મેળવો તમામ અપડેટ જી કે ટી વી ના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી આ યુ ટૂબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો રાજકમલસિંહ પરમાર બ્યુરો ઓફિસ મહેતાપુરા વિસ્તાર. હિંમતનગર સાબરકાંઠા 9714403435
*પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી લહેરાવ્યો તિરંગો*
*વિકસિત ભારતના સંકલ્પ સાથે સાબરકાંઠાની ધરતી પર આઝાદીનો મહોત્સવ ઉજવાયો*
*સાબરકાંઠાના વિકાસ કામો માટે મંત્રીશ્રીએ ૨૫ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો*
*શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વની અગ્રણી શક્તિ બનાવવા પ્રભારી મંત્રીશ્રીનું આહ્વાન*
ખેડબ્રહ્મા: 15 ઓગસ્ટ 2026
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની શેઠ કે. ટી. હાઇસ્કુલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી રાષ્ટ્રધ્વજને વંદન કર્યા હતા. દેશભક્તિના માહોલમાં મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના નાગરિકોને સંબોધતા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણ માટે દરેક નાગરિકને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
ઉજવણી દરમિયાન પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આઝાદીનું આ અમૃત પર્વ એ માત્ર ઉત્સવ નથી પરંતુ લાખો શહીદોના બલિદાનની અમર ગાથાને યાદ કરવાનો અવસર છે. મહાત્મા ગાંધીએ સ્વરાજની નેમ લીધી હતી, ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે સ્વરાજથી સુરાજ તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે રાષ્ટ્ર પ્રથમનો ભાવ હોય ત્યારે દરેક નિર્ણય દેશહિતમાં હોય છે. ભારત આજે ૧૧મા ક્રમથી છલાંગ લગાવી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, જે દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે.
વિકાસની આંકડાકીય વિગતો રજૂ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓમાં ગુજરાત મોખરે રહ્યું છે. આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, જન ધન યોજના અને પીએમ સૂર્ય ઘર જેવી વિવિધ યોજનાઓમાં અગ્ર રહીને આજે ગુજરાતે નવી ક્રાંતિ સર્જી છે, જ્યારે એટીએસ અને પોલીસતંત્રે આતંકવાદ અને ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સાબરકાંઠા જિલ્લાના સંદર્ભમાં તેમણે હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ધરોઈ ભાગ-૨ યોજના દ્વારા પીવાનું શુદ્ધ પાણી અને ખેતી ક્ષેત્રે બટાકાના ઉત્પાદનમાં થયેલા ધરખમ વધારાનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ કામો માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો.
આઝાદીના આ પર્વ નિમિત્તે ખેડબ્રહ્માની વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શેઠ કે. ટી. હાઈસ્કૂલ અને સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલના બાળકોએ દેશભક્તિ ગીતો પર નૃત્ય પ્રસ્તુત કર્યા હતા, જ્યારે આંગણવાડીના ભૂલકાંઓએ 'ગરવી ગુજરાત'ની ગૌરવ ગાથા રજૂ કરી હતી. આ ઉપરાંત, જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી અને મહિલા પોલીસ ટીમ દ્વારા સૂર્યનમસ્કાર, યોગ અને કરાટેના નિદર્શન દ્વારા શારીરિક સૌષ્ઠવ અને આત્મરક્ષાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી પર રજૂ કરાયેલા નાટકે સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો તેમજ ઉપસ્થિત સૌને મંત્રીશ્રીએ માર્ગ સલામતીનો સંકલ્પ લેવડાવ્યો હતો.
કાર્યક્રમના અંતમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરોનું પ્રભારી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ માર્ગ સલામતી માટે ટોઈંગ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન ખરાડી, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી. ડી. ઝાલા અને ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. પી. પાટીદાર, નિવાસી અધિક કલેકટર શ્રીમતી ક્રિષ્ના વાઘેલા, પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ અને શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ખેડબ્રહ્મા ખાતેથી હિંમતનગર શહેર માં ફોરવીલ તેમજ ટુવીલ માટે ટોઇંગ વાહન ને ફ્લેગ ઓફ કરવામાં આવેલ.
સદર બંને ટોઇંગ વાહનો આજરોજ સાંજે 4 વાગે તારીખ 15-08 પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી હિંમતનગર ખાતેથી હિંમતનગર શહેરમાં સૂચના રૂપે પેટ્રોલિંગ કરવામાં આવનાર છે.
*‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પ્રાંતિજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ* ***** *પ્રાંતિજ ખાતે યોજાનારી તિરંગા યાત્રામાં વિવિધ જનપ્રતિનિધિઓ, આગેવાનો તથા નગરજનો જોડાયા* *******
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિના ભાવ સાથે *‘હર ઘર તિરંગા યાત્રા’*નું આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સૌ નાગરિકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ગૌરવ અને સન્માનપૂર્વક લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. *‘હર મન તિરંગા, હર ઘર તિરંગા’*ના સંકલ્પ સાથે સમગ્ર પ્રાંતિજ દેશભક્તિના રંગે રંગાયુ હતું.
આ તિરંગા યાત્રામાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અનિતાબેન જે. પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અંકિતાબેન પટેલ, શ્રી વિજયરાજસિંહ ઝાલા, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રીમતી નિર્મલાબેન પંચાલ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ગીરીશભાઈ ડી. પટેલ, શ્રી કુશાલ બ્રહ્મભટ્ટ, શ્રી ચિંતનભાઈ પટેલ, હિતીપભાઈ રાવળ, તેમજ અન્ય આગેવા સહિતના આગેવાનો મામલતદારશ્રી, ટી.ડી.ઓ.શ્રી, શેઠ પી.એન્ડ આર. હાઈસ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફ સહિતના વિવિધ વર્ગના લોકો જોડાઈ દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો. *******"
હિંમતનગરની 40 વર્ષ જૂની રોટરી ક્લબ ઓફ હિંમતનગરનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો
રોટેરિયન મનીષ કિંમતાણી પ્રમુખ બન્યા; 123 સભ્યોએ શપથ લીધા, સેવા અને સમાજકલ્યાણના કાર્યો માટે સંકલ્પ
હિંમતનગરની 40 વર્ષ જૂની અને શહેરની અગ્રણી સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ હિંમતનગરનો વર્ષ 2026–27 માટે પ્રમુખ, સેક્રેટરી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ નવા સભ્યોના શપથવિધિનો ભવ્ય પદગ્રહણ સમારોહ હિંમતનગર ખાતે ભવ્યતાપૂર્વક યોજાયો હતો. સમારોહમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, હિંમતનગર કેળવણી મંડળ અને શ્રી શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્સ્ટોલેશન ઓફિસર શ્રી નૈમિષ રવાની, ઇન્ડક્શન ઓફિસર ડૉ. અરુણ પરીખ તથા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી અજય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલછડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષ 2025–26 દરમિયાન હિંમતનગર રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર સેવાકાર્યો બદલ ક્લબને પ્રાપ્ત થયેલા 15 એવોર્ડની પણ ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રોટરી ક્લબના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 100 નવા રોટેરિયન સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ રોટેરિયન મનીષ કિંમતાણીએ પ્રમુખ તરીકે અને રોટેરિયન જયપ્રકાશ રાવલે સેક્રેટરી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમે પણ શપથ લીધા હતા. આમ કુલ 123 સભ્યોના શપથગ્રહણ સાથે આ સમારોહ ઐતિહાસિક બની રહ્યો હતો.
હિંમતનગર રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે રોટેરિયન મનીષ કિંમતાણીની વરણી ખાસ નોંધપાત્ર રહી હતી. ક્લબના સૌથી ઓછી ઉંમરના પ્રમુખોમાં સ્થાન મેળવનાર મનીષ કિંમતાણીને તેમની સતત મહેનત, કાર્યક્ષમતા, સંગઠનક્ષમતા અને સેવાભાવી અભિગમના આધારે પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી હતી. નાની ઉંમર હોવા છતાં તેમણે પોતાની નેતૃત્વ ક્ષમતા, સમર્પણ અને પરિણામલક્ષી કાર્યશૈલીથી ક્લબના સભ્યોનો વિશ્વાસ જીત્યો છે. તેમના નેતૃત્વ હેઠળ ક્લબે 100 નવા સભ્યોને જોડીને કુલ 123 સભ્યોના શપથગ્રહણ સાથે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે તેમની કાબિલિયત અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન મનીષ કિંમતાણીએ જણાવ્યું હતું કે, ક્લબ દ્વારા આગામી વર્ષ દરમિયાન 500 બોટલ રક્તદાનનો લક્ષ્યાંક, શહેરની વિવિધ સોસાયટીઓના કોમન પ્લોટમાં 10,000 વૃક્ષોના રોપાઓનું વાવેતર, તેમજ સ્લમ વિસ્તારોમાં બાળકોને તેમના ઘરે જઈ શિક્ષણ આપવાની સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ક્લબ દ્વારા અત્યાર સુધીમાં 45 બોટલ રક્તદાન અને 150 વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ, શિક્ષણ, પર્યાવરણ અને માનવ કલ્યાણના ક્ષેત્રોમાં વિવિધ સેવાકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને સર્વાઈકલ કેન્સર નિદાન માટે પાંચ સ્ક્રીનિંગ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ મહિલાઓ માટે રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં રોટરી ક્લબ દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન મનીષ કિંમતાણી તથા તેમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. મહેમાનોએ રોટરી ક્લબના સેવાકાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી ભવિષ્યમાં જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
સાબરકાંઠા : ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલા એસઆરપીના મુખ્ય કેમ્પથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં એસઆરપીના 300થી વધુ પોલીસ કર્મીઓ તિરંગા સાથે જોડાયા હતા. એસઆરપી જવાનો દ્વારા તિરંગા સાથે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. યાત્રામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. એસઆરપી જવાનોની ભવ્ય તિરંગા રેલીના કારણે મુડેટી ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. દેશ પ્રત્યેનો પ્રેમ અને એકતાનો સંદેશ આપતી આ તિરંગા યાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે, એસ.બી. મહિલા આર્ટ્સ કોલેજ મહેતાપુરા, હિંમતનગર દ્વારા ‘હર ઘર તિરંગા’અભિયાન અંતર્ગત એક ઉત્સાહવર્ધક તિરંગા રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભવના વધુ સુદ્રઢ કરવાનો હતો. કોલેજ કેમ્પસ ખાતેથી સંસ્થાના આચાર્યશ્રી, અધ્યાપકગણ તેમજ સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હાથમાં આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ અને ‘હર ઘર તિરંગા’નું બેનર ધારણ કરીને નીકળેલી કોલેજની વિદ્યાર્થીનીઓના દેશભક્તિસભર ઉત્સાહથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ તિરંગા રેલી કોલેજ પરિસરથી પ્રારંભ થઈ મહેતાપુરા અને હિંમતનગર શહેરના માર્ગો પર ફરી હતી.
રેલી દરમિયાન વિદ્યાર્થીનીઓએ "ભારત માતા કી જય", "વંદે માતરમ" અને "હર ઘર તિરંગા" જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વિસ્તારને ગુંજવી મૂક્યો હતો. સ્થાનિક નાગરિકોએ પણ જગ્યાએ જગ્યાએ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા સંકલ્પબદ્ધ બન્યા હતા. દેશના દરેક નાગરિક પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્ર પ્રત્યે પોતાની શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરે તે જ આ અભિયાનનો મુખ્ય સંદેશ છે.
*હિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચે નવનિર્મિત બ્રિજમાં ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરાયા* ****
સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર ખાતે નાગરિકોની સુવિધા માટે ચાલી રહેલા વિકાસકાર્યો અંતર્ગત હિંમતનગર તાલુકામાં સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધી નવનિર્મિત બ્રિજનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે.જે અંતર્ગત આજે રેલવે વિભાગ દ્વારા રેલવે પોર્શનમાં સ્ટીલ ગર્ડરને લોન્ચ કરવાનો બ્લોક બપોરે 12 થી 3 દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
બપોરના સમય દરમિયાન રેલવે ટ્રેક LC 82 ઉપર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ચારેય સ્ટીલ ગર્ડરનું કુલ વજન ૧૨૧ મેટ્રિક ટન છે અને તેની લંબાઈ ૩૭.૨૦૦ મીટરની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત બ્રિજની કુલ લંબાઈ ૬૨૩.૨૦ મીટર અને પહોળાઈ ૭.૫૦ મીટરની છે.
આ અત્યાધુનિક ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણ થવાથી સાબરકાંઠા જિલ્લાના નાગરિકો અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે સગવડ મળશે તેમજ હિંમતનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી નડતરરૂપ ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં પણ ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાઈ છે. ****
*ખેડબ્રહ્મા ખાતે ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 20 નવીન બસોનો મંત્રીશ્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો* ** *આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે-મંત્રીશ્રી પી. સી. બરંડા*
*** આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના નાગરિકો સુધી વાહનવ્યવહારની સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા” અંતર્ગત 20 નવીન બસોને મંત્રીશ્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતો મંત્રીશ્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ નવીન બસો મુખ્યત્વે આદિજાતિના બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવી છે.
આ બસો વિશેષ રૂપે શાળા-કોલેજોના સમયે જ સંચાલિત કરવામાં આવશે, જેથી અંતરિયાળ ગામડાઓના બાળકો સમયસર અને સુરક્ષિત રીતે પોતાની શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચી શકે. શાળાના સમયે બસ સુવિધા મળવાથી બાળકોનો કિંમતી સમય બચશે, તેમની સુરક્ષા સુનિશ્ચિત થશે અને શિક્ષણમાં ઝડપ આવશે. આદિજાતિના બાળકો વિના કોઈ અગવડે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી દેશના વિકાસમાં સહભાગી બને તે જ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
વડાપ્રધાનશ્રીના ડીજલ બચાવવાના અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં ખેડબ્રહ્મા ડેપોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.તે બદલ ખેડબ્રહ્મા ડેપોના સારથીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી,નગરપાલિકા પ્રમુખશ્રી,અગ્રણી કનુભાઈ પટેલ,પૂર્વ સાંસદશ્રી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ,પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સકસેના, પ્રાંત અધિકારીશ્રી નિમેષભાઈ પટેલ, ડેપો વિભાગીય નિયામકશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
*ITI હિંમતનગર ખાતે ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું* ***** સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), હિંમતનગર ખાતે વન વિભાગના સહયોગથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને વૃક્ષોનું મહત્વ સમજાવવાના ઉદ્દેશ્યથી ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, પર્યાવરણની સંતુલના જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું ઉછેર કરવું એ આજના સમયની માંગ છે. તેમણે સરકારશ્રીના ‘એક પેડ મા કે નામ’ તથા ‘કેચ ધ રેઇન’ અભિયાનનું મહત્વ સમજાવવાની સાથે તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીની માંગને અનુરૂપ કૌશલ્ય વિકસાવવા અને પ્રકૃતિને આપણા સ્વાસ્થ્યનું અભિન્ન અંગ ગણાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આચાર્ય શ્રી જે.એન. પુરોહિત દ્વારા પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવી સંસ્થાના કેમ્પસને હરિયાળું બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વન વિભાગના માર્ગદર્શન હેઠળ સંસ્થા પરિસરમાં વિવિધ ઔષધીય અને છાંયડો આપતા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી બી.એમ. પટેલ,હાંસલપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી અનિતાબેન પ્રજાપતિ, અગ્રણીશ્રી હિતેન્દ્રભાઇ પટેલ, અગ્રણી શ્રી નરેશભાઇ પરમાર તથા વન વિભાગના ફોરેસ્ટર શ્રી કે.એ. ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. *****
હાથરોલ ગામની શ્રી શાંતાબેન આર. શાહ હાઈસ્કૂલ ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમો સાથે દીકરીઓને માર્ગદર્શન અપાયું
સાબરકાંઠા જિલ્લામાં ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી મહિલા અને બાળ અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ સ્થિત શ્રી શાંતાબેન આર. શાહ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન એડોલેસન્ટ કાઉન્સેલરશ્રીએ કિશોરીઓને માસિક ચક્ર તથા માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ સ્વચ્છતા સાધનોના યોગ્ય ઉપયોગ વિશે પણ માહિતગાર કર્યા હતા. DHEW ટીમ દ્વારા બાળ સુરક્ષા માટેના POCSO અધિનિયમ તેમજ Good Touch – Bad Touch અંગે જાગૃતિ લાવી દીકરીઓને પોતાના અધિકારો અને સુરક્ષા અંગે માહિતગાર કરી હતી.
કાર્યક્રમના અંતે ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાને વેન્ડિંગ મશીન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન DHEW ટીમ (જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, ગામના સરપંચશ્રી, એડોલેસન્ટ કાઉન્સેલર, DHEW ટીમ, શિક્ષકગણ, આંગણવાડી કાર્યકર બહેનો, બાલિકા પંચાયતના સભ્યો, શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ OSC અને PBSCના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
GK TV News Gujarati
*સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી*
*પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી લહેરાવ્યો તિરંગો*
*વિકસિત ભારતના સંકલ્પ સાથે સાબરકાંઠાની ધરતી પર આઝાદીનો મહોત્સવ ઉજવાયો*
*સાબરકાંઠાના વિકાસ કામો માટે મંત્રીશ્રીએ ૨૫ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો*
*શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વની અગ્રણી શક્તિ બનાવવા પ્રભારી મંત્રીશ્રીનું આહ્વાન*
ખેડબ્રહ્મા: 15 ઓગસ્ટ 2026
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની શેઠ કે. ટી. હાઇસ્કુલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી રાષ્ટ્રધ્વજને વંદન કર્યા હતા. દેશભક્તિના માહોલમાં મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના નાગરિકોને સંબોધતા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણ માટે દરેક નાગરિકને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
ઉજવણી દરમિયાન પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આઝાદીનું આ અમૃત પર્વ એ માત્ર ઉત્સવ નથી પરંતુ લાખો શહીદોના બલિદાનની અમર ગાથાને યાદ કરવાનો અવસર છે. મહાત્મા ગાંધીએ સ્વરાજની નેમ લીધી હતી, ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે સ્વરાજથી સુરાજ તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે રાષ્ટ્ર પ્રથમનો ભાવ હોય ત્યારે દરેક નિર્ણય દેશહિતમાં હોય છે. ભારત આજે ૧૧મા ક્રમથી છલાંગ લગાવી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, જે દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે.
વિકાસની આંકડાકીય વિગતો રજૂ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓમાં ગુજરાત મોખરે રહ્યું છે. આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, જન ધન યોજના અને પીએમ સૂર્ય ઘર જેવી વિવિધ યોજનાઓમાં અગ્ર રહીને આજે ગુજરાતે નવી ક્રાંતિ સર્જી છે, જ્યારે એટીએસ અને પોલીસતંત્રે આતંકવાદ અને ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સાબરકાંઠા જિલ્લાના સંદર્ભમાં તેમણે હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ધરોઈ ભાગ-૨ યોજના દ્વારા પીવાનું શુદ્ધ પાણી અને ખેતી ક્ષેત્રે બટાકાના ઉત્પાદનમાં થયેલા ધરખમ વધારાનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ કામો માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો.
આઝાદીના આ પર્વ નિમિત્તે ખેડબ્રહ્માની વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શેઠ કે. ટી. હાઈસ્કૂલ અને સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલના બાળકોએ દેશભક્તિ ગીતો પર નૃત્ય પ્રસ્તુત કર્યા હતા, જ્યારે આંગણવાડીના ભૂલકાંઓએ 'ગરવી ગુજરાત'ની ગૌરવ ગાથા રજૂ કરી હતી. આ ઉપરાંત, જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી અને મહિલા પોલીસ ટીમ દ્વારા સૂર્યનમસ્કાર, યોગ અને કરાટેના નિદર્શન દ્વારા શારીરિક સૌષ્ઠવ અને આત્મરક્ષાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી પર રજૂ કરાયેલા નાટકે સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો તેમજ ઉપસ્થિત સૌને મંત્રીશ્રીએ માર્ગ સલામતીનો સંકલ્પ લેવડાવ્યો હતો.
કાર્યક્રમના અંતમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરોનું પ્રભારી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ માર્ગ સલામતી માટે ટોઈંગ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન ખરાડી, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી. ડી. ઝાલા અને ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. પી. પાટીદાર, નિવાસી અધિક કલેકટર શ્રીમતી ક્રિષ્ના વાઘેલા, પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ અને શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
2 hours ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
આજરોજ ખેડબ્રહ્મા ખાતેથી હિંમતનગર શહેર માં ફોરવીલ તેમજ ટુવીલ માટે ટોઇંગ વાહન ને ફ્લેગ ઓફ કરવામાં આવેલ.
સદર બંને ટોઇંગ વાહનો આજરોજ સાંજે 4 વાગે તારીખ 15-08 પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી હિંમતનગર ખાતેથી હિંમતનગર શહેરમાં સૂચના રૂપે પેટ્રોલિંગ કરવામાં આવનાર છે.
2 hours ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
*‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પ્રાંતિજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ*
*****
*પ્રાંતિજ ખાતે યોજાનારી તિરંગા યાત્રામાં વિવિધ જનપ્રતિનિધિઓ, આગેવાનો તથા નગરજનો જોડાયા*
*******
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિના ભાવ સાથે *‘હર ઘર તિરંગા યાત્રા’*નું આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સૌ નાગરિકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ગૌરવ અને સન્માનપૂર્વક લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. *‘હર મન તિરંગા, હર ઘર તિરંગા’*ના સંકલ્પ સાથે સમગ્ર પ્રાંતિજ દેશભક્તિના રંગે રંગાયુ હતું.
આ તિરંગા યાત્રામાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અનિતાબેન જે. પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અંકિતાબેન પટેલ, શ્રી વિજયરાજસિંહ ઝાલા, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રીમતી નિર્મલાબેન પંચાલ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ગીરીશભાઈ ડી. પટેલ, શ્રી કુશાલ બ્રહ્મભટ્ટ, શ્રી ચિંતનભાઈ પટેલ, હિતીપભાઈ રાવળ, તેમજ અન્ય આગેવા સહિતના આગેવાનો મામલતદારશ્રી, ટી.ડી.ઓ.શ્રી, શેઠ પી.એન્ડ આર. હાઈસ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફ સહિતના વિવિધ વર્ગના લોકો જોડાઈ દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો.
*******"
3 days ago | [YT] | 3
View 0 replies
GK TV News Gujarati
હિંમતનગરની 40 વર્ષ જૂની રોટરી ક્લબ ઓફ હિંમતનગરનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો
રોટેરિયન મનીષ કિંમતાણી પ્રમુખ બન્યા; 123 સભ્યોએ શપથ લીધા, સેવા અને સમાજકલ્યાણના કાર્યો માટે સંકલ્પ
હિંમતનગરની 40 વર્ષ જૂની અને શહેરની અગ્રણી સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ હિંમતનગરનો વર્ષ 2026–27 માટે પ્રમુખ, સેક્રેટરી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ નવા સભ્યોના શપથવિધિનો ભવ્ય પદગ્રહણ સમારોહ હિંમતનગર ખાતે ભવ્યતાપૂર્વક યોજાયો હતો. સમારોહમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, હિંમતનગર કેળવણી મંડળ અને શ્રી શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્સ્ટોલેશન ઓફિસર શ્રી નૈમિષ રવાની, ઇન્ડક્શન ઓફિસર ડૉ. અરુણ પરીખ તથા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી અજય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલછડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષ 2025–26 દરમિયાન હિંમતનગર રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર સેવાકાર્યો બદલ ક્લબને પ્રાપ્ત થયેલા 15 એવોર્ડની પણ ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રોટરી ક્લબના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 100 નવા રોટેરિયન સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ રોટેરિયન મનીષ કિંમતાણીએ પ્રમુખ તરીકે અને રોટેરિયન જયપ્રકાશ રાવલે સેક્રેટરી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમે પણ શપથ લીધા હતા. આમ કુલ 123 સભ્યોના શપથગ્રહણ સાથે આ સમારોહ ઐતિહાસિક બની રહ્યો હતો.
હિંમતનગર રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે રોટેરિયન મનીષ કિંમતાણીની વરણી ખાસ નોંધપાત્ર રહી હતી. ક્લબના સૌથી ઓછી ઉંમરના પ્રમુખોમાં સ્થાન મેળવનાર મનીષ કિંમતાણીને તેમની સતત મહેનત, કાર્યક્ષમતા, સંગઠનક્ષમતા અને સેવાભાવી અભિગમના આધારે પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી હતી. નાની ઉંમર હોવા છતાં તેમણે પોતાની નેતૃત્વ ક્ષમતા, સમર્પણ અને પરિણામલક્ષી કાર્યશૈલીથી ક્લબના સભ્યોનો વિશ્વાસ જીત્યો છે. તેમના નેતૃત્વ હેઠળ ક્લબે 100 નવા સભ્યોને જોડીને કુલ 123 સભ્યોના શપથગ્રહણ સાથે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે તેમની કાબિલિયત અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન મનીષ કિંમતાણીએ જણાવ્યું હતું કે, ક્લબ દ્વારા આગામી વર્ષ દરમિયાન 500 બોટલ રક્તદાનનો લક્ષ્યાંક, શહેરની વિવિધ સોસાયટીઓના કોમન પ્લોટમાં 10,000 વૃક્ષોના રોપાઓનું વાવેતર, તેમજ સ્લમ વિસ્તારોમાં બાળકોને તેમના ઘરે જઈ શિક્ષણ આપવાની સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ક્લબ દ્વારા અત્યાર સુધીમાં 45 બોટલ રક્તદાન અને 150 વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ, શિક્ષણ, પર્યાવરણ અને માનવ કલ્યાણના ક્ષેત્રોમાં વિવિધ સેવાકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને સર્વાઈકલ કેન્સર નિદાન માટે પાંચ સ્ક્રીનિંગ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ મહિલાઓ માટે રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં રોટરી ક્લબ દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન મનીષ કિંમતાણી તથા તેમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. મહેમાનોએ રોટરી ક્લબના સેવાકાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી ભવિષ્યમાં જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
3 days ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
ગામે એસઆરપી જવાનોની ભવ્ય તિરંગા યાત્રા, 300થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા
#TirangaYatra #SRP #Idar #Mudeti #Sabarkantha #DeshBhakti #Tiranga #GujaratPolice
સાબરકાંઠા : ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલા એસઆરપીના મુખ્ય કેમ્પથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં એસઆરપીના 300થી વધુ પોલીસ કર્મીઓ તિરંગા સાથે જોડાયા હતા.
એસઆરપી જવાનો દ્વારા તિરંગા સાથે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. યાત્રામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
એસઆરપી જવાનોની ભવ્ય તિરંગા રેલીના કારણે મુડેટી ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. દેશ પ્રત્યેનો પ્રેમ અને એકતાનો સંદેશ આપતી આ તિરંગા યાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
3 days ago | [YT] | 1
View 0 replies
GK TV News Gujarati
*એસ.બી. મહિલા આર્ટ્સ કોલેજ, મહેતાપુરા, હિંમતનગર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરાયું*
આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે, એસ.બી. મહિલા આર્ટ્સ કોલેજ મહેતાપુરા, હિંમતનગર દ્વારા ‘હર ઘર તિરંગા’અભિયાન અંતર્ગત એક ઉત્સાહવર્ધક તિરંગા રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભવના વધુ સુદ્રઢ કરવાનો હતો. કોલેજ કેમ્પસ ખાતેથી સંસ્થાના આચાર્યશ્રી, અધ્યાપકગણ તેમજ સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હાથમાં આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ અને ‘હર ઘર તિરંગા’નું બેનર ધારણ કરીને નીકળેલી કોલેજની વિદ્યાર્થીનીઓના દેશભક્તિસભર ઉત્સાહથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ તિરંગા રેલી કોલેજ પરિસરથી પ્રારંભ થઈ મહેતાપુરા અને હિંમતનગર શહેરના માર્ગો પર ફરી હતી.
રેલી દરમિયાન વિદ્યાર્થીનીઓએ "ભારત માતા કી જય", "વંદે માતરમ" અને "હર ઘર તિરંગા" જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વિસ્તારને ગુંજવી મૂક્યો હતો. સ્થાનિક નાગરિકોએ પણ જગ્યાએ જગ્યાએ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા સંકલ્પબદ્ધ બન્યા હતા. દેશના દરેક નાગરિક પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્ર પ્રત્યે પોતાની શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરે તે જ આ અભિયાનનો મુખ્ય સંદેશ છે.
5 days ago | [YT] | 3
View 0 replies
GK TV News Gujarati
*હિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચે નવનિર્મિત બ્રિજમાં ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરાયા*
****
સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર ખાતે નાગરિકોની સુવિધા માટે ચાલી રહેલા વિકાસકાર્યો અંતર્ગત હિંમતનગર તાલુકામાં સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધી નવનિર્મિત બ્રિજનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે.જે અંતર્ગત આજે રેલવે વિભાગ દ્વારા રેલવે પોર્શનમાં સ્ટીલ ગર્ડરને લોન્ચ કરવાનો બ્લોક બપોરે 12 થી 3 દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
બપોરના સમય દરમિયાન રેલવે ટ્રેક LC 82 ઉપર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ચારેય સ્ટીલ ગર્ડરનું કુલ વજન ૧૨૧ મેટ્રિક ટન છે અને તેની લંબાઈ ૩૭.૨૦૦ મીટરની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત બ્રિજની કુલ લંબાઈ ૬૨૩.૨૦ મીટર અને પહોળાઈ ૭.૫૦ મીટરની છે.
આ અત્યાધુનિક ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણ થવાથી સાબરકાંઠા જિલ્લાના નાગરિકો અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે સગવડ મળશે તેમજ હિંમતનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી નડતરરૂપ ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં પણ ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાઈ છે.
****
1 week ago | [YT] | 2
View 0 replies
GK TV News Gujarati
*ખેડબ્રહ્મા ખાતે ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 20 નવીન બસોનો મંત્રીશ્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો*
**
*આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે-મંત્રીશ્રી પી. સી. બરંડા*
***
આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના નાગરિકો સુધી વાહનવ્યવહારની સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા” અંતર્ગત 20 નવીન બસોને મંત્રીશ્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતો મંત્રીશ્રી પી. સી. બરંડાએ
જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ નવીન બસો મુખ્યત્વે આદિજાતિના બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવી છે.
આ બસો વિશેષ રૂપે શાળા-કોલેજોના સમયે જ સંચાલિત કરવામાં આવશે, જેથી અંતરિયાળ ગામડાઓના બાળકો સમયસર અને સુરક્ષિત રીતે પોતાની શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચી શકે. શાળાના સમયે બસ સુવિધા મળવાથી બાળકોનો કિંમતી સમય બચશે, તેમની સુરક્ષા સુનિશ્ચિત થશે અને શિક્ષણમાં ઝડપ આવશે. આદિજાતિના બાળકો વિના કોઈ અગવડે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી દેશના વિકાસમાં સહભાગી બને તે જ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
વડાપ્રધાનશ્રીના ડીજલ બચાવવાના અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં ખેડબ્રહ્મા ડેપોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.તે બદલ ખેડબ્રહ્મા ડેપોના સારથીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી,નગરપાલિકા પ્રમુખશ્રી,અગ્રણી કનુભાઈ પટેલ,પૂર્વ સાંસદશ્રી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ,પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સકસેના, પ્રાંત અધિકારીશ્રી નિમેષભાઈ પટેલ, ડેપો વિભાગીય નિયામકશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
****
1 week ago | [YT] | 3
View 0 replies
GK TV News Gujarati
*ITI હિંમતનગર ખાતે ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું*
*****
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), હિંમતનગર ખાતે વન વિભાગના સહયોગથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને વૃક્ષોનું મહત્વ સમજાવવાના ઉદ્દેશ્યથી ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, પર્યાવરણની સંતુલના જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું ઉછેર કરવું એ આજના સમયની માંગ છે. તેમણે સરકારશ્રીના ‘એક પેડ મા કે નામ’ તથા ‘કેચ ધ રેઇન’ અભિયાનનું મહત્વ સમજાવવાની સાથે તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીની માંગને અનુરૂપ કૌશલ્ય વિકસાવવા અને પ્રકૃતિને આપણા સ્વાસ્થ્યનું અભિન્ન અંગ ગણાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આચાર્ય શ્રી જે.એન. પુરોહિત દ્વારા પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવી સંસ્થાના કેમ્પસને હરિયાળું બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વન વિભાગના માર્ગદર્શન હેઠળ સંસ્થા પરિસરમાં વિવિધ ઔષધીય અને છાંયડો આપતા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી બી.એમ. પટેલ,હાંસલપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી અનિતાબેન પ્રજાપતિ, અગ્રણીશ્રી હિતેન્દ્રભાઇ પટેલ, અગ્રણી શ્રી નરેશભાઇ પરમાર તથા વન વિભાગના ફોરેસ્ટર શ્રી કે.એ. ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
*****
1 week ago | [YT] | 2
View 0 replies
GK TV News Gujarati
સાબરકાંઠામાં ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી કરાઈ
હાથરોલ ગામની શ્રી શાંતાબેન આર. શાહ હાઈસ્કૂલ ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમો સાથે દીકરીઓને માર્ગદર્શન અપાયું
સાબરકાંઠા જિલ્લામાં ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી મહિલા અને બાળ અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ સ્થિત શ્રી શાંતાબેન આર. શાહ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન એડોલેસન્ટ કાઉન્સેલરશ્રીએ કિશોરીઓને માસિક ચક્ર તથા માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ સ્વચ્છતા સાધનોના યોગ્ય ઉપયોગ વિશે પણ માહિતગાર કર્યા હતા. DHEW ટીમ દ્વારા બાળ સુરક્ષા માટેના POCSO અધિનિયમ તેમજ Good Touch – Bad Touch અંગે જાગૃતિ લાવી દીકરીઓને પોતાના અધિકારો અને સુરક્ષા અંગે માહિતગાર કરી હતી.
કાર્યક્રમના અંતે ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાને વેન્ડિંગ મશીન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન DHEW ટીમ (જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, ગામના સરપંચશ્રી, એડોલેસન્ટ કાઉન્સેલર, DHEW ટીમ, શિક્ષકગણ, આંગણવાડી કાર્યકર બહેનો, બાલિકા પંચાયતના સભ્યો, શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ OSC અને PBSCના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
1 week ago | [YT] | 4
View 0 replies
Load more