Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)
Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.
Bhupendra Patel
વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં મહાનગરપાલિકા અને જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા અંદાજે રૂ. 413.81 કરોડના વિવિધ પ્રકલ્પોનું આજે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
જેમાં માર્ગ-મકાન, શહેરી વિકાસ અને ઊર્જા વિભાગના કાર્યો સહિત પોરબંદરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત વર્કશોપ બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ વન અને પર્યાવરણ વિભાગ હેઠળ 'સર્વોદય વન'નું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.
આ તમામ પ્રકલ્પો પોરબંદરના નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'માં વધારો કરશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશદર્શનમાં પોરબંદરે વિકાસની જે હરણફાળ ભરી છે, તેના પરિણામે જ આ શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પોરબંદર લીડ લેનારું અને પથદર્શક મહાનગર બનશે તેવો વિશ્વાસ આ અવસર વ્યક્ત કર્યો.
આવો, પૂજ્ય બાપુના સ્વચ્છતા, સેવા અને સ્વાવલંબનના મૂલ્યોને ચરિતાર્થ કરીને વિકાસના માર્ગે આગળ વધીએ.
9 hours ago | [YT] | 63
View 1 reply
Bhupendra Patel
'છોટા કાશી' તરીકે પ્રસિદ્ધ જામનગર શહેર અને જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અંદાજે રૂ. 412 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
નગરની ઐતિહાસિક ધરોહર સમાન 174 વર્ષ જૂના ભુજિયા કોઠાને નૂતન રંગરૂપ સાથે આજથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
સાથે જ, શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના ભાઈ-બહેનોના જીવનને વધુ સરળ અને સુગમ બનાવવા માટે ઓક્સિજન પાર્ક, આધુનિક ITI બિલ્ડીંગ, નવા માર્ગો, બ્રિજ અને આવાસ પુનઃનિર્માણ, સાધના કોલોનીમાં આવાસોનું પુનઃનિર્માણ જેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં જામનગર આજે WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન દ્વારા વિશ્વભરના સંશોધકો માટે 'સેન્ટર ઓફ એક્સલન્સ' બની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું છે, તે આનંદની વાત છે.
આઝાદીના અમૃતકાળમાં જામનગરના આ વિકાસકાર્યો સમગ્ર પંથકને 'અમૃતમય' બનાવશે અને 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપશે.
11 hours ago | [YT] | 53
View 1 reply
Bhupendra Patel
જામનગરમાં હાપા APMC ખાતે આયોજિત વિશાળ ખેડૂત સંમેલનમાં પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું.
આ અવસરે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, હાપા ખાતે નવનિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામ ગૃહનું ઈ-લોકાર્પણ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાને મહત્ત્વનો આધારસ્તંભ ગણાવ્યા છે.
તેમના નેતૃત્વમાં કૃષિ, ઉદ્યોગ, ખેડૂત ત્રણે એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
ગુજરાતના વધુને વધુ ખેડૂતો માનનીય મોદીજીએ શરૂ કરાવેલ સ્વદેશી અભિયાનમાં જોડાય તેમજ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપે તેવો અનુરોધ સૌને કર્યો.
11 hours ago | [YT] | 27
View 2 replies
Bhupendra Patel
સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલના પ્રાગટ્ય પર્વ ચેટીચાંદ તથા સિંધી નૂતન વર્ષ નિમિત્તે સૌ સિંધી ભાઈ-બહેનોને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ઝુલેલાલ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અપાર ખુશીઓ લાવે તેવી મંગલકામના.
17 hours ago | [YT] | 72
View 0 replies
Bhupendra Patel
શક્તિની આરાધનાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આદ્યશક્તિ માઁ અંબાના આશીર્વાદ આપણા સૌ પર સદાય વરસતા રહે અને દરેક વ્યક્તિના જીવનમાં નવી આશા, ઊર્જા અને સુખ-સમૃદ્ધિનો સંચાર કરે તેવી અભ્યર્થના.
માઁ જગદંબાની કૃપાથી આપણું ગુજરાત ઉત્તરોત્તર વિકાસના નવા શિખર સર કરતું રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના.
20 hours ago | [YT] | 153
View 3 replies
Bhupendra Patel
Had a wonderful interaction at the 'AI Startup Samwad' with high-potential young startups from across the nation, strengthening our commitment to establishing Gujarat as a Global Center for AI and Emerging Technologies, as envisioned by Hon'ble PM Shri Narendra Modi ji.
It was inspiring to see innovators across vital sectors like Agriculture, Health, Education, and GovTech ready to contribute in nation building.
A major highlight was signing an MoU with Sarvam AI to establish a modern Sovereign AI Park in Gujarat, which will bring high-end computing infrastructure and create vast employment opportunities.
Gujarat Government has unveiled a Financial Support Model under AI Innovation Challenge, offering up to ₹1 Crore for the full-scale deployment of high-impact AI solutions, supporting our innovators from Proof of Concept (PoC) to production rollout.
Our priority is to maximize the use of AI for greater transparency, efficiency in governance, and enhancing citizen welfare across the state.
#AIStartupSamwad
1 day ago | [YT] | 121
View 4 replies
Bhupendra Patel
રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે એક એમ કુલ 182 નવી બસોનું આજે ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું, અને મુસાફરોની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું.
ગુજરાત એસ.ટી. નિગમ રોજ 8000 થી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે.
તહેવારોનો સમય હોય કે ધાર્મિક મેળાઓ - એસ.ટી નિગમની બસ સુવિધા નાગરિકોની સેવા માટે કાયમ ફરજરત રહે છે.
1 day ago | [YT] | 135
View 8 replies
Bhupendra Patel
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો.
આ અહેવાલ ઝીણવટભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે.
વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ આ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.
2 days ago | [YT] | 147
View 2 replies
Bhupendra Patel
જનપ્રિય નેતા, દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી, પદ્મભૂષણ મનોહર પર્રિકરજીની પુણ્યતિથિએ સાદર ભાવાંજલિ.
તેમની સાદગીપૂર્ણ જીવનશૈલી અને રાષ્ટ્રપ્રથમની ભાવના રાજનીતિમાં સદાય અનુસરણીય છે. દેશની સંરક્ષણ શક્તિને મજબૂત બનાવવામાં તેમનું અમૂલ્ય યોગદાન અને લોકસેવા પ્રત્યેનું સમર્પણ અવિસ્મરણીય બની રહેશે.
2 days ago | [YT] | 141
View 1 reply
Bhupendra Patel
સરદારધામ સંચાલિત સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે તાલીમ મેળવી UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલા તેજસ્વી યુવાનોને સન્માનિત કરી તેમને રાષ્ટ્રસેવાને સમર્પિત ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આ યુવા કર્મયોગીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.
આ યુવા અધિકારીઓ આવનારા સમયમાં જનસેવા અને સુશાસનના માધ્યમથી રાજ્ય અને દેશની પ્રગતિમાં નવી ઊંચાઈઓ સર કરશે.
સરદારધામ જેવી સંસ્થાઓ યુવાનોને તૈયાર કરીને રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં અમૂલ્ય સહયોગ આપી રહી છે.
વહીવટી સેવામાં જોડાઈ રહેલા સૌ યુવાઓ જનસેવાને પરમ ધર્મ માનીને સુશાસનનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કટિબદ્ધ બને તે માટે સૌને અનુરોધ કર્યો.
સફળતા મેળવનાર સૌ યુવાઓને અનેક શુભેચ્છાઓ.
4 days ago | [YT] | 169
View 3 replies
Load more