Member of Development and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Communities of Govt. of India
Mittal Patel, founder of Vicharta Samuday Samarthan Manch (VSSM)
Public Speaker, Columnist, Social Blogger, Traveller
Mittal Patel works for the nomadic and de-notified tribes of Gujarat. VSSM, a non--profit organization founded in 2006 is now spread across 90 Blocks and 20 districts of Gujarat, Smt. Mittal Patel along with her team is doing tremendous work in the field of education, health care, disaster relief, rehabilitation, environment and many more. The organisation is also working on government policies so that this extremely marginalized section of the society get their rights and benefits of the policies. These tribes were hardly seen as they were suffering problems related to identity and dignity in the society. VSSM was thus started with the vision of giving these tribes their identity and solve the challenges faced by them in day to day life.
Mittal Patel
"મને કોરોના થયેલો મે તો રામપરા જવાની તૈયારી કરી દીધેલી!”
“રામપરા?”
મારા મોંઢા પરના આશ્ચર્યભર્યા ભાવનું “રામપરા” સાંભળી સવાભાઈ હસી પડ્યા ને હાથના ઈસારે “ઉપર રામના ઘેર એ રામપરા.”
એમની વાત સાંભળીને ઉપસ્થિત સૌ પણ હસી પડ્યા. મે વાતને આગળ વધારતા, “કેમ કોરોનાની અસર વધારે થઈ?"
એમણે વળી પાછુ હસતા હસતા, "વધારે એટલે બેન બચવાની આશા જ નહોતી. પણ પાસે થોડી મૂડી હતી તે દવા કરાવી શક્યો નહીં તો જાત ભાનું ભાત લઈને!”
સવાભાઈ બજાણિયા પાટણના રાધનપુરના બાસ્પાગામમાં રહે. વર્ષોથી તેઓ ગામોગામ ફરીને બંગડીઓ, બલોયાં ને કટલરીનો સામાન વેચવાનો વ્યવસાય કરે. કચ્છ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં એ નિયમિત ફેરી માટે જાય. મહેનતુ માણસ એટલે ઘરનું ગુજરાન ચાલી જતું.
વ્યવસાય થોડો વધુ વધે, વધુ ગામોમાં જઈ શકાય ને વધુ સામાન રાખી શકાય તે માટે કોરોના પહેલાં એમણે અમારી સંસ્થા પાસેથી લોન લીધી ને ધંધો પણ સરસ રીતે આગળ વધ્યો ને બચત પણ થઈ. પણ પછી કોરોનાએ જીવનમાં ઊથલપાથલ કરી દીધી.
ધંધો લગભગ બંધ થઈ ગયો ને પોતે ગંભીર રીતે બીમાર પડ્યા. સારવાર પાછળ વર્ષોની બચત વપરાઈ ગઈ. જીવ બચી ગયો, પણ જીવન ચલાવવાનું સાધન ખોવાઈ ગયું.
સાજા નરવા થયા પછી ફરીથી શરૂઆત કેવી રીતે કરવી? તે પ્રશ્ન થયો. ખિસ્સામાં મૂડી નહોતી. સામાન ખરીદી શકાય તેમ નહોતું ને સામાન નહોય તો ધંધો કેવી રીતે શરૂ થાય?
અમને સવાભાઈની સ્થિતિ અંગે ખ્યાલ આવ્યો. આમાં એમને ફરી લોન આપવા કરતા એમને ટેકો કરીને પ્રથમ બેઠા કરતા કરવાનું યોગ્ય લાગ્યું. એક વખત જિંદગી રાગે ચાલે તો પછી લોન આપીને ધંધો ક્યાં નથી વધારાતો.
એટલે અમે તેમને દસ હજાર રૂપિયાની બંગડીઓ ને કટલરીનો સામાન ખરીદી આપ્યો ને બસ એમની ગાડી પાછી પાટે ચડી ગઈ. સવાભાઈ ફરી ગામોગામ ફરવા લાગ્યા.
થોડો નફો થયો. થોડી બચત થઈ. આત્મવિશ્વાસ પાછો આવ્યો. એ પછી પાછી એમણે ફરી અમારી પાસે લોન માંગી.
આ વખતે અમે લોન આપી. એમણે સમયસર હપ્તા ભર્યા ને પાછી બીજી, ત્રીજી એમ એક પછી એક લોન લેતા ગયા ને વ્યવસાય વધારતા ગયા. આજે પોતાની મહેનતથી તેઓ સફળ વેપારી બની ગયા.
આજે સ્થિતિ એવી છે કે બજાણિયા સમાજની અનેક બહેનો બલોયાં ખરીદવા માટે ખાસ સવાભાઈને બોલાવે. ઘણા લોકો તો ફોન કરીને કહે, "અમારા ગામે આવજો... અમારે તમારી પાસેથી જ ખરીદી કરવી છે."
પાકા ઘરમાં રહે છે ને સન્માનથી પરિવારનું ભરણપોષણ કરે ને સાથે બચત પણ કરે.
તાજેતરમાં પોતાની દીકરીનું મામેરા પણ તેમણે આ જ બચતમાંથી ભર્યું.
"સંસ્થા મારી સાથે છે એટલે મને નિરાંત."
VSSM અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન વર્ષોથી આવાં હજારો પરિવારોને આર્થિક સહાય આપીને તેમને આત્મનિર્ભર બનવાની તક આપે છે. અત્યાર સુધી 12,500થી વધુ પરિવારો આ પહેલ દ્વારા પગભર કર્યાનો આનંદ...
કોઈને ભોજન કરાવવાથી એક દિવસની ભૂખ શમે પણ કોઈને રોજગાર માટે પગભર થવા મૂડી આપીએ તો એનું આખું જીવન બદલાઈ જાય.
આ પરિવર્તનની યાત્રામાં તમે પણ સહભાગી બની શકો છો. કદાચ તમારી નાનકડી સહાય કોઈ સવાભાઈના જીવનમાં ફરીથી આશાનો દીવો પ્રગટાવી શકે.
"માણસને દાન નહીં પણ ટેકો કરો પછી જુઓ, એ પોતાનું ભાગ્ય પોતાની રીતે લખી બતાવશે"
2 hours ago | [YT] | 43
View 2 replies
Mittal Patel
"બા, તમને અને દાદાને વૃદ્ધ પેન્શનના પૈસા નિયમિત મળે છે ને?"
મારો પ્રશ્ન સાંભળીને બા થોડી ક્ષણ મૌન રહ્યાં ને પછી ધીમા અવાજે બોલ્યાં,
"ઘણા મહિનાથી પૈસા આવતા જ નથી."
"કેમ?"
"તમારે કાગળિયા બરાબર કરાવવા પડશે એવું ગામમાંથી કહ્યું"
કાગળિયા બરાબર? મને સમજાયું નહીં. પણ મારી મૂંઝવણ અમારા કાર્યકર સમજ્યા ને એમણે કહ્યું, “દીદી KYC અપડેટ કરાવવાની વાત કરે છે.”
KYC આમ જુઓ તો એક શબ્દ ને શારિરીક રીતે સશક્ત વ્યક્તિ માટે બેંકમાં જઈને આને અપડેટ કરાવવા કાંઈ બહુ મુશ્કેલ પણ નહીં. પણ જેમના ઘરે હું પહોંચી હતી તે ખાટલામાં પડેલા ને આંખે ભળાતું નહોતું એવા લકવાગ્રસ્ત મીઠાબાપા માટે તો આ લોઢાના ચણા ચાવવા જેવું.
મીઠાબાપાના ઘરના(પત્ની) શાંતાબા. એ દાદાને ઝાડો પેશાબ પણ ખાટલામાં કરાવે. બાપાથી ઊભા જ ન થવાય. આવા મીઠાબાપા અને શાંતાબા જેવા હજારો વૃદ્ધો માટે KYC જાણે અધરામાં અધરુ.
ચોમાસાની બપોરે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીરપૂરા ગામમાં અમે પહોંચ્યા. ગામના એક રસ્તે એક સાંકડી શેરીમાં આવેલા નાનકડા ફળિયાની અંદર આવેલા એક ઘરમાં અમે પ્રવેશ્યા. ઘરમાં મીઠાબાપા ખાટલાવશ. એમનું શરીર હવે સાથ આપતું નથી. એ ઊભા થઈ શકતા નથી. ઝાડા-પેશાબથી લઈને દરેક નાનામાં નાની જરૂરિયાત માટે પણ બીજા પર આધાર રાખવો પડે એવી સ્થિતિ.
એમની બાજુમાં બેઠાં હતાં શાંતાબા. વૃદ્ધાવસ્થા એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. એમની આંખોમાં થાક કરતાં વધુ જવાબદારી હતી. બાપા ખાટલામાંથી ઊભા થઈ શકતા નથી. શાંતાબા એમને એકલા મૂકી ગામ બહાર જઈ ન શકે. આવામાં તેઓ બેંક સુધી કેવી રીતે પહોંચે? શાંતાબા હરીફરી શકે કદાચ જાય તો એકલા જાય. એમનું એકલાનું બાયોમેટ્રિક થાય ને દસ્તાવેજ પણ એકલાના જ અપડેટ થાય. પણ જરૃરિયાત તો બેયના અપડેટ થાય એની. બેયના અપડેટ થાય તો ઘરમાં પેન્શનના 2400 રૃપિયા આવે ને એનાથી એમને ટેકો રહે.
અમને થયું, સરકારની યોજના ગરીબ સુધી પહોંચે, એ ખૂબ જ જરૂરી પણ એના જેટલું જ જરૂરી સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે વ્યવસ્થાઓ સંવેદનશીલ બને એ પણ.
દરેક વૃદ્ધ બેંક સુધી જઈ શકે કે કચેરીઓના ધક્કા ખાઈ શકે એ શક્ય નથી. ત્યારે આવી સ્થિતિમાં બેંક કે સરકારી તંત્ર ઘેર જઈને KYC કરવાની વ્યવસ્થા ન કરી શકે? ખાસ કરીને જેઓ ખાટલાવશ છે તેવા નિરાધાર વૃદ્ધો કે જેઓ સંપૂર્ણપણે બીજાઓ પર આધારિત હોય તેમના માટે અલાયદા આયોજન થાય તે અંગે ખાસ વિચારવું જોઈએ.
આમ ઘરમાં દાખલ થતા જ સૌથી પહેલા KYC ની વાત નીકળી તે મન એમાં જ ચગડોળે ચળ્યું. ત્યાં અમારા કાર્યકર ખોડાભાઈએ કહ્યું, “દીદી ચિંતા ન કરો આ અઠવાડિયે હું બેંકમાં જઈને અધિકારીને ગામમાં આવવા વિનંતી કરીશ ને જરૃર લાગશે તો તમારી સાથે વાત પણ કરાવીશ.” ખોડાભાઈએ બેંકના કર્મચારીઓ શાંતાબાના ઘરે આવે એ માટે અગાઉ પણ પ્રયત્ન કરેલા પણ એમાં સફળતા મળી નહોતી. પણ તેમણે પોતાના પ્રયત્નો અટકાવ્યા નહીં. આશા છે ટૂંક સમયમાં મીઠાબાપા ને શાંતાબાને વૃદ્ધ પેન્શન મળવાનું શરૃ થાય.
બા ઘરની ઓસરીમાં બેઠા ને હું ઓસરી બહાર ઢાળેલા ખાટલે. બા અમારી સાથે વાતો કરતા હતા ત્યાં મારી નજર એમના ગળા પર પડી. એમના ગળામાં ગાંઠ જેવું ભળાયું. મે “બાને પૂછ્યું, ગળામાં ગાંઠ થઈ છે?”
“હા વર્ષોથી છે.”
"ડૉક્ટરને બતાવ્યું?"
એમણે હળવેથી કહ્યું, "ના. દુખાવો નથી આપતી, એટલે ચાલે."
બાને કોઈ સંતાન નથી. પતિ પત્નીને એકબીજાનો સહારો. અમે એમને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. આમ ગુજારો થાય. પણ પેન્શન મળે તો એમને થોડી રાહત થઈ જાય. બા સાથે વાતો ચાલતી હતી ત્યાં એમના ઘરમાં નજર ફેરવી.
બંને જણાએ આખી જિંદગી મજૂરી કરીને પાકા ઘરનું સ્વપ્ન પૂરું કર્યું હતું. એક નાનકડું કૂલર પણ ઘરમાં હતું. એમના જીવનમાં વૈભવ નહોતો પણ સ્વાભિમાન તો હતો જ. એમને કોઈ આપે એ લેવું પણ ક્યાંક ગમતું નહોતું. પણ ઘરમાં કમાવનાર કોઈ નથી એટલે ના છૂટકે.
મીઠાબાપા ખાટલામાં પડ્યા પડ્યા સતત બોલે જતા હતા. એમને કાને ઓછુ સંભળાતનું ને ભળાય તો બીલકુલ નહીં એટલે એમને કોણ આવ્યું ને શું કે છે એ બધુ જાણવું હતું.
"ભૂખ માણસને તોડે પણ વ્યવસ્થાની નિષ્ઠુરતા માણસને અંદરથી ખાલી કરી નાખે છે." આ વાત આ માવતરની મુલાકાતે મે અનુભવી.
અમે દર મહિને આવા 800 નિરાધાર વૃદ્ધોની મુલાકાત લઈએ. દર મહિને એમને રાશનની કિટ પહોંચાડીએ. પરંતુ હજુ પણ એવા અસંખ્ય બા-દાદા છે, જેઓ આપણી રાહ જોઈ રહ્યા છે. એમની રાહ માત્ર અનાજની નથી. રાહ છે કોઈ પોતાના માણસની. રાહ છે કોઈ દરવાજો ખખડાવે અને પૂછે "બા, કેમ છો?"
ઘણી વાર આપણે હોટેલમાં ચાર મિત્રો સાથે જમવા જઈએ ત્યારે પાંચ-છ હજાર રૂપિયાનું બિલ આરામથી થઈ જાય. પણ કોઈ નિરાધાર વૃદ્ધના જીવનમાં દર મહિને હજાર પંદરસોનો સહયોગ પણ ખૂબ મોટો ફરક લાવી શકે.
સમાજ જ્યારે સાથે ઊભો રહે, ત્યારે કોઈ વૃદ્ધને ભૂખ્યા સૂવું નથી પડતું. કોઈની દવાની ચિંતા ઓછી થાય. કોઈના ઘરમાં ફરી ચુલો સળગે ને સૌથી અગત્યનું કોઈ વૃદ્ધને દુનિયામાં હવે એનું કોઈ નથી એવું નથી લાગતું.
અમારા સેવા કાર્યમાં વર્ષોથી અમારો સાથ આપતા તમામ સ્વજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
સાથે શક્ય હોય, તો આ સેવા યજ્ઞમાં જોડાવા વિનંતી.
કદાચ આપણા નાનકડા સહયોગથી કોઈ શાંતાબાની આંખમાં ફરી આશાનો દીવો પ્રગટશે ને કોઈ મીઠા દાદાની પેન્શન બંધ થાય, તે પહેલાં જ સમાજ એમનો સહારો બની જશે.
ઈશ્વર દરેકના ઘરે પોતે નથી જતો, એ કોઈના હૃદયમાં કરુણા જગાવીને ત્યાં પહોંચે છે.. બસ આપણે ઈશ્વરની એ કરુણા સમજી આવા નિરાધાર વડિલોને એમના ઘર આંગણે સન્માનભેર ઘડપણ પસાર કરવામાં નિમિત્ત બનીએ.
2 days ago | [YT] | 272
View 9 replies
Mittal Patel
"દારૂની લત હોય અને એના વગર ચાલતું ન હોય તો એવા વ્યક્તિએ લગ્ન જ ન કરવા જોઈએ..."
કમળાબેન જેવા અસંખ્ય પરિવારોની હાલત જોઈને આ વાક્ય વારંવાર બોલાઈ જાય
ઘણા લોકો કહે, "આખો દિવસ કામ કર્યું એટલે થાક ઉતારવા પીઉં છું." કોઈ કહે, "જીવનમાં ઘણાં દુઃખ તે એ ભૂલવા પીવું પડે". ત્યારે થાય કે, આ દારૂ પીનારાને કદાચ એ દેખાતું નથી કે તેના આ વ્યસનનું સૌથી મોટુ પરિણામ તેનો આખો પરિવાર ભોગવે.
ખેડા જિલ્લાના પાલજ ગામના કમળાબેનના પતિને દારૂનું વ્યસન હતું. સતત દારૂ પીવાથી તેમનું લીવર ખરાબ થઈ ગયું ને નાની ઉંમરમાં જ બે નાનાં બાળકો અને પત્નીને એકલા મૂકીને તેઓ દુનિયા છોડીને ચાલ્યા ગયા.
પાછળ રહી ગયાં કમળાબેન, બે નાનાં બાળકો અને તૂટેલી છતવાળું ઘર. જીવન કેમનું પાર પડશેની એમને સતત ચિંતા. દિકરી 11-12 વર્ષની થઈ એટલે એકલી ઘરે મુકીને જતા પણ ડર લાગે ને ક્યાંક એમનો ડર સ્વાભાવીક પણ ખરો. એટલે પડોશીના ભરોષે બે ચાર દિવસ રસોઈનું કામ મળે ત્યારે દીકરીને મુકીને જાય ને નાના દીકરાને સાથે લઈ જાય.
ચોમાસામાં ઘરની છત ટપકે, વાંદરાના ટોળા ઘરમાં ઉતરી આવે એવી આખી છત. આ છત રીપેર થાય તોય ઘણું એવું વિચારતા કમળાબેને સપનામાં પણ પોતાનું પાક્કુ ઘર થાય એવું વિચાર્યું નહીં. પણ સાહિર લુધનિયાનવીની કવિતાની જેમ..
"जब दुख के बादल पिघलेंगे,
जब सुख का सागर छलकेगा...
जब अम्बर झूम के नाचेगा,
जब धरती नगमे गाएगी...
वो सुबह कभी तो आएगी..."
અને ખરેખર...એ સવાર કમળાબેનના જીવનમાં આવી.
અમારા કાર્યકર રજનીભાઈના સંપર્કમાં કમળાબેન આવ્યાં. તેમની પરિસ્થિતિ જોઈને પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં ચાલતી અમારી 'કુશહોમ' શ્રેણી અંતર્ગત તેમને પાકું ઘર બનાવી આપવાનું અમે નક્કી કર્યું.
ઘર તૈયાર થયું. ગૃહપ્રવેશના દિવસે જ્યારે કમળાબેને પોતાના નવા ઘરમાં કુંભ મૂક્યો, ત્યારે તેમના ચહેરા પરનો હરખ શબ્દોમાં વર્ણવી શકાય એવો નહોતો. ઘરની દરેક દીવાલને સ્પર્શ કરતાં કરતાં તેઓ વર્ષોની વેદનાને યાદ કરતા રડી પડ્યાં.
કમળાબેને પોતાના બંને બાળકોને ભણાવવા માટે અમારા છાત્રાલયમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમણે બંનેનાં એલ.સી. કાઢી લીધાં છે અને ટૂંક સમયમાં બંને બાળકો હોસ્ટેલમાં આવી જશે.
આ સમગ્ર કાર્ય માટે આદરણીય કિશોર અંકલનો હૃદયપૂર્વક આભાર. તેમના વિશ્વાસ અને સહયોગથી અમે આવા ૨૫૦થી વધુ પરિવારોને ઘરનું સુખ આપી શક્યાં છીએ.VSSM કિશોર અંકલ જેવા અનેક સંવેદનશીલ સ્વજનો અને સરકારના સહયોગથી અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ પરિવારોને પાકી છત અપાવવાનું નિમિત્ત બન્યું એનો રાજીપો.
કોઈના માથે પાકી છત આપવાથી એ પરિવાર ભય મુક્ત થાય. બાળકોને સુરક્ષિત બાળપણ મળે અને એક માતાની આંખોમાં ફરીથી આશા પ્રગટેનું અમે જોઈએ છીએ. અમારી આ યાત્રામાં સહભાગી બનવા આપ સૌને પણ નમ્ર વિનંતી.
1 week ago | [YT] | 470
View 15 replies
Mittal Patel
બહેન તમે સ્મશાનમાં આવવા માંડ્યા એટલે અમારા વિસ્તારની બહેનો પણ સ્મશાનમાં આવવા માંડી નહીં તો બહેનો સ્મશાનમાં ક્યારેય ન આવે....
એક સમય હતો જ્યારે સ્મશાનમાં જવાનું નામ પડતાં જ મનમાં ભય ઊભો થતો. આજે પરિસ્થિતિ એવી છે કે ઘણી વખત કોઈના અગ્નિસંસ્કાર ચાલી રહ્યા હોય ને અમે ત્યાં પહોંચીએ. ક્યારેક તો સ્મશાનની છાપરી નીચે બેસીને ચા પીવા પીવાનું પણ થાય. સ્મશાન હવે અમારા માટે માત્ર અંતિમ વિદાયનું સ્થળ નથી રહ્યું પણ તે હરિયાળી અને અનેક જીવોના નિવાસનું પ્રતિક બન્યુ.
બનાસકાંઠાના વાવ તાલુકાના વાસણ-વાતમ ગામના લોકોએ પોતાના ગામને હરિયાળું બનાવવાનો સુંદર સંકલ્પ કર્યો. ગામમાં વધુમાં વધુ વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કર્યો. આ અભિયાનની શરૂઆત ગામના સ્મશાનથી થઈ.
એક સમયે આ સ્મશાનમાં માત્ર ગાંડો બાવળ જ હતો. સ્થિતિ એવી હતી કે કોઈના અગ્નિસંસ્કાર માટે મૃતદેહ આવે તે પહેલાં ડાઘુઓએ સ્મશાન સાફ કરવું પડતું. ગામે નક્કી કર્યું કે ગાંડા બાવળ દૂર કરીને ત્યાં એવા વૃક્ષો વાવવામાં આવે જે છાંયો આપે, પક્ષીઓને ફળ આપે ને સ્મશાનને જીવંત બનાવે.
આ માટે ગામે VSSMનો સંપર્ક કર્યો. અમે સૌપ્રથમ ગાંડો બાવળ દૂર કરીને સમગ્ર જગ્યા સાફ કરવાની અને ત્યારબાદ પાણીની વ્યવસ્થા ઉભી કરવાની સલાહ આપી. ગામે ખૂબ ઉત્સાહથી આ તમામ કામ પૂર્ણ કર્યું. ત્યારબાદ અમારી ટીમે ખાડા તૈયાર કરાવ્યા, વિવિધ જાતિના વૃક્ષો લાવીને વાવ્યાં અને ડ્રિપ સિંચાઈની વ્યવસ્થા પણ ઉભી કરી.
ગામના લોકો, VSSM અને GIAના સહિયારા પ્રયાસોથી આજે આ સ્મશાનભૂમિમાં 3600થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. જળસંચય અને વૃક્ષ ઉછેરના અમારા અનેક કાર્યોમાં GIAનો સતત સહયોગ મળતો રહ્યો છે. તેમના આ વિશ્વાસ અને સહકાર માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ.
આ સમગ્ર ગ્રામવનની સંભાળ ભલાભાઈ રાખે. નામ પ્રમાણે જ તેમના ગુણ પણ. બાળકને જેમ પ્રેમથી ઉછેરવામાં આવે તેમ તેઓ દરેક વૃક્ષનું જતન કરે. આવા વૃક્ષમિત્રો મળવા એ ખરેખર સૌભાગ્યની વાત. તેમની સાથે અમારી આખી ટીમની મહેનત પણ જબ્બર.
આજે જ્યારે આ સ્મશાનમાં પ્રવેશીએ છીએ ત્યારે મૃત્યુનો અહેસાસ કરતાં વધુ જીવનની સુગંધ અનુભવાય. પક્ષીઓનો કલરવ, વૃક્ષોનો ઠંડો છાંયડો ને હરિયાળી જોઈને મનને ડાઢક લાગે છે. સાપ,સસલા, કાચબા ને અનેક પંખીઓને આ ગ્રામવન થકી અભય મળ્યું છે.
અત્યાર સુધી VSSM સાથે સંકળાયેલા અનેક સ્વજનો થકી 22 લાખથી વધુ વૃક્ષો વાવી ઉછેરવામાં આવ્યાં છે. વર્ષ 2026-27 દરમિયાન 10 લાખ નવા વૃક્ષો વાવીને સફળતાપૂર્વક ઉછેરવાનો અમારો સંકલ્પ છે. આ અભીયાનમાં તમે સૌ પણ જોડાવ તેવી વિનંતી.
વધુને વધુ લોકો આ યજ્ઞમાં સહભાગી બને. તેવી પ્રાર્થના...
1 week ago | [YT] | 229
View 4 replies
Mittal Patel
Must watch !!
1 week ago | [YT] | 11
View 0 replies
Mittal Patel
"આંધિયો કો જીદ હૈ, જહાં બીજલિયા ગીરાને કી,
મુઝે ભી જીદ હૈ, વહી આશિયાં બનાને કી..."
માણસ જ્યારે સારા કામ માટે જીદ કરે તો પરિસ્થિતિ ચોક્કસ બદલાય છે. અમારું કાર્ય એવા પરિવારો વચ્ચે છે, જેમના માટે વરસાદ એટલે આનંદ નહીં, પરંતુ ભય. વાવાઝોડું આવે ત્યારે છાપરાની દોરીઓ પકડીને આખી રાત બેઠા રહેવું પડે ને વરસાદ વરસે ત્યારે ટપકતી છતથી બચવા માટે માથે મીણિયું ઓઢીને રાત પસાર કરવી પડે.
આઝાદીના આટલા વર્ષો પછી પણ કોઈ પરિવારને સુરક્ષિત ઘર આપવામાં આપણે નિષ્ફળ કેમ રહ્યા? એ પ્રશ્ન આવી સ્થિતિમાં રહેતા પરિવારોને જોઈને થાય.
વ્યવસ્થાને લઈને પ્રશ્નો તો ઘણા થાય, પરંતુ પ્રશ્નોમાં અટકી રહેવાને બદલે આપણાથી જે બની શકે તે કરવાની ભાવનાથી અમે આવા પરિવારોના ઘરોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું ને આજ સુધી ૨૦૦૦થી વધુ પરિવારોને પોતાનું ઘર અપાવવામાં અમે નિમિત્ત બન્યા.
ક્યાંક સરકારી સહાય સાથે દાતાઓનો સહયોગ મળ્યો ને એમાં પરિવારે પોતાનો ફાળો આપ્યો અને ક્યાંક સંપૂર્ણ ખર્ચ અમારા સ્વજનોએ ઉપાડ્યો.
ખેડા જિલ્લાના પાલજ ગામમાં રહેતાં ગજરાબા નિરાધાર. એમના ઘરના પતરા એટલા તૂટી ગયેલા કે વરસાદ તો અંદર વરસતો જ, પણ છતમાંથી વાંદરા ઉતરીને રાંધીને મૂકેલા રોટલા પણ લઈ જતા.
જીવનમાં દુઃખનો પાર નહોતો. એકનો એક જુવાન દીકરો વર્ષો પહેલાં બીમારીમાં ગુમાવ્યો. ત્યારબાદ પતિ પણ લાંબી માંદગી પછી વિદાય થયા. હવે વૃદ્ધાવસ્થામાં ઘરમાં કોઈ કમાઉ સભ્ય નહીં, કોઈ સંભાળ લેનાર નહીં. માંડ પેટનું ગુજરાન ચાલે, તો ઘર બાંધવાનું સ્વપ્ન કેવી રીતે પૂરું થાય?
જ્યારે અમને ગજરાબાની પરિસ્થિતિની જાણ થઈ, એટલે અમે એમને સુરક્ષિત ઘર આપવાનું નક્કી કર્યું. અમારા પ્રિય કુશલભાઈની પવિત્ર સ્મૃતિમાં ગજરાબા માટે *કુશ હોમ'*નું નિર્માણ કરવામાં આવ્યું.
એક ઓરડો, ઓસરીની વ્યવસ્થા તેમજ ટોયલેટ-બાથરૂમ ધરાવતું નાનું પણ સન્માનભર્યું ઘર તૈયાર થયું.
ગૃહપ્રવેશના દિવસે ગજરાબાના ચહેરા પર જે સંતોષ હતો, તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે આંખોમાં ખુશીના આંસુ સાથે કહ્યું,
"હવે વરસાદ પડે તો મને ડર નહીં લાગે. પહેલાં તો વરસાદ શરૂ થાય એટલે ઘર છોડીને પાડોશીના ઘરે જવું પડતું. હવે મારે ક્યાંય જવાની જરૂર નહીં પડે."
ઘરમાં કળશ સ્થાપવાની નાનકડી પૂજા રાખવામાં આવી. ગજરાબા સંકોચ અનુભવતા હતા. અમે તેમને કહ્યું,
"આ દુનિયામાં તમારાથી વધારે પવિત્ર કોણ હોઈ શકે? આ ઘરમાં કળશ તમારા હાથે સ્થાપિત થવો જોઈએ."
એ ક્ષણ ત્યાં હાજર સૌ માટે ભાવવિભોર કરી દે તેવી હતી.
આ પ્રસંગે ગજરાબાના દૂરના સગાં-સંબંધીઓ પણ હાજર રહ્યા. તેમણે ગજરાબાનું બાકીનું ઘડપણ હૂંફ અને જવાબદારી સાથે પસાર થાય તેની ખાતરી આપી. ઘર મળ્યું, સાથે સંબંધોની હૂંફ પણ ફરી જીવંત બની.
કિશોર અંકલ, આપનો હૃદયપૂર્વક આભાર. આપના સહયોગથી અનેક પરિવારોને સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે. કોઈના જીવનમાં ઘરનું સ્વપ્ન સાકાર કરાવવું એ સૌથી મોટું પુણ્યકાર્ય.જે આપના થકી રહ્યું છે. અમે આપના આભારી છીએ.
અમારા સંપર્કમાં અનેક નિરાધાર બા-દાદા છે જેમને સુરક્ષિત ઘર અને બે ટંકના ભોજનની જરૂર છે. આપ પણ આ સેવા યજ્ઞમાં સહભાગી બની શકો છો. ઘર નિર્માણમાં સહયોગ આપી શકો છો અથવા નિરાધાર વડીલોને દર મહિને રાશન ઉપલબ્ધ કરાવવામાં નિમિત્ત બની શકો છો.
આપનો નાનો સહયોગ પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.
અનુદાન આપવા માટે ઉપર આપેલા QR કોડનો ઉપયોગ કરવા વિનંતી...
1 week ago | [YT] | 246
View 5 replies
Mittal Patel
વધારે કશું કહીએ એના કરતા નીચે આપેલી લીંકમાં આપેલા વિડીયોની વિગતો ખાસ જોશો..
#VSSM #MittalPatel
1 week ago | [YT] | 41
View 0 replies
Mittal Patel
એક ગણવેશનું મૂલ્ય કેટલું હોઈ શકે? આપણા માટે કદાચ બહુ નહીં. પરંતુ કોઈ બાળક માટે એ જ ગણવેશ તેના ભણતર અને ભવિષ્ય વચ્ચેની દીવાલ બની જાય તો?
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામના વિક્રમભાઈ સાથે આવું જ બન્યું.
ઘરની આર્થિક સ્થિતિ એટલી નબળી કે બે ટંકનું ભોજન ભેગું કરવું પણ મુશ્કેલ. શાળાનો ગણવેશ ખરીદવાની સગવડ નહોતી. પરિણામે, ભણવાનું અધૂરું રહી ગયું. નાનકડી ઉંમરે જ વિક્રમભાઈએ પુસ્તકો મૂકીને પિતા સાથે મજૂરીનું કામ શરૂ કરી દીધું.
સમય આગળ વધ્યો. યુવાનીમાં તેઓ હીરા ઘસવાના વ્યવસાય સાથે જોડાયા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ હજારો પરિવારોની જેમ તેમના જીવન પર પણ અસર કરી. બગસરામાં હીરાની ઘંટીઓ હવે અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ ચાલે. બાકીના ત્રણ દિવસ રોજગારીની શોધમાં ભટકવું પડે.
એવામાં પિતાની છત્રછાયા પણ માથેથી ઊઠી ગઈ. ઘરમાં કમાવનાર એકલા અને જવાબદારીઓ અનેક. મનમાં એક જ વિચાર આવતો. જો પોતાનું કંઈક કામ શરૂ થાય તો પરિવારની આવકમાં વધારો થઈ શકે. પરંતુ સપનાઓને સાકાર કરવા માટે જરૂરી મૂડી ક્યાંથી લાવવી?
એ જ સમયે વિક્રમભાઈને VSSM અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) દ્વારા સ્વરોજગાર માટે આપવામાં આવતી વ્યાજમુક્ત સહાયની માહિતી મળી. તેમણે અમારા કાર્યકર રમેશભાઈનો સંપર્ક કર્યો.
સંસ્થાએ વિશ્વાસ સાથે નાનકડી લોન આપી. આ લોનથી વિક્રમભાઈએ પોતાના ગામમાં નાની કરિયાણાની દુકાન શરૂ કરી. થોડો સામાન લાવ્યા. હીરા ઘસવાનું કામ હોય ત્યારે તેઓ ત્યાં જાય અને દુકાન તેમની માતા કે ક્યારેક તેમની નાનકડી દીકરી સંભાળે.
દુકાન શરૂ થઈ, ગ્રાહકો મળવા લાગ્યા, પરંતુ માંગ પ્રમાણે સામાન રાખવા માટે વધુ મૂડીની જરૂર હતી. સંસ્થાની નીતિ મુજબ એકસાથે મોટી લોન મળતી નથી. પહેલાં લીધેલી લોન સમયસર ભરપાઈ કરી.
પછી બીજી લોન મળી. આ લોનથી તેમણે ફ્રિજ ખરીદ્યું, દુકાનમાં વધુ સામાન ભરાવ્યો અને ધીમે ધીમે વ્યવસાય વિસ્તરવા લાગ્યો.
આજે વિક્રમભાઈએ હીરા ઘસવાનું કામ લગભગ છોડી દીધું છે. હવે તેઓ સંપૂર્ણ સમય પોતાની દુકાનને આપે છે. સવારે છ વાગ્યાથી લઈને રાત્રે સાડા દસ વાગ્યા સુધી તેઓ દુકાનમાં મહેનત કરે છે.
તેમના ચહેરા પર આજે સંતોષ છે, તેઓ કહે છે, "હવે મારી ઇચ્છા મોટી કરિયાણાની દુકાન કરવાની છે. જ્યારે મને સૌથી વધારે જરૂર હતી ત્યારે સંસ્થાએ મારો હાથ પકડ્યો. જો એ સમયે આ સહાય ન મળી હોત તો કદાચ હું આજે અહીં સુધી પહોંચી શક્યો ન હોત."
યોગ્ય સમયે મળેલી નાનકડી મદદ કોઈ પરિવારનું આખું ભવિષ્ય બદલી શકે એ વિક્રમભાઈના કિસ્સામાં જોઈ શકાય.
VSSM અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન થકી અત્યાર સુધીમાં 12,800થી વધુ પરિવારોને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બનાવવામાં આવ્યા પણ હજુ અનેક વિક્રમભાઈઓ આપણા સમાજમાં છે, જેમને તકની જરૂર છે.
આ કાર્યમાં આપ પણ સહભાગી બની શકો છો. આપનો નાનો સહયોગ કોઈ પરિવાર માટે નવી શરૂઆત બની શકે છે. અનુદાન માટે નીચેની વિગતે સ્કેનર સ્કેન કરીને અનુદાન આપી શકાય.
ઈશ્વર સૌને શુભકાર્યમાં નિમિત્ત બનાવે એવી પ્રાર્થના.
2 weeks ago | [YT] | 318
View 4 replies
Mittal Patel
કાચબાને શુભનું પ્રતિક માનવામાં આવે એટલે લોકો એની પ્રતિમા ઘરમાં રાખે... પણ કાચબા માટે કોઈએ આખું ઘર જ બનાવી આપ્યું હોય એવું તમે સાંભળ્યું છે?
માન્યતા છે કે કાચબો શુભ અને સ્થિરતાનું પ્રતિક એટલે ઘણા લોકો સમૃદ્ધિ માટે કાચબાની નાની પ્રતિમા ઘરમાં રાખે. પણ અમદાવાદના અમારા વહાલા શરદઅંકલ (શરદભાઈ શાહ) અને રંજનમાસીએ કાચબાની પ્રતિમા ઘરમાં રાખવાને બદલે, જીવતા કાચબાઓ માટે કાયમી નિવાસસ્થાન ઊભું કરી દીધું.
આ વાત છે વાવ-થરાદના ખોડાગામની. ગામનું તળાવ વર્ષોથી છીછરું થઈ ગયેલું. લોકો તેમાં કચરો નાખતા. આસપાસના ખેતરોનું દબાણ પણ ધીમે ધીમે વધતું હતું. એક સમયે ગામના જીવનનું કેન્દ્ર રહેલું તળાવ જાણે પોતાની ઓળખ ગુમાવી રહ્યું હતું.
પણ ગામના કેટલાક જાગૃત લોકોએ નક્કી કર્યું કે આ તળાવને ફરી જીવંત કરવું છે અને એ માટે એમણે અમારો સંપર્ક કર્યો ને શરદઅંકલ અને રંજનમાસીના સહયોગથી તળાવ ગાળવાનું કામ શરૃ થયું.
આજે આ તળાવને સરકાર દ્વારા નિયમિત નર્મદાના પાણીથી ભરવામાં આવે છે. તળાવ બારેમાસ પાણીથી ભરેલું રહેતા એનો મોટો લાભ માણસોની સાથે સાથે જીવસૃષ્ટિને થઈ રહ્યો છે.
પહેલાં ખેડૂતોને સિંચાઈ માટે સાતસો ફૂટ ઊંડેથી પાણી ખેંચવું પડતું. ૭૫ હોર્સપાવરની મોટરો ધમધમતી. આજે એ જ ખેડૂતો તળાવમાંથી માત્ર પાંચ હોર્સપાવરની મોટરથી પાણી લઈને ખેતી કરે છે. ખર્ચ ઘટ્યો, વીજળી બચી અને ભૂગર્ભજળ પરનો બોજ પણ ઓછો થયો.
આ કથાનો સૌથી સુંદર ભાગ આ તળાવ ગળાતા તેમાં પાણી ભરાવાથી દોઢસો કરતાં પણ વધુ કાચબાઓને પોતાનું ઘર મળ્યાનો છે. અહીંયા માછલીઓ નિર્ભય થઈને તરતી જોવા મળે. પક્ષીઓ અહીં પાણી પીવા અને કલરવ કરવા આવે.
જમીનમાં ભેજ વધ્યો એટલે નરી આંખે દેખાતી અને ન દેખાતી અસંખ્ય જીવસૃષ્ટિને પણ અહીં આશરો મળ્યો. એક તળાવ જીવંત થયું... અને તેની સાથે આખી એક દુનિયા જીવંત થઈ ગઈ.
સાંજે તળાવની પાળે ગામના વડીલો બેસવા આવે છે. પવનમાં પાણીની ઠંડક અનુભવાય છે. જે જગ્યા એક સમયે ઉપેક્ષિત હતી, તે આજે ગામનું સૌથી રળિયામણું સ્થાન બની ગઈ છે.
ઘરમાં કાચબાની પ્રતિમા રાખવી એ શુભ ખરુ પણ પણ કાચબાઓ માટે આખું તળાવ બનાવી આપવું એ જેની પાસે સમૃદ્ધી હોય એના માટે વધારે અગત્યનું ને એ મોટુ પુણ્યકાર્ય પણ ખરુ.
શરદઅંકલ અને રંજનમાસી જેવા સંવેદનશીલ લોકોના કારણે આવા અનેક જલમંદિરો ફરી જીવંત થઈ રહ્યા છે. કુદરતને પ્રેમ કરવો એટલે માત્ર વૃક્ષ વાવવાં કે પાણી બચાવવું નહીં, પણ દરેક જીવને જીવવાનો અધિકાર આપવો.
આ સુંદર કાર્ય માટે શરદઅંકલ, રંજનમાસી, ખોડાગામના જાગૃત ગ્રામજનો અને માટી ઉપાડીને તળાવને નવજીવન આપનારા તમામ ખેડૂતો તેમજ અમારી ટીમને હૃદયપૂર્વકના પ્રણામ.
ગુજરાતના દરેક ગામમાં તળાવો ફરી જીવતું થાય...દરેક તળાવ એક જલમંદિર બને...ને એમાં પાણી સાથે જીવન પણ છલકાય...
અમારી દરરોજની પ્રાર્થના, હે ઈશ્વર બસ નિમિત્ત બનાવજે..
2 weeks ago | [YT] | 222
View 5 replies
Mittal Patel
મારા મતે વિકાસની વ્યાખ્યા ફરીથી લખાવી જોઈએ. વિકાસ એટલે પાક્કા રસ્તાની સાથે વધુ વૃક્ષો, વધુ મોટી ને ઊંચી ઈમારતોની સાથે વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા ને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જગ્યાએ ક્લાયમેટ રિઝિલિયન્ટ ગામો અને શહેરો.
નીચે જે કલ્પના કરી તેવું શહેર... ગામ...
#VSSM
2 weeks ago | [YT] | 197
View 8 replies
Load more