાદના ચગવાડા ગામે જ્યારે જોયું કે ૨૫ ફૂટે મળતું પાણી ૧૦૦૦ ફૂટે પહોંચ્યું, ત્યારે સૌને આત્મભાન થયું. જલમંદિરનો એ મૂંગો પોકાર આખરે ગામના લોકોના કાને અથડાયો.
લોકો તળાવ ગળાવવા તૈયાર થયા ને એમાં દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ પણ જોડાયા. એમની ગ્રાન્ટમાંથી એમણે નાનકડો ફાળો આ કાર્ય માટે ફાળવ્યો. એમણે તો સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી મારો વિસ્તાર પાણીદાર ન થાય ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારુ!
અમારા કાર્યોમાં સદાય સાથે એવા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ - KRSFમાંથી. એમનો સહયોગ ને વાત્સલ્ય હંમેશા પ્રકૃતિના કાર્યોમાં અમારી પડખે. એમણે મોટો સહયોગ કર્યો.
જયારે ચગડાવા ગામના સરપંચ ને અન્ય આગેવાનો પણ આ કાર્યમાં ખડેપગે રહ્યા. જ્યારે નેતૃત્વ ને દાતૃત્વ ભેગા થાય ત્યારે કેવું સુંદર પરિણામ આવે એ અમે ચગવાડામાં જોયું.
આ તળાવ હવે ખાસ્સું ઊંડું થયું. આગામી ચોમાસે જ્યારે વાદળ વરસશે, ત્યારે અહીં કરોડો લીટર પાણી સંગ્રહાશે. આ પાણીથી ખેડૂતોના બોરવેલ રિચાર્જ થશે સાથે સાથે અબોલ પશુ-પંખીઓ તરસ પણ છીપાવશે ને મા ધરા હરિયાળી થશે.
તળાવની પહોળી થયેલી પાળ પર વૃક્ષો વાવવા પણ ગામે અમને કહ્યું, ગામે “તમે વૃક્ષો વાવો, એને ઉછેરવાની જવાબદારી અમારી!” એવું વચન પણ અમને આપ્યું.
૪૨૫ થી વધુ જલમંદિરોના જીર્ણોદ્ધારમાં નિમિત્ત બનવાનો અમને હરખ. આમ તો આ હરખ શબ્દોમાં વર્ણવો અશક્ય. ચગવાડા જેવી જાગૃતિ જો દરેક ગામમાં આવે, તો ગુજરાતની ધરા ફરી એકવાર ‘પાણીદાર’ અને ‘હરિયાળી’ બની જાય.
5 days ago | [YT] | 331
View 7 replies
Mittal Patel
કરવા ખાતર શું કામ કરવાનું?
અમે અમારા પરિવારોના ઘરો બાંધીયે. એમાં એમને રહેવું ગમે ને આપણને પણ એ ઘર જોવા ગમે એવા બનાવીએ..
સુરેન્દ્રનગરના ચુડામાં બાંધેલા 13 ઘરો.. હજુ ગૃહપ્રવેશ બાકી.. પણ ઘર જોઈને અમે રાજી થયા.
સરકારની સહાય ને VSSM સાથે સંકળાયેલા અમારા સ્વજનો સાથે મળીને આવા મજાના ઘરો બાંધ્યા.
સદીઓથી વગડો ખૂંદતા પરિવારોને વહાલપની વસાહતમાં લઈ જઈશું.
1 week ago | [YT] | 218
View 9 replies
Mittal Patel
MUST WATCH
1 week ago | [YT] | 26
View 0 replies
Mittal Patel
ગઈકાલે દિયોદરના સેસાણ ગામે તળાવની પાળે ઊભી હતી, ત્યારે કુતૂહલવશ ત્યાં રમી રહેલા બાળકોને મેં એક સહજ પ્રશ્ન પૂછ્યો:
"આને શું કહેવાય?"
એક બાળક (ઉત્સાહમાં): "નદી!"
મેં હસીને પૂછ્યું: "નદી કેવી રીતે કહેવાય? નદી તો વહેતી હોય, અનેક ગામોમાં જાય..."
બાળક (નિર્દોષતાથી): "તો શું આ નદી નથી?"
મેં કહ્યું: "ના, આ તો 'તળાવ' છે."
બધા બાળકો એકસાથે અચરજથી બોલી ઉઠ્યા: "ઓહ... તલાવ!"
જે પેઢીએ તળાવોને છલકાતા જોયા જ નથી, એને બિચારાને ખબર પણ ક્યાંથી હોય કે 'તળાવ' એટલે શું?
મારા પુસ્તક 'જળખૂટ્યા' માં મેં આવી જ વાત આલેખી છે. અમે હંમેશા કહીએ કે, જો ગામનું તળાવ મરે, તો ધીમે ધીમે આખું ગામ મરવા લાગે. પશુ-પક્ષીઓ અને માણસોનું સ્થળાંતર શરૂ થાય.
આપણા શિક્ષકો બાળકોને માત્ર પુસ્તકોમાં નહીં, પણ પ્રત્યક્ષ રીતે નદી, તળાવ, વોકળા અને સ્મશાન કોને કહેવાય તેનું નિદર્શન કરાવે તેની આજે જરૃર છે. આપણી ધરોહર એવા તળાવો વિષે બાળકો નહીં જાણે, એને નહીં ઓળખે, તો પર્યાવરણને કોણ બચાવશે?
આજે સેસાણ ગામે જળમંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યમાં ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ ની ગ્રાન્ટમાંથી ચોક્કસ સહયોગ સાંપડ્યો છે. એ સિવાય મહત્તમ સહયોગ આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફ (KRSF) નો મળ્યો જેના કારણે આ કાર્યને વેગ મળ્યો. ગામલોકો પોતે માટી ઉપાડીને આ પવિત્ર કાર્યમાં જોડાયા.
આ તળાવમાં હવે મા રેવા (નર્મદા) ના નીર પધારવાના છે. ઉત્તર ગુજરાતના ઘણા ઠેકાણે ભૂગર્ભ જળ જ્યારે જોખમી સપાટીએ પહોંચ્યા છે, ત્યારે નર્મદાના નીર થકી તળ ફરી જીવંત થશે.
VSSM ના માધ્યમથી અત્યાર સુધી 425 થી વધુ તળાવો ઊંડા કર્યા છે. આ વર્ષે 100 નવા જલમંદિર નિર્માણ કરવાનો અમારો સંકલ્પ છે. ઈશ્વર આ સેવાયજ્ઞમાં અમને બળ આપે અને ગુજરાતની ધરતી ફરી પાણીદાર બને તેવી પ્રાર્થના.
આદરણીય કેશાજી અને પ્રતુલભાઈ,આપની દીર્ઘદ્રષ્ટિ અને સહયોગ બદલ આભાર.
1 week ago | [YT] | 232
View 6 replies
Mittal Patel
સહુનું સૈયારું, એ કોઈનું નહીં.” રસ્તા પરના ખાડા હોય, જાહેર નળમાંથી વહેતું પાણી હોય કે સરકારી જમીન પર વવાયેલા વૃક્ષો; ‘મારે શું?’ કહીને મોઢું ફેરવી લેવાની આપણી આ નીતિએ દેશનું ને કુદરતનું ભારે નુકશાન કર્યું છે.
અનેક ગામો ઉત્સાહમાં આવીને વૃક્ષો વાવવા માટે અમને આમંત્રણ તો આપે પણ પછી કેટલાક ગામો બધું જ સંસ્થાના માથે નાખી દે. આવામાં બનાસકાંઠાનું સરદારપુરા ગામ આ બાબતમાં સાવ નોખુ નીકળ્યું.
સરદારપુરાના અરવિંદભાઈ ને તેમના મિત્રોએ અમને “અમારા ગામમાં એક મજાનો ‘ઓક્સિજન પાર્ક’ બનાવવો છે, તમે માત્ર સાથ આપો, મહેનત અમારી હશે.”નું કહ્યું ત્યારે ખરેખર કેટલું કરશે એ પ્રશ્ન થયેલો પણ આજે સરદારપુરાએ ખરેખર ઈતિહાસ રચી દીધો.
રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. આદરણીય રશેલભાઈ મહેતાના સહયોગથી અમે ત્યાં ૧૬,૦૦૦થી પણ વધુ વૃક્ષો વાવ્યા. સંસ્થાએ વૃક્ષોની જાળવણી માટે ‘વૃક્ષમિત્ર’ (પગારદાર માણસ) રાખ્યા, પણ જો અરવિંદભાઈ ને ગામના યુવાનોની રાત-દિવસની દોડાદોડી ને કાળજી ન હોત, તો આજે આ હરિયાળું ગ્રામવન ઉછર્યું ન હોત.
ગામે પોતાના ખર્ચે એક નાનકડી તલાવડી બનાવી ને તેમાં નર્મદાના નીર લાવ્યા. આજે આ મીઠું પાણી નિયમિત રીતે વૃક્ષોને પાવામાં આવે છે.
વૃક્ષમાં જીવ છે એવું અમે દ્રઢપણે માનીએ છીએ. જ્યારે કોઈ નાનકડો છોડ તરસ્યો હોય કે તેને આડેધડ કાપવામાં આવે, ત્યારે મનમાં એક અજીબ વેદના થાય. જે લોકો પ્રકૃતિ પ્રત્યે સંવેદનહીન છે, તે ખરેખર હૃદયહીન છે. ત્યારે સરદારપુરાના લોકોનો વૃક્ષપ્રેમ જોઈને મન રાજી થાય છે. અરવિંદભાઈ જેવા જાગૃત નાગરિકો સાચા અર્થમાં ‘ધરતીપુત્રો’ લાગે..
આજે સરદારપુરાના આ ઓક્સિજન પાર્કમાં પક્ષીઓનો કલરવ સંભળાતો જોઈને આનંદીત થવાય છે ગામ, અમારી ટીમ અને રોઝી બ્લુના સહકારથી આ ગામ આખા ગુજરાત માટે એક મિસાલ જેવું બન્યું છે.
સરદારપુરાના તમામ વડીલો અને યુવાનોનો હૃદયપૂર્વક આભાર.રોઝી બ્લુને તો નતમસ્તક પ્રણામ.
સરદારપુરા ગામના આ ‘વૃક્ષમંદિર’ની સુવાસ જોઈને બીજા અનેક ગામો પણ ‘સહુનું એ કોઈનું નહીં’ વાળી નીતિ ત્યાગીને પ્રકૃતિના જતનમાં જોડાય તેવી આશા..
1 week ago | [YT] | 282
View 4 replies
Mittal Patel
અમારા ગામની ગૌચર ભૂમિમાં તમારે વૃક્ષો વાવવા હોય તો વાવો...” નવા ગામના આગેવાનોએ જ્યારે આ શબ્દો કહ્યા, ત્યારે અમને ‘ભાવતું હતું ને વૈધે કીધું’ જેવો ઘાટ થયો. વર્ષોથી રણની કાંધી પર વસેલા બનાસકાંઠામાં હરિયાળીના સપના અમે જોતા જ હતા.
પણ જ્યારે ગામને પૂછ્યું કે ગૌચર કેટલું છે? ને એમણે કહ્યું, “૬૨.૬૦ હેક્ટર!” આ આંકડો સાંભળીને એક ક્ષણ તો આંખો પહોળી થઈ ગઈ. આટલી વિશાળ જમીન! પણ આ જમીન ‘ગાંડા બાવળ’ (પ્રોસોપિસ જુલીફ્લોરા)ના સામ્રાજ્ય નીચે દબાયેલી. ગ્રામજનોએ કહ્યું, “અમારે ગાંડો બાવળ નથી જોઈતો, અમારે તો પશુઓને છાયડો મળે તેવા દેશી વૃક્ષો જોઈએ છે.” બસ, અમે આ પડકારને તક તરીકે ઝડપી લીધો.
વૃક્ષો એ ધરતીના ફેફસાં. બનાસકાંઠા. વાવ- થરાદ જેવા અર્ધ-રણ વિસ્તારમાં જ્યાં ઉનાળામાં સૂર્યદેવ આકરા બને, ત્યાં આ ૬૨ હેક્ટરનું વન તાપમાનમાં ઘટાડો લાવશે, જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવશે અને પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનશે.
ગાંડા બાવળને તિલાંજલિ આપીને દેશી વૃક્ષોનું ‘વૃક્ષમંદિર’ ઊભું કરવું એ આજના સમયની સૌથી મોટી ભક્તિ.
આવડું મોટું કામ એટલે ખર્ચ પણ મોટો થવાનો. પણ વિચાર ઉમદા હોય ત્યારે ઈશ્વર નિમિત્ત પણ મોકલી આપે. અમારા આદરણીય અને પ્રિય પ્રતુલભાઈ શ્રોફ (ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન) ની મદદથી અમે અહીંયા વૃક્ષો વાવીશું.
આ પુણ્યશાળી કાર્યમાં આદરણીય અને પ્રિય નીતુબેન પણ સહભાગી બન્યા જેના કારણે પ્રોજેક્ટને નવું બળ મળ્યું.
કાગળ પરના પ્લાનિંગને જમીન પર ઉતારવા માટે અમારા કાર્યકર નારણભાઈ અને તેમની ટીમ રાત-દિવસ એક કરી રહ્યા છે.
જે જમીન પર બાવળના કાંટા હતા, ત્યાં હવે ખાડા ખોદાઈ રહ્યા છે, પાણીની વ્યવસ્થા થઈ રહી છે અને દોઢ લાખ નવા જીવો (વૃક્ષો) ના રોપણીની તૈયારીઓ થઈ રહી છે. પ્રતુલભાઈના સાથ વગર આ દોઢ લાખ વૃક્ષોના રોપણનું સપનું કદાચ સપનું જ રહી જાત. અમે તમારા આભારી છીએ.
અમારો ઉદ્દેશ્ય માત્ર વૃક્ષો વાવવાનો નથી, પણ એક એવું ‘ગ્રામવન’ બનાવવાનો છે જે જોઈને આખો બનાસકાંઠો આવા કાર્ય માટે પ્રેરાય. જ્યાં ખારાશ નથી ત્યાંથી ગાંડા બાવળને કાયમી વિદાય આપીને વડ, પીપળો, લીમડો અને આંબા જેવા ઘટાદાર વૃક્ષોનું સામ્રાજ્ય સ્થાપવું કરીશું.
નવા ગામનું આ ‘વૃક્ષમંદિર’ આવનારી પેઢી માટે ઓક્સિજનની ફેક્ટરી બનશે. ચાલો, આ હરિયાળી ક્રાંતિના સાક્ષી બનીએ ને કુદરતમાંથી લીધેલું આપણે પરત ચુકવીએ.
2 weeks ago | [YT] | 528
View 16 replies
Mittal Patel
"પહેલા અમે બીજાના ઘરે કચરા-પોતા, વાસણ કરવા જતા પણ જ્યારથી બચતમંડળમાં જોડાયા ને બચતની શક્તિ સમજાઈ, ત્યારથી અમારી જિંદગી બદલાઈ ગઈ. આજે અમે ૧૧ બહેનો ગૌરવભેર પોતાનો સ્વતંત્ર ધંધો કરીએ છીએ!" અમારા ભીખીબહેને પાનસર મુકામે યોજાયેલા અમારા મહિલા સંમેલનમાં આ શબ્દો કહ્યા ત્યારે આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.
‘ત્રેવડ એ ત્રીજો ભાઈ કહેવાય’ આ કહેવતને VSSM સાથે જોડાયેલી વિચરતી-વિમુક્ત જાતિની બહેનોએ સાર્થક કરી બતાવ્યું. સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત અમારી બહેનો પગભર થાય, સંગઠિત બની સમૃદ્ધ થાય તે સ્વપ્ન અમે સેવ્યું.
આ કાર્યમાં સાથે આવ્યા જ્વેલેક્ષ ઈન્ડિયા પ્રા.લી. (આદરણીય પિયુષભાઈ કોઠારી) તેમજ ફાઈન જ્વેલેરી મેન્યુફેક્ચરીંગ (આદરણીય પ્રેમભાઈ). આ બેઉ સ્વજનોના સહયોગથી અમે આ સફર શરૂ કરી અને જોતજોતામાં 206 બચતમંડળો અમે કાર્યરત કર્યા.
બચતમંડળ સાથે સંકળાયેલી અમારી બહેનોની સફળતાના ઉત્સવને ઉજવવા ‘વલ્લભ વિદ્યા વિહાર’ પાનસર ખાતે એક ભવ્ય મહાસંમેલન યોજાયું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૦૦૦થી વધુ બહેનો ઉમટી પડી.
કાર્યક્રમમાં સ્ટેજ પરથી જ્યારે બચતમંડળનું સફળ સંચાલન કરનાર બહેનોએ પોતાની સફળતાથી ગાથા કહી ત્યારે ઉપસ્થિત સૌની આંખોમાં આશાના કિરણો દેખાયા. આ બહેનો કરી શકે તો અમે પણ કરી શકીએ એવું સૌના મનમાં થયું.
કાર્યક્રમમાં આદરણીય ભગવાનદાસ પંચાલ ને અમારા સૌના કાકા ખાસ ઉપસ્થિત રહ્યા. એમની સાથે વિમળાબેન પંચાલ અમારા કાકી પણ હાજર રહ્યા. કાકાએ સૌ બહેનોને તમે હિંમતથી આગળ વધવાનું નક્કી કરો તો તમે બધુ જ કરી શકો. તમે શક્તિ છો એવું ભારપૂર્વક કહ્યું. આ બેઉની હાજરીથી બહેનોનો ઉત્સાહ બેવડાવ્યો.
આદરણીય ઘનશ્યામભાઈ ગઢવીએ બહેનોને ટકોર કરતા કહ્યું, "તમે મારો જ સમાજ છો, પણ જો તમારે સાચું પરિવર્તન જોઈતું હોય તો તમારા બાળકોને ખાસ ભણાવજો ને સંગઠિત થઈને કામ કરજો. સંગઠનમાં શક્તિ છે."
કાર્યક્રમમાં ખાસ કચ્છથી રાજીબહેન પધાર્યા હતા. માત્ર બે ચોપડી ભણેલા આ બહેને પ્લાસ્ટિકના વેસ્ટમાંથી પ્રોડક્ટ બનાવી ૧૦૦ બહેનોનું જૂથ ચલાવી ‘ખુદ્દારી’નો જાણે સાચો અર્થ સમજાવ્યો. એમણે કહ્યું, "તમારા પણ અમારી જેમ આગળ વધવું હોય તો અમારો સંપર્ક કરજો અમે તમને તાલીમ આપીને આ બધુ શીખવીશું. "
ભારતીબહેન ભોઈ, એક સમયે જેમને ૩૦૦૦ રૂપિયા કમાવવાના ફાંફા હતા, તેમણે આજે વાર્ષિક ૧૫ લાખની બચત સુધી પહોંચવાની વાત કરી સૌને અચંબિત કરી દીધા. જ્યારે વિમલાબહેન ઠક્કર અને વંદનાબહેને કમાણીની સાથે ભણતરનું મહત્વ સમજાવ્યું. વંદનાબહેને ઈંગ્લેન્ડના સંઘર્ષો અને શિક્ષણના જોરે મેળવેલી સફળતાની વાત કરી બહેનોને ઝબકાવ્યા. જ્યારે વિમળાબહેને પોતે કેવો સંઘર્ષ કરી આજે સ્વતંત્ર કમાતા ને 50 વ્યક્તિને રોજગાર આપતા થયાની વાત કરી.
ગુજરાતના ખૂણે ખૂણેથી બહેનો મહાસંમેલનમાં આવ્યા સૌએ સંમેલન પછી હોસ્ટેલની મુલાકાત લીધી ને હોસ્ટેલમાં ભણતા બાળકો સાથે વાતો કરી. અમારી હોસ્ટેલમાં ભણતા ઘણા બાળકોની મા પણ સંમંલનમાં આવ્યા હતા એમણે પણ હોસ્ટેલમાં મૂક્યા પછી પોતાના બાળકોમાં આવેલા બદલાવની વાતો કરી..
હોસ્ટેલ મુલાકાત પછી અનેક બહેનોએ પોતાના બાળકોને પણ હોસ્ટેલમાં મૂકવાની અને પોતાના વિસ્તારમાં નવા બચતમંડળો શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
કેશીબહેન અને મંગુબહેને VSSM દ્વારા તેમના જીવનમાં આવેલા વળાંકની ભાવુક વાતો શેર કરી.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં જ્વેલેક્ષ પરિવાર અને ફાઈન જ્વેલેરી પરિવારનો આર્થિક અને નૈતિક ટેકો રહ્યો. સાથે જ ફિલ્ડ અને ઓફિસના તમામ કાર્યકરોની મહેનતને કારણે આજે હજારો બહેનો ‘ઓશિયાળા’ મટી ‘સ્વાવલંબી’ બન્યા. આવા સંનિષ્ઠ કાર્યોકરો સાથે હોવાનો રાજીપો.
અમારી બહેનો સફળતાના શિખરો સર કરે, ખૂબ કમાય અને સૌથી અગત્યનું - પોતાના બાળકોને ભણાવીને સમાજમાં નવું અજવાળું પાથરે એવી અભ્યર્થના...
એકતા શક્તિ અને સમૃદ્ધિની થીમ પર આયોજીત આ મહાસંમેલન દર વર્ષે આયોજીત કરવાનું અમે સૌએ સાથે મળીને નક્કી કર્યું...
સંમેલનમાં આવેલા સૌ બહેનોનો ઘણો ઘણો આભાર..
3 weeks ago | [YT] | 378
View 11 replies
Mittal Patel
મા…
1 month ago | [YT] | 361
View 17 replies
Mittal Patel
"બાપુ બગસરામાં માનસ મેઘાણી કથાનું આયોજન થયું છે. તમે ત્યાં નવ દિવસ છો. અમે કથા સ્થળની નજીક જ 104 પરિવારોના ઘરો બાંધી રહ્યા છીએ. તમે આ વહાલપની વસાહતમાં પધારો એવી લાગણી છે."
આવો સંદેશો પૂ.મોરારીબાપુને પહોંચાડ્યો ને વળતો જવાબ, "ચોક્કસ પધારીશ"નો આવ્યો. પૂ.બાપુ અમારા કાર્યોમાં સદાય સાથે. વર્ષ 2008માં પહેલીવાર હું ને અમારા પારૃલ દાંડીકર બાપુને મળવા ગયેલા.
એ પછી તો આદરણીય માધવભાઈ રામાનુજના માધ્યમથી અવારનવાર બાપુને મળવાનું થયું. બાપુને પહેલીવાર મળી ત્યારે રામ કથાના માધ્યમથી આ સમુદાયોને સમાજ સ્વીકારે એવી વાતો થાયનું બાપુને પૂછેલું ને એમણે એ પછી ઘણી કથાઓમાં વિચરતી વિમુક્ત જાતિઓની તકલીફોની વાતો કરી.
2011માં એમણે માનસ વિચરતી જાતિ કથા ખાસ વિચરતી જાતિઓ માટે કરી ને એ કથામાં આદરણીય હર્ષભાઈ બ્રહ્મભટ્ટની મદદથી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા તમામ પદાધિકારીઓ તેમજ મંત્રીઓ ખાસ નવ દિવસ હાજર રહ્યા.
વિચરતી જાતિના હજારો માણસો પણ ખાસ હાજર રહ્યા. વિચરતી જાતિઓને આ કથા પછી ઘણો ફાયદો થયો. સમાજમાં જાકારો હતો એ ક્યાંક ઓછો થયો. સરકારી સ્તરે આ સમુદાયો માટે અલાયદા આયોજનો પણ એ પછી થયા.
બાપુ પહેલા વ્યક્તિ કે જેમણે આટલા મોટા ફલક પર આ સમુદાયોની વાતો કરી. એ પછી તો બાપુ અમારા અદના સ્વજન બન્યા. વખતો વખત બાપુનો ફોન આવે ને એ પ્રસાદ મોકલું છું એમ કહીને અનુદાન મોકલે. એમની આ લાગણી માટે હમેશા આભારી છું.
બગસરાની અમારી વહાલપની વસાહતમાં બાપુ પધારશે એવું જ્યારે અમારા સરાણિયા, ગાડલિયા, દેવીપૂજક પરિવારોને કહ્યું ત્યારે સૌના ચહેરા આનંદથી ખીલી ઊઠ્યા. બહારગામ કામ ધંધો કરવા ગેયલા પણ બાપુ આવશેની વાત સાંભળી વહેલી સવારે વસાહતમાં આવી ગયા. અમારા જેકીભાઈએ તો કહ્યું, "બાપુને ઘરે લઈ જવા તો મોટા લોકો કેવી વાટ જુએ ને બાપુ આપણે ત્યાં.." એ ગળગળા થઈ ગયા.
રામકથા પુરી થઈને બાપુ ખરા તાપમાં વસાહતમાં પધાર્યા. વસાહતના સૌ એમની કાગડોળે વાટ જોઈ રહ્યા હતા. બાપુ એ સૌનો સત્કાર છીલ્યો.
એ પછી બાંધેલા ઘરમાં બાપુ પધાર્યા. એમણે સરસ ઘર બાંધ્યાનો રાજીપો વ્યક્ત કર્યો. એ પછી એમણે ઘરના આંગણામાં ઢાળેલા ખાટલામાં બેઠા ને સામે અમારા સૌ પરિવારો.
બાપુએ થોડી વાતો કરીને પછી કહ્યું, "આ સામે કોનું ઝૂંપડું છે?" ને એ ઝૂંપડાવાળા અમારા સુરેશભાઈએ કહ્યું, "બાપુ મારુ ઝૂંપડું." બાપુએ કહ્યું, "તારી ઘરવાળી કે બહેન કે દીકરી ઘરે છે?" સુરેશભાઈએ કહ્યું," હા.." એ પછી બાપુએ જે કહ્યું એનાથી તમામ પરિવારોએ આમ હરખથી તાળીઓ પાડી.
બાપુએ કહ્યું, "તારા ઘરેથી રોડલો ઘડી આવ." ને સુરેશભાઈ ને અન્ય તો થોડીવાર માટે હક્કાબક્કા થઈ ગયા. એ પછી અમે કહ્યું, "જા રોટલો ઘડવા કહ્યું છે." એ ગયા. ને પાછા બાપુ સાથે સૌ વાતે વળગ્યા. જાણે અદનું કોઈ સ્વજન એમના આંગણે આવ્યું હોય એમ.
અમારા નવઘણભાઈએ કહ્યું, "બાપુ અમે તો આમ તમને દૂરથી જોતા. મળવાનું મન થાય પણ અમને તમારી પાહે કોઈ આવવાના ન દે..."
વાત સાંભળી બાપુએ કહ્યું, "જો કોઈ ના પાડે તો કહેવાનું કે, અમે મિત્તલબેનના પરિવારના છીએ.. કોઈ ના નહીં પાડે.."
બાપુના મોંઢે આ સાઁભળી ખૂબ રાજી થવાયું. અમારા આ પરિવાર, તકવંચિતોસમુદાયનો સ્વીકાર તો બાપુએ કરેલો જ છે. પણ આ વાત સાંભળી અમે વધારે નિકટતા અનુભવી.
એ પછી અમારા સુરેશભાઈ રોટલો ને સાથે દાળ લઈ આવ્યા. બાપુએ પ્રેમથી એ ભોજન જમ્યું. મને આમ બાપુને ઘણી વાતો કહેવાનું મન થાય. પણ હંમેશા એમની પાસે બેસુ ત્યારે બહુ બધુ તો ન જ બોલાય. થોડીક વાતો થાય એ ચોક્કસ.
બાપુએ જમ્યા પછી વસાહતના સૌ માટે કથાસ્થળેથી ભોજન મોકલાવે છેનું સાથે લ્યો હું હવે વિદાય લઉ છુનું કહ્યું, સાથે દરેક બાળકોને ભણાવજોની વાત પણ કરી ને કથા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ઘરે રોટલો ન ઘડો કથાસ્થળે જમી જવાનું પણ કહ્યું.
ગાંધીજી, વિનોબા ભાવે, બાબા સાહેબ જેવા અનેક મહાનુભાવોએ સમાજ કલ્યાણ માટે પ્રયત્નો કર્યા. આ પ્રયત્નોમાં એમની વચ્ચે જવું એમને સાઁભળવા મહત્વનું. પૂ. બાપુ પણ એ પગલે મથે. હું તો એમને વહાલા બાપુ કહુ છું. એમના ચરણોમાં સત સત નમન.
આદરણીય કમલેશભાઈ નંદા પ્રાંત કલેક્ટર શ્રી, શ્રી દેવચંદભાઈ સાવલિયા આ સૌ પણ બાપુ આવ્યા ત્યારે પધાર્યા.
અમારા કાર્યકર રમેશભાઈ આ બધા પરિવારો સાથે લાગણીથી જોડાયેલા. દિવસ રાત એમના ભલા માટે મથે. ઘણીવાર તો એના ઘરે આ બધા કોઈ તકલીફની વાત લઈને આવે એ પણ દૂરથી ને જમવાનો સમય થયો હોય તો મનીષા એની ઘરવાળી ને રમેશભાઈ બેઉ પોતાનું જમવાનું એમને આપી દે. આવો સેવાને વરેલો ને ખાસ તો સાવ સરળ, જરાય અભિમાન નહીં, ના દેખાડાને માને આવા કાર્યકર સાથે હોવાનું ગૌરવ ને એની આ ભાવનાને વંદન.. રમેશ ખૂબ વહાલો પણ.
અમરેલી, બોટાદ જિલ્લાની અમારી ટીમમાં કાર્યરત શાયર, પ્રકાશ રાજુ પણ એવા જ.. એ બધા જ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. મારી દીકરી કિઆરા ને મૌલિક એ સિવાય અમારી ટીમના વિશ્વેશ, કીર્તન અને વિશાલ પણ હાજર રહ્યા.
પૂ. બાપુ આપની અમારા સૌ માટેની લાગણીને પ્રણામ...
1 month ago | [YT] | 299
View 13 replies
Load more