GK TV News Gujarati

મેળવો તમામ અપડેટ જી કે ટી વી ના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી આ યુ ટૂબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો રાજકમલસિંહ પરમાર બ્યુરો ઓફિસ મહેતાપુરા વિસ્તાર. હિંમતનગર સાબરકાંઠા 9714403435


GK TV News Gujarati

ગાંભોઈ પોલીસ સ્ટેશન માં વાર્ષિક ઇન્સ્પેસ્કન યોજાયો...

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશન માં પોલીસ અધિક્ષક નાઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહી પોલીસ પરેડ લીધેલ. તથા લોક દરબાર માં મોટી સંખ્યા માં ઉપસ્થિત રાજકીય આગેવાનો તથા ગ્રામ્ય સરપંચો દ્વારા સાહેબ શ્રી સ્વાગત કરવામાં આવ્યું તેમજ ગાંભોઈ વિસ્તારની સમસ્યાઓ વિશે સંવાદ કરી જાણકારી મેળવી હતી .

તેમજ નેશનલ હાઈવે પર થતા એસિડેન્ટ અટકાવવા બ્લેક સ્પોટ ગાંભોઈ -રણાસણ ચોકડી પર થતા વારંવાર એક્સિડન્ટ સ્થળની જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લઈ ગાંભોઈ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.જે. ગોસ્વામીને એકસીડન્ટ થતા અટકાવવા માટે બેરીકેટેડ તથા રબરના બમ્પ બનાવવા તથા લાઈટો લગાવવાની સુચના આપવામાં આવી હતી.

સાહેબ શ્રી દ્રારા પોલીસ દરબારમાં પોલીસ ના વિવિધ પ્રશ્નો સાંભળી તેનું સત્વરે નિરાકણ કરવા સૂચના આપી તેમજ અત્યારે સાયબર ક્રાઇમ તેમજ નાર્કોટિક્સ ક્રાઇમ ના વધી રહેલ ગુના બાબતે તમામ પોલીસ ને સમજાવવા આવ્યા અને સંવેદનશીલ બનાવવા માં આવ્યા.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગાંભોઈ પોલીસ સ્ટેશનના પી.આઇ .એસ.જે ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું..

1 day ago | [YT] | 2

GK TV News Gujarati

સાબરકાંઠા જિલ્લાકક્ષાએ મોટરાઈઝડ ટ્રાઈસિકલ તેમજ જોયસ્ટીક વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
********
સાબરકાંઠા જિલ્લાકક્ષાએ કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના હસ્તે મોટરાઈઝડ ટ્રાઈસિકલ તેમજ જોયસ્ટીક વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ,ગુજરાત સરકાર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગની ચાલુ વર્ષે નવી શરુ કરાયેલ મોટરાઈઝડ ટ્રાઈસિકલ તેમજ જોયસ્ટીક વ્હીલચેર યોજના અતર્ગત રાજ્યભરમા મુખ્યમંત્રીશ્રી દ્વારા વિતરણ કાર્યક્રમની ગાંધીનગરથી શરુઆત કરાવવામા આવી છે. જેના ભાગ રુપે
કલેકટરશ્રીના માર્ગદર્શન અને સુચનાથી આ યોજના માટે વધુમા વધુ કેમ્પ કરી મહતમ લાભાર્થીઓને લાભ અપાવમામા આવે તે માટે વિશેષ કાળજી રાખવા માટે સુચના આપવામાં આવી હતી.
આ માર્ગદર્શન અનુસાર સાબરકાંઠા જિલ્લામા રાજ્યમા સુરત જિલ્લા બાદ સૌથી વધુ ૪૦૦ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામા આવ્યો છે.

આ પ્રસંગે કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ એ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રી દ્વારા દિવ્યાંગો પ્રત્યે સંવેદના દાખવી આ યોજના શરુ કરવામા આવી છે. જે દિવ્યાંગો માટે આર્શિવાદરુપ સાબિત થશે. વધુમાં ઉમેર્યું કે મુક- બધિર દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગરને દિવ્યાંગો માટે રોજગારીની તકો તેમના અનુરુપ ઉભી થાય તે માટે આઈ.ટી.આઈ અને અન્ય રોજગારદાતાઓ સાથે સંકલન કરવા જણાવ્યુ.
વધુમાં ઉમેર્યું કે આ યોજનાથી દિવ્યાંગો આપમેળે હરીફરી શકશે અને ઘણાઅંશે આત્મનિર્ભર બનશે.
આ કાર્યક્રમમા એમ.કે.જોષી ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,હિમતનગર, ડૉ .ગોરધનભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી મુક- બધિર દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગર,ભીખાભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર મુક- બધિર દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગર તેમજ બહોળી સંખ્યામા દિવ્યાંગો ઉપસ્થિત રહ્યાં હતા.

2 days ago | [YT] | 0

GK TV News Gujarati

હિંમતનગર નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે યોજાયો. છ વોર્ડના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ
********
રાજ્યના વહીવટમાં પારદર્શકતા લાવવા અને પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાના ઉમદા આશય સાથે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખશ્રી વિમલ ઉપાધ્યયના અધ્યક્ષતામાં યોજાયો. શહેરના વોર્ડ નં. ૧, ૩, ૪, ૫, ૬ અને ૭ એમ કુલ છ વોર્ડના નાગરીકો માટે ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો અને અરજીઓનો ગુણદોષના આધારે સ્થળ પર જ નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સેવાસેતુના માધ્યમથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર એક જ દિવસમાં વિવિધ કાર્ડ અને દાખલાઓ સહિતના લાભો મળી રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકના દાખલા મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં પણ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવી હતી.
આવકનો દાખલો, આધારકાર્ડ, ક્રિમીલેયર સર્ટિફિકેટ ,રેશનકાર્ડ સંબંધિત કામગીરી. મા અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના, મેડિકલ હેલ્થ કેમ્પ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય અને આદિજાતી વિભાગની યોજનાઓ. જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારા લાયસન્સ અને આકારણી પત્રક સહિતની સેવાઓ ઉપલબ્ધ હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ભાટી, મામલતદાર શ્રી રોનકસિંહ પઢારીયા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ પાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .

2 days ago | [YT] | 0

GK TV News Gujarati

*સાબરકાંઠાના નવલપુર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને રૂ. ૭૨ કરોડના ૧૯૯૯ વિકાસકામોની ભેટ ધરી*

*સાબરકાંઠાને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે પ્રતિષ્ઠિત 'સ્કૉચ એવોર્ડ'ની સિદ્ધિ બદલ જિલ્લાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી*

*મુખ્યમંત્રીશ્રી:*
- *ગુજરાત સરકાર પાસે વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી નથી*
- *સરકારી કામને પોતાનું સમજીને કરવામાં આવે તો તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય છે*
- *નવલપુર ગામને મહિલા સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું*

નવલપુર, સાબરકાંઠા:

સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં એક નવું સોપાન ઉમેરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતેથી અંદાજે રૂ. ૭૨ કરોડના કુલ ૧૯૯૯ જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથો સાથ મુખ્યમંત્રીશ્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલના પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસે વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી નથી અને સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા મન મૂકીને ખર્ચ કરી રહી છે. તેમણે અધિકારીઓ અને નાગરિકોને આહ્વાન કર્યું હતું કે સરકારી કામને પોતાનું સમજીને કરવામાં આવે તો તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય છે.

મુખ્યમંત્રીશ્રીએ નવલપુર ગામને ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવતા જણાવ્યું કે, આ ગામમાં સરપંચથી લઈને તમામ સભ્યો મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. નવલપુરે 'સમરસ ગામ'ના વિચારને ચરિતાર્થ કરવાની સાથે પાણીના મીટર જેવી આધુનિક સુવિધાઓ અને ૧૦૦% સોલાર સિસ્ટમ અપનાવીને દેશને નવી રાહ ચીંધી છે.

મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત્ત રેખાના ભૌગોલિક મહત્વને વૈશ્વિક ઓળખ આપવા માટે રૂ. ૮ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન 'સાયન્સ પાર્ક' નું લોકાર્પણ કર્યું હતું. ૧.૫ એકરમાં ફેલાયેલા આ પાર્કમાં ટ્રોપિક ઓફ કેન્સર ટાવર, સનડાયલ અને ઇનફોગ્રાફિક એક્ઝિબિશન હોલ જેવી સુવિધાઓ છે, જે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવશે, એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણ ક્ષેત્રે 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના'ની સફળતાના કારણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં ૧૯% નો વધારો થયો હોવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ નોંધ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટેના 'લાલન-પાલન' કાર્યક્રમ અને બાળકોમાં ટાઈપ-૧ ડાયાબિટીસ નિયંત્રણ માટેની કામગીરીની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રની આ બંને પહેલોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત 'સ્કૉચ એવોર્ડ' એનાયત થયો છે, જે જિલ્લા માટે ગૌરવની બાબત છે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ અવસરે નવલપુરને 'સમરસ, સ્વચ્છ અને સોલર' ગામ તરીકે બિરદાવતા જણાવ્યું હતું કે, આ ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને ચરિતાર્થ કર્યું છે. તેમણે રૂ. ૮ કરોડના ખર્ચે નિર્મિત સાયન્સ પાર્કને આવનારી પેઢી માટે વિજ્ઞાનનું જીવંત કેન્દ્ર ગણાવ્યું હતું, જે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં મદદરૂપ થશે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર છેવાડાના બાળકો સુધી શ્રેષ્ઠ શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છે અને જિલ્લામાં રૂ. ૫૧૮ લાખના ખર્ચે ૨૬ નવીન વર્ગખંડોનું નિર્માણ એ દિશાનું મક્કમ પગલું છે. તેમણે નાગરિકોને સરકારી મિલકતને પોતાની મિલકત સમજીને તેની જાળવણી કરવા પણ વિશેષ અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે નવલપુર ગામના આંગણે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, સરકારના સાથ અને જનભાગીદારીના કારણે જ નવલપુર આજે વિકાસનું મોડેલ બની શક્યું છે. તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિવિધ વિકાસ કામો માટે મન મૂકીને ગ્રાન્ટ ફાળવવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગર્વ સાથે નોંધ્યું હતું કે નવલપુર આજે સાબિત કરી રહ્યું છે કે જ્યારે સમાજ અને સરકાર સાથે મળીને કાર્ય કરે છે ત્યારે કેવા શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે નવલપુરની સિદ્ધિઓને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નવલપુરે ગોબર બેંક બનાવીને અને ૧૦૦% સોલાર સિસ્ટમ અપનાવીને એક આદર્શ ગામનું નિર્માણ કર્યું છે. વધુમાં તેમણે તલોદ બસ ડેપોના વર્ષો જૂના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી નવા ડેપોના લોકાર્પણ બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને ગામની સ્વચ્છતા માટે હાથ ધરવામાં આવેલા વ્યવસ્થિત આયોજનની સરાહના કરી હતી.

હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૧થી મોદી યુગમાં વિકાસ કામો માટે ગ્રાન્ટની ક્યારેય અછત રહી નથી. તેમણે સરકારની ખેડૂતલક્ષી અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે ચોમાસામાં થયેલા નુકસાન સામે રાહત પેકેજ આપી સરકારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ખેડૂતોની પડખે છે. સુજલામ સુફલામ યોજનાના કારણે જિલ્લામાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો હરિયાળો બન્યો છે તેવું તેમણે ગૌરવ સાથે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કુલ ૧૯૯૯ જેટલા કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વાહન વ્યવહાર વિભાગના રૂ. ૧૩૯૦ લાખના કામો અને સામાન્ય વહીવટ વિભાગના રૂ. ૩૬૬૭ લાખના કામોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રાંતિજના પ્રાંત અધિકારી સુશ્રી આયુષી જૈને આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, રાજ્ય નાણાપંચના સભ્ય શ્રી જે. ડી. પટેલ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

4 days ago | [YT] | 3

GK TV News Gujarati

*સાબરકાંઠાના સલાલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું*
*********
*ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવતા મુખ્યમંત્રીશ્રી*
*********
*અંદાજિત રૂપિયા ૮ કરોડના ખર્ચે ૫,૯૩૦ ચોરસ મીટરના વિસ્તારમાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યો*
*********

સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના સલાલ ખાતે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ કર્કવૃત્તના વૈજ્ઞાનિક મહત્વ વિશે જાગૃતિ અને સમજણ લાવવા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને સામાન્ય નાગરિકો માટે તેને એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સંશોધન બિંદુ તરીકે વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે ટ્રોપિક ઓફ કેન્સર (TOC) સાયન્સ પાર્ક વિકસાવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઇવે પર સલાલ ખાતે અંદાજિત રૂપિયા ૮ કરોડના ખર્ચે ૫,૯૩૦ ચોરસ મીટરના વિસ્તારમાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યો છે, જે સ્થાન પરથી કર્કવૃત્ત પસાર થાય છે. આ પાર્કની કલ્પના કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વને પ્રકાશિત કરવા અને મુલાકાતીઓને પૃથ્વી-સૂર્ય સંબંધો, ઋતુગત ફેરફારો અને સંબંધિત વૈજ્ઞાનિક ઘટનાઓને સમજવાની આકર્ષક તકો પૂરી પાડવા માટે કરવામાં આવી છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર સ્થિત હોવાથી, ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક તમામ મુલાકાતીઓ માટે વૈજ્ઞાનિક શિક્ષણ, વિજ્ઞાન પર્યટનના કેન્દ્ર તરીકે સેવા આપશે. GUJCOST દ્વારા તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટ્રોપિક ઓફ સાયન્સ પાર્કની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સાયન્સ પાર્ક આવતીકાલથી સવારે 9:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી તમામ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.

આ તકે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કના પ્રાંગણમાં મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી (IAS) , સાબરકાંઠાના કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ (IAS), જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને GUJCOST ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
******

4 days ago | [YT] | 1

GK TV News Gujarati

હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું હતું
*********
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “Rights, Justice, Action For All Women and Girls” થીમ અંતર્ગત હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગરના ડૉ. નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેને મહિલાઓની સમાજમાં ભૂમિકા તેમજ સરકાર દ્વારા અમલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી વધુમાં વધુ મહિલાઓ આ યોજનાઓના લાભ થકી આર્થિક સધ્ધરતા મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી.
જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરપર્સન ડૉ. અનસુયાબેન જણાવ્યું હતું કે, મહિલા દિવસની ઉજવણી શા માટે? અંગે જાણકારી આપી સૌ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભારતની પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે ને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતના રાષ્ટ્રપતિ, નાણા મંત્રી મહિલા છે જે બાબતે ગૌરવ લઈ. દીકરીઓને આજે શિક્ષિત બને અને વિકાસના પંથે આગળ વધે, મહિલાઓ પોતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપે જીવનમાં યોગ અપનાવી સમાજના વિકાસમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરી હતી.
હિંમતનગર ડી.વાય.એસ.પી પાયલ સોમેશ્વરે સમાજ અને સરકારમાં મહિલાઓની ભૂમિકા અંગે જાણકારી આપી. મહિલાઓએ પોલીસ હેલ્પલાઇન નં. 112, 181 (અભયમ) અને સાયબર ક્રાઇમ નં. 1930 નો ઉપયોગ કરવા જાગૃત થવું જોઈએ. વધુમાં તેમણે શી-ટીમ અને મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી તેમજ સ્માર્ટફોન સુરક્ષા સેટિંગ્સ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના રેખાબેન ત્રીવેદીએ મહિલાઓના કાનૂની અધિકારો, સમાન હક વિશે જણાવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ૨૦૧૩ ના કાયદાનું પાલન યોગ્ય રીતે થાય તે અને મહિલાઓ આ કાયદા વિશે વધુને વધૂ જાગૃત બને તેના પર ભાર મુક્યો હતો. કાનૂની સેવા સત્તામંડળના કાર્ય વિશે જાણકારી આપી છેવાડાના વ્યક્તિ સુધી ન્યાય મળે તે માટે વિશેષ જાણકારી આપી.
મહિલા અગ્રણી સુશ્રી કૌશલ્યાબા એ જણાવ્યું કે, "યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ" વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્રારા મહિલાઓના વિકાસ અને સશકિતીકરણ માટે અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. આજે સમાજ, સરકાર અને વહીવટી તંત્રમાં મહિલાઓ આગવુ સ્થાન ધરાવે છે. આજે ઘરના રસોડા થી બહાર નીકળી પુરુષ સાથે ખભેથી ખભો મેળવી આગળ વધી છે. મહિલાઓ પોતાના આરોગ્ય નું ધ્યાન રાખે, યોગ અપનાવે અને ભારતના વિકાસમાં સહભાગી બની વડાપ્રધાન શ્રીના @૨૦૪૭ના વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભુમિકા નિશ્ચિત કરો તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર મહિલાઓ જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા સરપંચો, વિવિધ સખી મંડળ , આરોગ્ય ક્ષેત્રે સારી સેવા આપનાર બહેનો, આઇડીડીએસ વિભાગમાં સારી સેવા આપનાર બહેનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી વિવિધ યોજનાના મહિલા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદું, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ પાર્થરાજસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલ ઉપાધ્યાય સહિત જિલ્લાની મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

5 days ago | [YT] | 1

GK TV News Gujarati

*સાબરકાંઠામાં વન અધિકાર અધિનિયમ હેઠળ ૩૨૨૬ પરિવારોના જમીનના દાવા મંજૂર: આદિજાતિઓને મળ્યો કાયદેસરનો હક*
***
*ગુજરાત સરકારનો ‘વન અધિકાર અધિનિયમ-૨૦૦૬’ સાબરકાંઠાના આદિજાતિઓ માટે સાબિત થયો આશીર્વાદરૂપ*
***
*પેઢીઓથી ખેડતા શ્રમિકો હવે બન્યા જમીનના માલિકો: વીંછી ગામના મીરાભાઈ ગમારને મળ્યા ૧.૫ વીઘા જમીનના માલિકી હક*
***
ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તારોમાં પેઢીઓથી વસવાટ કરતા અને ખેતી કરતા અનુસૂચિત જનજાતિના લોકો માટે અમલમાં મુકાયેલો 'વન અધિકાર અધિનિયમ-૨૦૦૬' સામાજિક અને આર્થિક ઉત્થાન માટે પાયાનું પગલું બની રહ્યો છે. આ કાયદાના અસરકારક અમલના પરિણામે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે ૩૨૨૬ જેટલા આદિજાતિ પરિવારોના જમીનના દાવાઓને મંજૂરી આપવામાં આવી છે. વર્ષોથી જમીન ખેડતા શ્રમિકોને હવે કાયદેસર રીતે તે જમીનના માલિકી હક મળી રહ્યા છે, જે આદિજાતિઓને સમાજની મુખ્યધારામાં લાવવા માટેનું એક મજબૂત માધ્યમ બન્યું છે.

આ અધિનિયમથી વ્યક્તિગત લાભ મેળવનાર પોશીના તાલુકાના વીંછી ગામના મીરાભાઈ માલાભાઈ ગમાર આ અંગે પોતાનો સંતોષ વ્યક્ત કરે છે. મીરાબાઈ ગમારે જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ હેઠળ તેમને ૧.૫ વીઘા જમીનનો માલિકી હક મળ્યો છે. મહેનત અને અનિશ્ચિતતા બાદ હવે આ જમીન કાયદેસર રીતે હક મળતા તેઓ અત્યારે તેમાં વાવેતર કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનનો હક આપવા બદલ ગુજરાત સરકારશ્રીનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ આદિજાતિઓના હિતમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ કાયદાના અસરકારક અમલીકરણને પરિણામે જિલ્લાના ૩૨૨૬ જેટલા દાવેદારોને વન જમીનના માલિકી હક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. સરકારનો મુખ્ય અભિગમ એ રહ્યો છે કે વર્ષોથી વન વિસ્તારમાં રહીને જમીન ખેડતા અનુસૂચિત જનજાતિના લોકો અને અન્ય પરંપરાગત આદિજાતિઓને તેમના ખેડાણ તેમજ રહેઠાણ માટે હક્ક મળી રહે, જેથી તેઓ કોઈપણ ભય વગર ગૌરવભેર પોતાનું જીવન વિતાવી શકે. આ કાયદો આદિજાતિઓના જીવનમાં સ્થિરતા લાવી રહ્યો છે.
***

1 week ago | [YT] | 2

GK TV News Gujarati

રાજકમલસિંહ પરમાર

હિંમતનગરમાં શ્રી "ગૌરપૂર્ણિમા મહામહોત્સવ" યોજાયો, *ગૌર નીતાઈ (કૃષ્ણ બલરામ)* ભગવાનને ફળોના રસનો અભિષેક કરાયો,56 ભોગ અર્પણ કરાયા...

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર રામનગરની આગાણવાડી પાસે ઇન્દ્રનગર ગાર્ડનમાં *શ્રી જગન્નાથ ધામ* "હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર" હિંમતનગર દ્વારા ગઈકાલે રાત્રે *શ્રી ગૌર પૂર્ણિમા મહામહોત્સવ* ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ ભજન કીર્તન અને આરતી સાથે કૃષ્ણ બલરામ ભગવાનનો વિવિધ ફળોનો રસ સાથે દૂધ,દહીં,મધ,ઘી સહિતના અભિષેક કરવામાં આવ્યા હતા.

ઇન્દ્રનગર કોમન પ્લોટ ના ગાર્ડન ખાતે પ્રથમ વખત યોજાયેલ શ્રી ગૌર પૂર્ણિમા મહામહોત્સવના દિવસને *શ્રી ચૈતન્ય મહાપ્રભુનો* પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ મહામહોત્સવની ઉજવણીએ ભક્તો ધ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. કૃષ્ણ બલરામ ભગવાનને ગંગાજળથી અભિષેક કર્યા બાદ વિવિધ ફળોના રસનો અભિષેક પૂજન અર્ચન સાથે પંચામૃતથી અભિષેક કરાયો હતો. ત્યારબાદ ગૌરલીલાકથા, આરતી અને પુષ્પવર્ષા (ફૂલોની હોળી) કરવામાં આવી હતી, પ્રવચન અને કીર્તન સાથે પ્રોગ્રામ થયો હતો, અને ત્યારબાદ ભોજન કરી અને ભક્તો છુટા પડ્યા હતા.

1 week ago | [YT] | 1

GK TV News Gujarati

*સાબરકાંઠા જિલ્લામાં ‘આજે રસી, કાલે સુરક્ષા’ના મંત્ર સાથે રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો*
****
ભારત સરકાર દ્વારા દીકરીઓના સ્વાસ્થ્ય સુરક્ષાના હેતુથી શરૂ કરાયેલા ‘રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાન’ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાએ હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અર્બન હેલ્થ સેન્ટર-૧ ખાતેથી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

જિલ્લામાં કુલ ૧૪,૧૫૫ કિશોરીઓને રસીકરણના લક્ષ્યાંક સામે રાજ્ય કક્ષાએથી પ્રથમ તબક્કે ૪,૧૩૫ ડોઝ પ્રાપ્ત થયા છે, જે અંતર્ગત નિયત ઉંમરની તમામ દીકરીઓને આગામી સમયમાં સુરક્ષિત કરવામાં આવશે.

આ પ્રસંગે આરોગ્ય અધિકારીશ્રીએ ગંભીર બીમારી અટકાવવા માટે રસીકરણને સૌથી અસરકારક માધ્યમ ગણાવી વાલીઓને પોતાની દીકરીઓને રસી અપાવવા અનુરોધ કર્યો હતો.હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જાયન્ટસ સહિયર ગ્રુપ દ્વારા કિશોરીઓને પ્રોત્સાહક ઇનામો પણ વિતરીત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ સ્વસ્થ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા અને પ્રધાનમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ અભિયાનને સફળ બનાવી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ બનવા અપીલ કરી હતી.

****

1 week ago | [YT] | 5

GK TV News Gujarati

*પ્રાકૃતિક કૃષિના અદ્રશ્ય એન્જિનિયર એવા દેશી અળસિયાં અને ખેતીની ફળદ્રુપતાનો આયામ*
****

વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરોથી દૂષિત થતી ખેતી અને તેના સ્વાસ્થ્ય પરના દુષ્પરિણામો હવે જગજાહેર છે, ત્યારે સમજદાર ખેડૂતો ફરી એકવાર પ્રકૃતિના ખોળે એટલે કે પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીનો મૂળભૂત સિદ્ધાંત જ એ છે કે ખેડૂતે જાતે મહેનત કરવાને બદલે પ્રકૃતિના અદ્રશ્ય શ્રમિકો એટલે કે અળસિયાં અને સૂક્ષ્મ જીવો પાસે કામ લેવાનું છે. દેશી અળસિયાં જમીનને ફળદ્રુપ બનાવતા એક એવા 'મફતના કામદારો' છે જે ૨૪ કલાક અવિરત સેવા આપે છે અને તેના બદલામાં કોઈ પગારની અપેક્ષા રાખતા નથી. તેમને માત્ર જીવન ટકાવવા માટે 'જીવામૃત' રૂપી એનર્જી ડ્રિંક અને 'આચ્છાદન' રૂપી સુરક્ષિત આશ્રયસ્થાનની જરૂર હોય છે. જે ખેતરમાં આ જીવંત ઈજનેરોનો વસવાટ હોય છે, ત્યાં કુદરતી રીતે જ સોના જેવી મોલાત તૈયાર થાય છે એવો અનેક પ્રગતિશીલ ખેડૂતોનો અનુભવ રહ્યો છે.

વાસ્તવમાં અળસિયું એ માત્ર એક સામાન્ય જીવ નથી, પરંતુ જમીનને જીવંત રાખતી એક આખી ફેક્ટરી છે. જ્યારે ખેડૂત જમીનમાં જીવામૃત કે ઘનજીવામૃતનો પ્રયોગ કરે છે, ત્યારે જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા અળસિયાં તરત જ સક્રિય થઈ જાય છે. તેઓ જમીનમાં સતત ઉપર-નીચે અવરજવર કરીને અસંખ્ય છિદ્રો પાડે છે, જેના કારણે જમીન પોચી અને નરમ બને છે. આ પ્રક્રિયાથી છોડના મૂળને પૂરતો ઓક્સિજન મળે છે અને જમીનમાં હવાની અવરજવર વધે છે. કૃષિ નિષ્ણાતોના મતે માટીના કણો વચ્ચે ૫૦ ટકા ભેજ અને ૫૦ ટકા હવા હોવી જોઈએ, જે આ અળસિયાં વિના શક્ય નથી. આ કુદરતી શ્રમિકો જમીનમાંથી કચરો અને માટી ખાઈને જે 'વર્મીકાસ્ટ' બહાર કાઢે છે, તે પોષકતત્ત્વોનો ભંડાર છે.

અળસિયાં માત્ર ખાતર જ નથી આપતા, પરંતુ તે કુદરતી 'રેઈન વોટર હાર્વેસ્ટિંગ'નું પણ ઉત્તમ કાર્ય કરે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી છિદ્રાળુ નળીઓ વરસાદના પાણીને જમીનમાં ઊંડે ઉતારે છે, જેનાથી જમીનની જળ સંગ્રહશક્તિ અનેકગણી વધી જાય છે. એક અંદાજ મુજબ, વ્યવસ્થિત પ્રાકૃતિક ખેતી હેઠળની એક એકર જમીનમાં ૮ થી ૧૦ લાખ અળસિયાં રાત-દિવસ જમીનને નવજીવન આપવાનું કામ કરે છે. આ અળસિયાંની સંખ્યા વધારવા માટે ખેડૂતે માત્ર ત્રણ સરળ પગલાં લેવાની જરૂર છે: પ્રથમ, જમીનને પાકના અવશેષોથી ઢાંકીને 'આચ્છાદન' કરવું જેથી તેમને અંધારું અને ભેજ મળે. બીજું, નિયમિત રીતે 'જીવામૃત' આપવું જેની ગંધથી અળસિયાં સપાટી પર ખેંચાઈ આવે છે. અને સૌથી મહત્ત્વનું, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો ત્યાગ કરવો, કારણ કે રસાયણો અળસિયાંના દુશ્મન છે જ્યારે પ્રાકૃતિક પદ્ધતિ તેમને નવું જીવન બક્ષે છે.

*****રાજકમલસિંહ પરમાર

2 weeks ago | [YT] | 1