GK TV News Gujarati

મેળવો તમામ અપડેટ જી કે ટી વી ના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી આ યુ ટૂબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો રાજકમલસિંહ પરમાર બ્યુરો ઓફિસ મહેતાપુરા વિસ્તાર. હિંમતનગર સાબરકાંઠા 9714403435


GK TV News Gujarati

સાબરકાંઠા...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાબરકાંઠા ના વિજયનગર વિસ્તારમાં મોટો રાજકીય ફેરફાર....

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો....

નોર્થ ઝોનના જોઈન્ટ સેક્રેટરી ચંદુભાઈ પટેલે ભાજપમાં જોડાયા....

ચંદુભાઈ પટેલ અને તેમના સાથે ૨૦૦થી વધુ સક્રિય કાર્યકરો પણ ભાજપમાં સામેલ...

વિજયનગરના ચિઠોડા ગામે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પક્ષપ્રવેશ વિધિવત રીતે કરવામાં આવ્યો....

રાજ્યના મંત્રી પી.સી. બરંડાના હસ્તે ચંદુભાઈને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારવામાં આવ્યા....

લાંબા સમયથી પાર્ટીમાં અવગણના અને પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી હોવાને કારણે તેમણે ‘આપ’ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું....

દંતોડ ગામના વતની ચંદુભાઈ પટેલને મજબૂત સંગઠન નેતા માનવામાં આવે છે જેના કારણે ભાજપને ફાયદો...

કાર્યક્રમમાં રાજ્ય સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને અશોકભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા....

ચંદુભાઈએ આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પૂરી મહેનત કરવાની ખાતરી આપી...

17 hours ago | [YT] | 6

GK TV News Gujarati

રાજકમલસિંહ પરમાર

સાબરકાંઠા ના હિંમતનગર ખાતે તારીખ 12/04/2026 ના રોજ hnsb સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે એલ્યુમની રીયુનિયન પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં ૧૯૯૬થી 2026 સુધી જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો તેવા તમામ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખેલ હતો જેમાં સાયન્સ કોલેજના આદરણીય પ્રોફેસર સાહેબ શ્રી તથા પ્રિન્સિપાલ સાહેબ શ્રી ની હાજરીમાં પ્રોગ્રામનો શુભારંભ કરેલ જેમાં અંદાજિત 360 વિદ્યાર્થીઓ કે જે અત્યાર સુધી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે તેઓ હાજર રહ્યા હતા અને પોતાના અભ્યાસ દરમિયાનની યાદો એકબીજા સાથે વાઘોળી હતી અને ઉત્સાહભેર ભાગ લઇ મજા માણી હતી અને સંગીત ની મજા સાથે ભોજન પણ સાથે લીધું હતું.સાથે સાથે આદરણીય પ્રિન્સિપલ સાહેબ શ્રી તથા પ્રોફેસર સાહેબશ્રીઓના આશીર્વાદ પણ લીધા હતા આ પ્રોગ્રામનું ખુબ સુંદર આયોજન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સાહેબ દ્વારા બનાવેલ એલ્યુમની રીયુનિયન કમિટી દ્વારા કરવામાં આવેલ હતું.

2 days ago | [YT] | 4

GK TV News Gujarati

સાબરકાંઠા...

સાબરકાંઠામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો...

હિંમતનગરમાં તૂટતી કોંગ્રેસી યથાવત...

ટિકિટ મામલે કોંગ્રેસમાં પણ મડાગાંઠ..

એક સાથે ત્રણ કોંગ્રેસી કાર્યકર્તાઓએ આવ્યા રાજીનામાં...

છેલ્લા 35 વર્ષથી વિવિધ પદો ઉપર રહ્યા બાદ આજે અપાયા રાજીનામાં..

ભૂતપૂર્વ હિંમતનગર શહેર કોંગ્રેસે પણ આપ્યુ રાજીનામું...

કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજીનામું આપતા રાજકારણમાં હડકમ...

2 days ago | [YT] | 2

GK TV News Gujarati

*સાબરકાંઠા જિલ્લા પંચાયત ની લક્ષ્મીપુરા સીટ ના અપક્ષ ઉમેદવાર તરીકે મુકેશ રાવલ શ્રી એ પોતાની ઉમેદવારી નોંધાવી પ્રાન્ત અધિકાર શ્રી ને ફોર્મ જમા કરાવેલ સ્વરછ છબી. વિશાળ લોકચાહના. તથા સ્પષ્ટ વક્તા એવા મુકેશ રાવલ ને ખૂબ ખૂબ અભિનંદન

4 days ago | [YT] | 6

GK TV News Gujarati

ગાયત્રીબા રણવીરસિંહ ઝાલા ના જન્મદિવસના પાવન અવસર પર જી.કે.ટી.બી. ન્યૂઝ પરિવાર તરફથી આપને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ 🎉🎂
ઈશ્વર આપને લાંબું આયુષ્ય, સારો સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિથી ભરપૂર જીવન બક્ષે તેવી હાર્દિક પ્રાર્થના કરીએ છીએ. આપના જીવનમાં સતત પ્રગતિના નવા શિખરો સર કરો, દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો અને આપનું નામ પરિવાર તથા સમાજમાં ગૌરવ વધારતું રહે તેવી શુભકામનાઓ.
આપ હંમેશા ખુશ રહો, આનંદિત રહો અને આપના ચહેરા પર હંમેશા સ્મિત છલકાતું રહે તેવી શુભેચ્છાઓ. આપનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે અને દરેક સપના સાકાર થાય તેવી દિલથી શુભેચ્છા.
મા શક્તિ ભવાણી માતાજીના આશીર્વાદ હંમેશા આપ પર વરસતા રહે, આપને સદા તંદુરસ્તી, શક્તિ અને સફળતા પ્રદાન કરે તેવી પ્રાર્થના.
દાદા દિલીપસિંહજી અને દાદી આશાબા સહિત સમગ્ર પરિવારજનોના આશીર્વાદ આપ પર સદાય વરસતા રહે અને આપનું જીવન હંમેશા ખુશીઓથી ભરપૂર રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
ફરી એક વાર જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

1 week ago | [YT] | 11

GK TV News Gujarati

ઈડરની દીકરી દિવ્યા સોલંકીએ IGNOUમાં ગોલ્ડ મેડલ મેળવી સાબરકાંઠાનું નામ રોશન કર્યું


જવાહર નવોદય વિદ્યાલય, વિરપુર (તા. ઇડર) ખાતે આર્ટ ટીચર તરીકે ફરજ બજાવતા શ્રી બી.એસ. સોલંકીની સુપુત્રી કુ. દિવ્યા સોલંકીએ રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. IGNOU (ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી) ના અમદાવાદ ખાતે યોજાયેલા 39મા પદવીદાન સમારોહમાં દિવ્યાએ BLIS (બેચલર ઓફ લાઈબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ) માં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

​દિલ્હી સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ અભ્યાસક્રમમાં લાખો વિદ્યાર્થીઓ વચ્ચે પ્રથમ સ્થાને આવી દિવ્યાએ સોલંકી પરિવાર તેમજ સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ શૈક્ષણિક જગત અને સ્થાનિકો તરફથી અભિનંદનનો વર્ષા થઈ રહ્યો છે.

1 week ago | [YT] | 2

GK TV News Gujarati

*સાબરકાંઠામાં મતદાન જાગૃતિ માટે ‘ચિત્ર સ્પર્ધા’ અને ‘જનજાગૃતિ રેલી’નું આયોજન કરાયું*
***
આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘SVEEP’પ્રવૃત્તિ હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા મતદારો, મહિલાઓ સહીત વરિષ્ઠ નાગરિકોમાં લોકશાહીના પર્વ અંગે જાગૃતિ લાવવાનો અને આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.

જિલ્લાની વિવિધ કોલેજો, શાળાઓ અને અધ્યાપન મંદિરો (જેમ કે વી.એસ. રાવલ બુનિયાદી અધ્યાપન મંદિર, પ્રાંતિજ) ખાતે તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના ભાગરૂપે તમામ સંસ્થાઓમાં રંગોળી સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા, મતદાન જાગૃતિ રેલી તેમજ સામૂહિક શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.
****

1 week ago | [YT] | 2

GK TV News Gujarati

હિંમતનગર સ્થિત જીલ્લા ભાજપ કાર્યાલયે
સાબરકાંઠા ભાજપ દ્વારા ભાજપની સ્થાપના દિનની ઉજવણી કરાઈ

વિશ્વની સૌથી લોકશાહી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જેનો આજે છઠ્ઠી એપ્રિલ સ્થાપના દિવસ છે તે અંતર્ગત દેશભરમાં ભાજપ દ્વારા ઉત્સવ મનાવવામાં આવે છે. આજરોજ હિંમતનગર સ્થિત જીલ્લા ભાજપ કાર્યાલયે મુખ્ય વક્તા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જેમાં વક્તા શશીકાંતભાઈ પંડ્યાએ જણાવેલ કે દેશના હિત માટે ભારતીય જનસંઘ ની સ્થાપના થઈ, 1975 માં ઇન્દિરા ગાંધી કટોકટી લગાવી ત્યારે દેશના અનેક આપણા નેતાઓ, સંઘના અનેક આગેવાનોને જેલમાં પૂરી લીધા હતા. કોંગ્રેસે હંમેશા દેશ માટે તૃષ્ટિકરણ ની રાજનીતિ કરી હતી. સૌથી પહેલા દેશમાં આપણી સરકારની બે સીટો કેન્દ્રમાં આવી હતી. પછી લગાતાર સીટો વધી અને આપણા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીએ દેશના સિદ્ધાંતો માટે રાજીનામું આપેલ. ત્યારબાદ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત વિકાસની રાજનીતિ સાથે દેશ માટે ઐતિહાસિક નિર્ણયો લીધા. સમાન સિવિલ કોડ, રામ મંદિર નું નિર્માણ પૂરું થયું, કાશ્મીરમાં 370 કલમ દૂર કરી એ વખતે કોંગ્રેસના અને અન્ય આતંકવાદી સમર્થકો નેતા કહેતા હતા દેશમાં લોહીની નદીઓ વહેશે. આવો ભ્રામક પ્રચાર કરી દેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરેલો. ઓપરેશન સિંદૂર વગેરે અનેક નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિતભાઈ એ લીધેલા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ની સરકારે રાજ્ય માટે અનેક નિર્ણયો લીધા છે. જિલ્લા સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાએ જણાવેલ કે આપણા માટે આ ગૌરવની બાબત છે આપણા દેશ માટે કામ કરતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ આજે શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયને યાદ કરીએ આગામી ચૂંટણી એક જૂથ થઈને જીતીએ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે જણાવેલ કે ભાજપ સિદ્ધાંત વાળી પાર્ટી છે આપણા જે કંઈ ઉમેદવારો આવે તેમને જીતાડીયે. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી. ડી. ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાજ્યના નાણાપંચના સભ્ય જે. ડી. પટેલ, કું. કૌશલ્યાકુવરબા પરમાર, પૂર્વ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, અતુલભાઇ દીક્ષિત, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા મહામંત્રી પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા, જયેશભાઈ જે. શાહ સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જનસંઘના કાર્યકર્તાઓ તથા સ્વર્ગસ્થ જનસંઘના કાર્યકર્તાઓ ને યાદ કરી, તેમની પાર્ટી પ્રત્યે કરેલી કામગીરીની સરાહના કરી હતી.

1 week ago | [YT] | 3

GK TV News Gujarati

અખબારી યાદી

*સાબરકાંઠાના તિરૂપતિ ઋષિવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ભવ્ય પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું*

*રાસાયણિક ખેતીના ઝેરથી મુક્ત થઈ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલનું આહવાન*

*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી રૂ. ૧.૧૧ લાખની રાશિ 'ગંગા સ્વરૂપા' બહેનોના કલ્યાણ અર્થે અર્પણ કરી*

સાબરકાંઠા: 3 એપ્રિલ, 2026

સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામ સ્થિત તિરૂપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેતી અને પર્યાવરણના જતન માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય સંમેલનમાં રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના ગંભીર દુષ્પરિણામો સામે લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮ લાખથી વધુ ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનમાં જોડાઈ ચૂક્યા છે, જે પરિવર્તનની દિશામાં એક મોટું કદમ છે.

આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત જનમેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા રાજ્યપાલશ્રીનું પ્રાકૃતિક કૃષિના 'ભીષ્મ પિતા' નો ખિતાબ આપી વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંમેલનને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના કારણે વધતા જતા કેન્સર, હાર્ટ અટેક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક ચોંકાવનારા વૈજ્ઞાનિક સંશોધનનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ૧૦૫ માતાઓના દૂધના પરીક્ષણમાં યુરિયા અને આર્સેનિક જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.

રાસાયણિક ખેતીને વિદેશી પદ્ધતિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, યુરિયાના લીધે બનતો નાઈટ્રસ ઓક્સાઈડ ગેસ કાર્બન ડાયોક્સાઈડ કરતા ૩૧૨ ગણો વધુ ખતરનાક છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. રાસાયણિક ખેતીના કારણે ધરતી માતા ઝેરી બની છે અને ભૂગર્ભ જળમાં પણ નાઈટ્રેટનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે.

પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ વૃક્ષોને 'દેવતા' સમાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી વૃક્ષનું જતન કરે છે, તે વૃક્ષ તેને આજીવન પાળે છે.

કાર્યક્રમ દરમિયાન એક ઉમદા નિર્ણય લેતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી રૂ. ૧,૧૧,૧૧૧ની રાશી સ્થળ પર જ 'ગંગા સ્વરૂપા' વિધવા બહેનોના કલ્યાણ અને તેમના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને તિરુપતિ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા જળ સંરક્ષણ અને પર્યાવરણના કાર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા તિરૂપતિ ઋષિવન ખાતે લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈને તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓને ગામડે-ગામડે જઈને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા આહવાન કર્યું હતું જેથી ગુજરાત સમગ્ર દેશ માટે કૃષિ ક્ષેત્રે રોલ મોડેલ બની શકે.
--------

1 week ago | [YT] | 1

GK TV News Gujarati

Rajkamalsinh parmar

*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હિંમતનગરના નવાનગર ખાતેના પ્રાકૃતિક ફાર્મ અને સોમ સરોવરની મુલાકાત લીધી*
****
*પશુપાલન ક્ષેત્રે 'બ્રીડ ઈમ્પ્રૂવમેન્ટ' દ્વારા ગુણવત્તાયુક્ત પશુધન તૈયાર કરવા રાજ્યપાલશ્રીનું આહવાન*
****
*જનભાગીદારીથી નિર્મિત 'સોમ સરોવર' અને સૂક્ષ્મ પિયત પદ્ધતિના મોડેલની રાજ્યપાલશ્રીએ કરી પ્રશંસા*
***
*સ્વસ્થ સમાજ અને જમીનની ફળદ્રુપતા માટે પ્રાકૃતિક કૃષિ સમયની માંગ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
***

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની સોમણી ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ નવાનગર સ્થિત 'સોમણી ગૌશાળા'ની મુલાકાત લઈ ગૌ-પૂજન કર્યું હતું. આ તબક્કે તેમણે ગૌશાળામાં રહેલી ૩૧૦ જેટલી દેશી ગાયોના આરોગ્ય અને દૂધ ઉત્પાદન ક્ષમતા અંગે પશુપાલન અધિકારીશ્રીઓ સાથે તકનીકી ચર્ચા કરી હતી. રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે દેશી ગાયોમાં 'બ્રીડ ઈમ્પ્રૂવમેન્ટ' (નસલ સુધારણા) પર ધ્યાન આપવું જરૂરી છે. તેમણે પશુપાલકોને પરંપરાગત પદ્ધતિમાં જરૂરી સુધારા કરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્રીડ તૈયાર કરવા સૂચન કર્યું હતું.

નવાનગરના ગ્રામજનો દ્વારા જનભાગીદારીથી તૈયાર કરવામાં આવેલા 'સોમ સરોવર'ની મુલાકાત લેતા રાજ્યપાલશ્રી પ્રભાવિત થયા હતા. આ સરોવર થકી સમગ્ર ગામની ખેતીલાયક જમીનને ડ્રીપ ઈરિગેશન (ટપક પિયત પદ્ધતિ) સાથે જોડીને પાણીનો જે કરકસરભર્યો ઉપયોગ કરવામાં આવે છે, તેને રાજ્યપાલશ્રીએ જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.

સ્થાનિક ખેડૂતો સાથેના સંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદા સમજાવતા કહ્યું હતું કે, રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે ખેડૂતોને પ્રાયોગિક ધોરણે ખેતરના એક નાના ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાય અને લોકોને શુદ્ધ આહાર મળી રહે.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજ સિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
***

1 week ago | [YT] | 2