મેળવો તમામ અપડેટ જી કે ટી વી ના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી આ યુ ટૂબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો રાજકમલસિંહ પરમાર બ્યુરો ઓફિસ મહેતાપુરા વિસ્તાર. હિંમતનગર સાબરકાંઠા 9714403435
રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા આજરોજ સાબર ડેરીના ચેરમેન માનનીયશ્રી શામળભાઈ બી. પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા (રેવાસ) મુકામે "ધી નવા (ઈ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ" અને "ધી નવા ગામની સેવા સહકારી મંડળી લિ" ના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો.
સહકારના પાયા પર ઉભેલી આપણી શ્વેતક્રાંતિને વધુ મજબૂત બનાવતા, ઈડર તાલુકાની નવા (રેવાસ) મુકામે "ધી નવા (ઈ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ" અને "ધી નવા ગામની સેવા સહકારી મંડળી લિ" ના ૫૦ વર્ષની સફળ સફર નિમિત્તે આયોજિત 'સુવર્ણ જયંતિ મહોત્સવ'માં સાબર ડેરીના ચેરમેન માનનીયશ્રી શામળભાઈ બી.પટેલ સાહેબે વિશેષ ઉપસ્થિત રહી પશુપાલકોને સંબોધન કર્યું અને સાથેજ મંડળી ને શ્વેત ક્રાંતિના મિશનમાં સહભાગી થઈ નવી ઊંચાઈઓ સર કરે તેવી સાબર ડેરી પરિવાર વતી શુભકામનાઓ પાઠવી.
૨૦૦ લીટર થી શરૂ થયેલ મંડળી નું 40 વર્ષ સુધી સિંચન કરી વિકાસની યશોગાથા જેઓના નેતૃત્વ માં લખાઈ એવા સાબર ડેરીના પૂર્વ ચેરમેન શ્રી સ્વ. ખેમાભાઈ પટેલના સહકારી સંસ્થાઓ અને સભાસદોના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરી પ્રસંગે પૂર્વ ચેરમેન શ્રી ઓ, કર્મચારીઓ તથા પ્રગતિશીલ દૂધ ઉત્પાદકો ને સન્માનિત કરવામાં આવ્યા હતા
ચેરમેનશ્રી એ અધ્યક્ષ સ્થાને થી મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદો ને શુભેચ્છા પાઠવી હતી અને સાબર ડેરીની પ્રગતિ ની માહિતી રજૂ કરી સંઘ દ્વારા કરવામાં આવેલ ચીજ પ્લાન્ટ, રોહતક ખાતે દહીં પ્લાન્ટ ના ક્રમબદ્ધ આયોજન અને પરિણામે 10000 કરોડ ના ટર્નઓવર સુધી પહોંચ્યા છીએ જેના યશનાં હક્કદાર દૂધ ઉત્પાદક છે દૂધના વ્યવસાય નું ઉજળા ભવિષ્ય ને ધ્યાને લઈ યુવાનો પશુપાલન વ્યવસાય માં આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે સાબર ડેરી ના વાઈસ ચેરમેન શ્રી ઋતુરાજભાઈ ડી.પટેલ, ડિરેક્ટરશ્રીઓ, એમ.ડી. શ્રી સાથે સેવા મંડળી - દૂધ મંડળી ના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ ,કર્મચારીઓ તથા સહકારી આગેવાનો સેક્રેટરી તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.
*હિંમતનગરના નિકોડા-ચંદ્રપુરા કંપાના દેરાણી-જેઠાણીની જોડીએ બાગાયત વિભાગની સહાયથી રસોડાના સ્વાદને બનાવ્યો ‘મેજીક’ બિઝનેસ* **** *‘માં મેજીક પાપડ’ થી ‘માં મેજીક સખી મંડળ’ સુધીની સફર* *** કહેવાય છે કે જ્યારે પરિવારનો સાથ અને સરકારી યોજનાનો હાથ મળે, ત્યારે સામાન્ય ગૃહિણી પણ સફળ ઉદ્યોગસાહસિક બની શકે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ચંદ્રપુરા કંપામાં રહેતા દેરાણી-જેઠાણીની જોડીએ આ વાતને સાર્થક કરી બતાવી છે. ૩૬ વર્ષીય પ્રજ્ઞાબેન ભવદીપકુમાર પટેલ અને તેમના જેઠાણી બીનાબેન કીર્તનકુમાર પટેલે ઘરના રસોડાથી શરૂ કરેલી સફર આજે એક સફળ ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત થઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રજ્ઞાબેને વ્યક્તિગત રીતે ‘માં મેજીક પાપડ’ બ્રાન્ડ વિકસાવી હતી, જેમાં તેમના જેઠાણી બીનાબેન ખભેખભા મિલાવીને સાથ આપતા રહ્યા છે. આ જોડીએ પોતાની આ સફળતાનો વ્યાપ વધારવા માટે તાજેતરમાં અન્ય સાત મહિલાઓને સાથે રાખીને ‘ માં મેજીક સખી મંડળ’ની પણ સ્થાપના કરી છે.
આ દેરાણી-જેઠાણીની સફરની શરૂઆત અત્યંત સંઘર્ષમય હતી. પ્રથમ વર્ષે બંને બહેનોએ કાળી મજૂરી કરીને ૫૦૦ કિલો જેટલા પાપડ સંપૂર્ણપણે ‘હાથ વણાટ’થી તૈયાર કર્યા હતા. પ્રજ્ઞાબેન અને બીનાબેનનો આ ઉત્સાહ જોઈ રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન અને ટેકો પૂરો પાડવામાં આવ્યો. બાગાયત વિભાગ હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી ગૃહ ઉદ્યોગ ચલાવવાની તાલીમ લીધા બાદ, વિભાગ દ્વારા મળેલી પાપડ બનાવવાની મશીન સહાય તેમના વ્યવસાય માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ. જે કામ પહેલા હાથથી કરવામાં સમય અને શ્રમ વધુ જતો હતો, તે હવે મશીન દ્વારા વધુ ચોકસાઈ અને ઝડપથી થવા લાગ્યું. પરિણામે, છેલ્લા ત્રણ વર્ષમાં ‘માં મેજીક પાપડ’ દ્વારા તમામ ખર્ચ બાદ કરતાં અંદાજે ૨.૫ લાખ રૂપિયાનો માતબર નફો મેળવવામાં આવ્યો છે.
આજે આ દેરાણી-જેઠાણીની જોડી હિંમતનગર પંથકમાં સ્વનિર્ભરતાનું પ્રતીક બની છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતા ચોખા, મકાઈ, રાગી અને ઘઉંના પાપડ તેમજ બટાકાની વેફર અને ચકરીની માંગ સતત વધી રહી છે. પ્રજ્ઞાબેન અને બીનાબેન ગૌરવ સાથે જણાવે છે કે, “સરકારની તાલીમ અને પ્રોત્સાહને અમને ઘરની ચાર દીવાલોમાંથી બહાર આવી ઉદ્યોગ સાહસિક બનવાનું બળ પૂરું પાડ્યું છે.” નિકોડા ચંદ્રપુરા કંપાની આ મહિલાઓની સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે જો પારિવારિક એકતા અને સરકારી સહાયનો સંગમ થાય, તો ગ્રામીણ નારી શક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. બાગાયત વિભાગના સહયોગ અને મક્કમ આત્મવિશ્વાસના જોરે શરૂ થયેલો આ નાનકડો ગૃહ ઉદ્યોગ હવે વ્યાપારી ક્ષિતિજો વિસ્તારી રહ્યો છે. ****
હિંમતનગર તાલુકાના ગઢા (વકતાપુર) ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હિંમતનગર તાલુકાના ગઢા (વકતાપુર) ગામે માનનીય ટી.ડી.ઓ. શ્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળો સંદેશ ફેલાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામલોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ટી.ડી.ઓ. હાર્દિકસિંહ રાઠોડ એ.ટી.ડી.ઓ. સુરેન્દ્રસિંહ ડાભી પી.કે. ગોહીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગઢા ગામના સરપંચ અબ્દુલભાઈ ડોડીયા, તલાટી કમ મંત્રી ઈલ્યાસભાઈ મેમણ , પંચાયત સભ્યો તથા પંચાયત સ્ટાફના વાસુભાઈ અને જુનેદભાઈએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ, નવા ચૂંટાયેલા ડેલીગેટો, ભાજપ બુથ પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ અંતે વૃક્ષોનું જતન કરવાની અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરવામાં આવી હતી.
હિંમતનગરના દેરોલ સ્થિત ‘ઋષિવન’માં ગ્રીન બ્રિગેડ સંસ્થાના શ્રી જીતુભાઈ પટેલ દ્વારા ૧ લાખ નવા વૃક્ષોના ઉછેરનું ભગીરથ અભિયાન* *** *દરેક નાગરિક વૃક્ષ વાવે અને વૃક્ષની જાળવણીની સાથે ઉનાળાની આ ભીષણ ગરમીમાં અબોલ જીવો માટે ઘર આંગણે પાણીની પરબ માંડે” : ગ્રીન બ્રિગેડના શ્રી જીતુભાઈ પટેલની જનતાને હૃદયસ્પર્શી અપીલ* *** *ભીષણ ગરમીમાં અબોલ જીવો માટે ૩૫ ચેકડેમ દ્વારા જળ સંચયનું અનોખું સેવાયજ્ઞ* ** સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દેરોલ ખાતે સાબરમતી નદીના તટે પ્રકૃતિના ખોળામાં વિસ્તરેલું ‘ઋષિવન’ આજે પર્યાવરણ સંવર્ધનનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. ગ્રીન બ્રિગેડ સંસ્થાના શ્રી જીતુભાઈ પટેલ અને તેમની સમર્પિત ટીમ દ્વારા અહીં અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ વૃક્ષોનો સફળ ઉછેર કરવામાં આવ્યો છે. શરુ વર્ષે ઉનાળાની પ્રચંડ ગરમીની પરવા કર્યા વગર શ્રી જીતુભાઈએ વધુ ૧ લાખ નવા વૃક્ષોના વાવેતર અને ઉછેરનું અત્યંત પડકારજનક કાર્ય ઉપાડી હરિયાળી ક્રાંતિનું નવું સોપાન સર કર્યું છે.
વિશેષમાં, હાલ ઉનાળુ વેકેશનને કારણે મોટાભાગના શ્રમિકો પોતપોતાના વતનમાં ગયા છે, ત્યારે કાર્યમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી વૃક્ષપ્રેમી શ્રી જીતુભાઈ પટેલ અને તેમની ટીમે સ્વહસ્તે આ નવપલ્લવિત છોડવાઓને પાણી પાવાની અને માવજત કરવાની નૈતિક જવાબદારી ઉપાડી છે. શ્રી જીતુભાઈ પટેલના મતે, કોઈપણ વૃક્ષને માત્ર શરૂઆતના એકાદ માસની સઘન જાળવણી અને પૂરતા પાણીની જરૂર હોય છે, ત્યારબાદ બાકીના મહિના કુદરત તેના જતનની પ્રક્રિયા આપમેળે સંભાળી લે છે. આથી, આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃક્ષોની રક્ષા કરવી એ જ સાચી પર્યાવરણ સેવા છે.
પ્રકૃતિ અને વન્ય જીવો પ્રત્યેની સંવેદનાના દાખવતા શ્રી જીતુભાઈ પટેલે ઋષિવન સંકુલમાં ૩૫ જેટલા નાના-મોટા ચેકડેમ તૈયાર કર્યા છે. આ જળાશયો ભરઉનાળે વન્ય જીવો અને અબોલ પક્ષીઓની તરસ છિપાવવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. જીતુભાઈએ જિલ્લાના નાગરિકોને હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું છે કે, પ્રત્યેક વ્યક્તિ વૃક્ષારોપણ કરે અને ખાસ કરીને ઉનાળાના સમયમાં રોપેલા છોડને નિયમિત પાણી પીવડાવી તેનું સંતાનવત જતન કરે. સાથોસાથ, અબોલ પશુ-પક્ષીઓ માટે ઘરના આંગણે કે અગાશી પર પાણીના કુંડા અને પરબ મૂકી માનવતા મહેકાવવા તેમણે વિનંતી કરી છે.
સાબરમતીના પટમાં હરિયાળી ચાદર ઓઢાડતું ‘ઋષિવન’ આજે માત્ર વૃક્ષોનું જંગલ જ નહીં, પરંતુ જળસંચય અને પર્યાવરણ રક્ષાનું એક આદર્શ મોડેલ બની સાબરકાંઠાની શાનમાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે
તાજેતરમાં તારીખ ૨ થી ૩ મે ૨૦૨૬ દરમ્યાન ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૬ સબ જુનિયર, કેડેટ, જુનિયર નું કરાટે -ડો ફેડરેશન ગુજરાત દ્વારા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ આ ચેમ્પિયનશિપમાં સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ૯ ગોલ્ડ મેડલ ૬ સિલ્વર મેડલ ૫ બ્રોઝ મેડલ એમ કુલ ૨૦ મેડલ કાતા અને કુમિતેમાં અલગ અલગ એઇઝ ગ્રુપ અને વજન ગ્રુપમાં મેળવી સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરવા બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ કે વાઘેલા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા
મેડલ મેળવનાર ખેલાડીઓની યાદી નીચે મુજબ છે
1.પટેલ નીરા 7 વર્ષ કુમીતે-ગોલ્ડ મેડલ (-20 કીલો)
2.જીયાંશ દિનેશકુમાર જયસ્વાલ 10 વર્ષ કુમીતે-ગોલ્ડ મેડલ (-25 કીલો )
સહકારના પાયા પર ઉભેલી આપણી શ્વેતક્રાંતિને વધુ મજબૂત બનાવતા, ઈડર તાલુકાની 'ધી ચોરીવાડ ગ્રુપ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.' ના ૫૦ વર્ષની સફળ સફર નિમિત્તે આયોજિત 'સુવર્ણ જયંતિ મહોત્સવ' માં સાબર ડેરીના ચેરમેન માનનીયશ્રી શામળભાઈ બી. પટેલ સાહેબે વિશેષ ઉપસ્થિત રહી પશુપાલકોને સંબોધન કર્યું હતું.
ચેરમેન સાહેબે પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે, મંડળીની ૫૦ વર્ષની મજબૂત મજલ એ પશુપાલકોના પરિશ્રમ અને સહકારનું પરિણામ છે.
૨૦૨૦-૨૧ના વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રગતિશીલ પશુપાલકોને ચેરમેન સાહેબના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે સાબર ડેરીના વાઇસ ચેરમેન,ડિરેક્ટરશ્રીઓ,એમ.ડી. શ્રી તથા સહકારી આગેવાનો, કર્મચારીઓ તેમજ ચોરીવાડ દૂધ મંડળીના ચેરમેનશ્રી, સેક્રેટરી તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.
સહકાર અને શ્રદ્ધાના જોરે ચોરીવાડ દૂધ મંડળી આગામી સમયમાં પણ શ્વેત ક્રાંતિના મિશનમાં સહભાગી થઈ નવી ઊંચાઈઓ સર કરે તેવી સાબર ડેરી પરિવાર વતી શુભકામનાઓ.
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનર ડો. રતનકંવર ગઢવીચારણના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ****** પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી: શિક્ષણ, આરોગ્ય અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ અંગે આપ્યું જરૂરી માર્ગદર્શન ***** સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવ અને રાજ્યના આરોગ્ય કમિશનર ડો. રતનકંવર ગઢવીચારણના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકામોની પ્રગતિની સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ' પર વિશેષ ભાર 'દરેક બાળક શાળાએ'
આ બેઠકમાં આગામી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની પૂર્વતૈયારીઓ પર વિશેષ ભાર મૂકતા પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે વહીવટીતંત્રનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. "દરેક બાળક શાળાએ" ના સંકલ્પ સાથે, ખાસ કરીને કન્યા કેળવણી અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા માટે ઝુંબેશ સ્તરે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન માત્ર નામાંકન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચે અને 'સ્કૂલ ઓફ એક્સેલેન્સ' જેવી સુવિધાઓનો મહત્તમ લાભ લે તે દિશામાં આયોજન કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. શિક્ષણ એ વિકાસનો પાયો છે, ત્યારે જિલ્લાની દરેક શાળા અને છાત્રાલયમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે તમામ અમલીકરણ અધિકારીઓને સક્રિય રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના મુખ્ય વિભાગો જેવા કે શિક્ષણ અને આરોગ્યની કામગીરી પર વિશેષ ભાર મૂક્યો હતો. પાણી પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ વગેરે માટે જમીન સંપાદન તેમજ વીજળી વગેરે સુવિધાઓ, શિક્ષણ વિભાગમાં બાળકોના નામાંકન, શાળા પ્રવેશોત્સવ, ડ્રોપ આઉટ ઘટાડવા માટે કરવામાં આવતી કામગીરી, ધોરણ ૧૦-૧૨ના પરિણામ તેમજ હાયર એજ્યુકેશન સુધી પહોંચતા વિધાર્થીઓની સંખ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ટ્રાઇબલ શાળાઓ, છાત્રાલયો, સ્કૂલ ઓફ એક્સેલેન્સ વગેરેની ચર્ચા કરી હતી. પ્રભારી સચિવશ્રીએ કમોસમી વરસાદમાં થયેલ પાક નુકશાન વળતર, આગલા વર્ષે થયેલી પાક નુકશાની વળતર, સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવું એ વહીવટીતંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ એમ જણાવી જરૂરી સુચનો કર્યા હતા. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લેતા, બેઠકમાં 'પ્રિ-મોન્સૂન એક્ટિવિટી' અંગે ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, નદી-નાળાની સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં અને આપત્તિ વ્યવસ્થાપન અંગેના આગોતરા આયોજન માટે તેમણે તમામ વિભાગોને સંકલનમાં રહી કામ કરવા સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદુએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ ગ્રામ્ય સ્તરે થતા વિકાસલક્ષી કાર્યો અને પંચાયત વિભાગની સજ્જતા અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના વિભાગની કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
ખેડબ્રહ્માના ઊંચી ધનાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ખેડબ્રહ્મા ના ઊંચી ધનાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પમાં 19 યુનિટ રક્ત એકત્રિત થયું. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો હવે રક્તદાનનું સાચું મહત્વ સમજી સ્વયંપ્રેરિત રીતે આગળ આવી રક્તદાન કરી રહ્યા છે. આ એક સકારાત્મક પરિવર્તનનું પ્રતિક છે. દરેક રક્તદાતા એ માત્ર રક્ત આપ્યું નથી, પરંતુ અજાણી જિંદગીને નવી આશા, નવજીવન અને સ્મિત આપ્યું છે. “રક્તદાન એ મહાદાન” — આ સંદેશ આજે અંતરિયાળ વિસ્તારમાંથી ગુંજી રહ્યો છે. માનવતા, સેવા અને સંવેદનાની આ સુંદર પહેલ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
GK TV News Gujarati
રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા
આજરોજ સાબર ડેરીના ચેરમેન માનનીયશ્રી શામળભાઈ બી. પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા (રેવાસ) મુકામે "ધી નવા (ઈ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ" અને "ધી નવા ગામની સેવા સહકારી મંડળી લિ" ના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો.
સહકારના પાયા પર ઉભેલી આપણી શ્વેતક્રાંતિને વધુ મજબૂત બનાવતા, ઈડર તાલુકાની નવા (રેવાસ) મુકામે "ધી નવા (ઈ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ" અને "ધી નવા ગામની સેવા સહકારી મંડળી લિ" ના ૫૦ વર્ષની સફળ સફર નિમિત્તે આયોજિત 'સુવર્ણ જયંતિ મહોત્સવ'માં સાબર ડેરીના ચેરમેન માનનીયશ્રી શામળભાઈ બી.પટેલ સાહેબે વિશેષ ઉપસ્થિત રહી પશુપાલકોને સંબોધન કર્યું અને સાથેજ મંડળી ને શ્વેત ક્રાંતિના મિશનમાં સહભાગી થઈ નવી ઊંચાઈઓ સર કરે તેવી સાબર ડેરી પરિવાર વતી શુભકામનાઓ પાઠવી.
૨૦૦ લીટર થી શરૂ થયેલ મંડળી નું 40 વર્ષ સુધી સિંચન કરી વિકાસની યશોગાથા જેઓના નેતૃત્વ માં લખાઈ એવા સાબર ડેરીના પૂર્વ ચેરમેન શ્રી સ્વ. ખેમાભાઈ પટેલના સહકારી સંસ્થાઓ અને સભાસદોના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરી પ્રસંગે પૂર્વ ચેરમેન શ્રી ઓ, કર્મચારીઓ તથા પ્રગતિશીલ દૂધ ઉત્પાદકો ને સન્માનિત કરવામાં આવ્યા હતા
ચેરમેનશ્રી એ અધ્યક્ષ સ્થાને થી મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદો ને શુભેચ્છા પાઠવી હતી અને સાબર ડેરીની પ્રગતિ ની માહિતી રજૂ કરી સંઘ દ્વારા કરવામાં આવેલ ચીજ પ્લાન્ટ, રોહતક ખાતે દહીં પ્લાન્ટ ના ક્રમબદ્ધ આયોજન અને પરિણામે 10000 કરોડ ના ટર્નઓવર સુધી પહોંચ્યા છીએ જેના યશનાં હક્કદાર દૂધ ઉત્પાદક છે દૂધના વ્યવસાય નું ઉજળા ભવિષ્ય ને ધ્યાને લઈ યુવાનો પશુપાલન વ્યવસાય માં આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે સાબર ડેરી ના વાઈસ ચેરમેન શ્રી ઋતુરાજભાઈ ડી.પટેલ, ડિરેક્ટરશ્રીઓ, એમ.ડી. શ્રી સાથે સેવા મંડળી - દૂધ મંડળી ના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ ,કર્મચારીઓ તથા સહકારી આગેવાનો સેક્રેટરી તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.
17 hours ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
*હિંમતનગરના નિકોડા-ચંદ્રપુરા કંપાના દેરાણી-જેઠાણીની જોડીએ બાગાયત વિભાગની સહાયથી રસોડાના સ્વાદને બનાવ્યો ‘મેજીક’ બિઝનેસ*
****
*‘માં મેજીક પાપડ’ થી ‘માં મેજીક સખી મંડળ’ સુધીની સફર*
***
કહેવાય છે કે જ્યારે પરિવારનો સાથ અને સરકારી યોજનાનો હાથ મળે, ત્યારે સામાન્ય ગૃહિણી પણ સફળ ઉદ્યોગસાહસિક બની શકે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ચંદ્રપુરા કંપામાં રહેતા દેરાણી-જેઠાણીની જોડીએ આ વાતને સાર્થક કરી બતાવી છે. ૩૬ વર્ષીય પ્રજ્ઞાબેન ભવદીપકુમાર પટેલ અને તેમના જેઠાણી બીનાબેન કીર્તનકુમાર પટેલે ઘરના રસોડાથી શરૂ કરેલી સફર આજે એક સફળ ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત થઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રજ્ઞાબેને વ્યક્તિગત રીતે ‘માં મેજીક પાપડ’ બ્રાન્ડ વિકસાવી હતી, જેમાં તેમના જેઠાણી બીનાબેન ખભેખભા મિલાવીને સાથ આપતા રહ્યા છે. આ જોડીએ પોતાની આ સફળતાનો વ્યાપ વધારવા માટે તાજેતરમાં અન્ય સાત મહિલાઓને સાથે રાખીને ‘ માં મેજીક સખી મંડળ’ની પણ સ્થાપના કરી છે.
આ દેરાણી-જેઠાણીની સફરની શરૂઆત અત્યંત સંઘર્ષમય હતી. પ્રથમ વર્ષે બંને બહેનોએ કાળી મજૂરી કરીને ૫૦૦ કિલો જેટલા પાપડ સંપૂર્ણપણે ‘હાથ વણાટ’થી તૈયાર કર્યા હતા. પ્રજ્ઞાબેન અને બીનાબેનનો આ ઉત્સાહ જોઈ રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન અને ટેકો પૂરો પાડવામાં આવ્યો. બાગાયત વિભાગ હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી ગૃહ ઉદ્યોગ ચલાવવાની તાલીમ લીધા બાદ, વિભાગ દ્વારા મળેલી પાપડ બનાવવાની મશીન સહાય તેમના વ્યવસાય માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ. જે કામ પહેલા હાથથી કરવામાં સમય અને શ્રમ વધુ જતો હતો, તે હવે મશીન દ્વારા વધુ ચોકસાઈ અને ઝડપથી થવા લાગ્યું. પરિણામે, છેલ્લા ત્રણ વર્ષમાં ‘માં મેજીક પાપડ’ દ્વારા તમામ ખર્ચ બાદ કરતાં અંદાજે ૨.૫ લાખ રૂપિયાનો માતબર નફો મેળવવામાં આવ્યો છે.
આજે આ દેરાણી-જેઠાણીની જોડી હિંમતનગર પંથકમાં સ્વનિર્ભરતાનું પ્રતીક બની છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતા ચોખા, મકાઈ, રાગી અને ઘઉંના પાપડ તેમજ બટાકાની વેફર અને ચકરીની માંગ સતત વધી રહી છે. પ્રજ્ઞાબેન અને બીનાબેન ગૌરવ સાથે જણાવે છે કે, “સરકારની તાલીમ અને પ્રોત્સાહને અમને ઘરની ચાર દીવાલોમાંથી બહાર આવી ઉદ્યોગ સાહસિક બનવાનું બળ પૂરું પાડ્યું છે.” નિકોડા ચંદ્રપુરા કંપાની આ મહિલાઓની સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે જો પારિવારિક એકતા અને સરકારી સહાયનો સંગમ થાય, તો ગ્રામીણ નારી શક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. બાગાયત વિભાગના સહયોગ અને મક્કમ આત્મવિશ્વાસના જોરે શરૂ થયેલો આ નાનકડો ગૃહ ઉદ્યોગ હવે વ્યાપારી ક્ષિતિજો વિસ્તારી રહ્યો છે.
****
1 week ago | [YT] | 2
View 0 replies
GK TV News Gujarati
*રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા*
હિંમતનગર તાલુકાના ગઢા (વકતાપુર) ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિંમતનગર તાલુકાના ગઢા (વકતાપુર) ગામે માનનીય ટી.ડી.ઓ. શ્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળો સંદેશ ફેલાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામલોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ટી.ડી.ઓ. હાર્દિકસિંહ રાઠોડ
એ.ટી.ડી.ઓ. સુરેન્દ્રસિંહ ડાભી
પી.કે. ગોહીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ ગઢા ગામના સરપંચ અબ્દુલભાઈ ડોડીયા,
તલાટી કમ મંત્રી ઈલ્યાસભાઈ મેમણ
, પંચાયત સભ્યો તથા પંચાયત સ્ટાફના વાસુભાઈ અને જુનેદભાઈએ પણ હાજરી આપી હતી.
આ પ્રસંગે ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ, નવા ચૂંટાયેલા ડેલીગેટો, ભાજપ બુથ પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમ અંતે વૃક્ષોનું જતન કરવાની અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરવામાં આવી હતી.
1 week ago | [YT] | 11
View 0 replies
GK TV News Gujarati
Rajkamal
હિંમતનગરના દેરોલ સ્થિત ‘ઋષિવન’માં ગ્રીન બ્રિગેડ સંસ્થાના શ્રી જીતુભાઈ પટેલ દ્વારા ૧ લાખ નવા વૃક્ષોના ઉછેરનું ભગીરથ અભિયાન*
***
*દરેક નાગરિક વૃક્ષ વાવે અને વૃક્ષની જાળવણીની સાથે ઉનાળાની આ ભીષણ ગરમીમાં અબોલ જીવો માટે ઘર આંગણે પાણીની પરબ માંડે” : ગ્રીન બ્રિગેડના શ્રી જીતુભાઈ પટેલની જનતાને હૃદયસ્પર્શી અપીલ*
***
*ભીષણ ગરમીમાં અબોલ જીવો માટે ૩૫ ચેકડેમ દ્વારા જળ સંચયનું અનોખું સેવાયજ્ઞ*
**
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દેરોલ ખાતે સાબરમતી નદીના તટે પ્રકૃતિના ખોળામાં વિસ્તરેલું ‘ઋષિવન’ આજે પર્યાવરણ સંવર્ધનનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. ગ્રીન બ્રિગેડ સંસ્થાના શ્રી જીતુભાઈ પટેલ અને તેમની સમર્પિત ટીમ દ્વારા અહીં અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ વૃક્ષોનો સફળ ઉછેર કરવામાં આવ્યો છે. શરુ વર્ષે ઉનાળાની પ્રચંડ ગરમીની પરવા કર્યા વગર શ્રી જીતુભાઈએ વધુ ૧ લાખ નવા વૃક્ષોના વાવેતર અને ઉછેરનું અત્યંત પડકારજનક કાર્ય ઉપાડી હરિયાળી ક્રાંતિનું નવું સોપાન સર કર્યું છે.
વિશેષમાં, હાલ ઉનાળુ વેકેશનને કારણે મોટાભાગના શ્રમિકો પોતપોતાના વતનમાં ગયા છે, ત્યારે કાર્યમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી વૃક્ષપ્રેમી શ્રી જીતુભાઈ પટેલ અને તેમની ટીમે સ્વહસ્તે આ નવપલ્લવિત છોડવાઓને પાણી પાવાની અને માવજત કરવાની નૈતિક જવાબદારી ઉપાડી છે. શ્રી જીતુભાઈ પટેલના મતે, કોઈપણ વૃક્ષને માત્ર શરૂઆતના એકાદ માસની સઘન જાળવણી અને પૂરતા પાણીની જરૂર હોય છે, ત્યારબાદ બાકીના મહિના કુદરત તેના જતનની પ્રક્રિયા આપમેળે સંભાળી લે છે. આથી, આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃક્ષોની રક્ષા કરવી એ જ સાચી પર્યાવરણ સેવા છે.
પ્રકૃતિ અને વન્ય જીવો પ્રત્યેની સંવેદનાના દાખવતા શ્રી જીતુભાઈ પટેલે ઋષિવન સંકુલમાં ૩૫ જેટલા નાના-મોટા ચેકડેમ તૈયાર કર્યા છે. આ જળાશયો ભરઉનાળે વન્ય જીવો અને અબોલ પક્ષીઓની તરસ છિપાવવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. જીતુભાઈએ જિલ્લાના નાગરિકોને હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું છે કે, પ્રત્યેક વ્યક્તિ વૃક્ષારોપણ કરે અને ખાસ કરીને ઉનાળાના સમયમાં રોપેલા છોડને નિયમિત પાણી પીવડાવી તેનું સંતાનવત જતન કરે. સાથોસાથ, અબોલ પશુ-પક્ષીઓ માટે ઘરના આંગણે કે અગાશી પર પાણીના કુંડા અને પરબ મૂકી માનવતા મહેકાવવા તેમણે વિનંતી કરી છે.
સાબરમતીના પટમાં હરિયાળી ચાદર ઓઢાડતું ‘ઋષિવન’ આજે માત્ર વૃક્ષોનું જંગલ જ નહીં, પરંતુ જળસંચય અને પર્યાવરણ રક્ષાનું એક આદર્શ મોડેલ બની સાબરકાંઠાની શાનમાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે
1 week ago | [YT] | 2
View 0 replies
GK TV News Gujarati
તાજેતરમાં તારીખ ૨ થી ૩ મે ૨૦૨૬ દરમ્યાન ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૬ સબ જુનિયર, કેડેટ, જુનિયર નું કરાટે -ડો ફેડરેશન ગુજરાત દ્વારા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ આ ચેમ્પિયનશિપમાં સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ૯ ગોલ્ડ મેડલ ૬ સિલ્વર મેડલ ૫ બ્રોઝ મેડલ એમ કુલ ૨૦ મેડલ કાતા અને કુમિતેમાં અલગ અલગ એઇઝ ગ્રુપ અને વજન ગ્રુપમાં મેળવી સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરવા બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ કે વાઘેલા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા
મેડલ મેળવનાર ખેલાડીઓની યાદી નીચે મુજબ છે
1.પટેલ નીરા
7 વર્ષ
કુમીતે-ગોલ્ડ મેડલ
(-20 કીલો)
2.જીયાંશ દિનેશકુમાર જયસ્વાલ
10 વર્ષ
કુમીતે-ગોલ્ડ મેડલ
(-25 કીલો )
3.પટેલ ધરવ સચિનભાઈ
7 વર્ષ
કુમીતે -ગોલ્ડ મેડલ
(-20 કિલો )
4.દેવડા પ્રિયાંશીકુમારી
13 વર્ષ
કુમિતે -સિલ્વર મેડલ
(-45 કિલો)
5.બ્રિજરાજસિંહ અમિતસિંહ રાઠોડ
7 વર્ષ
કુમીતે -ગોલ્ડ મેડલ
(-20 કિલો)
6.પ્રતિક તેજસ મહેતા
12 વર્ષ
કુમીતે -ગોલ્ડ મેડલ
(+60 કિલો)
7.પટેલ કિયારા ધનંજય
8 વર્ષ
કુમીતે -ગોલ્ડ મેડલ
(-30 કિલો)
કાતા - બ્રોન્ઝ મેડલ
8.પટેલ રિદ્ધિ રવિન્દ્રભાઈ
12 વર્ષ
કુમીતે -ગોલ્ડ મેડલ
(-35 કીલો
9.નમિતા દિનેશકુમાર જયસ્વાલ
કુમીતે -ગોલ્ડ મેડલ
(-42 કીલો)
કાતા - સિલ્વર મેડલ
10.અંજલી જોષી
કુમિતે -સિલ્વર મેડલ
(-42 કીલો)
11. પિત્રોડા ધર્મી અમિત
10 વર્ષ
કુમીતે -ગોલ્ડ મેડલ
(-26 કિલો)
12.મોડિયા બાર્લિન નિરવભાઈ
9 વર્ષ
કુમિતે - બ્રોન્ઝ મેડલ
13.જૈનીલ રાકેશભાઈ ડામોર
10 વર્ષ
કુમીતે -સિલ્વર મેડલ
(-25 કિલો)
14.જેનિલ વિપુલભાઈ જોષી
13 વર્ષ
કુમિતે -બ્રોન્ઝ મેડલ
(-40 કિલો)
15.જોષી રુદ્ર સચિનકુમાર
12 વર્ષ
કુમીતે -સિલ્વર મેડલ
(-40 કિલો)
કાતા - બ્રોન્ઝ મેડલ
16.ચાવલા દક્ષ ભગવતીભાઈ
13 વર્ષ
કુમિતે -બ્રોન્ઝ મેડલ
(-45 કિલો)
17.ડામોર રજની જગદીશભાઈ
જુનિયર
કુમીતે -સિલ્વર મેડલ
(-76 કિલો )
1 week ago | [YT] | 3
View 0 replies
GK TV News Gujarati
રાજકમલસિંહ પરમાર
સાબર ડેરીના ચેરમેન માનનીયશ્રી શામળભાઈ બી. પટેલની અધ્યક્ષતામાં ચોરીવાડ દૂધ મંડળીનો ‘સુવર્ણ જયંતિ મહોત્સવ’ ઉજવાયો.
સહકારના પાયા પર ઉભેલી આપણી શ્વેતક્રાંતિને વધુ મજબૂત બનાવતા, ઈડર તાલુકાની 'ધી ચોરીવાડ ગ્રુપ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.' ના ૫૦ વર્ષની સફળ સફર નિમિત્તે આયોજિત 'સુવર્ણ જયંતિ મહોત્સવ' માં સાબર ડેરીના ચેરમેન માનનીયશ્રી શામળભાઈ બી. પટેલ સાહેબે વિશેષ ઉપસ્થિત રહી પશુપાલકોને સંબોધન કર્યું હતું.
ચેરમેન સાહેબે પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે, મંડળીની ૫૦ વર્ષની મજબૂત મજલ એ પશુપાલકોના પરિશ્રમ અને સહકારનું પરિણામ છે.
૨૦૨૦-૨૧ના વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રગતિશીલ પશુપાલકોને ચેરમેન સાહેબના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે સાબર ડેરીના વાઇસ ચેરમેન,ડિરેક્ટરશ્રીઓ,એમ.ડી. શ્રી તથા સહકારી આગેવાનો, કર્મચારીઓ તેમજ ચોરીવાડ દૂધ મંડળીના ચેરમેનશ્રી, સેક્રેટરી તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.
સહકાર અને શ્રદ્ધાના જોરે ચોરીવાડ દૂધ મંડળી આગામી સમયમાં પણ શ્વેત ક્રાંતિના મિશનમાં સહભાગી થઈ નવી ઊંચાઈઓ સર કરે તેવી સાબર ડેરી પરિવાર વતી શુભકામનાઓ.
1 week ago | [YT] | 3
View 0 replies
GK TV News Gujarati
શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, લીંબડી જી. સુરેન્દ્રનગરના પરમ પૂજ્ય મહામંડલેશ્વર સંત ૧૦૦૮શ્રી લલિત કિશોર શરણજી મહારાજ આજે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી સૌ ભક્તોને આશીર્વાદ આપ્યા.
2 weeks ago | [YT] | 3
View 0 replies
GK TV News Gujarati
Rajkamal parmar
*શ્રી ગોપાલ વૈષ્ણવ પીઠ*
પંચમુખી હનુમાનજી મંદિર રાજપુર પાટીયા, ઈડર રોડ, હિંમતનગર જી. સાબરકાંઠા
ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
*મૂર્તિઓનું સ્વાગત તથા સામૈયું*
2 weeks ago | [YT] | 1
View 0 replies
GK TV News Gujarati
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનર ડો. રતનકંવર ગઢવીચારણના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
******
પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી: શિક્ષણ, આરોગ્ય અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ અંગે આપ્યું જરૂરી માર્ગદર્શન
*****
સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવ અને રાજ્યના આરોગ્ય કમિશનર ડો. રતનકંવર ગઢવીચારણના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકામોની પ્રગતિની સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ' પર વિશેષ ભાર 'દરેક બાળક શાળાએ'
આ બેઠકમાં આગામી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની પૂર્વતૈયારીઓ પર વિશેષ ભાર મૂકતા પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે વહીવટીતંત્રનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. "દરેક બાળક શાળાએ" ના સંકલ્પ સાથે, ખાસ કરીને કન્યા કેળવણી અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા માટે ઝુંબેશ સ્તરે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન માત્ર નામાંકન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચે અને 'સ્કૂલ ઓફ એક્સેલેન્સ' જેવી સુવિધાઓનો મહત્તમ લાભ લે તે દિશામાં આયોજન કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. શિક્ષણ એ વિકાસનો પાયો છે, ત્યારે જિલ્લાની દરેક શાળા અને છાત્રાલયમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે તમામ અમલીકરણ અધિકારીઓને સક્રિય રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના મુખ્ય વિભાગો જેવા કે શિક્ષણ અને આરોગ્યની કામગીરી પર વિશેષ ભાર મૂક્યો હતો. પાણી પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ વગેરે માટે જમીન સંપાદન તેમજ વીજળી વગેરે સુવિધાઓ, શિક્ષણ વિભાગમાં બાળકોના નામાંકન, શાળા પ્રવેશોત્સવ, ડ્રોપ આઉટ ઘટાડવા માટે કરવામાં આવતી કામગીરી, ધોરણ ૧૦-૧૨ના પરિણામ તેમજ હાયર એજ્યુકેશન સુધી પહોંચતા વિધાર્થીઓની સંખ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ટ્રાઇબલ શાળાઓ, છાત્રાલયો, સ્કૂલ ઓફ એક્સેલેન્સ વગેરેની ચર્ચા કરી હતી.
પ્રભારી સચિવશ્રીએ કમોસમી વરસાદમાં થયેલ પાક નુકશાન વળતર, આગલા વર્ષે થયેલી પાક નુકશાની વળતર, સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવું એ વહીવટીતંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ એમ જણાવી જરૂરી સુચનો કર્યા હતા.
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લેતા, બેઠકમાં 'પ્રિ-મોન્સૂન એક્ટિવિટી' અંગે ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, નદી-નાળાની સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં અને આપત્તિ વ્યવસ્થાપન અંગેના આગોતરા આયોજન માટે તેમણે તમામ વિભાગોને સંકલનમાં રહી કામ કરવા સૂચના આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદુએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ ગ્રામ્ય સ્તરે થતા વિકાસલક્ષી કાર્યો અને પંચાયત વિભાગની સજ્જતા અંગે માહિતી આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના વિભાગની કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
2 weeks ago | [YT] | 2
View 0 replies
GK TV News Gujarati
ખેડબ્રહ્માના ઊંચી ધનાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ખેડબ્રહ્મા ના ઊંચી ધનાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પમાં 19 યુનિટ રક્ત એકત્રિત થયું. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો હવે રક્તદાનનું સાચું મહત્વ સમજી સ્વયંપ્રેરિત રીતે આગળ આવી રક્તદાન કરી રહ્યા છે.
આ એક સકારાત્મક પરિવર્તનનું પ્રતિક છે. દરેક રક્તદાતા એ માત્ર રક્ત આપ્યું નથી, પરંતુ અજાણી જિંદગીને નવી આશા, નવજીવન અને સ્મિત આપ્યું છે.
“રક્તદાન એ મહાદાન” — આ સંદેશ આજે અંતરિયાળ વિસ્તારમાંથી ગુંજી રહ્યો છે.
માનવતા, સેવા અને સંવેદનાની આ સુંદર પહેલ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
2 weeks ago | [YT] | 0
View 0 replies
Load more