Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)
Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.
Bhupendra Patel
કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ એ સૌથી મોટું શસ્ત્ર છે. વહેલું નિદાન અને નિયમિત જીવનશૈલી એ જ આ ગંભીર બીમારી સામેનું સાચું રક્ષણ છે.
યોગ્ય આહાર, વ્યસનમુક્તિ અને યોગ-વ્યાયામને જીવનનો હિસ્સો બનાવી આપણે કેન્સરના જોખમને ઘટાડી શકીએ છીએ.
ગુજરાત સરકાર પણ અત્યાધુનિક સારવાર સુવિધાઓ અને વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ દ્વારા કેન્સરના દર્દીઓની સહાય માટે પ્રતિબદ્ધ છે. આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, આવો આપણે સૌ કેન્સર-મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ.
#WorldCancerDay
1 day ago | [YT] | 128
View 1 reply
Bhupendra Patel
ભારત સરકારના જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજીની સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા જળસંચયના કાર્યોની પ્રગતિ અને આગામી આયોજન અંગે જિલ્લા કલેક્ટરો સાથે વિસ્તૃત ચર્ચા કરી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત જળસંચય ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરીને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કાર્ય કરી રહ્યું છે.
અત્યંત આનંદની વાત છે કે, જળસંચય જન ભાગીદારી 1.0 અભિયાન હેઠળ ગુજરાતમાં 1.33 લાખથી પણ વધુ જેટલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, ત્યારે હવે 2.0 અભિયાન અંતર્ગત રાષ્ટ્રવ્યાપી લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
જે હેઠળ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ, રીચાર્જ ટ્યુબવેલ અને તળાવો ઊંડા કરવા જેવા કામોથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને રાજ્યની જળ સંપત્તિ વધુ સમૃદ્ધ બનશે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરોને તેમના વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા જ વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે જળસંચયના કામોનું આગોતરા આયોજન કરવા અને જળસંચયના કામોમાં હેલ્ધી કોમ્પિટિશનનું વાતાવરણ ઉભું કરવા તાકીદ કરી.
1 day ago | [YT] | 132
View 0 replies
Bhupendra Patel
ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે આયોજિત ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમમાં વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા સાથી મંત્રીશ્રીઓ સાથે ઉપસ્થિત રહી ઉત્તર ગુજરાતના 260 થી વધુ ગામોના સરપંચો સાથે સંવાદનો અવસર મળ્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેને વિકસિત ગ્રામના નિર્માણ થકી સાકાર કરવા ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કર્તવ્ય નિભાવવા સરપંચોને આહવાન કર્યું.
આ તાલીમ કાર્યક્રમ દરમિયાન સરપંચોને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી-રામજી (G-RAMJI) ગ્રામવિકાસ યોજના, પંચાયત હિસાબી નિયમો અને ગ્રામસભામાં સરપંચના અધિકારો અને ફરજો જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
1 day ago | [YT] | 130
View 0 replies
Bhupendra Patel
સંત પરમ હિતકારી..
જગતમાંહી સંત પરમ હિતકારી.
પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ..
ભરમ મિટાવત ભારી.
સંસ્કારી નગરી વડોદરાની પાવન ધરા પર BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના 92મા જન્મજયંતી મહોત્સવમાં પૂજ્ય સંતગણ, મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોની સાથે સહભાગી થવાનો અવસર અત્યંત ભક્તિસભર બની રહ્યો.
પૂજ્ય મહંતસ્વામી મહારાજનું જીવન એ સાદગી, નિઃસ્વાર્થ સેવા અને પરમાત્મા પ્રત્યેની અનન્ય સાધનાનું જીવંત ઉદાહરણ છે.
તેમના દિવ્ય આશીર્વચનો અને પવિત્ર સાનિધ્યથી કરોડો હરિભક્તો અને યુવાનોને સત્માર્ગે ચાલવાની તેમજ રાષ્ટ્રસેવાની અમૂલ્ય પ્રેરણા મળે છે.
આ મહોત્સવ અંતર્ગત બાળકોએ હિન્દુ ગ્રંથના વૃંદગાનનો રેકોર્ડ કર્યો એ અત્યંત આનંદ અને ગૌરવની વાત છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતીય સંસ્કૃતિના મહાન મૂલ્યો સમાજમાં સુદૃઢ બની રહ્યા છે, ત્યારે આ રેકોર્ડ નવી પેઢીમાં પડી રહેલા સંસ્કારોનું પ્રતિબિંબ છે. સંતોનું આ પાછળ ઘણું મહત્ત્વનું યોગદાન છે.
પૂજ્ય મહંત સ્વામી આપણને અહંશૂન્ય થવાનું બળ આપે અને તેમના આશીર્વાદ હંમેશા ગુજરાત અને દેશના લોકો પર બની રહે તેવી મંગલકામના.
2 days ago | [YT] | 400
View 3 replies
Bhupendra Patel
77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવેલા ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદેમાતરમ્’ થીમ આધારિત ટેબ્લોને સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ સ્થાન મળ્યું તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.
આ બદલ ભારત સરકાર તરફથી પ્રાપ્ત થયેલ વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર માહિતી વિભાગની ટીમે આજે ગાંધીનગર ખાતે અર્પણ કર્યા. માહિતી વિભાગની ટીમ તથા આ ટેબ્લોના નિર્માણ અને પ્રસ્તુતિકરણ સાથે સંકળાયેલ સૌને અભિનંદન.
2 days ago | [YT] | 97
View 0 replies
Bhupendra Patel
પર્યાવરણના સંતુલન અને જૈવવિવિધતા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેટલેન્ડ્સના સંરક્ષણ અને જતનના સંદેશ માટે સમર્પિત દિવસ એટલે World Wetlands Day.
વેટલેન્ડ એ માત્ર જળસ્રોત નથી, પણ તે પૃથ્વીના ફેફસાં સમાન છે, જે પૂર નિયંત્રણ, શુદ્ધ જળની આપૂર્તિ અને પક્ષીઓ સહિત અનેક જીવોના આશ્રયસ્થાન તરીકે કાર્ય કરે છે.
ગુજરાત માટે ગૌરવની વાત છે કે આપણા રાજ્યમાં નળ સરોવર, થોળ, ખીજડીયા, વઢવાણા અને તાજેતરમાં જ જાહેર થયેલ કચ્છનું છારી-ઢંઢ જેવી 'રામસર સાઇટ્સ' છે, જે આપણા સમૃદ્ધ પ્રાકૃતિક વારસાની પ્રતીતિ કરાવે છે.
આવો, આજના દિવસે આપણે સૌ પ્રદૂષણ-મુક્ત અને જળ-સમૃદ્ધ વેટલેન્ડ્સના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ.
#WorldWetlandsDay2026
2 days ago | [YT] | 124
View 1 reply
Bhupendra Patel
ભારતની વિશાળ દરિયાઈ સીમાઓના અભેદ્ય પ્રહરી બનીને દેશની સુરક્ષા કાજે ખડેપગે તૈનાત ભારતીય તટરક્ષક દળના તમામ જવાનોને ભારતીય કોસ્ટ ગાર્ડ સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.
અફાટ સમુદ્રની લહેરો વચ્ચે કઠિન પરિસ્થિતિઓમાં પણ અડગ રહીને સમુદ્રી સરહદોની સુરક્ષા અને આપત્તિના સમયે રક્ષક બનીને ખડેપગે રહેતા આપણા જવાનોનું શૌર્ય અને સમર્પણ પર દરેક ભારતીયને ગર્વ છે.
4 days ago | [YT] | 195
View 2 replies
Bhupendra Patel
વેપાર અને વિકાસના હબ સુરત શહેરની પ્રગતિને વેગ આપશે નવીન વિકાસ પ્રકલ્પો..
સુરત મહાનગરપાલિકાના રૂ. 342 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર.પાટીલજી તથા મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, લેક ગાર્ડન, અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી, BRTS કોરિડોર અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તેમજ શિક્ષણ, આરોગ્ય, પાણી, ડ્રેનેજ, માર્ગ અને રિન્યુએબલ એનર્જીના વિવિધ પ્રોજેક્ટ્સ નાગરિકોની સુખસુવિધામાં વધારો કરશે.
આજના અવસરે, કતારગામ વિસ્તારમાં PPP ધોરણે રિડેવલપ થયેલ આવાસોના કામનું લોકાર્પણ પણ કર્યું.
4 days ago | [YT] | 153
View 6 replies
Bhupendra Patel
ભાદરણ સ્થિત ત્રિમંદિરે વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓ તેમજ પૂજ્ય જ્ઞાનીપુરુષ દાદા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી.
5 days ago | [YT] | 183
View 10 replies
Bhupendra Patel
ગુજરાતના ગ્રામીણ વિકાસ માટે ઐતિહાસિક દિવસ..
પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ આજે ભાદરણની ધન્ય ધરા પરથી 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના'નો શુભારંભ કરાવ્યો.
આ યોજના અંતર્ગત, પ્રથમ તબક્કે ગુજરાત રાજ્યના તાલુકા મથક હોય તેવા 114 ગામોને નગરપાલિકાઓની સમકક્ષ શહેરી સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવશે.
આ યોજના હેઠળ, ગામોમાં સીસી રોડ, સોલાર સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી સર્વેલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેમજ સ્માર્ટ ક્લાસ, ઈ-લાઈબ્રેરી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા શિક્ષણ અને આરોગ્ય સેવાઓને ટેક્નોલોજી સાથે જોડીને ગામડાંઓના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવામાં આવશે.
આ ઉપરાંત, આજના અવસરે સમગ્ર રાજ્યમાં એક સાથે 2666 ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી આવાસોનું ખાતમુહૂર્ત પણ કર્યું.
આ પંચાયત ઘરો માત્ર ઈમારત નહીં, પણ દરેક ગામના વિકાસનું કેન્દ્ર બનશે અને આપણાં ગામડાઓને વધુ સમૃદ્ધ અને વિકસિત બનાવશે.
5 days ago | [YT] | 117
View 2 replies
Load more