મેળવો તમામ અપડેટ જી કે ટી વી ના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી આ યુ ટૂબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો રાજકમલસિંહ પરમાર બ્યુરો ઓફિસ મહેતાપુરા વિસ્તાર. હિંમતનગર સાબરકાંઠા 9714403435
તા. 21/07/2026 ના રોજ પ્રાથમિક શાળા, વાંટડા ગામે પશુપાલન વિભાગ તથા GVK EMRI GREEN HEALTH SERVICES સંચાલિત "10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું" યોજના અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફરતા પશુ દવાખાનાના ડૉ. કૃણાલ પરમાર અને પાયલોટ હર્ષદભાઈ કટારા દ્વારા પશુઓમાંથી માણસોમાં ફેલાતા રોગો (ઝૂનોટિક રોગો), તેનાથી બચવાના ઉપાયો તેમજ ફરતા પશુ દવાખાનાની સેવાઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શિબિરમાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે રસપૂર્વક માહિતી મેળવી હતી અને આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિને ખૂબ જ ઉપયોગી ગણાવી આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ દ્વારા ડૉ. કૃણાલ પરમાર અને પાયલોટ હર્ષદભાઈ કટારાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
*પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ગેડ ગામ ખાતે સાબરમતી નદી ઉપર રૂ. ૪૧૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજનું ઈ-ખાતમુહૂર્ત આવતીકાલે યોજાનાર છે. જેના અનુસંધાને આજે આજે મારા પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ગેડ ગામની મુલાકાત લઈ સાબરમતી નદી ઉપર નિર્માણ પામનારા ગેડ બેરેજના સ્થળનું નિરીક્ષણ કર્યું તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે યોજનાની કામગીરી અને તેના થનારા લાભો અંગે વિગતવાર ચર્ચા કરી. ત્યારબાદ ગેડ ગ્રામ પંચાયતના સરપંચશ્રી નટવરસિંહ રાઠોડના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લઈ ચા પર વિસ્તારના વિકાસ, લોકહિતના વિવિધ પ્રશ્નો તથા આગામી વિકાસલક્ષી યોજનાઓ અંગે આત્મીય ચર્ચા કરી.*
*રૂ. ૪૧૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજ પ્રાંતિજ વિધાનસભા સહિત સમગ્ર વિસ્તાર માટે વિકાસનું નવું સીમાચિહ્ન સાબિત થશે. આ યોજનાથી આશરે ૩૫૩ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે, લગભગ ૮ કિલોમીટર લાંબું સરોવર નિર્માણ પામશે તેમજ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કુલ ૧૧ ગામોની અંદાજે ૧૪૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે. સાથે જ ભૂગર્ભ જળસ્તરમાં વધારો, જળસંચયની ક્ષમતામાં વૃદ્ધિ અને કૃષિ વિકાસને નવી ગતિ મળશે.*
રાજકમલસિંહ પરમાર ઇસ્કોન મંદિર દ્વારા હિંમતનગરના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રા મહારાણીની ભવ્ય રથયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાવન અવસરે ઇસ્કોન અમદાવાદ, ઇસ્કોન સુરેન્દ્રનગર, ઇસ્કોન વડોદરા અને ઇસ્કોન વલ્લભ વિદ્યાનગર સહિત ગુજરાતના વિવિધ ઇસ્કોન મંદિરોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી હરિનામ સંકીર્તન દ્વારા સમગ્ર શહેરને ભક્તિમય બનાવી દીધું હતું. "હરે કૃષ્ણ" ના ગુંજતા મહામંત્ર સાથે સમગ્ર રથયાત્રા માર્ગ પર દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આ ભવ્ય રથયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા પ્રમુખ કનકસિંહ ઝાલા, સંપતસિહ રાજપુરોહિત, દિનેશભાઈ સોનગરા તથા તેમની સમગ્ર ટીમ, વિશ્વ હિંદુ પરિષદના હિતેશભાઈ તથા તેમની સમગ્ર ટીમ, આર.એસ.એસ.ના સુશીલભાઈ અને તમામ સ્વયંસેવકો તેમજ સમસ્ત હિંદુ સમાજના નિરવભાઈ, પ્રદીપસિંહ રાઠોડ, મહેશસિંહ ચૌહાણ, રાજુભાઈ માલવિયા અને તેમની સમગ્ર ટીમે ઉત્સાહભેર જોડાઈ આ આયોજનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હિંમતનગર શહેરમાં સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તિ, ઉત્સાહ અને આનંદનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના અનેક શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી રથને ખેંચવાનો લાભ લીધો તેમજ હરિનામ સંકીર્તનમાં જોડાઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો. આ સમગ્ર રથયાત્રાનું આયોજન હિંમતનગર તથા ઇસ્કોન સુરેન્દ્રનગરના કેન્દ્ર પ્રબંધક પરમ આદરણીય શ્રીમાન મુરલીમોહન દાસ પ્રભુજી તેમજ ઇસ્કોન વલ્લભ વિદ્યાનગરના ટેમ્પલ કમિટી મેમ્બર શ્રી પીતાંબર કૃષ્ણ દાસ પ્રભુજીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું. અંતમાં આયોજક સંસ્થા ભક્તિવેદાંત આશ્રમ, હિંમતનગર દ્વારા આ ભવ્ય રથયાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સંતો, ભક્તો, સ્વયંસેવકો, વિવિધ હિંદુ સંગઠનો તથા હિંમતનગરના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
હિંમતનગર ખાતે મોતીપુરા સર્કલ ડેવલોપમેન્ટ તેમજ ત્યાં આકાર લેનાર મહારાણા પ્રતાપના નવીન સ્ટેચ્યુના આયોજન અંગે હિંમતનગર ના લોકપ્રિય ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા સાહેબે નગરપાલિકાના સંગઠનના હોદ્દેદારો, એજન્સી અને સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત સ્થળ સમીક્ષા યોજી હતી.
આ દરમિયાન વિકાસકાર્યોના વિવિધ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરી, આયોજનબદ્ધ તેમજ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. ત્યારબાદ મોતીપુરા ખાતે નાગરિકોને વધુ સુવિધાજનક અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પાર્કિંગ વ્યવસ્થાનું પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત, શહેરના મહત્વાકાંક્ષી કેનાલ ફ્રન્ટ - ૨ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ, જેમાં સ્વર્ગીય અટલજીની પ્રતિમા તથા નવો કોમ્યુનિટી હોલ, પાર્કિંગ અને બગીચા સહિતની વ્યવસ્થાઓ સામેલ છે, તેની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, હિંમતનગર-અંબાજી બાયપાસ રોડ ઉપર હાસલપુર ગામે તૈયાર થઈ રહેલ સાબરકાંઠા જિલ્લાના અદ્યતન ફાયર સ્ટેશનની નવી બિલ્ડિંગની મુલાકાત લઈ કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી તેમજ સમયસર કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
હિંમતનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે વિકાસકાર્યોને વધુ ગતિ આપવા અમે સતત પ્રયત્નશીલ છીએ.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓ: નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, ઉપ પ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન શ્રી અમ્રતભાઈ પુરોહિત, દિવા બત્તી ચેરમેન શ્રી જયેશભાઈ ભાટ, નગરપાલિકા ફાયર સ્ટેશન ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા, ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવી તેમજ નગરપાલિકાના અધિકારીશ્રીઓ અને એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*દલપુર-હિંમતનગર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 'કિસાન દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો* *** *વિવિધ કૃષિ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય પત્રોનું વિતરણ કરાયું* ****
સાબરકાંઠા જિલ્લામાં બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 'કિસાન સમૃદ્ધિ મહોત્સવ' અંતર્ગત દલપુર-હિંમતનગર સ્થિત વિન્તાના હોટલ ખાતેએક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી પ્રમોદકુમારની ઉપસ્થિતિમાં 'કિસાન દિવસ' ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બેન્ક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી પ્રમોદકુમારે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવામાં દેશના અન્નદાતાઓનો ફાળો સર્વોપરી છે. ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રનું સશક્તિકરણ અનિવાર્ય છે, જેમાં બેન્કિંગ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરી રહ્યું છે. બેન્ક ઓફ ઇન્ડિયા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે અને 'વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશના ખૂણે-ખૂણે ટેકનોલોજી આધારિત કૃષિ ધિરાણ તેમજ આધુનિક બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે બેન્ક હંમેશા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ગ્રામીણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે વિવિધ નાણાકીય સેવાઓ તેમજ સવલતો અવિરતપણે પૂરી પાડવામાં આવી રહી છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બેંકના અધિકારીશ્રીઓ દ્વારા બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી ખેડૂતલક્ષી યોજનાઓ વિશેની વિગતે માહિતી આપવામાં આવી હતી.
આ ઉજવણી કાર્યક્રમ દરમિયાન બેન્કની વિવિધ કલ્યાણકારી અને કૃષિ લક્ષી યોજનાઓ હેઠળ પસંદગી પામેલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજૂરી પત્રો તેમજ વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બેંક ના કાર્યપાલક નિદેશક શ્રી પ્રમોદકુમાર દ્વિબેદી , ગુજરાત ના ફીલ્ડ જનરલ મેનેજર શ્રી અજય કુમાર ત્રિપાઠી, ગાંધીનગર ઝોન ના ઝોનલ મેનેજર દીપ્તિ અગ્રવાલ મેડમ, ગુજરાત ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શ્રીજીત શંકર બહેરા, ગાંધીનગર ઝોન ના ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી જુગલ કિશોર અને ગુજરાત ઓફિસ ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ડૉ. ભંવરલાલ હર્ષ સાબરકાંઠા જિલ્લા ના બેન્કના , સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
*ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન: હરિયાણાના પાટા પરથી ઉદભવતી એક નવી હરિત ક્રાંતિ*
આલેખન: જીગર ખુંટ
*એક નવા યુગનો સૂર્યોદય*
૧૭ જુલાઈ, ૨૦૨૬. હરિયાણાનું જિંદ રેલ્વે સ્ટેશન માત્ર એક સામાન્ય જંકશન મટીને ભારતીય રેલ્વેના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું એક પ્રતીક બની જશે. જ્યારે ભારતના વડાપ્રધાન આ દેશની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરશે, ત્યારે તે માત્ર એક ટ્રેનની મુસાફરીનો પ્રારંભ નહીં હોય, પરંતુ ભારતના પરિવહન ક્ષેત્રમાં 'ડિઝલ યુગ'ના અંત અને 'હરિત હાઈડ્રોજન યુગ'ના પ્રારંભની ઘોષણા હશે. પર્યાવરણીય સુરક્ષા અને અત્યાધુનિક ઈજનેરી કૌશલ્યના સંગમ સમાન આ પ્રોજેક્ટ ભારતને વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોની હરોળમાં લાવી દે છે જેઓ પાસે હાઈડ્રોજન સંચાલિત રેલ ટેકનોલોજી છે.
*ટેકનોલોજીનું હાર્દ: HEMU અને રિફિટિંગની કળા*
આ ટ્રેન કોઈ સામાન્ય રેલ નથી, પરંતુ એક અત્યાધુનિક 'હાઈડ્રોજન-ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ' (HEMU) છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની નિર્માણ પ્રક્રિયામાં રહેલી છે. ભારતીય રેલ્વેએ શૂન્યથી શરૂઆત કરવાને બદલે, હયાત સંસાધનોનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. વર્ષોથી સેવા આપી રહેલા જૂના 'ડીઝલ ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ' (DEMU) રેકને જ અદ્યતન હાઈડ્રોજન ફ્યુઅલ સેલ અને લિથિયમ બેટરી પ્રોપલ્શન આર્કિટેક્ચર સાથે રિફિટ (Retrofitting) કરવામાં આવ્યા છે.
આ આખી પ્રક્રિયા પાછળ ૧૩૬ કરોડ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની સૌથી ગર્વ લેવા જેવી બાબત તેની 'સ્વદેશી' બનાવટ છે. હાઇડ્રોજન ટ્રેનનું નિર્માણ અને એકીકરણ ભારતીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) એ તેની તકનીકી બ્લુપ્રિન્ટ તૈયાર કરી, મેસર્સ મેધા સર્વો ડ્રાઇવ્સે તેની સિસ્ટમ ઇન્ટિગ્રેટ કરી અને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) એ તેના આકર્ષક બાહ્ય દેખાવ અને કોચની ડિઝાઇન તૈયાર કરી છે.
*કાર્યપદ્ધતિ: શૂન્ય ઉત્સર્જન પાછળનું વિજ્ઞાન*
હાઈડ્રોજન ટ્રેન કેવી રીતે ચાલે છે? આ પ્રશ્નનો ઉત્તર તેના 'ઇલેક્ટ્રોકેમિકલ' એન્જિનિયરિંગમાં છુપાયેલો છે. ટ્રેનની છત પર અથવા વિશિષ્ટ ડબ્બાઓમાં રાખવામાં આવેલી હાઈડ્રોજન ટેન્કમાંથી સંકુચિત (Compressed) હાઈડ્રોજનને ફ્યુઅલ સેલમાં મોકલવામાં આવે છે. અહીં, બહારની હવામાંથી લેવામાં આવેલા ઓક્સિજન સાથે હાઈડ્રોજનનું મિશ્રણ થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઈલેક્ટ્રોન અલગ પડે છે, જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાની સૌથી અદભૂત બાબત એ છે કે તેના બાય-પ્રોડક્ટ તરીકે કોઈ હાનિકારક ધુમાડો કે કાર્બન ડાયોક્સાઈડ નીકળતો નથી, પરંતુ માત્ર શુદ્ધ પાણીની વરાળ અને ગરમી બહાર નીકળે છે.
આ પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે 'હાઇબ્રિડ પાવર સ્પ્લિટિંગ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રેન સ્થિર અવસ્થામાંથી ગતિ પકડે છે અથવા ઝડપથી આગળ વધવાનું હોય છે, ત્યારે માત્ર ફ્યુઅલ સેલ પૂરતો હોતો નથી. આવી સ્થિતિમાં, ટ્રેનમાં લાગેલી લિથિયમ ફેરો ફોસ્ફેટ (LFP) બેટરી આપમેળે સક્રિય થાય છે અને વધારાની ઉર્જા પૂરી પાડે છે. આ બેટરી અને ફ્યુઅલ સેલ વચ્ચેનું સંતુલન એક અત્યાધુનિક સોફ્ટવેર દ્વારા નિયંત્રિત થાય છે, જે મુસાફરીને આંચકા રહિત અને શાંત બનાવે છે.
*રીજનરેટિવ બેલેન્સિંગ: ઉર્જાનો બુદ્ધિશાળી વપરાશ*
આ ટ્રેનની સૌથી પ્રશંસનીય બાબત તેની 'રીજનરેટિવ બેલેન્સિંગ' ક્ષમતા છે. સામાન્ય રીતે ટ્રેન જ્યારે બ્રેક મારે ત્યારે ઉર્જાનો વ્યય થતો હોય છે. પરંતુ આ હાઈડ્રોજન ટ્રેનમાં જ્યારે પણ ડ્રાઈવર બ્રેક લગાવે છે અથવા ટ્રેન ઢાળ પર કે ઓછી ઝડપે દોડે છે, ત્યારે વધારાની વીજળી જે ફ્યુઅલ સેલ દ્વારા પેદા થઈ રહી હોય છે, તે વ્યય થવાને બદલે સીધી LFP બેટરીને રિચાર્જ કરવા માટે વાળવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે જ્યારે ટ્રેન તેના અંતિમ સ્ટેશને પહોંચે છે, ત્યારે તેની બેટરી લગભગ ૮૦% જેટલી ચાર્જ્ડ અવસ્થામાં હોય છે, જે આગામી મુસાફરી માટે સજ્જતા દર્શાવે છે.
*ઓપરેશનલ મેટ્રિક્સ: જિંદ-સોનીપત કોરિડોરનું ગણિત*
આ ટ્રેન હરિયાણાના ૮૯ કિલોમીટર લાંબા જિંદ-સોનીપત સેક્શન પર કાર્યરત થશે. આ રૂટની પસંદગી વ્યૂહાત્મક છે કારણ કે તે બિન-વીજળીકૃત ટ્રેક ધરાવે છે જ્યાં અત્યાર સુધી ડીઝલ ટ્રેનોનો દબદબો હતો. આ ટ્રેનસેટમાં કુલ આઠ પેસેન્જર કોચ અને બે ડ્રાઈવિંગ પાવર કાર છે, જે કુલ ૨૪૦૦ કિલોવોટ (અંદાજે ૩૨૦૦ હોર્સપાવર) ની શક્તિ પેદા કરે છે.
તકનીકી રીતે જોઈએ તો, આ ટ્રેન દરરોજ બે રાઉન્ડ ટ્રીપ પૂર્ણ કરશે અને તેની મહત્તમ ગતિ ૭૫ કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ મુસાફરી દરમિયાન તે આશરે ૩૦૦ કિલો હાઈડ્રોજનનો વપરાશ કરશે. એક સમયે આશરે ૨૬૦૦ મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવતી આ ટ્રેન સાબિત કરશે કે ગ્રીન એનર્જી માત્ર પ્રાયોગિક ધોરણે નહીં, પણ વ્યાવસાયિક ધોરણે પણ સફળ થઈ શકે છે.
*ઇન્ફ્રાસ્ટ્રક્ચર: જિંદનું ફ્યુઅલિંગ સ્ટેશન અને સુરક્ષા*
હાઈડ્રોજન ટ્રેન દોડાવવી જેટલી પડકારજનક છે, તેનાથી વધુ પડકારજનક તેને ઈંધણ પૂરું પાડવું છે. આ માટે રેલ્વેએ જિંદ ખાતે ૩,૦૦૦ કિલોની ક્ષમતા ધરાવતું સમર્પિત હાઈડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન બનાવ્યું છે. હાઈડ્રોજન વાયુ અત્યંત હળવો હોવાથી તેને સંગ્રહિત કરવો મુશ્કેલ છે. આથી, ટ્રેનની પાવર કાર પર તેને ૨૦૦ થી ૫૦૦ બારના પ્રચંડ દબાણ હેઠળ ખાસ રિઇનફોર્સ્ડ સ્ટોરેજ રેકમાં રાખવામાં આવે છે.
જિંદ ખાતેના સ્ટેશનમાં એક અદ્યતન 'ચિલર પ્લાન્ટ' સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ગેસને -૧૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો કરે છે. ગેસને આટલો ઠંડો કરવાનું કારણ તેની ઘનતા વધારવાનું છે, જેથી તે પ્રવાહી જેવા ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાય અને ટ્રેનની ટાંકીઓમાં ઝડપથી અને સુરક્ષિત રીતે ભરી શકાય. સુરક્ષાના માપદંડો એટલા કડક છે કે સહેજ પણ લિકેજ થવાની સ્થિતિમાં સેન્સર્સ તરત જ સિસ્ટમને બંધ કરી દે છે.
*આર્થિક અને પર્યાવરણીય પ્રભાવ*
ભારત સરકારનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ભારતીય રેલ્વેને 'નેટ ઝીરો કાર્બન એમિટર' બનાવવાનું છે. આ દિશામાં હાઈડ્રોજન ટ્રેન એક નિર્ણાયક પગલું છે. જોકે, એક કિલો હાઈડ્રોજનની કિંમત હાલમાં ડીઝલ કરતા વધુ હોઈ શકે છે, પરંતુ તેના લાંબાગાળાના ફાયદા અનેકગણા છે.
૧. *કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો:* આ ટ્રેન દર વર્ષે હજારો લિટર ડીઝલની બચત કરશે, જે વાતાવરણમાં લાખો ટન ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન અટકાવશે.
૨. *અવાજનું પ્રદૂષણ:* હાઈડ્રોજન ટ્રેનો ડીઝલ ટ્રેનોની સરખામણીમાં અત્યંત શાંત હોય છે, જે મુસાફરોના અનુભવમાં સુધારો કરે છે.
૩. *ઇલેક્ટ્રિફિકેશનની જરૂરિયાતનો અભાવ:* પહાડી વિસ્તારો અથવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં ઉપરથી ઈલેક્ટ્રિક લાઈનો નાખવી ખર્ચાળ અને મુશ્કેલ છે, ત્યાં હાઈડ્રોજન ટ્રેન એક આશીર્વાદ સમાન સાબિત થશે.
*નિષ્કર્ષ: માત્ર એક ટ્રેન નહીં, એક સંકલ્પ*
ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન એ માત્ર હરિયાણાના બે શહેરોને જોડતી કડી નથી, પરંતુ તે ભારતના આત્મનિર્ભર અને પર્યાવરણ પ્રેમી હોવાના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. ૧૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જ્યારે જિંદ-સોનીપત ટ્રેક પર આ ટ્રેન દોડશે, ત્યારે તે સમગ્ર વિશ્વને સંદેશ આપશે કે ભારત માત્ર ટેકનોલોજી અપનાવનાર દેશ નથી, પરંતુ નવી ટેકનોલોજીનું સર્જનહાર પણ છે.
જૂની ડીઝલ ટ્રેનોને આધુનિક શૂન્ય-ઉત્સર્જન વાહનોમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા એ સાબિત કરે છે કે ભારત તેના સંસાધનોનો મહત્તમ અને ટકાઉ ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે. આ ટ્રેન ભલે હમણાં ૭૫ કિમીની ઝડપે દોડે, પણ તે ભારતની પ્રગતિની ગતિને એક નવી અને સ્વચ્છ દિશા આપી રહી છે. આવનારા દાયકાઓમાં જ્યારે હાઈડ્રોજન ટ્રેનો સમગ્ર દેશમાં સામાન્ય બની જશે, ત્યારે જિંદની આ ઐતિહાસિક મુસાફરીને આ ક્રાંતિના ઉદ્ગમ સ્થાન તરીકે યાદ રાખવામાં આવશે.
*સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસ રોગચાળો અંતર્ગત તંત્રની સઘન અને સંકલિત કામગીરી* ***
સાબરકાંઠા જિલ્લામાં હાલ ચાલી રહેલ ચાંદીપુરા વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સરકારશ્રીની માર્ગદર્શિકા તેમજ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સુચના અને માર્ગદર્શન અનુસાર સઘન અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
તારીખ ૬ જુલાઈ ૨૦૨૬ થી આજદિન સુધીમાં પોશીના તાલુકાના ગણેર ગામમાં 1 બાળકનો ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ કેસ નોંધાયો છે. તે સિવાય તલોદ, વડાલી અને વિજયનગર તાલુકાના કુલ પાંચ શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવેલ છે, જે જિલ્લામાં નિયંત્રણ તરફ સકારાત્મક સંકેત આપે છે.
તદુપરાંત સરકારશ્રીની સુચના અનુસાર વર્ષ ૨૦૨૪ દરમિયાન જિલ્લામાં નોંધાયેલા કુલ 6 પોઝિટિવ કેસોના 5 ગામો તેમજ હાલના રોગચાળા દરમિયાન તારીખ ૬ જુલાઈ ૨૦૨૬ થી આજદિન સુધી ત્રણ તાલુકાના શંકાસ્પદ શોધાયેલ કેસના કુલ ૭ ગામોમાં રોગચાળા નિયંત્રણ અંતર્ગત વિશેષ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટરશ્રી દ્વારા ચાંદીપુરા રોગચાળા અંતર્ગત જિલ્લાના સરકારી તથા ખાનગી તબીબોને સાથે રાખીને બે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં રોગની વહેલી ઓળખ, સારવાર પ્રોટોકોલ, રેફરલ સિસ્ટમ તથા સર્વેલન્સ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે:
“ચાંદીપુરા વાયરસ સામેની લડતમાં તંત્ર સજ્જ છે. સરકારી તેમજ ખાનગી તબીબો સાથે સંકલન મજબૂત બનાવી વહેલી ઓળખ અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકો પણ સાવચેતી રાખે અને આરોગ્ય વિભાગને સહકાર આપે તો રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકાય છે.”
હાલમાં જિલ્લામાં કુલ ૧૨ ગામોમાં વ્યાપક સર્વેલન્સ અને પ્રિવેન્ટિવ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, જેમાં આશરે ૩,૯૯૪ ઘરોનો સર્વે કરીને કુલ ૨૧,૫૯૧ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
વેક્ટર નિયંત્રણ માટે સઘન કામગીરી અંતર્ગત
૧,૬૩૧ કાચા મકાનોમાં ડસ્ટિંગ કામગીરી અને
૨,૧૯૦ પાકા મકાનોમાં ડસ્ટિંગ કામગીરી કરાઈ છે.
કુલ ૧૬૪ ઘરોમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે જાગૃતિ, લક્ષણોની વહેલી ઓળખ, તાત્કાલિક સારવાર તથા સંક્રમણ નિયંત્રણ અંતર્ગત પુરતી જાણકારી મળી રહે તેવા ઉમદા આશયથી આરોગ્ય કેંદ્રો દ્વારા ગ્રામ કક્ષાએ આરોગ્ય લક્ષી બેઠ્કો, ૫૫૦૦ થી વધુ પત્રિકા વિતરણ અને સોશિયલ મિડિયાના વિવિધ માધ્યમો દ્વારા માહિતી આપવામાં આવી રહેલ છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રીએ જિલ્લાના નાગરિકોને વિનંતી કરતા જણાવ્યું છે કે આપના બાળકોને તાવ, ઉલ્ટી, બેહોશી, ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સંપર્ક કરે. ઘરની સ્વચ્છતા જાળવો, દીવાલોની તિરાડો પૂરી દેવી અને આરોગ્ય વિભાગને સહકાર આપવો.
“સાવચેતી અને સમયસર સારવારથી ચાંદીપુરા વાયરસથી બચી શકાય છે.” ***
*હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનુ ખાતમુહૂર્ત કરાયુ* ******** સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે. આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરૂણાબેન કડીયા, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી જે.ડી. પટેલ, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, શ્રી બીપીન ઓઝા , ચીફ ઓફિસર શ્રી ગઢવી, શ્રી કરણસિંહજી, શ્રી સુર્યવંશસિંહજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
*સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ: યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા અપીલ* *** સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ હતી. "સાબરકાંઠા માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (MYB-DAC)" અને "સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ માય ભારત કોઓર્ડિનેશન કમિટી (MYB-DSC)" ની પ્રથમ બે-સ્તરીય સંયુક્ત બેઠક ભારત સરકારના માય ભારત કેન્દ્ર - સાબરકાંઠા/અરવલ્લી અને જિલ્લા યુવા અધિકારીની કચેરી દ્વારા યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન કાર્યસૂચિના મુદ્દા પર વિગતવાર અને સઘન ચર્ચા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કલેક્ટરશ્રીએ બંને સમિતિઓ માટે જરૂરી અને રચનાત્મક સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ તમામ સરકારી વિભાગો, યુવા વર્તુળો, સ્વૈચ્છિક તેમજ બિન-સરકારી સંસ્થાઓ (NGOs), સ્વ-સહાય જૂથો (SHGs), ગ્રામ પંચાયતો, NSS અને NCC વગેરેને 'MY BHARAT KENDRA' સાથે સંકળાયેલા યુવાનો અને સ્વયંસેવકો વચ્ચે સક્રિય સંકલન, સુદ્રઢ સંદેશાવ્યવહાર અને પરસ્પર પરામર્શ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી હતી, જેથી કરીને મહત્તમ સંખ્યામાં યુવાનો તન, મન અને ધનથી પોતાની નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં સક્રિયપણે ભાગીદાર બની શકે.
આ બેઠકમાં ભારત કેન્દ્ર - સાબરકાંઠા / અરવલ્લીના જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ આર. કપૂર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
GK TV News Gujarati
Rajkamalsinh parmar
તા. 21/07/2026 ના રોજ પ્રાથમિક શાળા, વાંટડા ગામે પશુપાલન વિભાગ તથા GVK EMRI GREEN HEALTH SERVICES સંચાલિત "10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું" યોજના અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ફરતા પશુ દવાખાનાના ડૉ. કૃણાલ પરમાર અને પાયલોટ હર્ષદભાઈ કટારા દ્વારા પશુઓમાંથી માણસોમાં ફેલાતા રોગો (ઝૂનોટિક રોગો), તેનાથી બચવાના ઉપાયો તેમજ ફરતા પશુ દવાખાનાની સેવાઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
શિબિરમાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે રસપૂર્વક માહિતી મેળવી હતી અને આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિને ખૂબ જ ઉપયોગી ગણાવી આનંદ વ્યક્ત કર્યો હતો.
અંતે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ દ્વારા ડૉ. કૃણાલ પરમાર અને પાયલોટ હર્ષદભાઈ કટારાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
2 days ago | [YT] | 10
View 2 replies
GK TV News Gujarati
*પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ગેડ ગામ ખાતે સાબરમતી નદી ઉપર રૂ. ૪૧૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજનું ઈ-ખાતમુહૂર્ત આવતીકાલે યોજાનાર છે. જેના અનુસંધાને આજે આજે મારા પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ગેડ ગામની મુલાકાત લઈ સાબરમતી નદી ઉપર નિર્માણ પામનારા ગેડ બેરેજના સ્થળનું નિરીક્ષણ કર્યું તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે યોજનાની કામગીરી અને તેના થનારા લાભો અંગે વિગતવાર ચર્ચા કરી. ત્યારબાદ ગેડ ગ્રામ પંચાયતના સરપંચશ્રી નટવરસિંહ રાઠોડના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લઈ ચા પર વિસ્તારના વિકાસ, લોકહિતના વિવિધ પ્રશ્નો તથા આગામી વિકાસલક્ષી યોજનાઓ અંગે આત્મીય ચર્ચા કરી.*
*રૂ. ૪૧૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજ પ્રાંતિજ વિધાનસભા સહિત સમગ્ર વિસ્તાર માટે વિકાસનું નવું સીમાચિહ્ન સાબિત થશે. આ યોજનાથી આશરે ૩૫૩ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે, લગભગ ૮ કિલોમીટર લાંબું સરોવર નિર્માણ પામશે તેમજ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કુલ ૧૧ ગામોની અંદાજે ૧૪૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે. સાથે જ ભૂગર્ભ જળસ્તરમાં વધારો, જળસંચયની ક્ષમતામાં વૃદ્ધિ અને કૃષિ વિકાસને નવી ગતિ મળશે.*
3 days ago | [YT] | 5
View 1 reply
GK TV News Gujarati
પ્રેસનોટ
રાજકમલસિંહ પરમાર
ઇસ્કોન મંદિર દ્વારા હિંમતનગરના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રા મહારાણીની ભવ્ય રથયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાવન અવસરે ઇસ્કોન અમદાવાદ, ઇસ્કોન સુરેન્દ્રનગર, ઇસ્કોન વડોદરા અને ઇસ્કોન વલ્લભ વિદ્યાનગર સહિત ગુજરાતના વિવિધ ઇસ્કોન મંદિરોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી હરિનામ સંકીર્તન દ્વારા સમગ્ર શહેરને ભક્તિમય બનાવી દીધું હતું. "હરે કૃષ્ણ" ના ગુંજતા મહામંત્ર સાથે સમગ્ર રથયાત્રા માર્ગ પર દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
આ ભવ્ય રથયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા પ્રમુખ કનકસિંહ ઝાલા, સંપતસિહ રાજપુરોહિત, દિનેશભાઈ સોનગરા તથા તેમની સમગ્ર ટીમ, વિશ્વ હિંદુ પરિષદના હિતેશભાઈ તથા તેમની સમગ્ર ટીમ, આર.એસ.એસ.ના સુશીલભાઈ અને તમામ સ્વયંસેવકો તેમજ સમસ્ત હિંદુ સમાજના નિરવભાઈ, પ્રદીપસિંહ રાઠોડ, મહેશસિંહ ચૌહાણ, રાજુભાઈ માલવિયા અને તેમની સમગ્ર ટીમે ઉત્સાહભેર જોડાઈ આ આયોજનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હિંમતનગર શહેરમાં સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તિ, ઉત્સાહ અને આનંદનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના અનેક શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી રથને ખેંચવાનો લાભ લીધો તેમજ હરિનામ સંકીર્તનમાં જોડાઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો.
આ સમગ્ર રથયાત્રાનું આયોજન હિંમતનગર તથા ઇસ્કોન સુરેન્દ્રનગરના કેન્દ્ર પ્રબંધક પરમ આદરણીય શ્રીમાન મુરલીમોહન દાસ પ્રભુજી તેમજ ઇસ્કોન વલ્લભ વિદ્યાનગરના ટેમ્પલ કમિટી મેમ્બર શ્રી પીતાંબર કૃષ્ણ દાસ પ્રભુજીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું.
અંતમાં આયોજક સંસ્થા ભક્તિવેદાંત આશ્રમ, હિંમતનગર દ્વારા આ ભવ્ય રથયાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સંતો, ભક્તો, સ્વયંસેવકો, વિવિધ હિંદુ સંગઠનો તથા હિંમતનગરના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
4 days ago | [YT] | 4
View 0 replies
GK TV News Gujarati
હિંમતનગર ખાતે મોતીપુરા સર્કલ ડેવલોપમેન્ટ તેમજ ત્યાં આકાર લેનાર મહારાણા પ્રતાપના નવીન સ્ટેચ્યુના આયોજન અંગે હિંમતનગર ના લોકપ્રિય ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા સાહેબે નગરપાલિકાના સંગઠનના હોદ્દેદારો, એજન્સી અને સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત સ્થળ સમીક્ષા યોજી હતી.
આ દરમિયાન વિકાસકાર્યોના વિવિધ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરી, આયોજનબદ્ધ તેમજ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. ત્યારબાદ મોતીપુરા ખાતે નાગરિકોને વધુ સુવિધાજનક અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પાર્કિંગ વ્યવસ્થાનું પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત, શહેરના મહત્વાકાંક્ષી કેનાલ ફ્રન્ટ - ૨ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ, જેમાં સ્વર્ગીય અટલજીની પ્રતિમા તથા નવો કોમ્યુનિટી હોલ, પાર્કિંગ અને બગીચા સહિતની વ્યવસ્થાઓ સામેલ છે, તેની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, હિંમતનગર-અંબાજી બાયપાસ રોડ ઉપર હાસલપુર ગામે તૈયાર થઈ રહેલ સાબરકાંઠા જિલ્લાના અદ્યતન ફાયર સ્ટેશનની નવી બિલ્ડિંગની મુલાકાત લઈ કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી તેમજ સમયસર કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
હિંમતનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે વિકાસકાર્યોને વધુ ગતિ આપવા અમે સતત પ્રયત્નશીલ છીએ.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓ:
નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, ઉપ પ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન શ્રી અમ્રતભાઈ પુરોહિત, દિવા બત્તી ચેરમેન શ્રી જયેશભાઈ ભાટ, નગરપાલિકા ફાયર સ્ટેશન ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા, ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવી તેમજ નગરપાલિકાના અધિકારીશ્રીઓ અને એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#HimatnagarDevelopment #Infrastructure #CityProgress #PublicService #Himatnagar #VinendrasinhZala #DevelopmentWorks
6 days ago | [YT] | 3
View 0 replies
GK TV News Gujarati
*દલપુર-હિંમતનગર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 'કિસાન દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો*
***
*વિવિધ કૃષિ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય પત્રોનું વિતરણ કરાયું*
****
સાબરકાંઠા જિલ્લામાં બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 'કિસાન સમૃદ્ધિ મહોત્સવ' અંતર્ગત દલપુર-હિંમતનગર સ્થિત વિન્તાના હોટલ ખાતેએક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી પ્રમોદકુમારની ઉપસ્થિતિમાં 'કિસાન દિવસ' ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બેન્ક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી પ્રમોદકુમારે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવામાં દેશના અન્નદાતાઓનો ફાળો સર્વોપરી છે. ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રનું સશક્તિકરણ અનિવાર્ય છે, જેમાં બેન્કિંગ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરી રહ્યું છે. બેન્ક ઓફ ઇન્ડિયા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે અને 'વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશના ખૂણે-ખૂણે ટેકનોલોજી આધારિત કૃષિ ધિરાણ તેમજ આધુનિક બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે બેન્ક હંમેશા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ગ્રામીણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે વિવિધ નાણાકીય સેવાઓ તેમજ સવલતો અવિરતપણે પૂરી પાડવામાં આવી રહી છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બેંકના અધિકારીશ્રીઓ દ્વારા બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી ખેડૂતલક્ષી યોજનાઓ વિશેની વિગતે માહિતી આપવામાં આવી હતી.
આ ઉજવણી કાર્યક્રમ દરમિયાન બેન્કની વિવિધ કલ્યાણકારી અને કૃષિ લક્ષી યોજનાઓ હેઠળ પસંદગી પામેલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજૂરી પત્રો તેમજ વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બેંક ના કાર્યપાલક નિદેશક શ્રી પ્રમોદકુમાર દ્વિબેદી , ગુજરાત ના ફીલ્ડ જનરલ મેનેજર શ્રી અજય કુમાર ત્રિપાઠી, ગાંધીનગર ઝોન ના ઝોનલ મેનેજર દીપ્તિ અગ્રવાલ મેડમ, ગુજરાત ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શ્રીજીત શંકર બહેરા, ગાંધીનગર ઝોન ના ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી જુગલ કિશોર અને ગુજરાત ઓફિસ ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ડૉ. ભંવરલાલ હર્ષ સાબરકાંઠા જિલ્લા ના બેન્કના , સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
****
6 days ago | [YT] | 1
View 0 replies
GK TV News Gujarati
*ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન: હરિયાણાના પાટા પરથી ઉદભવતી એક નવી હરિત ક્રાંતિ*
આલેખન: જીગર ખુંટ
*એક નવા યુગનો સૂર્યોદય*
૧૭ જુલાઈ, ૨૦૨૬. હરિયાણાનું જિંદ રેલ્વે સ્ટેશન માત્ર એક સામાન્ય જંકશન મટીને ભારતીય રેલ્વેના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું એક પ્રતીક બની જશે. જ્યારે ભારતના વડાપ્રધાન આ દેશની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરશે, ત્યારે તે માત્ર એક ટ્રેનની મુસાફરીનો પ્રારંભ નહીં હોય, પરંતુ ભારતના પરિવહન ક્ષેત્રમાં 'ડિઝલ યુગ'ના અંત અને 'હરિત હાઈડ્રોજન યુગ'ના પ્રારંભની ઘોષણા હશે. પર્યાવરણીય સુરક્ષા અને અત્યાધુનિક ઈજનેરી કૌશલ્યના સંગમ સમાન આ પ્રોજેક્ટ ભારતને વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોની હરોળમાં લાવી દે છે જેઓ પાસે હાઈડ્રોજન સંચાલિત રેલ ટેકનોલોજી છે.
*ટેકનોલોજીનું હાર્દ: HEMU અને રિફિટિંગની કળા*
આ ટ્રેન કોઈ સામાન્ય રેલ નથી, પરંતુ એક અત્યાધુનિક 'હાઈડ્રોજન-ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ' (HEMU) છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની નિર્માણ પ્રક્રિયામાં રહેલી છે. ભારતીય રેલ્વેએ શૂન્યથી શરૂઆત કરવાને બદલે, હયાત સંસાધનોનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. વર્ષોથી સેવા આપી રહેલા જૂના 'ડીઝલ ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ' (DEMU) રેકને જ અદ્યતન હાઈડ્રોજન ફ્યુઅલ સેલ અને લિથિયમ બેટરી પ્રોપલ્શન આર્કિટેક્ચર સાથે રિફિટ (Retrofitting) કરવામાં આવ્યા છે.
આ આખી પ્રક્રિયા પાછળ ૧૩૬ કરોડ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની સૌથી ગર્વ લેવા જેવી બાબત તેની 'સ્વદેશી' બનાવટ છે. હાઇડ્રોજન ટ્રેનનું નિર્માણ અને એકીકરણ ભારતીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) એ તેની તકનીકી બ્લુપ્રિન્ટ તૈયાર કરી, મેસર્સ મેધા સર્વો ડ્રાઇવ્સે તેની સિસ્ટમ ઇન્ટિગ્રેટ કરી અને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) એ તેના આકર્ષક બાહ્ય દેખાવ અને કોચની ડિઝાઇન તૈયાર કરી છે.
*કાર્યપદ્ધતિ: શૂન્ય ઉત્સર્જન પાછળનું વિજ્ઞાન*
હાઈડ્રોજન ટ્રેન કેવી રીતે ચાલે છે? આ પ્રશ્નનો ઉત્તર તેના 'ઇલેક્ટ્રોકેમિકલ' એન્જિનિયરિંગમાં છુપાયેલો છે. ટ્રેનની છત પર અથવા વિશિષ્ટ ડબ્બાઓમાં રાખવામાં આવેલી હાઈડ્રોજન ટેન્કમાંથી સંકુચિત (Compressed) હાઈડ્રોજનને ફ્યુઅલ સેલમાં મોકલવામાં આવે છે. અહીં, બહારની હવામાંથી લેવામાં આવેલા ઓક્સિજન સાથે હાઈડ્રોજનનું મિશ્રણ થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઈલેક્ટ્રોન અલગ પડે છે, જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાની સૌથી અદભૂત બાબત એ છે કે તેના બાય-પ્રોડક્ટ તરીકે કોઈ હાનિકારક ધુમાડો કે કાર્બન ડાયોક્સાઈડ નીકળતો નથી, પરંતુ માત્ર શુદ્ધ પાણીની વરાળ અને ગરમી બહાર નીકળે છે.
આ પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે 'હાઇબ્રિડ પાવર સ્પ્લિટિંગ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રેન સ્થિર અવસ્થામાંથી ગતિ પકડે છે અથવા ઝડપથી આગળ વધવાનું હોય છે, ત્યારે માત્ર ફ્યુઅલ સેલ પૂરતો હોતો નથી. આવી સ્થિતિમાં, ટ્રેનમાં લાગેલી લિથિયમ ફેરો ફોસ્ફેટ (LFP) બેટરી આપમેળે સક્રિય થાય છે અને વધારાની ઉર્જા પૂરી પાડે છે. આ બેટરી અને ફ્યુઅલ સેલ વચ્ચેનું સંતુલન એક અત્યાધુનિક સોફ્ટવેર દ્વારા નિયંત્રિત થાય છે, જે મુસાફરીને આંચકા રહિત અને શાંત બનાવે છે.
*રીજનરેટિવ બેલેન્સિંગ: ઉર્જાનો બુદ્ધિશાળી વપરાશ*
આ ટ્રેનની સૌથી પ્રશંસનીય બાબત તેની 'રીજનરેટિવ બેલેન્સિંગ' ક્ષમતા છે. સામાન્ય રીતે ટ્રેન જ્યારે બ્રેક મારે ત્યારે ઉર્જાનો વ્યય થતો હોય છે. પરંતુ આ હાઈડ્રોજન ટ્રેનમાં જ્યારે પણ ડ્રાઈવર બ્રેક લગાવે છે અથવા ટ્રેન ઢાળ પર કે ઓછી ઝડપે દોડે છે, ત્યારે વધારાની વીજળી જે ફ્યુઅલ સેલ દ્વારા પેદા થઈ રહી હોય છે, તે વ્યય થવાને બદલે સીધી LFP બેટરીને રિચાર્જ કરવા માટે વાળવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે જ્યારે ટ્રેન તેના અંતિમ સ્ટેશને પહોંચે છે, ત્યારે તેની બેટરી લગભગ ૮૦% જેટલી ચાર્જ્ડ અવસ્થામાં હોય છે, જે આગામી મુસાફરી માટે સજ્જતા દર્શાવે છે.
*ઓપરેશનલ મેટ્રિક્સ: જિંદ-સોનીપત કોરિડોરનું ગણિત*
આ ટ્રેન હરિયાણાના ૮૯ કિલોમીટર લાંબા જિંદ-સોનીપત સેક્શન પર કાર્યરત થશે. આ રૂટની પસંદગી વ્યૂહાત્મક છે કારણ કે તે બિન-વીજળીકૃત ટ્રેક ધરાવે છે જ્યાં અત્યાર સુધી ડીઝલ ટ્રેનોનો દબદબો હતો. આ ટ્રેનસેટમાં કુલ આઠ પેસેન્જર કોચ અને બે ડ્રાઈવિંગ પાવર કાર છે, જે કુલ ૨૪૦૦ કિલોવોટ (અંદાજે ૩૨૦૦ હોર્સપાવર) ની શક્તિ પેદા કરે છે.
તકનીકી રીતે જોઈએ તો, આ ટ્રેન દરરોજ બે રાઉન્ડ ટ્રીપ પૂર્ણ કરશે અને તેની મહત્તમ ગતિ ૭૫ કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ મુસાફરી દરમિયાન તે આશરે ૩૦૦ કિલો હાઈડ્રોજનનો વપરાશ કરશે. એક સમયે આશરે ૨૬૦૦ મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવતી આ ટ્રેન સાબિત કરશે કે ગ્રીન એનર્જી માત્ર પ્રાયોગિક ધોરણે નહીં, પણ વ્યાવસાયિક ધોરણે પણ સફળ થઈ શકે છે.
*ઇન્ફ્રાસ્ટ્રક્ચર: જિંદનું ફ્યુઅલિંગ સ્ટેશન અને સુરક્ષા*
હાઈડ્રોજન ટ્રેન દોડાવવી જેટલી પડકારજનક છે, તેનાથી વધુ પડકારજનક તેને ઈંધણ પૂરું પાડવું છે. આ માટે રેલ્વેએ જિંદ ખાતે ૩,૦૦૦ કિલોની ક્ષમતા ધરાવતું સમર્પિત હાઈડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન બનાવ્યું છે. હાઈડ્રોજન વાયુ અત્યંત હળવો હોવાથી તેને સંગ્રહિત કરવો મુશ્કેલ છે. આથી, ટ્રેનની પાવર કાર પર તેને ૨૦૦ થી ૫૦૦ બારના પ્રચંડ દબાણ હેઠળ ખાસ રિઇનફોર્સ્ડ સ્ટોરેજ રેકમાં રાખવામાં આવે છે.
જિંદ ખાતેના સ્ટેશનમાં એક અદ્યતન 'ચિલર પ્લાન્ટ' સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ગેસને -૧૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો કરે છે. ગેસને આટલો ઠંડો કરવાનું કારણ તેની ઘનતા વધારવાનું છે, જેથી તે પ્રવાહી જેવા ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાય અને ટ્રેનની ટાંકીઓમાં ઝડપથી અને સુરક્ષિત રીતે ભરી શકાય. સુરક્ષાના માપદંડો એટલા કડક છે કે સહેજ પણ લિકેજ થવાની સ્થિતિમાં સેન્સર્સ તરત જ સિસ્ટમને બંધ કરી દે છે.
*આર્થિક અને પર્યાવરણીય પ્રભાવ*
ભારત સરકારનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ભારતીય રેલ્વેને 'નેટ ઝીરો કાર્બન એમિટર' બનાવવાનું છે. આ દિશામાં હાઈડ્રોજન ટ્રેન એક નિર્ણાયક પગલું છે. જોકે, એક કિલો હાઈડ્રોજનની કિંમત હાલમાં ડીઝલ કરતા વધુ હોઈ શકે છે, પરંતુ તેના લાંબાગાળાના ફાયદા અનેકગણા છે.
૧. *કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો:* આ ટ્રેન દર વર્ષે હજારો લિટર ડીઝલની બચત કરશે, જે વાતાવરણમાં લાખો ટન ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન અટકાવશે.
૨. *અવાજનું પ્રદૂષણ:* હાઈડ્રોજન ટ્રેનો ડીઝલ ટ્રેનોની સરખામણીમાં અત્યંત શાંત હોય છે, જે મુસાફરોના અનુભવમાં સુધારો કરે છે.
૩. *ઇલેક્ટ્રિફિકેશનની જરૂરિયાતનો અભાવ:* પહાડી વિસ્તારો અથવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં ઉપરથી ઈલેક્ટ્રિક લાઈનો નાખવી ખર્ચાળ અને મુશ્કેલ છે, ત્યાં હાઈડ્રોજન ટ્રેન એક આશીર્વાદ સમાન સાબિત થશે.
*નિષ્કર્ષ: માત્ર એક ટ્રેન નહીં, એક સંકલ્પ*
ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન એ માત્ર હરિયાણાના બે શહેરોને જોડતી કડી નથી, પરંતુ તે ભારતના આત્મનિર્ભર અને પર્યાવરણ પ્રેમી હોવાના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. ૧૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જ્યારે જિંદ-સોનીપત ટ્રેક પર આ ટ્રેન દોડશે, ત્યારે તે સમગ્ર વિશ્વને સંદેશ આપશે કે ભારત માત્ર ટેકનોલોજી અપનાવનાર દેશ નથી, પરંતુ નવી ટેકનોલોજીનું સર્જનહાર પણ છે.
જૂની ડીઝલ ટ્રેનોને આધુનિક શૂન્ય-ઉત્સર્જન વાહનોમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા એ સાબિત કરે છે કે ભારત તેના સંસાધનોનો મહત્તમ અને ટકાઉ ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે. આ ટ્રેન ભલે હમણાં ૭૫ કિમીની ઝડપે દોડે, પણ તે ભારતની પ્રગતિની ગતિને એક નવી અને સ્વચ્છ દિશા આપી રહી છે. આવનારા દાયકાઓમાં જ્યારે હાઈડ્રોજન ટ્રેનો સમગ્ર દેશમાં સામાન્ય બની જશે, ત્યારે જિંદની આ ઐતિહાસિક મુસાફરીને આ ક્રાંતિના ઉદ્ગમ સ્થાન તરીકે યાદ રાખવામાં આવશે.
1 week ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
*સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસ રોગચાળો અંતર્ગત તંત્રની સઘન અને સંકલિત કામગીરી*
***
સાબરકાંઠા જિલ્લામાં હાલ ચાલી રહેલ ચાંદીપુરા વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સરકારશ્રીની માર્ગદર્શિકા તેમજ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સુચના અને માર્ગદર્શન અનુસાર સઘન અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
તારીખ ૬ જુલાઈ ૨૦૨૬ થી આજદિન સુધીમાં પોશીના તાલુકાના ગણેર ગામમાં 1 બાળકનો ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ કેસ નોંધાયો છે. તે સિવાય તલોદ, વડાલી અને વિજયનગર તાલુકાના કુલ પાંચ શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવેલ છે, જે જિલ્લામાં નિયંત્રણ તરફ સકારાત્મક સંકેત આપે છે.
તદુપરાંત સરકારશ્રીની સુચના અનુસાર વર્ષ ૨૦૨૪ દરમિયાન જિલ્લામાં નોંધાયેલા કુલ 6 પોઝિટિવ કેસોના 5 ગામો તેમજ હાલના રોગચાળા દરમિયાન તારીખ ૬ જુલાઈ ૨૦૨૬ થી આજદિન સુધી ત્રણ તાલુકાના શંકાસ્પદ શોધાયેલ કેસના કુલ ૭ ગામોમાં રોગચાળા નિયંત્રણ અંતર્ગત વિશેષ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટરશ્રી દ્વારા ચાંદીપુરા રોગચાળા અંતર્ગત જિલ્લાના સરકારી તથા ખાનગી તબીબોને સાથે રાખીને બે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં રોગની વહેલી ઓળખ, સારવાર પ્રોટોકોલ, રેફરલ સિસ્ટમ તથા સર્વેલન્સ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે:
“ચાંદીપુરા વાયરસ સામેની લડતમાં તંત્ર સજ્જ છે. સરકારી તેમજ ખાનગી તબીબો સાથે સંકલન મજબૂત બનાવી વહેલી ઓળખ અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકો પણ સાવચેતી રાખે અને આરોગ્ય વિભાગને સહકાર આપે તો રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકાય છે.”
હાલમાં જિલ્લામાં કુલ ૧૨ ગામોમાં વ્યાપક સર્વેલન્સ અને પ્રિવેન્ટિવ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, જેમાં આશરે ૩,૯૯૪ ઘરોનો સર્વે કરીને કુલ ૨૧,૫૯૧ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
વેક્ટર નિયંત્રણ માટે સઘન કામગીરી અંતર્ગત ૧,૬૩૧ કાચા મકાનોમાં ડસ્ટિંગ કામગીરી અને ૨,૧૯૦ પાકા મકાનોમાં ડસ્ટિંગ કામગીરી કરાઈ છે. કુલ ૧૬૪ ઘરોમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે જાગૃતિ, લક્ષણોની વહેલી ઓળખ, તાત્કાલિક સારવાર તથા સંક્રમણ નિયંત્રણ અંતર્ગત પુરતી જાણકારી મળી રહે તેવા ઉમદા આશયથી આરોગ્ય કેંદ્રો દ્વારા ગ્રામ કક્ષાએ આરોગ્ય લક્ષી બેઠ્કો, ૫૫૦૦ થી વધુ પત્રિકા વિતરણ અને સોશિયલ મિડિયાના વિવિધ માધ્યમો દ્વારા માહિતી આપવામાં આવી રહેલ છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રીએ જિલ્લાના નાગરિકોને વિનંતી કરતા જણાવ્યું છે કે આપના બાળકોને તાવ, ઉલ્ટી, બેહોશી, ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સંપર્ક કરે. ઘરની સ્વચ્છતા જાળવો, દીવાલોની તિરાડો પૂરી દેવી અને આરોગ્ય વિભાગને સહકાર આપવો. “સાવચેતી અને સમયસર સારવારથી ચાંદીપુરા વાયરસથી બચી શકાય છે.”
***
1 week ago | [YT] | 1
View 0 replies
GK TV News Gujarati
*હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનુ ખાતમુહૂર્ત કરાયુ*
********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે.
આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરૂણાબેન કડીયા, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી જે.ડી. પટેલ, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, શ્રી બીપીન ઓઝા , ચીફ ઓફિસર શ્રી ગઢવી, શ્રી કરણસિંહજી, શ્રી સુર્યવંશસિંહજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
2 weeks ago | [YT] | 6
View 0 replies
GK TV News Gujarati
આજ રોજ હિંમતનગર અંબાજી બાયપાસ રોડ પર આવેલ MHK મોલથી પોલાજપુર ગામને જોડતા અંદાજિત રૂ. ૧ કરોડના માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નરેશભાઈ પરમાર,અગ્રણી કોન્ટ્રાક્ટર શ્રી મુર્તાજભાઈ ખણુસિયા,સરપંચશ્રી અકીબભાઈ વિજાપુરા,ડેપ્યુટી સરપંચશ્રી ગુલામભાઈ મનસૂરી,પૂર્વ સરપંચશ્રી ઈકબાલભાઈ વિજાપુરા,પોલાજપુરના સરપંચશ્રી બાદરસિંહ,તલાટી કમ મંત્રીશ્રી શૈલેષભાઈ પટેલ,ક્લાર્ક શ્રી હસીનભાઈ મોમીન,મનસૂરી સમાજના પ્રમુખશ્રી સાહિદ મનસૂરી( મુન્નાભાઈ), મહામંત્રીશ્રી અલ્તાફભાઈ મનસૂરી,મોમીન સમાજના અગ્રણીશ્રી સિરાજભાઈ વિજાપુરા,શ્રી હિબઝુરભાઈ વિજાપુરા,શ્રી આમીનભાઈ ખણુંસિયા,શ્રી મુદ્દસર વિજાપુરા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
2 weeks ago | [YT] | 6
View 0 replies
GK TV News Gujarati
*સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ: યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા અપીલ*
***
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ હતી. "સાબરકાંઠા માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (MYB-DAC)" અને "સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ માય ભારત કોઓર્ડિનેશન કમિટી (MYB-DSC)" ની પ્રથમ બે-સ્તરીય સંયુક્ત બેઠક ભારત સરકારના માય ભારત કેન્દ્ર - સાબરકાંઠા/અરવલ્લી અને જિલ્લા યુવા અધિકારીની કચેરી દ્વારા યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન કાર્યસૂચિના મુદ્દા પર વિગતવાર અને સઘન ચર્ચા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કલેક્ટરશ્રીએ બંને સમિતિઓ માટે જરૂરી અને રચનાત્મક સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ તમામ સરકારી વિભાગો, યુવા વર્તુળો, સ્વૈચ્છિક તેમજ બિન-સરકારી સંસ્થાઓ (NGOs), સ્વ-સહાય જૂથો (SHGs), ગ્રામ પંચાયતો, NSS અને NCC વગેરેને 'MY BHARAT KENDRA' સાથે સંકળાયેલા યુવાનો અને સ્વયંસેવકો વચ્ચે સક્રિય સંકલન, સુદ્રઢ સંદેશાવ્યવહાર અને પરસ્પર પરામર્શ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી હતી, જેથી કરીને મહત્તમ સંખ્યામાં યુવાનો તન, મન અને ધનથી પોતાની નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં સક્રિયપણે ભાગીદાર બની શકે.
આ બેઠકમાં ભારત કેન્દ્ર - સાબરકાંઠા / અરવલ્લીના જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ આર. કપૂર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
***
2 weeks ago | [YT] | 6
View 0 replies
Load more